"અમેરિકાએ પોતાના મજબૂત સહયોગી ભારત સાથે સબંધો ના બગાડવા જોઈએ."


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-08-06 20:55:29

 જયારે પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું કે , ભારત કહે છે કે અમેરિકા રશિયા પાસેથી યુરેનિયમ , ખાતર અને કેમિકલની આયાત કરે છે જયારે તમે ભારતની રશિયન ક્રૂડ ઓઈલની આયાતની નિંદા કરો છો  તો તમે શું કહેશો? ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પએ જવાબ આપ્યો કે , હું આ વિશે કશું જ જાણતો નથી. તો હવે ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના નેતા નીક્કી હેલી હેલીએ પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને લખ્યું છે કે અમેરિકાએ ભારત સાથે સબંધો બગાડવા ના જોઈએ .

Modi and Trump's Effect on the U.S.-India Partnership - The Atlantic

આવતીકાલ એટલેકે , ૭ મી ઓગસ્ટથી ભારત પર અમેરિકા ૨૫ ટકા ટેરિફની સાથે પેનલ્ટી પણ લગાવવા જઈ રહ્યું છે. સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારત પર આડકતરી રીતે રશિયન ઓઇલ ખરીદીને રશિયા - યુક્રેન યુદ્ધ કરાવવાનો આરોપ લગાવ્યો છે . તો સામે ભારતે અમેરિકા સહીત પશ્ચિમી દેશો પર રશિયન માલસામાનની આયાતનો આરોપ લગાવ્યો છે. તો હવે આ બાબતે જયારે , પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને સવાલ પૂછ્યો ત્યારે , આખી દુનિયાનું જ્ઞાન ધરાવનાર અને પોતાને ભારતનો મિત્ર કહેનાર ડોનાલ્ડ ટ્રમ્પએ જવાબ આપ્યો કે હું કશું જ જાણતો નથી. એટલે કે , ડોનાલ્ડ ટ્રમ્પના આ મૌનથી એક વસ્તુ સાફ છે કે , અમેરિકા સહીત પશ્ચિમી દેશોએ પોતાના ગીરબાનમાં ઝાંકીને જોવું જોઈએ ના કે પછી ભારત પર આરોપો લગાવવા જોઈએ. તો હવે બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લીકન પાર્ટીના નેતા નીક્કી હેલીએ પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને લખ્યું છે કે , "ભારતે રશિયન ઓઇલ ના ખરીદવું જોઈએ . પરંતુ આપણું વિરોધી ચાઈના કે જે રશિયન અને ઇરાનિયન ક્રૂડ ઓઈલનું નંબર વન બાયર છે તેને ૯૦ દિવસનો ટેરિફ પોઝ આપવામાં આવ્યો છે . માટે ચીનને કોઈ પાસ ના આપો સાથે જ ભારત જેવા મજબૂત સહયોગી સાથે સબંધો ખરાબ ના કરવા જોઈએ." આપને જણાવી દયિકે , હાલમાં વિશ્વભરમાં રશિયન ઓઇલનું સૌથી મોટું આયાતકર્તા ચાઈના છે . સાથેજ અમેરિકા અને ચાઈના જીનીવા ટોલ્ક્સ અને લંડન ટોલ્ક્સ પછી ટ્રુસ પર પહોંચ્યા છે . જે અંતર્ગત ચીન પર ૩૦ ટકા જેટલો ટેરિફ લાગે છે . સાથે જ હાલમાં અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ ડીલને લઇને વાર્તાલાપ ચાલુ છે. ચીનનો પ્રયાસ છે કે , અમેરિકા પાસેથી રશિયન ઓઇલ આયાત કરવા માટે વેઇવર લેવામાં આવે. તો આ તરફ ટ્રેડ ડીલને લઇને વાર્તાલાપ કરવા માટે , અમેરિકાનું પ્રતિનિધિ મંડળ ઓગસ્ટના અંતમાં ભારત આવી શકે છે. 

હવે વાત , અમેરિકા અને પશ્ચિમી દેશોની કે જેઓનું વલણ રશિયન ઓઈલને લઇને બેવડું છે . આપણે એ સમજીએ . રશિયા - યુક્રેન યુદ્ધ જે ૨૦૨૨માં શરુ થયું તે પછી USA સહીત પશ્ચિચિમી  દેશો ઇચ્છતા હતા કે , રશિયાની ઓઇલ એક્સપોર્ટથી જે આવક છે તેમા ઘટાડો થાય પરંતુ ઇન્ટરનેશનલ માર્કેટમાં રશિયન ઓઈલનો સપ્લાય બંધ ના થાય તે માટે USના પૂર્વ પ્રમુખ જો બૈંડેન દ્વારા રશિયન ક્રૂડ પર માત્ર પ્રાઇસ કેપ લગાવામાં આવ્યો . કેમ કે , રશિયા વિશ્વના સૌથી મોટું ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કરતા દેશોમાંનું એક છે . જો તેનો ઓઇલ સપ્લાય ઇન્ટરનેશનલ માર્કેટમાં બંધ થઇ જાય તો , વિશ્વભરમાં ક્રૂડ ઓઈલના ભાવ આસમાને જઈ શકે છે. ભારતની રશિયન ઓઈલની આયાત આ ઓઈલના ભાવોને આંતરરાષ્ટ્રીય સ્તરે નિયંત્રણમાં રાખે છે .





ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.