છૂટક ફુગાવો 3 મહિનાની ઊંચી સપાટી 4.81 ટકાએ પહોંચ્યો, મે મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદન 5.2 ટકા વધ્યું


  • Published By :
  • Published Date : 2023-07-12 22:42:08

દેશમાં કમરતોડ મોંઘવારીથી સામાન્ય લોકોની જીવન હરામ થઈ ગયું છે. લોકોને બે છેડા ભેગા કરવામાં મુશ્કેલી પડી રહી છે. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં તીવ્ર વધારો થવાને પગલે જૂન મહિનામાં છૂટક ફુગાવો  4.81 ટકાના છેલ્લા ત્રણ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો છે તેમ આજે સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી માહિતીમાં જણાવાયું હતું. અલબત રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા લક્ષિત રેન્જ 6 ટકા કરતાં વર્તમાન સમયમાં ફુગાવાનો દર નીચો છે. મે મહિનામાં કન્ઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેક્સ (CPI) ફુગાવાની 4.25 ટકાથી સમીક્ષા કરીને 4.31 ટકા કરવા આવ્યો છે, અલબત જૂન,2022માં ફુગાવો 7 ટકાના સ્તરે હતો.


ઔદ્યોગિક ઉત્પાદન વધ્યું


એક કરફ મોંઘવારી આસમાને પહોંચી તો બીજી બાજુ દેશમાં ઔદ્યોગિક ઉત્પાદનના મામલે સારા સમાચાર આવ્યા છે. નેશનલ સ્ટેટીસ્ટીકલ ઓફિસ (NSO)ના જણાવ્યા મુજબ મે મહિનામાં ભારતનું ઔદ્યોગિક ઉત્પાદન (IIP) પણ વધીને 5.2 ટકા થયું છે. ઈન્ડેક્સ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (IIP)ની દ્રષ્ટિએ માપવામાં આવતું ફેક્ટરી ઉત્પાદન મે,2022માં 19.7 ટકા વૃદ્ધિ પામ્યું હતું.નેશનલ સ્ટેટીસ્ટીકલ ઓફિસ (NSO) દ્વારા રજૂ કરવામાં આવેલી આંકડાકીય માહિતીમાં જોવા મળે છે કે મે,2023માં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું ઉત્પાદન 5.7 ટકા વધ્યું છે. સમીક્ષા હેઠળની અવધિ દરમિયાન માઈનિંગ (ખાણ ક્ષેત્ર) ઉત્પાદન 6.4 ટકા જ્યારે પાવર સેક્ટરમાં 0.9 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.અત્રે ઉલ્લેખનીય છે કે NSOના ફિલ્ડ ઓપરેશન્સ ડિવિઝનના ફિલ્ડ સ્ટાફ દ્વારા વ્યક્તિગત મુલાકાત મારફતે તમામ રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોના 1,114 શહેરી બજારો અને 1,181 ગ્રામોને આવરીને પ્રાઈઝ ડેટા એકત્રિત કરવામાં આવે છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.