છૂટક ફુગાવો 3 મહિનાની ઊંચી સપાટી 4.81 ટકાએ પહોંચ્યો, મે મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદન 5.2 ટકા વધ્યું


  • Published By :
  • Published Date : 2023-07-12 22:42:08

દેશમાં કમરતોડ મોંઘવારીથી સામાન્ય લોકોની જીવન હરામ થઈ ગયું છે. લોકોને બે છેડા ભેગા કરવામાં મુશ્કેલી પડી રહી છે. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં તીવ્ર વધારો થવાને પગલે જૂન મહિનામાં છૂટક ફુગાવો  4.81 ટકાના છેલ્લા ત્રણ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો છે તેમ આજે સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી માહિતીમાં જણાવાયું હતું. અલબત રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા લક્ષિત રેન્જ 6 ટકા કરતાં વર્તમાન સમયમાં ફુગાવાનો દર નીચો છે. મે મહિનામાં કન્ઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેક્સ (CPI) ફુગાવાની 4.25 ટકાથી સમીક્ષા કરીને 4.31 ટકા કરવા આવ્યો છે, અલબત જૂન,2022માં ફુગાવો 7 ટકાના સ્તરે હતો.


ઔદ્યોગિક ઉત્પાદન વધ્યું


એક કરફ મોંઘવારી આસમાને પહોંચી તો બીજી બાજુ દેશમાં ઔદ્યોગિક ઉત્પાદનના મામલે સારા સમાચાર આવ્યા છે. નેશનલ સ્ટેટીસ્ટીકલ ઓફિસ (NSO)ના જણાવ્યા મુજબ મે મહિનામાં ભારતનું ઔદ્યોગિક ઉત્પાદન (IIP) પણ વધીને 5.2 ટકા થયું છે. ઈન્ડેક્સ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (IIP)ની દ્રષ્ટિએ માપવામાં આવતું ફેક્ટરી ઉત્પાદન મે,2022માં 19.7 ટકા વૃદ્ધિ પામ્યું હતું.નેશનલ સ્ટેટીસ્ટીકલ ઓફિસ (NSO) દ્વારા રજૂ કરવામાં આવેલી આંકડાકીય માહિતીમાં જોવા મળે છે કે મે,2023માં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું ઉત્પાદન 5.7 ટકા વધ્યું છે. સમીક્ષા હેઠળની અવધિ દરમિયાન માઈનિંગ (ખાણ ક્ષેત્ર) ઉત્પાદન 6.4 ટકા જ્યારે પાવર સેક્ટરમાં 0.9 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.અત્રે ઉલ્લેખનીય છે કે NSOના ફિલ્ડ ઓપરેશન્સ ડિવિઝનના ફિલ્ડ સ્ટાફ દ્વારા વ્યક્તિગત મુલાકાત મારફતે તમામ રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોના 1,114 શહેરી બજારો અને 1,181 ગ્રામોને આવરીને પ્રાઈઝ ડેટા એકત્રિત કરવામાં આવે છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.