રોહિત શર્માને પ્રેક્ટિસ દરમિયાન દડો વાગ્યો, થયા ઈજાગ્રસ્ત


  • Published By :
  • Published Date : 2022-11-08 19:42:02

આજે રોહિત શર્મા નેટ પ્રેક્ટિસ કરી રહ્યા હતા ત્યારે 150 કિમીની સ્પીડથી આવતો બોલ તેમના હાથ પર લાગી ગયો હતો. બોલ હાથ પર લાગતા રોહિત શર્મા હાથ પકડીને ગ્રાઉન્ડ બહાર નીકળી ગયા હતા અને 40 મિનિટ ગ્રાઉન્ડ બહાર જ બેઠા રહ્યા હતા. જો કે 40 મિનિટ બાદ ફરીથી રોહિત પ્રેક્ટિસ કરવા લાગ્યા હતા.

ઈજા ગંભીર નથી એટલે ચિંતા નથીઃ BCCI

ટી 20 વર્લ્ડ કપમાં ભારત અને ઈંગલેન્ડના સેમિફાઈનલના 2 દિવસ પહેલા કેપ્ટન રોહિત શર્મા ઈજાગ્રસ્ત થયા છેBCCIએ સમગ્ર મામલે નિવેદન આપ્યું હતું કે ઈજા ગંભીર નથી એટલે ચિંતા જેવી કોઈ બાબત નથી. આગામી 10 નવેમ્બરે એડિલેડમાં ભારતની ઈંગ્લેન્ડ સામે મેચ યોજાવા જઈ રહી છેBCCIના જણાવ્યા મુજબ રોહિત શર્માને મેડિકલ ટીમ તરફથી ઓકેનું સિગ્નલ મળી ગયું છે. આ ટી-20 વર્લ્ડ કપમાં રોહિત શર્માનું ફોર્મ સારું જોવા નથી મળ્યું. કારણ કે 5 લીગમાં તેમણે માત્ર 89 રન જ બનાવ્યા છે. જોકે રોહિત શર્માએ ભારતને પાંચમાંથી ચાર મેચ પણ જીતાડી છે.  

 

 

 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.