Anupama ફેમ Rituraj Singhનું હાર્ટ એટેકને કારણે થયું નિધન, ફેન્સમાં છવાઈ શોકની લાગણી..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-20 15:11:16

થોડા સમય પહેલા બોલિવુડ ઈન્ડસ્ટ્રીથી શોકના સમાચાર સામે આવ્યા હતા. દંગલ ફિલ્મમાં નાની બબિતાનો રોલ નિભાવનારી સુહાની ભટ્ટનાગરનું મોત થઈ ગયું હતું. ત્યારે આજે ફરી એક વખત ઈન્ડસ્ટ્રીથી દુખદ સમાચાર સામે આવ્યા છે. અનુપમા ફેમ ઋતુરાજ સિંહનું હાર્ટ એટેકને કારણે નિધન થઈ ગયું છે. પ્રખ્યાત ટીવી કલાકાર તેમજ ફિલ્મ એક્ટર ઋતુરાજનું નિધન 59 વર્ષે હાર્ટ એટેકના કારણે થયું છે. આ સમાચારની પુષ્ટિ ઋતુરાજના મિત્ર અમિત બહલ દ્વારા કરવામાં આવી છે. ઋતુરાજનું નિધન હાર્ટ એટેકને કારણે થયું છે. મહત્વનું છે કે તે ઘણા સમયથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા.      

ઋતુરાજસિંહને આવ્યો હાર્ટ એટેક અને થઈ ગયું નિધન

કોરોના બાદ હાર્ટ એટેક શબ્દ સાંભળવો જાણે સામાન્ય થઈ ગયો છે. પ્રતિદિન કોઈને કોઈ મોતને ભેટી રહ્યું છે હાર્ટ એટેકને કારણે. પ્રતિદિન હાર્ટ એટેકના સમાચારો સામે આવી રહ્યા છે. જેમ કોરોનાને કારણે અનેક લોકોના મોત થયા હતા તેવી રીતે હાર્ટ એટેક યુવાનોને ભરખી રહ્યો છે. નાની ઉંમરના લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. કોઈ ડાન્સ કરતા કરતા   મોતને ભેટી રહ્યું છે તો કોઈ રમતા રમતા મોતને ભેટી રહ્યું છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓને પણ હાર્ટ એટેક આવી રહ્યો છે. ત્યારે સિરિયલ તેમજ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા ઋતુરાજ સિંહને હાર્ટ એટેક આવ્યો છે. હાર્ટ એટેક આવતા તેમનું નિધન થઈ ગયું છે. ઈન્ડસ્ટ્રીમાં તેમજ તેમના ફેન્સમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર તેમના ફેન્સ તેમને યાદ કરી રહ્યા છે. 


આ સિરિયલોમાં કરી ચૂક્યા છે કામ

ઋતુરાજ સિંહના કરિયરની વાત કરીએ તો આ સમયે ઋતુરાજસિંહ અનુપમા સિરિયલમાં નજરે પડી રહ્યા છે. આ સિવાય તે 'હોગી અપની બાત', 'જ્યોતિ', 'હિટલર દીદી', 'શપથ', 'વોરિયર હાઈ', 'આહત ઔર અદાલત', 'લાડો 2' અને 'દિયા ઔર બાતી હમ' જેવા ટીવી શોમાં તે જોવા મળ્યા હતા. ના માત્ર સિરિયલોમાં પરંતુ ફિલ્મોમાં પણ તે અનેક વખત જોવા મળ્યા છે. વરૂણ ધવન અને આલિયા ભટ્ટની ફિલ્મ બદ્રીનાથ કી દુલ્હનિયા તેમજ સાઉથની ફિલ્મ થિનુવૂમાં પણ તેમણે કામ કર્યું હતું. ઋતુરાજે અંતિમ ફિલ્મ યારિયા 2 કરી હતી જે 2023મં રિલીઝ થઈ હતી.   



વધારે વરસાદ પડવાથી સામાન્ય માણસને વધારે ફરક નથી પડતો પરંતુ જગતના તાતની ચિંતા વધી જાય છે જ્યારે વરસાદ જરૂરિયાત કરતા વધારે વરસે અથવા તો ખેતરમાં પાણી ભરાઈ જાય તો.. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદે તબાહી સર્જી છે. અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે..

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.