છૂટક ફુગાવો 3 મહિનાની ઊંચી સપાટી 4.81 ટકાએ પહોંચ્યો, મે મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદન 5.2 ટકા વધ્યું


  • Published By :
  • Published Date : 2023-07-12 22:42:08

દેશમાં કમરતોડ મોંઘવારીથી સામાન્ય લોકોની જીવન હરામ થઈ ગયું છે. લોકોને બે છેડા ભેગા કરવામાં મુશ્કેલી પડી રહી છે. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં તીવ્ર વધારો થવાને પગલે જૂન મહિનામાં છૂટક ફુગાવો  4.81 ટકાના છેલ્લા ત્રણ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો છે તેમ આજે સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી માહિતીમાં જણાવાયું હતું. અલબત રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા લક્ષિત રેન્જ 6 ટકા કરતાં વર્તમાન સમયમાં ફુગાવાનો દર નીચો છે. મે મહિનામાં કન્ઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેક્સ (CPI) ફુગાવાની 4.25 ટકાથી સમીક્ષા કરીને 4.31 ટકા કરવા આવ્યો છે, અલબત જૂન,2022માં ફુગાવો 7 ટકાના સ્તરે હતો.


ઔદ્યોગિક ઉત્પાદન વધ્યું


એક કરફ મોંઘવારી આસમાને પહોંચી તો બીજી બાજુ દેશમાં ઔદ્યોગિક ઉત્પાદનના મામલે સારા સમાચાર આવ્યા છે. નેશનલ સ્ટેટીસ્ટીકલ ઓફિસ (NSO)ના જણાવ્યા મુજબ મે મહિનામાં ભારતનું ઔદ્યોગિક ઉત્પાદન (IIP) પણ વધીને 5.2 ટકા થયું છે. ઈન્ડેક્સ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (IIP)ની દ્રષ્ટિએ માપવામાં આવતું ફેક્ટરી ઉત્પાદન મે,2022માં 19.7 ટકા વૃદ્ધિ પામ્યું હતું.નેશનલ સ્ટેટીસ્ટીકલ ઓફિસ (NSO) દ્વારા રજૂ કરવામાં આવેલી આંકડાકીય માહિતીમાં જોવા મળે છે કે મે,2023માં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું ઉત્પાદન 5.7 ટકા વધ્યું છે. સમીક્ષા હેઠળની અવધિ દરમિયાન માઈનિંગ (ખાણ ક્ષેત્ર) ઉત્પાદન 6.4 ટકા જ્યારે પાવર સેક્ટરમાં 0.9 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.અત્રે ઉલ્લેખનીય છે કે NSOના ફિલ્ડ ઓપરેશન્સ ડિવિઝનના ફિલ્ડ સ્ટાફ દ્વારા વ્યક્તિગત મુલાકાત મારફતે તમામ રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોના 1,114 શહેરી બજારો અને 1,181 ગ્રામોને આવરીને પ્રાઈઝ ડેટા એકત્રિત કરવામાં આવે છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .