છૂટક ફુગાવો 3 મહિનાની ઊંચી સપાટી 4.81 ટકાએ પહોંચ્યો, મે મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદન 5.2 ટકા વધ્યું


  • Published By :
  • Published Date : 2023-07-12 22:42:08

દેશમાં કમરતોડ મોંઘવારીથી સામાન્ય લોકોની જીવન હરામ થઈ ગયું છે. લોકોને બે છેડા ભેગા કરવામાં મુશ્કેલી પડી રહી છે. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં તીવ્ર વધારો થવાને પગલે જૂન મહિનામાં છૂટક ફુગાવો  4.81 ટકાના છેલ્લા ત્રણ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો છે તેમ આજે સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી માહિતીમાં જણાવાયું હતું. અલબત રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા લક્ષિત રેન્જ 6 ટકા કરતાં વર્તમાન સમયમાં ફુગાવાનો દર નીચો છે. મે મહિનામાં કન્ઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેક્સ (CPI) ફુગાવાની 4.25 ટકાથી સમીક્ષા કરીને 4.31 ટકા કરવા આવ્યો છે, અલબત જૂન,2022માં ફુગાવો 7 ટકાના સ્તરે હતો.


ઔદ્યોગિક ઉત્પાદન વધ્યું


એક કરફ મોંઘવારી આસમાને પહોંચી તો બીજી બાજુ દેશમાં ઔદ્યોગિક ઉત્પાદનના મામલે સારા સમાચાર આવ્યા છે. નેશનલ સ્ટેટીસ્ટીકલ ઓફિસ (NSO)ના જણાવ્યા મુજબ મે મહિનામાં ભારતનું ઔદ્યોગિક ઉત્પાદન (IIP) પણ વધીને 5.2 ટકા થયું છે. ઈન્ડેક્સ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (IIP)ની દ્રષ્ટિએ માપવામાં આવતું ફેક્ટરી ઉત્પાદન મે,2022માં 19.7 ટકા વૃદ્ધિ પામ્યું હતું.નેશનલ સ્ટેટીસ્ટીકલ ઓફિસ (NSO) દ્વારા રજૂ કરવામાં આવેલી આંકડાકીય માહિતીમાં જોવા મળે છે કે મે,2023માં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું ઉત્પાદન 5.7 ટકા વધ્યું છે. સમીક્ષા હેઠળની અવધિ દરમિયાન માઈનિંગ (ખાણ ક્ષેત્ર) ઉત્પાદન 6.4 ટકા જ્યારે પાવર સેક્ટરમાં 0.9 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.અત્રે ઉલ્લેખનીય છે કે NSOના ફિલ્ડ ઓપરેશન્સ ડિવિઝનના ફિલ્ડ સ્ટાફ દ્વારા વ્યક્તિગત મુલાકાત મારફતે તમામ રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોના 1,114 શહેરી બજારો અને 1,181 ગ્રામોને આવરીને પ્રાઈઝ ડેટા એકત્રિત કરવામાં આવે છે.



ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.