ઋષિ સુનક બ્રિટનના પીએમ બનતા વડાપ્રધાન મોદીએ કહ્યું વૈશ્વિક મુદ્દાઓ પર સાથે મળીને કામ કરીશું


  • Published By :
  • Published Date : 2022-10-25 09:34:58

ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના નવા વડાપ્રધાન બન્યા છે. ભારતીય મૂળના સુનક બ્રિટનના વડાપ્રધાન બનતા વિશ્વભરમાં વસતા ભારતીયોમાં આનંદની લહેર વ્યાપી ઉઠી હતી. ટ્વિટ કરી વડાપ્રધાન મોદીએ ઋષિ સુનકને અભિનંદન પાઠવ્યા હતા. દિવાળીના દિવસે જ ઋષિ સુનક વડાપ્રધાન બન્યા. 

ब्रिटेन में PM की रेस... ऋषि सुनक ने किया उम्मीदवारी का ऐलान, बताया-  इकोनॉमी में कैसे करेंगे सुधार - Rishi Sunak announced his candidature to  become the PM of Britain told how

વૈશ્વિક મુદ્દાઓ પર સાથે મળીને કામ કરીશું - પીએમ મોદી

પીએમ મોદીએ ઋષિ સુનકને અભિનંદન પાઠવતા કહ્યું કે ઋષિ સુનકને વડાપ્રધાન બનવા બદલ હાર્દિક શુભેચ્છા. સુનકની જીત એ દિવસે થઈ જ્યારે દુનિયાભરમાં હિંદુઓ દિવાળીના તહેવારની ઉજવણી કરી રહ્યાં છે. વધુમાં તેમણે કહ્યું કે તમે યુકેના પીએમ બનતાની સાથે જ હું વૈશ્વિક મુદ્દાઓ પર સાથે મળીને કામ કરીશું. અને રોડમેપ 2030ને લાગુ કરીશું. બ્રિટિશ ભારતીયોને દિવાળી પર્વની હાર્દિક શુભકામનાઓ. આપણે ઐતિહાસિક સંબંધોને આધુનિક ભાગીરદારીમાં બદલ્યા છે.

 

સાંસદોનું સમર્થન મળતા સુનક પીએમ બન્યા

બ્રિટનની સંસદમાં કંઝર્વેટિવ પાર્ટીના 357 સાંસદ છે. આ જ સાંસદોએ ઑનલાઇન મતદાન કરીને નવા વડાપ્રધાનની પસંદગી કરી છે. ચૂંટણીના નવા નિયમ અનુસાર, વડાપ્રધાન બનવા માટે 100થી વધુ સાંસદોનું સમર્થન હોવું જરૂરી હોય છે. ત્યારે સુનકને 200 સાંસદોનું સમર્થન મળતા તેઓ વડાપ્રધાન બનશે.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.