સતત સુધારા પર ઋષભ પંતની તબિયત, પંતનો જીવ બચાવનાર વ્યક્તિઓ પંતને મળવા પહોંચ્યા


  • Published By :
  • Published Date : 2023-01-03 17:07:49

શુક્રવાર સવારે ઋષભ પંતનો અકસ્માત નડ્યો હતો. ડિવાઈડર સાથે અથડાતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સ્થિતિ સુધારા પર છે. જે લોકોએ પંતની જાન બચાવી હતી તે બંને વ્યક્તિ પંતને મળવા હોસ્પિટલ મળવા આવ્યા હતા.

Rishabh Pant Mother


30 ડિસેમ્બરના રોજ થયો હતો અકસ્માત 

ઉત્તરપ્રદેશની સરહદે નારસનમાં માર્ગ અકસ્માતમાં ઋભ પંતને ગંભીર ઈજાઓ પહોંચી છે. શરીરના અનેક અંગો પર તેઓ દાઝી ગયા હતા. પગની ઘૂંટી અને ઘૂંટણનું એમઆરઆઈ કરવામાં આવ્યું નથી. ઋષભ પંત હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. હોસ્પિટલમાં ઋષભ પંતને દેવદૂત બનેલા ડ્રાઈવર અને કંટક્ટર તેમને મળવા પહોંચ્યા હતા. રજત અને નીલુ ઋષભને મળવા પહોંચ્યા હતા. 


પંતની તબિયત સુધારા પર 

પંતનો અકસ્માત થતા તેમના ચાહકો પંત જલ્દી સાજા થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. અનેક અભિનેતાઓએ તેમજ ખેલાડીઓ આ વાતને લઈ દુખ વ્યક્ત કર્યું હતું ઉપરાંત તે જલ્દી સાજા તે માટે કામના પણ કરી હતી. ઋષભ પંતની તબિયત સુધરી રહી છે. 



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.