"અમેરિકાએ પોતાના મજબૂત સહયોગી ભારત સાથે સબંધો ના બગાડવા જોઈએ."


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-08-06 20:55:29

 જયારે પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું કે , ભારત કહે છે કે અમેરિકા રશિયા પાસેથી યુરેનિયમ , ખાતર અને કેમિકલની આયાત કરે છે જયારે તમે ભારતની રશિયન ક્રૂડ ઓઈલની આયાતની નિંદા કરો છો  તો તમે શું કહેશો? ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પએ જવાબ આપ્યો કે , હું આ વિશે કશું જ જાણતો નથી. તો હવે ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના નેતા નીક્કી હેલી હેલીએ પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને લખ્યું છે કે અમેરિકાએ ભારત સાથે સબંધો બગાડવા ના જોઈએ .

Modi and Trump's Effect on the U.S.-India Partnership - The Atlantic

આવતીકાલ એટલેકે , ૭ મી ઓગસ્ટથી ભારત પર અમેરિકા ૨૫ ટકા ટેરિફની સાથે પેનલ્ટી પણ લગાવવા જઈ રહ્યું છે. સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારત પર આડકતરી રીતે રશિયન ઓઇલ ખરીદીને રશિયા - યુક્રેન યુદ્ધ કરાવવાનો આરોપ લગાવ્યો છે . તો સામે ભારતે અમેરિકા સહીત પશ્ચિમી દેશો પર રશિયન માલસામાનની આયાતનો આરોપ લગાવ્યો છે. તો હવે આ બાબતે જયારે , પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને સવાલ પૂછ્યો ત્યારે , આખી દુનિયાનું જ્ઞાન ધરાવનાર અને પોતાને ભારતનો મિત્ર કહેનાર ડોનાલ્ડ ટ્રમ્પએ જવાબ આપ્યો કે હું કશું જ જાણતો નથી. એટલે કે , ડોનાલ્ડ ટ્રમ્પના આ મૌનથી એક વસ્તુ સાફ છે કે , અમેરિકા સહીત પશ્ચિમી દેશોએ પોતાના ગીરબાનમાં ઝાંકીને જોવું જોઈએ ના કે પછી ભારત પર આરોપો લગાવવા જોઈએ. તો હવે બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લીકન પાર્ટીના નેતા નીક્કી હેલીએ પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને લખ્યું છે કે , "ભારતે રશિયન ઓઇલ ના ખરીદવું જોઈએ . પરંતુ આપણું વિરોધી ચાઈના કે જે રશિયન અને ઇરાનિયન ક્રૂડ ઓઈલનું નંબર વન બાયર છે તેને ૯૦ દિવસનો ટેરિફ પોઝ આપવામાં આવ્યો છે . માટે ચીનને કોઈ પાસ ના આપો સાથે જ ભારત જેવા મજબૂત સહયોગી સાથે સબંધો ખરાબ ના કરવા જોઈએ." આપને જણાવી દયિકે , હાલમાં વિશ્વભરમાં રશિયન ઓઇલનું સૌથી મોટું આયાતકર્તા ચાઈના છે . સાથેજ અમેરિકા અને ચાઈના જીનીવા ટોલ્ક્સ અને લંડન ટોલ્ક્સ પછી ટ્રુસ પર પહોંચ્યા છે . જે અંતર્ગત ચીન પર ૩૦ ટકા જેટલો ટેરિફ લાગે છે . સાથે જ હાલમાં અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ ડીલને લઇને વાર્તાલાપ ચાલુ છે. ચીનનો પ્રયાસ છે કે , અમેરિકા પાસેથી રશિયન ઓઇલ આયાત કરવા માટે વેઇવર લેવામાં આવે. તો આ તરફ ટ્રેડ ડીલને લઇને વાર્તાલાપ કરવા માટે , અમેરિકાનું પ્રતિનિધિ મંડળ ઓગસ્ટના અંતમાં ભારત આવી શકે છે. 

હવે વાત , અમેરિકા અને પશ્ચિમી દેશોની કે જેઓનું વલણ રશિયન ઓઈલને લઇને બેવડું છે . આપણે એ સમજીએ . રશિયા - યુક્રેન યુદ્ધ જે ૨૦૨૨માં શરુ થયું તે પછી USA સહીત પશ્ચિચિમી  દેશો ઇચ્છતા હતા કે , રશિયાની ઓઇલ એક્સપોર્ટથી જે આવક છે તેમા ઘટાડો થાય પરંતુ ઇન્ટરનેશનલ માર્કેટમાં રશિયન ઓઈલનો સપ્લાય બંધ ના થાય તે માટે USના પૂર્વ પ્રમુખ જો બૈંડેન દ્વારા રશિયન ક્રૂડ પર માત્ર પ્રાઇસ કેપ લગાવામાં આવ્યો . કેમ કે , રશિયા વિશ્વના સૌથી મોટું ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કરતા દેશોમાંનું એક છે . જો તેનો ઓઇલ સપ્લાય ઇન્ટરનેશનલ માર્કેટમાં બંધ થઇ જાય તો , વિશ્વભરમાં ક્રૂડ ઓઈલના ભાવ આસમાને જઈ શકે છે. ભારતની રશિયન ઓઈલની આયાત આ ઓઈલના ભાવોને આંતરરાષ્ટ્રીય સ્તરે નિયંત્રણમાં રાખે છે .





ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.