રિલાયન્સ હોસ્પિટલને ઉડાવી દેવાની અને અંબાણી પરિવારને મોતની ધમકી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 19:36:34

એક અજાણ્યા વ્યક્તિએ દક્ષિણ મુંબઈમાં આવેલી સર એચએન રિલાયન્સ હોસ્પિટલના લેન્ડલાઈન નંબર પર બુધવારે  ફોન કરીને ધમકી આપી છે. આ વ્યક્તિએ હોસ્પિટલને ઉડાવી દેવાની ધમકી આપી છે. આ સિવાય મુકેશ અંબાણી અને તેમના પરિવારને ધમકી આપવાનો મામલો પણ સામે આવ્યો છે. આ ધમકી બાદ હોસ્પિટલ અને અંબાણી પરિવારના ઘર એન્ટિલિયાની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. છેલ્લા બે મહિનામાં આ બીજી વખત છે જ્યારે અંબાણી પરિવારને ધમકી મળી છે. પોલીસના જણાવ્યા અનુસાર, બપોરે લગભગ 1 વાગે હોસ્પિટલમાં એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો, જેમાં ધમકી આપવામાં આવી છે.


પોલીસે આરોપીને પકડવાના પ્રયાસો કર્યા તેજ


ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ નીલોત્પલે જણાવ્યું  કે ફોન કરનારે અંબાણી પરિવારના કેટલાક લોકોને નામ લઈને ધમકી પણ આપી હતી. આ અંગે ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે આરોપીઓને શોધવાના પ્રયાસો ચાલુ છે. હાલ પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આરોપીએ કયા નંબર પરથી ફોન કરીને તેની ઓળખ શું છે. આ માહિતી મળ્યા બાદ આરોપીને પકડવાના પ્રયાસો તેજ કરવામાં આવશે.


અંબાણી પરીવારને અગાઉ પણ ધમકી મળી ચુકી છે


આ વર્ષે ઓગસ્ટમાં જ એક 56 વર્ષીય જ્વેલરની ધરપકડ કરવામાં આવી હતી. તેના પર મુકેશ અંબાણીના પરિવારને ધમકી આપવાનો પણ આરોપ હતો. તેણે મુકેશ અંબાણીને મારી નાખવાની પણ ધમકી આપી હતી. આરોપીની ઓળખ વિષ્ણુ વિધુ ભૌમિક તરીકે થઈ હતી. તેણે 9 વખત હોસ્પિટલમાં ફોન કરીને ધમકી આપી હતી. તેમાંથી એક કોલમાં તેણે કહ્યું કે તેનું નામ અફઝલ ગુરુ છે અને તે આગામી ત્રણ કલાકમાં કંઈ પણ કરી શકે છે.



ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.