દેવામાં ડુબેલા અનિલ અંબાણી માટે આજનો દિવસ મહત્વનો કેમ છે, જાણો...


  • Published By :
  • Published Date : 2023-01-03 13:24:45

દેવામાં ડુબેલા અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ માટે આજનો દિવસ મહત્વનો છે. આ મંગળવારે રિલાયન્સ કેપિટલને લોન આપનારાની કમિટી એટલે કે COCની મહત્વની બેઠક યોજાવાની છે. કમિટી ઓફ ક્રેડિટર્સ ઇન્સોલ્વેન્સી રિઝોલ્યુશન પ્રક્રિયા હેઠળ થનારી બેઠકમાં કંપનીના અધિગ્રહણ માટે હિંદુજા ગ્રુપ અને ટોરેન્ટ ગ્રુપ દ્વારા લગાવવામાં આવેલી બોલીઓ પર વિચાર કરવામાં આવશે.


CoCની બેઠકમાં બિડ અંગે થશે વિચાર


અત્રે ઉલ્લેખનિય છે કે દેવામાં ડુબેલી રિલાયન્સ કેપિટલ માટે અમદાવાદની ટોરેન્ટ કંપનીએ રિલાયન્સ કેપિટલ માટે 8,640 કરોડ રૂપિયાની બોલી લગાવી છે. જ્યારે હિન્દુજા ગ્રૂપે રૂ.8,110 કરોડની બિડ કરી છે. દેવાના બોજ હેઠળ ડુબેલી કંપનીને વેચવા માટે બિડ મંગાવવામાં આવી હતી. કંપનીના ધિરાણકર્તાઓ એટલે કે CoCએ આ માટે રૂ. 6,500 કરોડની બેઝિક પ્રાઈસ રાખી હતી. ઓનલાઈન હરાજી હાથ ધરવામાં આવી હતી પરંતુ બાદમાં હિન્દુજા ગ્રૂપે સુધારેલી ડેટ રિઝોલ્યુશનની દરખાસ્ત મોકલીને તેની બિડ વધારીને રૂ. 9,000 કરોડ કરવાની ઓફર કરી હતી. એટલું જ નહીં, કંપનીએ આખી રકમ રોકડમાં ચૂકવવાની ઓફર પણ કરી છે.


IBC એક્ટ હેઠળ સૌથી મોટી બિડ


આજની મહત્વપૂર્ણ બેઠકમાં CoC આ બંને કંપનીઓની બિડ અંગે ચર્ચા કરશે. અત્રે ઉલ્લેખનિય છે કે આવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે IBC એક્ટ હેઠળ નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની માટે આટલા મોટા પાયે બિડિંગ કરવામાં આવ્યું હોય. કંપનીના મોટા ધીરાણકર્તાઓમાં LIC, EPFO ​​જેવા નામોનો સમાવેશ થાય છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.