Googleની Monopoly પર લાગશે લગામ? સર્ચ એન્જિનમાં ડિફોલ્ટમાં આવતું Googleનો વિકલ્પ હટી જશે? જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-17 13:31:54

આપણે ત્યાં કેવું હોય છે કે એન્ડ્રોઈડ ફોન હોયને અને તમે કંઈ પણ વસ્તુ સર્ચ કરો એટલે ગુગલ જ ખુલે. જો કે દુનિયામાં બિંગ, યાહુ અને ડકડક ગો જેવા બીજા પણ સર્ચ એન્જિન છે પણ પ્રાધન્યતા તો ખાલી ગૂગલને જ આપવામાં આવે છે. પહેલા તો આઈફોનમાં વિકલ્પ આપવામાં આવતા હતા કે તમારે કયુ સર્ચ એન્જિન વાપરવું છે પણ હવે તો એમાં પણ ગૂગલ બાબાએ 166 કરોડ રૂપિયા આપીને સેટિંગ પાડી દીધું છે એવી વાતો સામે આવી રહી છે. અમેરિકામાં હવે એવું થવાનું છે કે ડિફોલ્ટ ચોઈસમાંથી ગૂગલ દૂર થઈ શકે એવી પરિસ્થિતિ છે. 

Google નું સર્વર ડાઉન, યુટ્યૂબ-જીમેલમાં પણ સમસ્યાની ફરીયાદ | Google's  server down, YouTube-Gmail also complains of problem - Gujarati Oneindia

કંઈ પણ સર્ચ કરવું હોય તો આપણે ફોનમાં ગુગલ ઓપન કરીએ છીએ 

અમેરિકાના ન્યાય વિભાગે એવો આક્ષેપ કર્યો છે કે સર્ચ અને જાહેરાતો પર ગૂગલે ગેરકાયદેસર રીતે ઈજારાશાહી શરૂ કરી છે. આવી જ રીતે યુઝર્સને ટેવ પડાવી દીધી છે કે કંઈ પણ સર્ચ કરવું હોય તો ગૂગલ જ ખોલે. તમારે અને મારે પણ પરિસ્થિતિ એ જ હશે કે કંઈ પણ સર્ચ કરવું હોય મોબાઈલ પર આંગળીનું ટેરવું ગૂગલ પર જ અડી જાય છે. અને આ અડાડવા માટે જ ગૂગલ કરોડો અબજો રૂપિયા ખર્ચે છે. આ મામલે માઈક્રોસોફ્ટના સીઈઓ અને ભારતીય મૂળના સત્ય નડેલાએ ફરિયાદ કરી છે કે ગૂગલે યુઝર્સને સમ્મોહિત કરી દીધા છે. કંઈ પણ કરો તમે ગૂગલ જ ખોલો છો. એટલે હવે એવી સિસ્ટમ ઉભી કરો કે ફોનમાં સર્ચ કરવામાં ગૂગલ ડિફોલ્ટ તરીકે ન હોય અને યુઝરને જે સર્ચ એન્જિનથી સર્ચ કરવું હોય તે સર્ચ કરી શકે.  


ફોનમાં ગૂગલ ડિફોલ્ટ તરીકે ન હોવું જોઈએ તેવી કરાઈ અરજી 

ટૂંકમાં હવે વિચારણા થઈ રહી છે કે ગૂગલ સામે કોઈ પગલા લેવામાં આવે. અને ડિફોલ્ટ તરીકે ગુગલને રાખવામાં આવે એને સર્ચ એન્જિનમાંથી કાઢવામાં આવે. આવું કરવાથી ગૂગલના હરીફો છે તેને સારું પ્રદર્શન કરવાનો મોકો મળશે અને ગુગલને પણ સારું કરવાનો મોકો મળશે. આપણી રાજકીય પાર્ટીઓ જેવું છે કે એક સમયે સત્તા પક્ષની સામે વિપક્ષ ભયાનક રીતે આક્રામક થઈને બોલતું હતું અને હવે સત્તા પક્ષ હાવી થઈ જાય છે અને વિપક્ષ બોલી નથી શકતું. સ્વસ્થ લોકતંત્ર માટે જેટલો સત્તા પક્ષ દમદાર હોય એવો જ વિપક્ષ પણ દમદાર હોવો જોઈએ જેથી સત્તા પક્ષ કાબૂમાં રહે બાકી તે મનમરજી મુજબ વર્તવા લાગે છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.