રિલાયન્સ હોસ્પિટલને ઉડાવી દેવાની અને અંબાણી પરિવારને મોતની ધમકી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 19:36:34

એક અજાણ્યા વ્યક્તિએ દક્ષિણ મુંબઈમાં આવેલી સર એચએન રિલાયન્સ હોસ્પિટલના લેન્ડલાઈન નંબર પર બુધવારે  ફોન કરીને ધમકી આપી છે. આ વ્યક્તિએ હોસ્પિટલને ઉડાવી દેવાની ધમકી આપી છે. આ સિવાય મુકેશ અંબાણી અને તેમના પરિવારને ધમકી આપવાનો મામલો પણ સામે આવ્યો છે. આ ધમકી બાદ હોસ્પિટલ અને અંબાણી પરિવારના ઘર એન્ટિલિયાની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. છેલ્લા બે મહિનામાં આ બીજી વખત છે જ્યારે અંબાણી પરિવારને ધમકી મળી છે. પોલીસના જણાવ્યા અનુસાર, બપોરે લગભગ 1 વાગે હોસ્પિટલમાં એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો, જેમાં ધમકી આપવામાં આવી છે.


પોલીસે આરોપીને પકડવાના પ્રયાસો કર્યા તેજ


ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ નીલોત્પલે જણાવ્યું  કે ફોન કરનારે અંબાણી પરિવારના કેટલાક લોકોને નામ લઈને ધમકી પણ આપી હતી. આ અંગે ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે આરોપીઓને શોધવાના પ્રયાસો ચાલુ છે. હાલ પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આરોપીએ કયા નંબર પરથી ફોન કરીને તેની ઓળખ શું છે. આ માહિતી મળ્યા બાદ આરોપીને પકડવાના પ્રયાસો તેજ કરવામાં આવશે.


અંબાણી પરીવારને અગાઉ પણ ધમકી મળી ચુકી છે


આ વર્ષે ઓગસ્ટમાં જ એક 56 વર્ષીય જ્વેલરની ધરપકડ કરવામાં આવી હતી. તેના પર મુકેશ અંબાણીના પરિવારને ધમકી આપવાનો પણ આરોપ હતો. તેણે મુકેશ અંબાણીને મારી નાખવાની પણ ધમકી આપી હતી. આરોપીની ઓળખ વિષ્ણુ વિધુ ભૌમિક તરીકે થઈ હતી. તેણે 9 વખત હોસ્પિટલમાં ફોન કરીને ધમકી આપી હતી. તેમાંથી એક કોલમાં તેણે કહ્યું કે તેનું નામ અફઝલ ગુરુ છે અને તે આગામી ત્રણ કલાકમાં કંઈ પણ કરી શકે છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .