ટેનિસ મેગાસ્ટાર રોજર ફેડરરે સન્યાસની જાહેરાત કરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 19:31:33

24 વર્ષ સુધી ટેનિસ કૉર્ટમાં પોતાના પરફોર્મન્સથી લોકોને અચંબો પમાડતા 41 વર્ષીય રોજર ફેડરરે, 20 મોટા ટાઈટલ અને 1500થી વધુથી વધુ ટેનિસ રમ્યા બાદ આજે સન્યાસની જાહેરાત કરી છે. 


ઈન્સ્ટાગ્રામ પર સન્યાસની જાહેરાત કરી

ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને રોજર ફેડરરે તેમના ફેન્સને સન્યાસ મામલે જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, "હું 41 વર્ષનો છું, મેં 24 વર્ષ અંદર 1,500થી વધુ મેચ રમી છે. ટેનિસના કારણે જ્યાં હું પહોંચ્યો છું તે જગ્યા પર હોવાનો મને હજુ વિશ્વાસ નથી આવતો. હવે મારી કારકિર્દી પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે."  


રોજર ફેડરર, રાફેલ નડાલ અને નોવાક જોકોવિકની ત્રીપુટી વિશ્વના સૌથી મોટા ટેનિસ પ્લેયર્સ તરીકે ઓળખવામાં આવે છે. રોજર ફેડરર સ્વિટ્ઝરલેન્ડ દેશના ટેનિસ ખેલાડી છે. દાયકાઓથી ફેડરરને વિશ્વના સૌથી મહાન ખેલાડીના સ્થાને પોતાનું નામ બનાવી રાખ્યું છે. 



ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.