Anupama ફેમ Rituraj Singhનું હાર્ટ એટેકને કારણે થયું નિધન, ફેન્સમાં છવાઈ શોકની લાગણી..


  • Published By :
  • Published Date : 2024-02-20 15:11:16

થોડા સમય પહેલા બોલિવુડ ઈન્ડસ્ટ્રીથી શોકના સમાચાર સામે આવ્યા હતા. દંગલ ફિલ્મમાં નાની બબિતાનો રોલ નિભાવનારી સુહાની ભટ્ટનાગરનું મોત થઈ ગયું હતું. ત્યારે આજે ફરી એક વખત ઈન્ડસ્ટ્રીથી દુખદ સમાચાર સામે આવ્યા છે. અનુપમા ફેમ ઋતુરાજ સિંહનું હાર્ટ એટેકને કારણે નિધન થઈ ગયું છે. પ્રખ્યાત ટીવી કલાકાર તેમજ ફિલ્મ એક્ટર ઋતુરાજનું નિધન 59 વર્ષે હાર્ટ એટેકના કારણે થયું છે. આ સમાચારની પુષ્ટિ ઋતુરાજના મિત્ર અમિત બહલ દ્વારા કરવામાં આવી છે. ઋતુરાજનું નિધન હાર્ટ એટેકને કારણે થયું છે. મહત્વનું છે કે તે ઘણા સમયથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા.      

ઋતુરાજસિંહને આવ્યો હાર્ટ એટેક અને થઈ ગયું નિધન

કોરોના બાદ હાર્ટ એટેક શબ્દ સાંભળવો જાણે સામાન્ય થઈ ગયો છે. પ્રતિદિન કોઈને કોઈ મોતને ભેટી રહ્યું છે હાર્ટ એટેકને કારણે. પ્રતિદિન હાર્ટ એટેકના સમાચારો સામે આવી રહ્યા છે. જેમ કોરોનાને કારણે અનેક લોકોના મોત થયા હતા તેવી રીતે હાર્ટ એટેક યુવાનોને ભરખી રહ્યો છે. નાની ઉંમરના લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. કોઈ ડાન્સ કરતા કરતા   મોતને ભેટી રહ્યું છે તો કોઈ રમતા રમતા મોતને ભેટી રહ્યું છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓને પણ હાર્ટ એટેક આવી રહ્યો છે. ત્યારે સિરિયલ તેમજ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા ઋતુરાજ સિંહને હાર્ટ એટેક આવ્યો છે. હાર્ટ એટેક આવતા તેમનું નિધન થઈ ગયું છે. ઈન્ડસ્ટ્રીમાં તેમજ તેમના ફેન્સમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર તેમના ફેન્સ તેમને યાદ કરી રહ્યા છે. 


આ સિરિયલોમાં કરી ચૂક્યા છે કામ

ઋતુરાજ સિંહના કરિયરની વાત કરીએ તો આ સમયે ઋતુરાજસિંહ અનુપમા સિરિયલમાં નજરે પડી રહ્યા છે. આ સિવાય તે 'હોગી અપની બાત', 'જ્યોતિ', 'હિટલર દીદી', 'શપથ', 'વોરિયર હાઈ', 'આહત ઔર અદાલત', 'લાડો 2' અને 'દિયા ઔર બાતી હમ' જેવા ટીવી શોમાં તે જોવા મળ્યા હતા. ના માત્ર સિરિયલોમાં પરંતુ ફિલ્મોમાં પણ તે અનેક વખત જોવા મળ્યા છે. વરૂણ ધવન અને આલિયા ભટ્ટની ફિલ્મ બદ્રીનાથ કી દુલ્હનિયા તેમજ સાઉથની ફિલ્મ થિનુવૂમાં પણ તેમણે કામ કર્યું હતું. ઋતુરાજે અંતિમ ફિલ્મ યારિયા 2 કરી હતી જે 2023મં રિલીઝ થઈ હતી.   



ઇન્દોરના રાજા રઘુવંશી કેસમાં આરોપીઓનું કબુલનામું સામે આવ્યું છે . ચારેય આરોપીઓએ સોનમ રઘુવંશીને જ માસ્ટમાઈન્ડ ગણાવી છે કેમ કે , સોનમ રાજા રઘુવંશી સાથે લગન કરવા નહોતી માંગતી . આ ખુબ ચોંકાવનારો ખુલાસો છે કેમ કે , સોનમ દ્વારા એવું કેહવામાં આવ્યું હતું કે , તેને ડ્રગ આપીને ગાઝીપુર લાવવામાં આવી હતી . સાથે જ આપણે જાણીશું કે રાજા રઘુવંશીના કેસમાં પોલીસ પાસે ક્યા મહત્વના પુરાવા છે?

કોઈ પણ કંપનીમાં જેમ એક ફાઉન્ડરની સાથે એક કો-ફાઉન્ડર હોય છે તેમ અમેરિકા માટે એવું કહેવાતું હતું કે , પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે એક કો પ્રેસિડન્ટ છે જે છે ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક . પરંતુ જ્યારથી તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાંથી રાજીનામુ આપી દીધું ત્યારથી જ બેઉ વચ્ચેના સંબંધોમાં જોરદાર તણાવ જોવા મળી રહ્યો છે. એક બાજુ પ્લેટફોર્મ એક્સ પર ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક વચ્ચેની અસેહમતીઓ બહાર આવી ગઈ. હવે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કના તણાવની અસર અમેરિકાની સિલિકોન વેલી પર પડવા જઈ રહી છે.

ઈંદોરના રાજા રઘુવંશીના હત્યાના કેસમાં હવે નવા ખુલાસા સામે આવ્યા છે . ઈંદોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશી જયારે મેઘાલયની રાજધાની શિલોન્ગ ખાતે તેમની પત્ની સોનમ સાથે હનીમૂન મનાવવા ગયા ત્યારે પત્ની સોનમે જ તેમની હત્યા કરાવડાવી હતી . આ બાબતે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા અને મેઘાલયના ડીજીપીની પ્રતિક્રિયા સામે આવી છે.

જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠકમાં અત્યારસુધીમાં માત્ર ને માત્ર નેતાઓ નિવેદનબાજીઓ કરતા હતા પરંતુ હવે થયું છે એવું કે , જયારે વિસાવદરના જીવાપરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જયારે સભા કરી રહ્યા હતા ત્યારે રાત્રી દરમ્યાન ભાજપના સમર્થકો દ્વારા તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો .