રોહિત શેઠ્ઠીની ફિલ્મ સર્કસે 6 દિવસમાં કરી માત્ર આટલી કમાણી? બજેટ જેટલી પણ નથી કરી શકી કમાણી


  • Published By :
  • Published Date : 2022-12-29 12:47:13

છેલ્લા અનેક દિવસોથી બોલિવુડની ફિલ્મો બોક્સઓફિસમાં સારી કમાણી કરી રહી છે. દ્રશ્યમ 2 અવતાર-2, ઓમ મંગલમ સિંગલમ જેવી ફિલ્મો બોક્સઓફિસમાં ઘૂમ મચાવી રહી છે. ત્યારે રોહિત શેઠ્ઠીની ફિલ્મ સર્કસ બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ છે. ફિલ્મને રિલીઝ થયાને 6 દિવસ પૂર્ણ થયા છે પરંતુ આ ફિલ્મે કમાણી બહુ ઓછી કરી છે. આ ફિલ્મે બજેટ કરતા પણ ઓછી કમાણી કરી છે. 

Cirkus Trailer Preview: Comedy in 'Circus'; Rohit Shetty's film will be the  biggest hit?


સર્કસ ફિલ્મને નથી મળી રહ્યા દર્શકો 

રોહિત શેઠ્ઠીની ફિલ્મ બોક્સ ઓફિસ ધૂમ મચાવતી હોય છે. દર્શકોનો પ્રેમ રોહિત શેઠ્ઠીની ફિલ્મોને મળી રહે છે પરંતુ હાલમાં જ રિલીઝ થયેલી સર્કસને દર્શકોના ફાંફા પડી રહ્યા છે. બોક્સઓફિસ પર સર્કસ ફેલ ગઈ છે. દર્શકો ન મળતા ફિલ્મના શો કેન્સલ કરવામાં આવ્યા છે. ફિલ્મને રિલીઝ થયાને 6 દિવસ વીતી ગયા છે પરંતુ આ ફિલ્મે બજેટ જેટલી પણ કમાણી નથી કરી. ફિલ્મ બજેટ કરતા પણ ઓછી કમાણી ફિલ્મે કરી છે.   


રોહિત શેઠ્ઠીની ફિલ્મ થઈ ફ્લોપ 

સર્કસએ 6 દિવસમાં ફિલ્મે 28.30 કરોડની કમાણી કરી છે. પ્રથમ દિવસે ફિલ્મે 6.25 કરોડની કમાણી કરી હતી. બીજા દિવસે ફિલ્મે 6.40 કરોડની કમાણી કરી હતી. જ્યારે બુધવારે ફિલ્મે માત્ર 2.25કરોડની જ કમાણી કરી હતી. રણબીર સિંહને આ ફિલ્મ પાસેથી સારી અપેક્ષાઓ હતી. પરંતુ આ ફિલ્મે સારી કમાણી કરી હતી. રોહિત શેઠ્ઠીની આ ફિલ્મની પ્રથમ ફ્લોપ કોમેડી ફિલ્મ માનવામાં આવે છે.                 



જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.