કમોસમી વરસાદ બાદ ચક્રવાતનું જોખમ! મે મહિનામાં આવી શકે છે મોચા વાવાઝોડું!


  • Published By :
  • Published Date : 2023-05-03 17:11:35

ઉનાળામાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે. કમોસમી વરસાદનું સંકટ હજી પૂરૂ નથી થયું ત્યારે તો હવામાન વિભાગે ચક્રવાતની આગાહી કરી છે. આ જ મહિનામાં તોફાન આવવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાય તેવી આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાકમાં હવાનું નીચુ દબાણ બનવાની શક્યતા હોવાથી વાવાઝોડું આવી શકે છે તેવી આગાહી કરવામાં આવી હતી. જો હવામાન વિભાગ સાચી પડે છે તો મે મહિનામાં પ્રથમ ચક્રવાત આવશે. અને આ ચક્રવાતને મોચા નામ આપવામાં આવ્યું છે.     


વર્ષનું પહેલું ચક્રવાત મેમાં આવશે! 

એક તરફ દેશના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. મે મહિનામાં વરસાદી માહોલ જામ્યો હોય તેવું લાગી રહ્યું છે.આ સંકટ હજી ટળ્યું નથી ને વાવાઝોડાને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જો આગાહી સાચે પડે અને ચક્રાવત આવે તો ચક્રવાતનું નામ મોચા રાખવામાં આવશે. આ નામ વિશ્વ હવામાન સંસ્થા અને યુનાઈટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ ધ પેસિફિક દ્વારા આપવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય હવામાનશાસ્ત્રીએ ચક્રવાતની આગાહી કરી છે. મેના બીજા અઠવાડિયામાં તોફાન ત્રાટકવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ બંગાળની ખાડી પર લો પ્રેશર બનવાને કારણે વાવાઝોડું આવવાનું છે. લો પ્રેશર ચક્રવાતનું રૂપ ધારણ કરે તેવી સંભાવના છે.   


આ વર્ષે કેવું રહેશે ચોમાસુ!

ત્યારે વરસાદ તેમજ સંભવિત વાવાઝોડાને કારણે ખેડૂતોને કુદરતનો માર સહન કરવા મજબૂર બનવું પડ્યું છે. ઉનાળામાં જ ચોમાસાનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે વાસ્તવિક ચોમાસુ કેવી હશે તેની ચિંતા લોકોને સતાવી રહી છે. ચોમાસાને લઈને પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જો ચોમાસાના સમયે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રહેશે તો ચોમાસા દરમિયાન સારો વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. ચોમાસુ અનુકુળ રહેશે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે.   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.