રિચા ચઢ્ઢાએ પહેર્યુ 18K ગોલ્ડનું મોંઘુદાટ મંગળસૂત્ર, ડિઝાઇન અને કિંમતથી પ્રિયંકા ચોપરાને આપી ટક્કર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 16:10:11

આ મહિનાની શરૂઆતમાં લાંબા સમયથી એકબીજાંને ડેટ કરી રહેલા બોલિવૂડ કપલ રિચા ચઢ્ઢા અને અલી ફઝલે લગ્ન કર્યા છે. આ કપલે ગત 4 ઓક્ટોબરના રોજ દિલ્હીમાં લગ્ન કર્યા હતા અને ત્યારબાદ મુંબઇમાં રિસેપ્શન પાર્ટી આપી હતી. જેની તસવીરો અને વીડિયો (Richa Chadha-Ali Fazal Wedding Inside Videos Photos) હાલ સોશિયલ મીડિયા પર છવાયેલી છે.


ગ્લેમરસ વેડિંગના બદલે રિચા ચઢ્ઢાએ પોતાના લગ્નને ખૂબ જ સિમ્પલ રાખ્યા હતા અને આઉટફિટ્સમાં પણ એલિગન્ટ કલર કોમ્બિનેશન પસંદ કર્યા હતા. આ કપલના વેડિંગ આઉટફિટ્સ ભારતીય ડિઝાઇનર અબુ જાની-સંદિપ ખોસલાએ તૈયાર કર્યા હતા.


જો કે, અહીં વાત થઇ રહી છે રિચાએ લગ્ન દરમિયાન પહેરેલા શાહી ઘરેણાંઓની, જે એટલાં ખાસ હતા કે તે બધાનું ધ્યાન ખેંચી રહ્યા છે. અલી ફઝલના પરિવારે રિચાને પારંપરિક સોનેથી મઢેલી મંગળસૂત્ર આપ્યું છે, જેની ક્લોઝઅપ તસવીરો હાલ સામે આવી છે. આ શૅર કરવામાં આવેલી તસવીરોમાં એક્ટ્રેસના મંગળસૂત્રની માત્ર ડિઝાઇન જ નહીં પણ કિંમત પણ ચર્ચામાં છે.


રિચાએ હાલમાં જ તેના રિસેપ્શનની કેટલીક તસવીરો ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે, જેમાં તેના સ્ટાઇલિશ ક્લોથ્સની સાથે મંગળસૂત્ર પણ પહેર્યુ છે. એક્ટ્રેસનું મંગળસૂત્ર ચોકર સ્ટાઇલમાં હતું, જેમાં પાતળી ગોલ્ડ લિંક્સ ચેઇન આપવામાં આવી છે. વચ્ચે કાળા મોતી પણ સજાવવામાં આવ્યા છે જે તેમાં ઇન્ડિયન ટ્રેડિશનલ ટચ એડ કરી રહ્યા છે. મંગળસૂત્રના ફ્રન્ટમાં 5 રાઉન્ડ શેપ્ડ પેન્ડન્ટ અને વચ્ચે ડાયમંડ મુકવામાં આવ્યો છે. ગોલ્ડ મેડ મંગળસૂત્ર નીઓ-ડિઝાઇનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું હતું.


​3 લાખથી વધુ હતી કિંમત


રિચાના મંગળસૂત્રની ડિઝાઇન મોર્ડન સ્ટાઇલ ફિમેલ માટે એકદમ પરફેક્ટ છે અને કોઇ પણ પ્રકારના આઉટફિટની સાથે તેને સરળતાથી કૅરી કરી શકાય છે. જો કે, આ ડિઝાઇનની ક્રેડિટ ઇટાલિયન લક્ઝરી ફેશન હાઉસ Bvlgariને જાય છે. પ્રિયંકા ચોપરા માટે પણ આ જ ફેશન હાઉસે મંગળસૂત્ર તૈયાર કર્યુ હતું. આ એલિગન્ટ નેકપીસમાં 18k ગોલ્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેની કિંમત 3,82,000 રૂપિયા છે.


​ઘરેણાં બનાવનાર પરિવાર હતો ખાસ


રિચાએ લગ્નના ફંક્શન માટે જે ઘરેણાં પહેર્યા હતા તેને બિકાનેરના અંદાજિત પોણા 200 વર્ષ જૂના જ્વેલર્સ પરિવારે તૈયાર કર્યા હતા. આ ઘરેણાંની ખાસ વાત એ હતી તેને બનાવનાર સોની પરિવાર 175 વર્ષથી જ્વેલરીનું કામ કરી રહ્યો છે. જેઓ ડાયમંડ, જડાઉ, કુંદન અને મીનાકારીના ફ્યૂઝન પોતાની જ્વેલરીમાં એડ કરવા માટે ઓળખાય છે. રિચાએ પોતાના લગ્નમાં હેવી નેકપીસની સાથે કાનને કવર કરતા ઇયરિંગ્સ અને ઝૂમકાં પહેર્યા હતા.


​પ્રિયંકાના મંગળસૂત્રને આપી ટક્કર


પ્રિયંકા ચોપરાના લગ્નવાળા મંગળસૂત્રને સૌથી ખાસ ગણવામાં આવે છે, કારણ કે તેને ઇન્ડિયન ફેશન ડિઝાઇનર સબ્યસાચી મુખરજીએ ડિઝાઇન કર્યુ હતું. પીસીના મંગળસૂત્રની ડિઝાઇન એટલી યૂનિક છે જેને આજ સુધી કોઇએ નતી જોયું. કારણ કે તેમાં ગોલ્ડ ચેઇનની આગળની તરફ કાળા મોતી અને વચ્ચે ચાર ડાયમંડ લગાવવામાં આવ્યા હતા. ઉપરાંત તેમાં ત્રણ નાના અને વચ્ચે મોટો ટીયારા શેપ્ડ ડાયમંડ એડ કરવામાં આવ્યો હતો. જો કે, રિચાના મંગળસૂત્રની ડિઝાઇને તેને ટક્કર આપી હતી.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.