કમોસમી વરસાદ બાદ ચક્રવાતનું જોખમ! મે મહિનામાં આવી શકે છે મોચા વાવાઝોડું!


  • Published By :
  • Published Date : 2023-05-03 17:11:35

ઉનાળામાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે. કમોસમી વરસાદનું સંકટ હજી પૂરૂ નથી થયું ત્યારે તો હવામાન વિભાગે ચક્રવાતની આગાહી કરી છે. આ જ મહિનામાં તોફાન આવવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાય તેવી આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાકમાં હવાનું નીચુ દબાણ બનવાની શક્યતા હોવાથી વાવાઝોડું આવી શકે છે તેવી આગાહી કરવામાં આવી હતી. જો હવામાન વિભાગ સાચી પડે છે તો મે મહિનામાં પ્રથમ ચક્રવાત આવશે. અને આ ચક્રવાતને મોચા નામ આપવામાં આવ્યું છે.     


વર્ષનું પહેલું ચક્રવાત મેમાં આવશે! 

એક તરફ દેશના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. મે મહિનામાં વરસાદી માહોલ જામ્યો હોય તેવું લાગી રહ્યું છે.આ સંકટ હજી ટળ્યું નથી ને વાવાઝોડાને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જો આગાહી સાચે પડે અને ચક્રાવત આવે તો ચક્રવાતનું નામ મોચા રાખવામાં આવશે. આ નામ વિશ્વ હવામાન સંસ્થા અને યુનાઈટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ ધ પેસિફિક દ્વારા આપવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય હવામાનશાસ્ત્રીએ ચક્રવાતની આગાહી કરી છે. મેના બીજા અઠવાડિયામાં તોફાન ત્રાટકવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ બંગાળની ખાડી પર લો પ્રેશર બનવાને કારણે વાવાઝોડું આવવાનું છે. લો પ્રેશર ચક્રવાતનું રૂપ ધારણ કરે તેવી સંભાવના છે.   


આ વર્ષે કેવું રહેશે ચોમાસુ!

ત્યારે વરસાદ તેમજ સંભવિત વાવાઝોડાને કારણે ખેડૂતોને કુદરતનો માર સહન કરવા મજબૂર બનવું પડ્યું છે. ઉનાળામાં જ ચોમાસાનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે વાસ્તવિક ચોમાસુ કેવી હશે તેની ચિંતા લોકોને સતાવી રહી છે. ચોમાસાને લઈને પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જો ચોમાસાના સમયે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રહેશે તો ચોમાસા દરમિયાન સારો વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. ચોમાસુ અનુકુળ રહેશે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે.   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.