ટેનિસ મેગાસ્ટાર રોજર ફેડરરે સન્યાસની જાહેરાત કરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 19:31:33

24 વર્ષ સુધી ટેનિસ કૉર્ટમાં પોતાના પરફોર્મન્સથી લોકોને અચંબો પમાડતા 41 વર્ષીય રોજર ફેડરરે, 20 મોટા ટાઈટલ અને 1500થી વધુથી વધુ ટેનિસ રમ્યા બાદ આજે સન્યાસની જાહેરાત કરી છે. 


ઈન્સ્ટાગ્રામ પર સન્યાસની જાહેરાત કરી

ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને રોજર ફેડરરે તેમના ફેન્સને સન્યાસ મામલે જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, "હું 41 વર્ષનો છું, મેં 24 વર્ષ અંદર 1,500થી વધુ મેચ રમી છે. ટેનિસના કારણે જ્યાં હું પહોંચ્યો છું તે જગ્યા પર હોવાનો મને હજુ વિશ્વાસ નથી આવતો. હવે મારી કારકિર્દી પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે."  


રોજર ફેડરર, રાફેલ નડાલ અને નોવાક જોકોવિકની ત્રીપુટી વિશ્વના સૌથી મોટા ટેનિસ પ્લેયર્સ તરીકે ઓળખવામાં આવે છે. રોજર ફેડરર સ્વિટ્ઝરલેન્ડ દેશના ટેનિસ ખેલાડી છે. દાયકાઓથી ફેડરરને વિશ્વના સૌથી મહાન ખેલાડીના સ્થાને પોતાનું નામ બનાવી રાખ્યું છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.