ઈન્ડોનેશિયામાં ફૂટબોલ મેચ દરમિયાન સ્ટેડિયમમાં હોબાળો,127ના મોત, અનેક ઘાયલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 08:38:30

ઈન્ડોનેશિયામાં શનિવારે ફૂટબોલ મેચ દરમિયાન થયેલી હિંસામાં ઓછામાં ઓછા 127 લોકો માર્યા ગયા છે. આ ઘટના ઈસ્ટ જાવાના મલંગ રિજન્સીના કંજુરુહાન સ્ટેડિયમમાં બની હતી. અહેવાલો અનુસાર, અરેમા એફસી અને પર્સેબાયા સુરાબાયા વચ્ચે મેચ ચાલી રહી હતી. દરમિયાન અરેમાની ટીમ હારી ગઈ. જે બાદ પોતાની ટીમને હારતી જોઈને મોટી સંખ્યામાં ચાહકો મેદાન તરફ દોડવા લાગ્યા હતા.



લોકોમાં બે પોલીસ અધિકારીઓ પણ માર્યા ગયા


આ દરમિયાન કેટલાક લોકોએ ખેલાડીઓ પર હુમલો કર્યો હતો. આ ઘટના સાથે જોડાયેલા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં જોવા મળે છે કે લોકો મેદાનમાં ઘૂસી ગયા અને સુરક્ષાકર્મીઓ પર વસ્તુઓ ફેંકવા લાગ્યા. તે જ સમયે, પોલીસ લોકો પર લાઠીચાર્જ કરી રહી છે અને લોકોને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડી રહી છે.


સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર લોકોના મોત હુમલા, નાસભાગ અને ગૂંગળામણને કારણે થયા છે. સ્ટેડિયમમાં માર્યા ગયેલા બે પોલીસ અધિકારીઓ પણ છે. આ ઘટનામાં ઘાયલ થયેલા લગભગ 180 લોકોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે કેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પૂર્વ જાવાના પોલીસ અધિકારી નિકો અફિન્ટાએ મીડિયાને જણાવ્યું હતું કે સ્ટેડિયમની અંદર 34 લોકોના મોત થયા હતા અને બાકીના લોકો હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા.


એક વીડિયોમાં મોટી સંખ્યામાં લોકો મેદાનમાં ઘૂસીને અહીં-ત્યાં ફૂટબોલ ફેંકી રહ્યા છે, ત્યારે પોલીસકર્મીઓ આવે છે અને બધાનો પીછો કરે છે. આ દરમિયાન, કેટલાક લોકો જાળી પર લટકેલા જોવા મળે છે જ્યારે કેટલાક ખુરશીઓ તરફ દોડી રહ્યા છે.




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.