Cambridge University ખાતે આયોજીત Morari Bapuની કથાનો લાભ લીધો ઋષિ સુનકે, British PMની સાદગી તમારૂ દિલ જીતી લેશે!


  • Published By :
  • Published Date : 2023-08-16 12:25:03

હિંદુ ધર્મ ન માત્ર ભારતમાં પરંતુ વિશ્વસ્તરે પ્રખ્યાત થયેલો ધર્મ છે. ભારતમાં તો કથાઓનું આયોજન કરવામાં આવતું હોય છે પરંતુ વિદેશની ધરતી પર પણ કથાઓ આયોજીત થતી હોય છે. ગરબાનું આયોજન પણ વિદેશની ધરતી પર પણ થવા લાગ્યું છે, વિદેશમાં રહેતા ભારતીયો પણ રંગેચંગે ગરબાના આયોજનમાં ભાગ લેતા હોય છે. ત્યારે હમણાં કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે મોરારી બાપુની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં ભક્તો તો ઉપસ્થિત હતા પરંતુ બ્રિટનના વડાપ્રધાન અને મૂળ ભારતીય એવા ઋષિ સુનકે મોરારી બાપુની કથામાં હાજરી આપી હતી. 15 ઓગસ્ટના રોજ ઋષિ સૂનકે કથામાં હાજરી આપી હતી, વ્યાસપીઠનું પૂજન કર્યું હતું અને જય સિયા રામના નારા લગાવ્યા હતા.



કેમ્બ્રિજ યુનિવર્સિટિમાં કરાયું છે મોરારી બાપુની કથાનું આયોજન  

અનેક લોકો કહે છે કે મોરારી બાપુ દ્વારા કરવામાં આવતી રામકથાને સાંભળવાનો એક લહાવો છે. અલગ અલગ દેશોમાં મોરારી બાપુની કથાનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે હમણાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કથાનું આયોજન કરવામાં આવ્યું. આ કથાનો લાભ લેવા બ્રિટિશ પ્રધાનમંત્રી ઋષિ સૂનક પણ કથા મંડપમાં પહોંચ્યા હતા. ત્યાં પહોંચી તેમણે કહ્યું કે રામકથા સાંભળવા માટે પ્રધાનમંત્રીની હૈસિયતથી નહીં પરંતુ એક હિંદુ હોવાને નાતે આવ્યો છું. પોતાના સંબોધનની શરૂઆત જ ઋષિ સૂનકે જય સિયારામ કરીને કહી હતી. કથા સાંભળવવા આવેલા ભક્તોએ પણ જવાબમાં જય સિયારામ અને આખું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.    




વડાપ્રધાન તરીકે નહીં પણ હિંદુ તરીકે આવ્યો છું - ઋષિ સુનક

પોતાના ભાષણમાં તેમણે કહ્યું હતું કે “ભારતીય સ્વતંત્રતા દિવસ પર કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે આજે મોરારિ બાપુની રામ કથામાં અહીં હાજર રહેવું ખરેખર એક સન્માન અને આનંદની વાત છે. બાપુ, આજે હું અહીં વડાપ્રધાન તરીકે નહીં પણ એક હિન્દુ તરીકે છું! મારા માટે વિશ્વાસ ખૂબ જ વ્યક્તિગત છે. તે મને મારા જીવનના દરેક પાસામાં માર્ગદર્શન આપે છે. વડાપ્રધાન બનવું એ એક મહાન સન્માનની વાત છે, પરંતુ આ સરળ કામ નથી. અઘરા નિર્ણયો લેવાના હોય છે.” વધુમાં ઋષિ સુનકે કહ્યું કે તેમને  બ્રિટિશ હોવા પર પણ ગર્વ છે અને હિંદુ હોવા પર પણ ગર્વ છે. ઋષિ સુનકે વ્યાસપીઠની પૂજા કરી હતી.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.