રોહિત શેઠ્ઠીની ફિલ્મ સર્કસે 6 દિવસમાં કરી માત્ર આટલી કમાણી? બજેટ જેટલી પણ નથી કરી શકી કમાણી


  • Published By :
  • Published Date : 2022-12-29 12:47:13

છેલ્લા અનેક દિવસોથી બોલિવુડની ફિલ્મો બોક્સઓફિસમાં સારી કમાણી કરી રહી છે. દ્રશ્યમ 2 અવતાર-2, ઓમ મંગલમ સિંગલમ જેવી ફિલ્મો બોક્સઓફિસમાં ઘૂમ મચાવી રહી છે. ત્યારે રોહિત શેઠ્ઠીની ફિલ્મ સર્કસ બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ છે. ફિલ્મને રિલીઝ થયાને 6 દિવસ પૂર્ણ થયા છે પરંતુ આ ફિલ્મે કમાણી બહુ ઓછી કરી છે. આ ફિલ્મે બજેટ કરતા પણ ઓછી કમાણી કરી છે. 

Cirkus Trailer Preview: Comedy in 'Circus'; Rohit Shetty's film will be the  biggest hit?


સર્કસ ફિલ્મને નથી મળી રહ્યા દર્શકો 

રોહિત શેઠ્ઠીની ફિલ્મ બોક્સ ઓફિસ ધૂમ મચાવતી હોય છે. દર્શકોનો પ્રેમ રોહિત શેઠ્ઠીની ફિલ્મોને મળી રહે છે પરંતુ હાલમાં જ રિલીઝ થયેલી સર્કસને દર્શકોના ફાંફા પડી રહ્યા છે. બોક્સઓફિસ પર સર્કસ ફેલ ગઈ છે. દર્શકો ન મળતા ફિલ્મના શો કેન્સલ કરવામાં આવ્યા છે. ફિલ્મને રિલીઝ થયાને 6 દિવસ વીતી ગયા છે પરંતુ આ ફિલ્મે બજેટ જેટલી પણ કમાણી નથી કરી. ફિલ્મ બજેટ કરતા પણ ઓછી કમાણી ફિલ્મે કરી છે.   


રોહિત શેઠ્ઠીની ફિલ્મ થઈ ફ્લોપ 

સર્કસએ 6 દિવસમાં ફિલ્મે 28.30 કરોડની કમાણી કરી છે. પ્રથમ દિવસે ફિલ્મે 6.25 કરોડની કમાણી કરી હતી. બીજા દિવસે ફિલ્મે 6.40 કરોડની કમાણી કરી હતી. જ્યારે બુધવારે ફિલ્મે માત્ર 2.25કરોડની જ કમાણી કરી હતી. રણબીર સિંહને આ ફિલ્મ પાસેથી સારી અપેક્ષાઓ હતી. પરંતુ આ ફિલ્મે સારી કમાણી કરી હતી. રોહિત શેઠ્ઠીની આ ફિલ્મની પ્રથમ ફ્લોપ કોમેડી ફિલ્મ માનવામાં આવે છે.                 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી