RK સ્ટુડીયો બાદ રાજ કપૂરનો બંગલો પણ વેચાયો, ગોદરેજ પ્રોપર્ટીઝ સાથે થયો સોદો


  • Published By :
  • Published Date : 2023-02-17 17:29:07

હિન્દી ફિલ્મ જગતના ઓલટાઈમ ગ્રેટ કલાકાર સ્વ. રાજ કપૂરના આર કે સ્ટુડીયો બાદ હવે તેમનો બંગલો પણ વેચાઈ ગયો છે. ગ્રેટ શોમેન રાજ કપૂરના મુંબઈના ચેમ્બુર સ્થિત બંગલાને ગોદરેજ પ્રોપર્ટીએ ખરીદી લીધો છે. કંપની આ બંગલાની જગ્યાએ મલ્ટી સ્ટોરી ફ્લેટ્સ ઉભા કરશે. કંપનીએ આ બંગલાની ખરીદી રાજ કપૂરના વારસદારો પાસેથી ખરીદ્યો છે. 


એક એકરમાં ફેલાયેલો છે બંગલો


ગોદરેજ પ્રોપર્ટીના કાર્યકારી ચેરમેન પિરોજશા ગોદરેજે જણાવ્યું કે બંગલાની જમીનનો કુલ આકાર લગભગ એક એકર છે. આ બંગલાની જગ્યાએ કંપની રહેણાંક હેતુંથી ફ્લેટ બનાવવાની યોજના ધરાવે છે. આ સ્કિમથી કંપનીને લગભગ 500 કરોડ રૂપિયા મળવાની આશા છે. જો કે તેમણે બંગલાનો સોદો કેટલી કિંમતમાં થયો તેનો ખુલાસો કર્યો નથી. 


બંગલો પ્રાઈમ લોકેશન પર છે


જો કે તેમ છતાં પણ ચેમ્બુરમાં એક એકર જમીનની બજાર કિંમત 100થી 110 કરોડ રૂપિયા હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. આ બંગલો પ્રાઈમ લોકેશન  ચેમ્બુર બીકેસી (બાન્દ્રા કુર્લા કોમ્પલેક્સ)થી નજીક હોવાથી એક ઉત્તમ રેસિડેન્સિયલ બજાર છે. 




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.