દર વર્ષે 3 હજાર ભારતીયોને મળશે વીઝા, બ્રિટનના PM ઋષી સુનકે યોજનાને આપી મંજુરી


  • Published By :
  • Published Date : 2022-11-16 21:25:41

ભારતીય મૂળના બ્રિટિશ પ્રધાનમંત્રી ઋષી સુનકે ભારતના લોકોને બ્રિટનમાં ભારતીયોનો પ્રવેશ સરળ બને તે માટે ખાસ યોજનાને મંજુરી આપી છે. આ યોજના હેઠળ 18-30 વર્ષની વયના ડિગ્રી ધારક યુવાનોને બ્રિટનમાં આવીને રહેવા અને બે વર્ષ સુધી કામ કરવા માટે દર વર્ષે ત્રણ હજાર બ્રિટિશ વિઝા આપવામાં આવશે. આ "યુવા ગતિશીલતા ભાગીદારી યોજના" પારસ્પરિક હશે, આ યોજના હેઠળ ભારતીયોને રહેતા અને કામ કરતા ભારતીય મૂળના બ્રિટિશ નાગરિકોનો પણ સમાવેશ થશે. અત્રે ઉલ્લેખનિય છે કે બુધવારે જી-20 સંમેલનમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને તેના થોડા કલાકો બાદ જ ઋષિ સુનકે આ યોજનાને મંજુરી આપી હતી.


MMPનો લાભ મેળવનાર ભારત પહેલો દેશ


ભારત-બ્રિટન માઈગ્રેશન એન્ડ મોબિલિટી પાર્ટનરશીપ (MMP) હેઠળ આ યોજના ગયા વર્ષે સહમતી બની ગઈ હતી અને હવે 2023ની શરૂઆતમાં ઔપચારિક રીતે તેને લોન્ચ કરવામાં આવશે. બ્રિટિશ વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન અને કાર્યાલય ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે આવી વિઝા યોજનાનો લાભ મેળવનાર ભારત પહેલો દેશ છે.


MMP યોજના અંગે 2021માં થયા હતા કરાર


બ્રિટનનો ભારત સાથે મહત્વનો સંબંધ છે કારણ કે બ્રિટનમાં તમામ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાંથી લગભગ એક ચતુર્થાસ વિદ્યાર્થીઓ ભારતના છે અને બ્રિટનમાં ભારતીયોના મૂડી રોકાણના કારણે 95,000 નોકરીઓ ઉપલબ્ધ બની છે. ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે બ્રિટન અને ભારત વચ્ચે મે 2021 માં ઐતિહાસિક સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેનો હેતુ બંને દેશો વચ્ચે ગતિશીલતા વધારવાનો છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.