RK સ્ટુડીયો બાદ રાજ કપૂરનો બંગલો પણ વેચાયો, ગોદરેજ પ્રોપર્ટીઝ સાથે થયો સોદો


  • Published By :
  • Published Date : 2023-02-17 17:29:07

હિન્દી ફિલ્મ જગતના ઓલટાઈમ ગ્રેટ કલાકાર સ્વ. રાજ કપૂરના આર કે સ્ટુડીયો બાદ હવે તેમનો બંગલો પણ વેચાઈ ગયો છે. ગ્રેટ શોમેન રાજ કપૂરના મુંબઈના ચેમ્બુર સ્થિત બંગલાને ગોદરેજ પ્રોપર્ટીએ ખરીદી લીધો છે. કંપની આ બંગલાની જગ્યાએ મલ્ટી સ્ટોરી ફ્લેટ્સ ઉભા કરશે. કંપનીએ આ બંગલાની ખરીદી રાજ કપૂરના વારસદારો પાસેથી ખરીદ્યો છે. 


એક એકરમાં ફેલાયેલો છે બંગલો


ગોદરેજ પ્રોપર્ટીના કાર્યકારી ચેરમેન પિરોજશા ગોદરેજે જણાવ્યું કે બંગલાની જમીનનો કુલ આકાર લગભગ એક એકર છે. આ બંગલાની જગ્યાએ કંપની રહેણાંક હેતુંથી ફ્લેટ બનાવવાની યોજના ધરાવે છે. આ સ્કિમથી કંપનીને લગભગ 500 કરોડ રૂપિયા મળવાની આશા છે. જો કે તેમણે બંગલાનો સોદો કેટલી કિંમતમાં થયો તેનો ખુલાસો કર્યો નથી. 


બંગલો પ્રાઈમ લોકેશન પર છે


જો કે તેમ છતાં પણ ચેમ્બુરમાં એક એકર જમીનની બજાર કિંમત 100થી 110 કરોડ રૂપિયા હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. આ બંગલો પ્રાઈમ લોકેશન  ચેમ્બુર બીકેસી (બાન્દ્રા કુર્લા કોમ્પલેક્સ)થી નજીક હોવાથી એક ઉત્તમ રેસિડેન્સિયલ બજાર છે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.