ચંદીગઢ યુનિવર્સિટીમાં હંગામો, વિદ્યાર્થીનીએ 60 છોકરીઓનો નહાતી વખતે કર્યો વીડિયો વાયરલ, 8એ આત્મહત્યાનો પ્રયાસ કર્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 10:36:34

પંજાબના મોહાલી સ્થિત ચંદીગઢ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં એક વિદ્યાર્થીએ 60 વિદ્યાર્થિનીઓને નહાતી વખતે વીડિયો બનાવીને એક યુવકને મોકલી દીધો. યુવકે તેમને વાયરલ કર્યા હતા. પરિણામે આઠ વિદ્યાર્થીનીઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.

મોહાલીની ચંદીગઢ યુનિવર્સિટીમાં બપોરે 2.30 વાગ્યે હંગામો થયો હતો. ગર્લ્સ હોસ્ટેલમાં નહાતી વખતે એક વિદ્યાર્થીએ 60 વિદ્યાર્થીનીઓનો વીડિયો બનાવીને યુવકને મોકલી દીધો હતો. યુવકે આ વીડિયો ઈન્ટરનેટ મીડિયા પર વાયરલ કર્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ મામલાની જાણ થતાં જ હોસ્ટેલમાં રહેતી આઠ વિદ્યાર્થીનીઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં આરોપી વિદ્યાર્થીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

શિક્ષકે વિવિધાર્થીની સાથે વાત કરી 

જણાવવામાં આવી રહ્યું છે કે યુવતી લાંબા સમયથી નહાતી વખતે અન્ય વિદ્યાર્થીનીઓનો વીડિયો બનાવી રહી હતી અને તેને શિમલાના એક યુવકને મોકલી રહી હતી. યુવકે આ વીડિયો ઈન્ટરનેટ મીડિયા પર મુક્યો હતો. જ્યારે વિદ્યાર્થિનીઓએ ઈન્ટરનેટ મીડિયા પર તેનો વીડિયો જોયો ત્યારે તે સ્તબ્ધ થઈ ગઈ હતી.


ઈન્ટરનેટ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ આઠ વિદ્યાર્થીનીઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થિનીઓને અલગ-અલગ હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. તે જ સમયે, ચંદીગઢ યુનિવર્સિટી મેનેજમેન્ટ વિદ્યાર્થીઓ પર મામલો દબાવવા માટે દબાણ કરી રહ્યું છે. વિદ્યાર્થિનીઓનું કહેવું છે કે તેઓએ આ અંગે કોલેજ મેનેજમેન્ટને ફરિયાદ કરી હતી, પરંતુ કોલેજ મેનેજમેન્ટે આ મામલે કોઈ કાર્યવાહી કરી ન હતી.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કર્યું ટ્વિટ 

ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ શનિવારે મોડી રાત્રે ચંદીગઢ યુનિવર્સિટીને ઘેરી લીધી અને 'વી ફોર જસ્ટિસ'ના નારા લગાવવા લાગ્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે વીડિયો બનાવનાર યુવતીને હોસ્ટેલના એક રૂમમાં બંધ રાખવામાં આવી છે, જેથી તેના પર હુમલો ન થાય.

Image

આત્મહત્યા પહેલા એક વિધ્યાર્થીનીની વ્હોટ્સએપ પર વાતચિત્ત 

હંગામો એટલો વધી ગયો કે સિક્યોરિટી ગાર્ડે મુખ્ય દરવાજો બંધ કરી દીધો, જ્યારે પોલીસ ફોર્સને ઘટનાસ્થળે બોલાવવામાં આવી. ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ પીસીઆર વાહનો પણ પલટી નાખ્યા હતા અને પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. મામલો મોટો હોવાથી પોલીસ પ્રશાસન પણ કંઈ બોલી રહ્યું નથી.


વિદ્યાર્થિનીઓનું કહેવું છે કે તેઓએ આ બાબતે મેનેજમેન્ટને ફરિયાદ કરી હતી, પરંતુ મેનેજમેન્ટે આ મામલે મૌન સેવ્યું હતું. તેણે આ બાબતે કોઈને પણ કંઈપણ જણાવવાનો ઈન્કાર કર્યો હતો. ગઈકાલે રાત્રે વિદ્યાર્થિનીએ આત્મહત્યાનો પ્રયાસ કરતાં મેનેજમેન્ટમાં દોડધામ મચી ગઈ હતી.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.