રોહિત શેઠ્ઠીની ફિલ્મ સર્કસે 6 દિવસમાં કરી માત્ર આટલી કમાણી? બજેટ જેટલી પણ નથી કરી શકી કમાણી


  • Published By :
  • Published Date : 2022-12-29 12:47:13

છેલ્લા અનેક દિવસોથી બોલિવુડની ફિલ્મો બોક્સઓફિસમાં સારી કમાણી કરી રહી છે. દ્રશ્યમ 2 અવતાર-2, ઓમ મંગલમ સિંગલમ જેવી ફિલ્મો બોક્સઓફિસમાં ઘૂમ મચાવી રહી છે. ત્યારે રોહિત શેઠ્ઠીની ફિલ્મ સર્કસ બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ છે. ફિલ્મને રિલીઝ થયાને 6 દિવસ પૂર્ણ થયા છે પરંતુ આ ફિલ્મે કમાણી બહુ ઓછી કરી છે. આ ફિલ્મે બજેટ કરતા પણ ઓછી કમાણી કરી છે. 

Cirkus Trailer Preview: Comedy in 'Circus'; Rohit Shetty's film will be the  biggest hit?


સર્કસ ફિલ્મને નથી મળી રહ્યા દર્શકો 

રોહિત શેઠ્ઠીની ફિલ્મ બોક્સ ઓફિસ ધૂમ મચાવતી હોય છે. દર્શકોનો પ્રેમ રોહિત શેઠ્ઠીની ફિલ્મોને મળી રહે છે પરંતુ હાલમાં જ રિલીઝ થયેલી સર્કસને દર્શકોના ફાંફા પડી રહ્યા છે. બોક્સઓફિસ પર સર્કસ ફેલ ગઈ છે. દર્શકો ન મળતા ફિલ્મના શો કેન્સલ કરવામાં આવ્યા છે. ફિલ્મને રિલીઝ થયાને 6 દિવસ વીતી ગયા છે પરંતુ આ ફિલ્મે બજેટ જેટલી પણ કમાણી નથી કરી. ફિલ્મ બજેટ કરતા પણ ઓછી કમાણી ફિલ્મે કરી છે.   


રોહિત શેઠ્ઠીની ફિલ્મ થઈ ફ્લોપ 

સર્કસએ 6 દિવસમાં ફિલ્મે 28.30 કરોડની કમાણી કરી છે. પ્રથમ દિવસે ફિલ્મે 6.25 કરોડની કમાણી કરી હતી. બીજા દિવસે ફિલ્મે 6.40 કરોડની કમાણી કરી હતી. જ્યારે બુધવારે ફિલ્મે માત્ર 2.25કરોડની જ કમાણી કરી હતી. રણબીર સિંહને આ ફિલ્મ પાસેથી સારી અપેક્ષાઓ હતી. પરંતુ આ ફિલ્મે સારી કમાણી કરી હતી. રોહિત શેઠ્ઠીની આ ફિલ્મની પ્રથમ ફ્લોપ કોમેડી ફિલ્મ માનવામાં આવે છે.                 



રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.