Cambridge University ખાતે આયોજીત Morari Bapuની કથાનો લાભ લીધો ઋષિ સુનકે, British PMની સાદગી તમારૂ દિલ જીતી લેશે!


  • Published By :
  • Published Date : 2023-08-16 12:25:03

હિંદુ ધર્મ ન માત્ર ભારતમાં પરંતુ વિશ્વસ્તરે પ્રખ્યાત થયેલો ધર્મ છે. ભારતમાં તો કથાઓનું આયોજન કરવામાં આવતું હોય છે પરંતુ વિદેશની ધરતી પર પણ કથાઓ આયોજીત થતી હોય છે. ગરબાનું આયોજન પણ વિદેશની ધરતી પર પણ થવા લાગ્યું છે, વિદેશમાં રહેતા ભારતીયો પણ રંગેચંગે ગરબાના આયોજનમાં ભાગ લેતા હોય છે. ત્યારે હમણાં કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે મોરારી બાપુની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં ભક્તો તો ઉપસ્થિત હતા પરંતુ બ્રિટનના વડાપ્રધાન અને મૂળ ભારતીય એવા ઋષિ સુનકે મોરારી બાપુની કથામાં હાજરી આપી હતી. 15 ઓગસ્ટના રોજ ઋષિ સૂનકે કથામાં હાજરી આપી હતી, વ્યાસપીઠનું પૂજન કર્યું હતું અને જય સિયા રામના નારા લગાવ્યા હતા.



કેમ્બ્રિજ યુનિવર્સિટિમાં કરાયું છે મોરારી બાપુની કથાનું આયોજન  

અનેક લોકો કહે છે કે મોરારી બાપુ દ્વારા કરવામાં આવતી રામકથાને સાંભળવાનો એક લહાવો છે. અલગ અલગ દેશોમાં મોરારી બાપુની કથાનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે હમણાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કથાનું આયોજન કરવામાં આવ્યું. આ કથાનો લાભ લેવા બ્રિટિશ પ્રધાનમંત્રી ઋષિ સૂનક પણ કથા મંડપમાં પહોંચ્યા હતા. ત્યાં પહોંચી તેમણે કહ્યું કે રામકથા સાંભળવા માટે પ્રધાનમંત્રીની હૈસિયતથી નહીં પરંતુ એક હિંદુ હોવાને નાતે આવ્યો છું. પોતાના સંબોધનની શરૂઆત જ ઋષિ સૂનકે જય સિયારામ કરીને કહી હતી. કથા સાંભળવવા આવેલા ભક્તોએ પણ જવાબમાં જય સિયારામ અને આખું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.    




વડાપ્રધાન તરીકે નહીં પણ હિંદુ તરીકે આવ્યો છું - ઋષિ સુનક

પોતાના ભાષણમાં તેમણે કહ્યું હતું કે “ભારતીય સ્વતંત્રતા દિવસ પર કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે આજે મોરારિ બાપુની રામ કથામાં અહીં હાજર રહેવું ખરેખર એક સન્માન અને આનંદની વાત છે. બાપુ, આજે હું અહીં વડાપ્રધાન તરીકે નહીં પણ એક હિન્દુ તરીકે છું! મારા માટે વિશ્વાસ ખૂબ જ વ્યક્તિગત છે. તે મને મારા જીવનના દરેક પાસામાં માર્ગદર્શન આપે છે. વડાપ્રધાન બનવું એ એક મહાન સન્માનની વાત છે, પરંતુ આ સરળ કામ નથી. અઘરા નિર્ણયો લેવાના હોય છે.” વધુમાં ઋષિ સુનકે કહ્યું કે તેમને  બ્રિટિશ હોવા પર પણ ગર્વ છે અને હિંદુ હોવા પર પણ ગર્વ છે. ઋષિ સુનકે વ્યાસપીઠની પૂજા કરી હતી.   



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.