"અમેરિકાએ પોતાના મજબૂત સહયોગી ભારત સાથે સબંધો ના બગાડવા જોઈએ."


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-08-06 20:55:29

 જયારે પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું કે , ભારત કહે છે કે અમેરિકા રશિયા પાસેથી યુરેનિયમ , ખાતર અને કેમિકલની આયાત કરે છે જયારે તમે ભારતની રશિયન ક્રૂડ ઓઈલની આયાતની નિંદા કરો છો  તો તમે શું કહેશો? ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પએ જવાબ આપ્યો કે , હું આ વિશે કશું જ જાણતો નથી. તો હવે ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના નેતા નીક્કી હેલી હેલીએ પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને લખ્યું છે કે અમેરિકાએ ભારત સાથે સબંધો બગાડવા ના જોઈએ .

Modi and Trump's Effect on the U.S.-India Partnership - The Atlantic

આવતીકાલ એટલેકે , ૭ મી ઓગસ્ટથી ભારત પર અમેરિકા ૨૫ ટકા ટેરિફની સાથે પેનલ્ટી પણ લગાવવા જઈ રહ્યું છે. સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારત પર આડકતરી રીતે રશિયન ઓઇલ ખરીદીને રશિયા - યુક્રેન યુદ્ધ કરાવવાનો આરોપ લગાવ્યો છે . તો સામે ભારતે અમેરિકા સહીત પશ્ચિમી દેશો પર રશિયન માલસામાનની આયાતનો આરોપ લગાવ્યો છે. તો હવે આ બાબતે જયારે , પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને સવાલ પૂછ્યો ત્યારે , આખી દુનિયાનું જ્ઞાન ધરાવનાર અને પોતાને ભારતનો મિત્ર કહેનાર ડોનાલ્ડ ટ્રમ્પએ જવાબ આપ્યો કે હું કશું જ જાણતો નથી. એટલે કે , ડોનાલ્ડ ટ્રમ્પના આ મૌનથી એક વસ્તુ સાફ છે કે , અમેરિકા સહીત પશ્ચિમી દેશોએ પોતાના ગીરબાનમાં ઝાંકીને જોવું જોઈએ ના કે પછી ભારત પર આરોપો લગાવવા જોઈએ. તો હવે બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લીકન પાર્ટીના નેતા નીક્કી હેલીએ પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને લખ્યું છે કે , "ભારતે રશિયન ઓઇલ ના ખરીદવું જોઈએ . પરંતુ આપણું વિરોધી ચાઈના કે જે રશિયન અને ઇરાનિયન ક્રૂડ ઓઈલનું નંબર વન બાયર છે તેને ૯૦ દિવસનો ટેરિફ પોઝ આપવામાં આવ્યો છે . માટે ચીનને કોઈ પાસ ના આપો સાથે જ ભારત જેવા મજબૂત સહયોગી સાથે સબંધો ખરાબ ના કરવા જોઈએ." આપને જણાવી દયિકે , હાલમાં વિશ્વભરમાં રશિયન ઓઇલનું સૌથી મોટું આયાતકર્તા ચાઈના છે . સાથેજ અમેરિકા અને ચાઈના જીનીવા ટોલ્ક્સ અને લંડન ટોલ્ક્સ પછી ટ્રુસ પર પહોંચ્યા છે . જે અંતર્ગત ચીન પર ૩૦ ટકા જેટલો ટેરિફ લાગે છે . સાથે જ હાલમાં અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ ડીલને લઇને વાર્તાલાપ ચાલુ છે. ચીનનો પ્રયાસ છે કે , અમેરિકા પાસેથી રશિયન ઓઇલ આયાત કરવા માટે વેઇવર લેવામાં આવે. તો આ તરફ ટ્રેડ ડીલને લઇને વાર્તાલાપ કરવા માટે , અમેરિકાનું પ્રતિનિધિ મંડળ ઓગસ્ટના અંતમાં ભારત આવી શકે છે. 

હવે વાત , અમેરિકા અને પશ્ચિમી દેશોની કે જેઓનું વલણ રશિયન ઓઈલને લઇને બેવડું છે . આપણે એ સમજીએ . રશિયા - યુક્રેન યુદ્ધ જે ૨૦૨૨માં શરુ થયું તે પછી USA સહીત પશ્ચિચિમી  દેશો ઇચ્છતા હતા કે , રશિયાની ઓઇલ એક્સપોર્ટથી જે આવક છે તેમા ઘટાડો થાય પરંતુ ઇન્ટરનેશનલ માર્કેટમાં રશિયન ઓઈલનો સપ્લાય બંધ ના થાય તે માટે USના પૂર્વ પ્રમુખ જો બૈંડેન દ્વારા રશિયન ક્રૂડ પર માત્ર પ્રાઇસ કેપ લગાવામાં આવ્યો . કેમ કે , રશિયા વિશ્વના સૌથી મોટું ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કરતા દેશોમાંનું એક છે . જો તેનો ઓઇલ સપ્લાય ઇન્ટરનેશનલ માર્કેટમાં બંધ થઇ જાય તો , વિશ્વભરમાં ક્રૂડ ઓઈલના ભાવ આસમાને જઈ શકે છે. ભારતની રશિયન ઓઈલની આયાત આ ઓઈલના ભાવોને આંતરરાષ્ટ્રીય સ્તરે નિયંત્રણમાં રાખે છે .





રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ આજે (૧૮મી ઓગસ્ટ) બપોરે ૩ વાગ્યે જૂનાગઢ જેલમાં EX MLA પોપટ સોરઠીયા કેસમાં સરેન્ડર કરશે. આ સમયે અમિત ખૂંટ કેસમાં પણ તેમની ધરપકડ થઇ શકે છે. ગુજરાત હાઇકોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાની સજામાફી રદ કરી હતી. આ પછી અનિરુદ્ધસિંહ જાડેજાએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા પરંતુ સુપ્રીમ કોર્ટે પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પિટિશન ફગાવી દીધી હતી.

થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.