રિલાયન્સ હોસ્પિટલને ઉડાવી દેવાની અને અંબાણી પરિવારને મોતની ધમકી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 19:36:34

એક અજાણ્યા વ્યક્તિએ દક્ષિણ મુંબઈમાં આવેલી સર એચએન રિલાયન્સ હોસ્પિટલના લેન્ડલાઈન નંબર પર બુધવારે  ફોન કરીને ધમકી આપી છે. આ વ્યક્તિએ હોસ્પિટલને ઉડાવી દેવાની ધમકી આપી છે. આ સિવાય મુકેશ અંબાણી અને તેમના પરિવારને ધમકી આપવાનો મામલો પણ સામે આવ્યો છે. આ ધમકી બાદ હોસ્પિટલ અને અંબાણી પરિવારના ઘર એન્ટિલિયાની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. છેલ્લા બે મહિનામાં આ બીજી વખત છે જ્યારે અંબાણી પરિવારને ધમકી મળી છે. પોલીસના જણાવ્યા અનુસાર, બપોરે લગભગ 1 વાગે હોસ્પિટલમાં એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો, જેમાં ધમકી આપવામાં આવી છે.


પોલીસે આરોપીને પકડવાના પ્રયાસો કર્યા તેજ


ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ નીલોત્પલે જણાવ્યું  કે ફોન કરનારે અંબાણી પરિવારના કેટલાક લોકોને નામ લઈને ધમકી પણ આપી હતી. આ અંગે ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે આરોપીઓને શોધવાના પ્રયાસો ચાલુ છે. હાલ પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આરોપીએ કયા નંબર પરથી ફોન કરીને તેની ઓળખ શું છે. આ માહિતી મળ્યા બાદ આરોપીને પકડવાના પ્રયાસો તેજ કરવામાં આવશે.


અંબાણી પરીવારને અગાઉ પણ ધમકી મળી ચુકી છે


આ વર્ષે ઓગસ્ટમાં જ એક 56 વર્ષીય જ્વેલરની ધરપકડ કરવામાં આવી હતી. તેના પર મુકેશ અંબાણીના પરિવારને ધમકી આપવાનો પણ આરોપ હતો. તેણે મુકેશ અંબાણીને મારી નાખવાની પણ ધમકી આપી હતી. આરોપીની ઓળખ વિષ્ણુ વિધુ ભૌમિક તરીકે થઈ હતી. તેણે 9 વખત હોસ્પિટલમાં ફોન કરીને ધમકી આપી હતી. તેમાંથી એક કોલમાં તેણે કહ્યું કે તેનું નામ અફઝલ ગુરુ છે અને તે આગામી ત્રણ કલાકમાં કંઈ પણ કરી શકે છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.