રોહિત શેઠ્ઠીની ફિલ્મ સર્કસે 6 દિવસમાં કરી માત્ર આટલી કમાણી? બજેટ જેટલી પણ નથી કરી શકી કમાણી


  • Published By :
  • Published Date : 2022-12-29 12:47:13

છેલ્લા અનેક દિવસોથી બોલિવુડની ફિલ્મો બોક્સઓફિસમાં સારી કમાણી કરી રહી છે. દ્રશ્યમ 2 અવતાર-2, ઓમ મંગલમ સિંગલમ જેવી ફિલ્મો બોક્સઓફિસમાં ઘૂમ મચાવી રહી છે. ત્યારે રોહિત શેઠ્ઠીની ફિલ્મ સર્કસ બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ છે. ફિલ્મને રિલીઝ થયાને 6 દિવસ પૂર્ણ થયા છે પરંતુ આ ફિલ્મે કમાણી બહુ ઓછી કરી છે. આ ફિલ્મે બજેટ કરતા પણ ઓછી કમાણી કરી છે. 

Cirkus Trailer Preview: Comedy in 'Circus'; Rohit Shetty's film will be the  biggest hit?


સર્કસ ફિલ્મને નથી મળી રહ્યા દર્શકો 

રોહિત શેઠ્ઠીની ફિલ્મ બોક્સ ઓફિસ ધૂમ મચાવતી હોય છે. દર્શકોનો પ્રેમ રોહિત શેઠ્ઠીની ફિલ્મોને મળી રહે છે પરંતુ હાલમાં જ રિલીઝ થયેલી સર્કસને દર્શકોના ફાંફા પડી રહ્યા છે. બોક્સઓફિસ પર સર્કસ ફેલ ગઈ છે. દર્શકો ન મળતા ફિલ્મના શો કેન્સલ કરવામાં આવ્યા છે. ફિલ્મને રિલીઝ થયાને 6 દિવસ વીતી ગયા છે પરંતુ આ ફિલ્મે બજેટ જેટલી પણ કમાણી નથી કરી. ફિલ્મ બજેટ કરતા પણ ઓછી કમાણી ફિલ્મે કરી છે.   


રોહિત શેઠ્ઠીની ફિલ્મ થઈ ફ્લોપ 

સર્કસએ 6 દિવસમાં ફિલ્મે 28.30 કરોડની કમાણી કરી છે. પ્રથમ દિવસે ફિલ્મે 6.25 કરોડની કમાણી કરી હતી. બીજા દિવસે ફિલ્મે 6.40 કરોડની કમાણી કરી હતી. જ્યારે બુધવારે ફિલ્મે માત્ર 2.25કરોડની જ કમાણી કરી હતી. રણબીર સિંહને આ ફિલ્મ પાસેથી સારી અપેક્ષાઓ હતી. પરંતુ આ ફિલ્મે સારી કમાણી કરી હતી. રોહિત શેઠ્ઠીની આ ફિલ્મની પ્રથમ ફ્લોપ કોમેડી ફિલ્મ માનવામાં આવે છે.                 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.