ઋષિ સુનક બ્રિટનના પીએમ બનતા વડાપ્રધાન મોદીએ કહ્યું વૈશ્વિક મુદ્દાઓ પર સાથે મળીને કામ કરીશું


  • Published By :
  • Published Date : 2022-10-25 09:34:58

ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના નવા વડાપ્રધાન બન્યા છે. ભારતીય મૂળના સુનક બ્રિટનના વડાપ્રધાન બનતા વિશ્વભરમાં વસતા ભારતીયોમાં આનંદની લહેર વ્યાપી ઉઠી હતી. ટ્વિટ કરી વડાપ્રધાન મોદીએ ઋષિ સુનકને અભિનંદન પાઠવ્યા હતા. દિવાળીના દિવસે જ ઋષિ સુનક વડાપ્રધાન બન્યા. 

ब्रिटेन में PM की रेस... ऋषि सुनक ने किया उम्मीदवारी का ऐलान, बताया-  इकोनॉमी में कैसे करेंगे सुधार - Rishi Sunak announced his candidature to  become the PM of Britain told how

વૈશ્વિક મુદ્દાઓ પર સાથે મળીને કામ કરીશું - પીએમ મોદી

પીએમ મોદીએ ઋષિ સુનકને અભિનંદન પાઠવતા કહ્યું કે ઋષિ સુનકને વડાપ્રધાન બનવા બદલ હાર્દિક શુભેચ્છા. સુનકની જીત એ દિવસે થઈ જ્યારે દુનિયાભરમાં હિંદુઓ દિવાળીના તહેવારની ઉજવણી કરી રહ્યાં છે. વધુમાં તેમણે કહ્યું કે તમે યુકેના પીએમ બનતાની સાથે જ હું વૈશ્વિક મુદ્દાઓ પર સાથે મળીને કામ કરીશું. અને રોડમેપ 2030ને લાગુ કરીશું. બ્રિટિશ ભારતીયોને દિવાળી પર્વની હાર્દિક શુભકામનાઓ. આપણે ઐતિહાસિક સંબંધોને આધુનિક ભાગીરદારીમાં બદલ્યા છે.

 

સાંસદોનું સમર્થન મળતા સુનક પીએમ બન્યા

બ્રિટનની સંસદમાં કંઝર્વેટિવ પાર્ટીના 357 સાંસદ છે. આ જ સાંસદોએ ઑનલાઇન મતદાન કરીને નવા વડાપ્રધાનની પસંદગી કરી છે. ચૂંટણીના નવા નિયમ અનુસાર, વડાપ્રધાન બનવા માટે 100થી વધુ સાંસદોનું સમર્થન હોવું જરૂરી હોય છે. ત્યારે સુનકને 200 સાંસદોનું સમર્થન મળતા તેઓ વડાપ્રધાન બનશે.   



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .