Anupama ફેમ Rituraj Singhનું હાર્ટ એટેકને કારણે થયું નિધન, ફેન્સમાં છવાઈ શોકની લાગણી..


  • Published By :
  • Published Date : 2024-02-20 15:11:16

થોડા સમય પહેલા બોલિવુડ ઈન્ડસ્ટ્રીથી શોકના સમાચાર સામે આવ્યા હતા. દંગલ ફિલ્મમાં નાની બબિતાનો રોલ નિભાવનારી સુહાની ભટ્ટનાગરનું મોત થઈ ગયું હતું. ત્યારે આજે ફરી એક વખત ઈન્ડસ્ટ્રીથી દુખદ સમાચાર સામે આવ્યા છે. અનુપમા ફેમ ઋતુરાજ સિંહનું હાર્ટ એટેકને કારણે નિધન થઈ ગયું છે. પ્રખ્યાત ટીવી કલાકાર તેમજ ફિલ્મ એક્ટર ઋતુરાજનું નિધન 59 વર્ષે હાર્ટ એટેકના કારણે થયું છે. આ સમાચારની પુષ્ટિ ઋતુરાજના મિત્ર અમિત બહલ દ્વારા કરવામાં આવી છે. ઋતુરાજનું નિધન હાર્ટ એટેકને કારણે થયું છે. મહત્વનું છે કે તે ઘણા સમયથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા.      

ઋતુરાજસિંહને આવ્યો હાર્ટ એટેક અને થઈ ગયું નિધન

કોરોના બાદ હાર્ટ એટેક શબ્દ સાંભળવો જાણે સામાન્ય થઈ ગયો છે. પ્રતિદિન કોઈને કોઈ મોતને ભેટી રહ્યું છે હાર્ટ એટેકને કારણે. પ્રતિદિન હાર્ટ એટેકના સમાચારો સામે આવી રહ્યા છે. જેમ કોરોનાને કારણે અનેક લોકોના મોત થયા હતા તેવી રીતે હાર્ટ એટેક યુવાનોને ભરખી રહ્યો છે. નાની ઉંમરના લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. કોઈ ડાન્સ કરતા કરતા   મોતને ભેટી રહ્યું છે તો કોઈ રમતા રમતા મોતને ભેટી રહ્યું છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓને પણ હાર્ટ એટેક આવી રહ્યો છે. ત્યારે સિરિયલ તેમજ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા ઋતુરાજ સિંહને હાર્ટ એટેક આવ્યો છે. હાર્ટ એટેક આવતા તેમનું નિધન થઈ ગયું છે. ઈન્ડસ્ટ્રીમાં તેમજ તેમના ફેન્સમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર તેમના ફેન્સ તેમને યાદ કરી રહ્યા છે. 


આ સિરિયલોમાં કરી ચૂક્યા છે કામ

ઋતુરાજ સિંહના કરિયરની વાત કરીએ તો આ સમયે ઋતુરાજસિંહ અનુપમા સિરિયલમાં નજરે પડી રહ્યા છે. આ સિવાય તે 'હોગી અપની બાત', 'જ્યોતિ', 'હિટલર દીદી', 'શપથ', 'વોરિયર હાઈ', 'આહત ઔર અદાલત', 'લાડો 2' અને 'દિયા ઔર બાતી હમ' જેવા ટીવી શોમાં તે જોવા મળ્યા હતા. ના માત્ર સિરિયલોમાં પરંતુ ફિલ્મોમાં પણ તે અનેક વખત જોવા મળ્યા છે. વરૂણ ધવન અને આલિયા ભટ્ટની ફિલ્મ બદ્રીનાથ કી દુલ્હનિયા તેમજ સાઉથની ફિલ્મ થિનુવૂમાં પણ તેમણે કામ કર્યું હતું. ઋતુરાજે અંતિમ ફિલ્મ યારિયા 2 કરી હતી જે 2023મં રિલીઝ થઈ હતી.   



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.