ટેનિસ મેગાસ્ટાર રોજર ફેડરરે સન્યાસની જાહેરાત કરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 19:31:33

24 વર્ષ સુધી ટેનિસ કૉર્ટમાં પોતાના પરફોર્મન્સથી લોકોને અચંબો પમાડતા 41 વર્ષીય રોજર ફેડરરે, 20 મોટા ટાઈટલ અને 1500થી વધુથી વધુ ટેનિસ રમ્યા બાદ આજે સન્યાસની જાહેરાત કરી છે. 


ઈન્સ્ટાગ્રામ પર સન્યાસની જાહેરાત કરી

ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને રોજર ફેડરરે તેમના ફેન્સને સન્યાસ મામલે જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, "હું 41 વર્ષનો છું, મેં 24 વર્ષ અંદર 1,500થી વધુ મેચ રમી છે. ટેનિસના કારણે જ્યાં હું પહોંચ્યો છું તે જગ્યા પર હોવાનો મને હજુ વિશ્વાસ નથી આવતો. હવે મારી કારકિર્દી પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે."  


રોજર ફેડરર, રાફેલ નડાલ અને નોવાક જોકોવિકની ત્રીપુટી વિશ્વના સૌથી મોટા ટેનિસ પ્લેયર્સ તરીકે ઓળખવામાં આવે છે. રોજર ફેડરર સ્વિટ્ઝરલેન્ડ દેશના ટેનિસ ખેલાડી છે. દાયકાઓથી ફેડરરને વિશ્વના સૌથી મહાન ખેલાડીના સ્થાને પોતાનું નામ બનાવી રાખ્યું છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.