દેવામાં ડુબેલા અનિલ અંબાણી માટે આજનો દિવસ મહત્વનો કેમ છે, જાણો...


  • Published By :
  • Published Date : 2023-01-03 13:24:45

દેવામાં ડુબેલા અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ માટે આજનો દિવસ મહત્વનો છે. આ મંગળવારે રિલાયન્સ કેપિટલને લોન આપનારાની કમિટી એટલે કે COCની મહત્વની બેઠક યોજાવાની છે. કમિટી ઓફ ક્રેડિટર્સ ઇન્સોલ્વેન્સી રિઝોલ્યુશન પ્રક્રિયા હેઠળ થનારી બેઠકમાં કંપનીના અધિગ્રહણ માટે હિંદુજા ગ્રુપ અને ટોરેન્ટ ગ્રુપ દ્વારા લગાવવામાં આવેલી બોલીઓ પર વિચાર કરવામાં આવશે.


CoCની બેઠકમાં બિડ અંગે થશે વિચાર


અત્રે ઉલ્લેખનિય છે કે દેવામાં ડુબેલી રિલાયન્સ કેપિટલ માટે અમદાવાદની ટોરેન્ટ કંપનીએ રિલાયન્સ કેપિટલ માટે 8,640 કરોડ રૂપિયાની બોલી લગાવી છે. જ્યારે હિન્દુજા ગ્રૂપે રૂ.8,110 કરોડની બિડ કરી છે. દેવાના બોજ હેઠળ ડુબેલી કંપનીને વેચવા માટે બિડ મંગાવવામાં આવી હતી. કંપનીના ધિરાણકર્તાઓ એટલે કે CoCએ આ માટે રૂ. 6,500 કરોડની બેઝિક પ્રાઈસ રાખી હતી. ઓનલાઈન હરાજી હાથ ધરવામાં આવી હતી પરંતુ બાદમાં હિન્દુજા ગ્રૂપે સુધારેલી ડેટ રિઝોલ્યુશનની દરખાસ્ત મોકલીને તેની બિડ વધારીને રૂ. 9,000 કરોડ કરવાની ઓફર કરી હતી. એટલું જ નહીં, કંપનીએ આખી રકમ રોકડમાં ચૂકવવાની ઓફર પણ કરી છે.


IBC એક્ટ હેઠળ સૌથી મોટી બિડ


આજની મહત્વપૂર્ણ બેઠકમાં CoC આ બંને કંપનીઓની બિડ અંગે ચર્ચા કરશે. અત્રે ઉલ્લેખનિય છે કે આવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે IBC એક્ટ હેઠળ નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની માટે આટલા મોટા પાયે બિડિંગ કરવામાં આવ્યું હોય. કંપનીના મોટા ધીરાણકર્તાઓમાં LIC, EPFO ​​જેવા નામોનો સમાવેશ થાય છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.