રોહિત શર્માને પ્રેક્ટિસ દરમિયાન દડો વાગ્યો, થયા ઈજાગ્રસ્ત


  • Published By :
  • Published Date : 2022-11-08 19:42:02

આજે રોહિત શર્મા નેટ પ્રેક્ટિસ કરી રહ્યા હતા ત્યારે 150 કિમીની સ્પીડથી આવતો બોલ તેમના હાથ પર લાગી ગયો હતો. બોલ હાથ પર લાગતા રોહિત શર્મા હાથ પકડીને ગ્રાઉન્ડ બહાર નીકળી ગયા હતા અને 40 મિનિટ ગ્રાઉન્ડ બહાર જ બેઠા રહ્યા હતા. જો કે 40 મિનિટ બાદ ફરીથી રોહિત પ્રેક્ટિસ કરવા લાગ્યા હતા.

ઈજા ગંભીર નથી એટલે ચિંતા નથીઃ BCCI

ટી 20 વર્લ્ડ કપમાં ભારત અને ઈંગલેન્ડના સેમિફાઈનલના 2 દિવસ પહેલા કેપ્ટન રોહિત શર્મા ઈજાગ્રસ્ત થયા છેBCCIએ સમગ્ર મામલે નિવેદન આપ્યું હતું કે ઈજા ગંભીર નથી એટલે ચિંતા જેવી કોઈ બાબત નથી. આગામી 10 નવેમ્બરે એડિલેડમાં ભારતની ઈંગ્લેન્ડ સામે મેચ યોજાવા જઈ રહી છેBCCIના જણાવ્યા મુજબ રોહિત શર્માને મેડિકલ ટીમ તરફથી ઓકેનું સિગ્નલ મળી ગયું છે. આ ટી-20 વર્લ્ડ કપમાં રોહિત શર્માનું ફોર્મ સારું જોવા નથી મળ્યું. કારણ કે 5 લીગમાં તેમણે માત્ર 89 રન જ બનાવ્યા છે. જોકે રોહિત શર્માએ ભારતને પાંચમાંથી ચાર મેચ પણ જીતાડી છે.  

 

 

 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.