સતત સુધારા પર ઋષભ પંતની તબિયત, પંતનો જીવ બચાવનાર વ્યક્તિઓ પંતને મળવા પહોંચ્યા


  • Published By :
  • Published Date : 2023-01-03 17:07:49

શુક્રવાર સવારે ઋષભ પંતનો અકસ્માત નડ્યો હતો. ડિવાઈડર સાથે અથડાતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સ્થિતિ સુધારા પર છે. જે લોકોએ પંતની જાન બચાવી હતી તે બંને વ્યક્તિ પંતને મળવા હોસ્પિટલ મળવા આવ્યા હતા.

Rishabh Pant Mother


30 ડિસેમ્બરના રોજ થયો હતો અકસ્માત 

ઉત્તરપ્રદેશની સરહદે નારસનમાં માર્ગ અકસ્માતમાં ઋભ પંતને ગંભીર ઈજાઓ પહોંચી છે. શરીરના અનેક અંગો પર તેઓ દાઝી ગયા હતા. પગની ઘૂંટી અને ઘૂંટણનું એમઆરઆઈ કરવામાં આવ્યું નથી. ઋષભ પંત હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. હોસ્પિટલમાં ઋષભ પંતને દેવદૂત બનેલા ડ્રાઈવર અને કંટક્ટર તેમને મળવા પહોંચ્યા હતા. રજત અને નીલુ ઋષભને મળવા પહોંચ્યા હતા. 


પંતની તબિયત સુધારા પર 

પંતનો અકસ્માત થતા તેમના ચાહકો પંત જલ્દી સાજા થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. અનેક અભિનેતાઓએ તેમજ ખેલાડીઓ આ વાતને લઈ દુખ વ્યક્ત કર્યું હતું ઉપરાંત તે જલ્દી સાજા તે માટે કામના પણ કરી હતી. ઋષભ પંતની તબિયત સુધરી રહી છે. 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.