દેવામાં ડુબેલા અનિલ અંબાણી માટે આજનો દિવસ મહત્વનો કેમ છે, જાણો...


  • Published By :
  • Published Date : 2023-01-03 13:24:45

દેવામાં ડુબેલા અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ માટે આજનો દિવસ મહત્વનો છે. આ મંગળવારે રિલાયન્સ કેપિટલને લોન આપનારાની કમિટી એટલે કે COCની મહત્વની બેઠક યોજાવાની છે. કમિટી ઓફ ક્રેડિટર્સ ઇન્સોલ્વેન્સી રિઝોલ્યુશન પ્રક્રિયા હેઠળ થનારી બેઠકમાં કંપનીના અધિગ્રહણ માટે હિંદુજા ગ્રુપ અને ટોરેન્ટ ગ્રુપ દ્વારા લગાવવામાં આવેલી બોલીઓ પર વિચાર કરવામાં આવશે.


CoCની બેઠકમાં બિડ અંગે થશે વિચાર


અત્રે ઉલ્લેખનિય છે કે દેવામાં ડુબેલી રિલાયન્સ કેપિટલ માટે અમદાવાદની ટોરેન્ટ કંપનીએ રિલાયન્સ કેપિટલ માટે 8,640 કરોડ રૂપિયાની બોલી લગાવી છે. જ્યારે હિન્દુજા ગ્રૂપે રૂ.8,110 કરોડની બિડ કરી છે. દેવાના બોજ હેઠળ ડુબેલી કંપનીને વેચવા માટે બિડ મંગાવવામાં આવી હતી. કંપનીના ધિરાણકર્તાઓ એટલે કે CoCએ આ માટે રૂ. 6,500 કરોડની બેઝિક પ્રાઈસ રાખી હતી. ઓનલાઈન હરાજી હાથ ધરવામાં આવી હતી પરંતુ બાદમાં હિન્દુજા ગ્રૂપે સુધારેલી ડેટ રિઝોલ્યુશનની દરખાસ્ત મોકલીને તેની બિડ વધારીને રૂ. 9,000 કરોડ કરવાની ઓફર કરી હતી. એટલું જ નહીં, કંપનીએ આખી રકમ રોકડમાં ચૂકવવાની ઓફર પણ કરી છે.


IBC એક્ટ હેઠળ સૌથી મોટી બિડ


આજની મહત્વપૂર્ણ બેઠકમાં CoC આ બંને કંપનીઓની બિડ અંગે ચર્ચા કરશે. અત્રે ઉલ્લેખનિય છે કે આવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે IBC એક્ટ હેઠળ નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની માટે આટલા મોટા પાયે બિડિંગ કરવામાં આવ્યું હોય. કંપનીના મોટા ધીરાણકર્તાઓમાં LIC, EPFO ​​જેવા નામોનો સમાવેશ થાય છે.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.