RK સ્ટુડીયો બાદ રાજ કપૂરનો બંગલો પણ વેચાયો, ગોદરેજ પ્રોપર્ટીઝ સાથે થયો સોદો


  • Published By :
  • Published Date : 2023-02-17 17:29:07

હિન્દી ફિલ્મ જગતના ઓલટાઈમ ગ્રેટ કલાકાર સ્વ. રાજ કપૂરના આર કે સ્ટુડીયો બાદ હવે તેમનો બંગલો પણ વેચાઈ ગયો છે. ગ્રેટ શોમેન રાજ કપૂરના મુંબઈના ચેમ્બુર સ્થિત બંગલાને ગોદરેજ પ્રોપર્ટીએ ખરીદી લીધો છે. કંપની આ બંગલાની જગ્યાએ મલ્ટી સ્ટોરી ફ્લેટ્સ ઉભા કરશે. કંપનીએ આ બંગલાની ખરીદી રાજ કપૂરના વારસદારો પાસેથી ખરીદ્યો છે. 


એક એકરમાં ફેલાયેલો છે બંગલો


ગોદરેજ પ્રોપર્ટીના કાર્યકારી ચેરમેન પિરોજશા ગોદરેજે જણાવ્યું કે બંગલાની જમીનનો કુલ આકાર લગભગ એક એકર છે. આ બંગલાની જગ્યાએ કંપની રહેણાંક હેતુંથી ફ્લેટ બનાવવાની યોજના ધરાવે છે. આ સ્કિમથી કંપનીને લગભગ 500 કરોડ રૂપિયા મળવાની આશા છે. જો કે તેમણે બંગલાનો સોદો કેટલી કિંમતમાં થયો તેનો ખુલાસો કર્યો નથી. 


બંગલો પ્રાઈમ લોકેશન પર છે


જો કે તેમ છતાં પણ ચેમ્બુરમાં એક એકર જમીનની બજાર કિંમત 100થી 110 કરોડ રૂપિયા હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. આ બંગલો પ્રાઈમ લોકેશન  ચેમ્બુર બીકેસી (બાન્દ્રા કુર્લા કોમ્પલેક્સ)થી નજીક હોવાથી એક ઉત્તમ રેસિડેન્સિયલ બજાર છે. 




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.