કમોસમી વરસાદ બાદ ચક્રવાતનું જોખમ! મે મહિનામાં આવી શકે છે મોચા વાવાઝોડું!


  • Published By :
  • Published Date : 2023-05-03 17:11:35

ઉનાળામાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે. કમોસમી વરસાદનું સંકટ હજી પૂરૂ નથી થયું ત્યારે તો હવામાન વિભાગે ચક્રવાતની આગાહી કરી છે. આ જ મહિનામાં તોફાન આવવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાય તેવી આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાકમાં હવાનું નીચુ દબાણ બનવાની શક્યતા હોવાથી વાવાઝોડું આવી શકે છે તેવી આગાહી કરવામાં આવી હતી. જો હવામાન વિભાગ સાચી પડે છે તો મે મહિનામાં પ્રથમ ચક્રવાત આવશે. અને આ ચક્રવાતને મોચા નામ આપવામાં આવ્યું છે.     


વર્ષનું પહેલું ચક્રવાત મેમાં આવશે! 

એક તરફ દેશના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. મે મહિનામાં વરસાદી માહોલ જામ્યો હોય તેવું લાગી રહ્યું છે.આ સંકટ હજી ટળ્યું નથી ને વાવાઝોડાને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જો આગાહી સાચે પડે અને ચક્રાવત આવે તો ચક્રવાતનું નામ મોચા રાખવામાં આવશે. આ નામ વિશ્વ હવામાન સંસ્થા અને યુનાઈટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ ધ પેસિફિક દ્વારા આપવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય હવામાનશાસ્ત્રીએ ચક્રવાતની આગાહી કરી છે. મેના બીજા અઠવાડિયામાં તોફાન ત્રાટકવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ બંગાળની ખાડી પર લો પ્રેશર બનવાને કારણે વાવાઝોડું આવવાનું છે. લો પ્રેશર ચક્રવાતનું રૂપ ધારણ કરે તેવી સંભાવના છે.   


આ વર્ષે કેવું રહેશે ચોમાસુ!

ત્યારે વરસાદ તેમજ સંભવિત વાવાઝોડાને કારણે ખેડૂતોને કુદરતનો માર સહન કરવા મજબૂર બનવું પડ્યું છે. ઉનાળામાં જ ચોમાસાનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે વાસ્તવિક ચોમાસુ કેવી હશે તેની ચિંતા લોકોને સતાવી રહી છે. ચોમાસાને લઈને પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જો ચોમાસાના સમયે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રહેશે તો ચોમાસા દરમિયાન સારો વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. ચોમાસુ અનુકુળ રહેશે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે.   



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.