દર વર્ષે 3 હજાર ભારતીયોને મળશે વીઝા, બ્રિટનના PM ઋષી સુનકે યોજનાને આપી મંજુરી


  • Published By :
  • Published Date : 2022-11-16 21:25:41

ભારતીય મૂળના બ્રિટિશ પ્રધાનમંત્રી ઋષી સુનકે ભારતના લોકોને બ્રિટનમાં ભારતીયોનો પ્રવેશ સરળ બને તે માટે ખાસ યોજનાને મંજુરી આપી છે. આ યોજના હેઠળ 18-30 વર્ષની વયના ડિગ્રી ધારક યુવાનોને બ્રિટનમાં આવીને રહેવા અને બે વર્ષ સુધી કામ કરવા માટે દર વર્ષે ત્રણ હજાર બ્રિટિશ વિઝા આપવામાં આવશે. આ "યુવા ગતિશીલતા ભાગીદારી યોજના" પારસ્પરિક હશે, આ યોજના હેઠળ ભારતીયોને રહેતા અને કામ કરતા ભારતીય મૂળના બ્રિટિશ નાગરિકોનો પણ સમાવેશ થશે. અત્રે ઉલ્લેખનિય છે કે બુધવારે જી-20 સંમેલનમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને તેના થોડા કલાકો બાદ જ ઋષિ સુનકે આ યોજનાને મંજુરી આપી હતી.


MMPનો લાભ મેળવનાર ભારત પહેલો દેશ


ભારત-બ્રિટન માઈગ્રેશન એન્ડ મોબિલિટી પાર્ટનરશીપ (MMP) હેઠળ આ યોજના ગયા વર્ષે સહમતી બની ગઈ હતી અને હવે 2023ની શરૂઆતમાં ઔપચારિક રીતે તેને લોન્ચ કરવામાં આવશે. બ્રિટિશ વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન અને કાર્યાલય ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે આવી વિઝા યોજનાનો લાભ મેળવનાર ભારત પહેલો દેશ છે.


MMP યોજના અંગે 2021માં થયા હતા કરાર


બ્રિટનનો ભારત સાથે મહત્વનો સંબંધ છે કારણ કે બ્રિટનમાં તમામ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાંથી લગભગ એક ચતુર્થાસ વિદ્યાર્થીઓ ભારતના છે અને બ્રિટનમાં ભારતીયોના મૂડી રોકાણના કારણે 95,000 નોકરીઓ ઉપલબ્ધ બની છે. ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે બ્રિટન અને ભારત વચ્ચે મે 2021 માં ઐતિહાસિક સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેનો હેતુ બંને દેશો વચ્ચે ગતિશીલતા વધારવાનો છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.