સતત સુધારા પર ઋષભ પંતની તબિયત, પંતનો જીવ બચાવનાર વ્યક્તિઓ પંતને મળવા પહોંચ્યા


  • Published By :
  • Published Date : 2023-01-03 17:07:49

શુક્રવાર સવારે ઋષભ પંતનો અકસ્માત નડ્યો હતો. ડિવાઈડર સાથે અથડાતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સ્થિતિ સુધારા પર છે. જે લોકોએ પંતની જાન બચાવી હતી તે બંને વ્યક્તિ પંતને મળવા હોસ્પિટલ મળવા આવ્યા હતા.

Rishabh Pant Mother


30 ડિસેમ્બરના રોજ થયો હતો અકસ્માત 

ઉત્તરપ્રદેશની સરહદે નારસનમાં માર્ગ અકસ્માતમાં ઋભ પંતને ગંભીર ઈજાઓ પહોંચી છે. શરીરના અનેક અંગો પર તેઓ દાઝી ગયા હતા. પગની ઘૂંટી અને ઘૂંટણનું એમઆરઆઈ કરવામાં આવ્યું નથી. ઋષભ પંત હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. હોસ્પિટલમાં ઋષભ પંતને દેવદૂત બનેલા ડ્રાઈવર અને કંટક્ટર તેમને મળવા પહોંચ્યા હતા. રજત અને નીલુ ઋષભને મળવા પહોંચ્યા હતા. 


પંતની તબિયત સુધારા પર 

પંતનો અકસ્માત થતા તેમના ચાહકો પંત જલ્દી સાજા થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. અનેક અભિનેતાઓએ તેમજ ખેલાડીઓ આ વાતને લઈ દુખ વ્યક્ત કર્યું હતું ઉપરાંત તે જલ્દી સાજા તે માટે કામના પણ કરી હતી. ઋષભ પંતની તબિયત સુધરી રહી છે. 



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.