RBIની મહત્વની જાહેરાત: રિઝર્વ બેંક 2 હજાર રૂપિયાની નોટ પાછી ખેંચશે, 30 સપ્ટેમ્બર 2023 સુધી બેંકમાંથી બદલાવી શકાશે


  • Published By :
  • Published Date : 2023-05-19 20:20:58

RBIએ બે હજારની નોટને ચલણમાંથી પાછા ખેંચવાની જાહેરાત કરી છે.ભારતીય રિઝર્વ બેંકે દેશની તમામ બેંકોને સલાહ આપી છે કે તે તાત્કાલિક અસરથી 2 હજારની નોટના મૂલ્યની બેંક નોટ ગ્રાહકોને આપવાનું બંધ કરે. જો કે 2 હજારની નોટ કાનુની ચલણ તરીકે યથાવત રહેશે. મળતી જાણકારી મુજબ, ક્લીન નોટ પોલિસી હેઠળ RBIએ આ નિર્ણય લીધો છે. RBIના કહેવા પ્રમાણે આ નોટ 30 સપ્ટેમ્બર સુધી કાનુની રીતે માન્ય રહેશે. બે હજાર રૂપિયાની આ નોટ નવેમ્બર 2016માં લાવવામાં આવી હતી. તમે 23 મેથી બેંકોમાં જઈને આ નોટોને બદલાવી શકો છો. જો કે એક વખતમાં માત્ર 20 હજાર રૂપિયા જ બદલાવી શકાશે. 2 હજારની નોટ બદલવાની આ પ્રક્રિયા 23 મેથી શરૂ થશે અને 30 સપ્ટેમ્બર 2023ના રોજ સમાપ્ત થશે.


RBIએ 2018-19માં પ્રિન્ટિંગ બંધ કર્યું


RBI બે હજાર રૂપિયાની નોટ RBI એક્ટ 1934ની કલમ 24 (1) હેઠળ સરક્યુશનમાં લાવી હતી. જૂની 500 અને 1000 રૂપિયાની નોટો બંધ થયા બાદ બજાર અને અર્થવ્યવસ્થા પર તેની અસર ઘટાડવા માટે તથા ચલણની જરૂરિયાતને પહોંચી વળવા માટે આ બે હજારની નોટો સરક્યુશનમાં લાવવામાં આવી હતી. બજારમાં અન્ય ચલણી નોટો પૂરતા પ્રમાણમાં આવી ગયા બાદ રૂ. 2,000 રજૂ કરવાનો હેતુ સમાપ્ત થઈ ગયો હતો. આથી 2018-19માં RBI દ્વારા રૂ. 2,000ની નોટનું પ્રિન્ટિંગ બંધ કરવામાં આવ્યું હતું.


હાલ કેટલી નોટ ચલણમાં છે?


ચલણમાં રહેલી 2 હજારની આ બૅન્ક નોટોનું કુલ મૂલ્ય 31 માર્ચ, 2018ના રોજ તેની ટોચ પર હતું. તે સમયે રૂ. 6.73 લાખ કરોડની બે હજારની નોટ સરક્યુલેશનમાં હતી. જે 31 માર્ચ, 2023ના રોજ 10.8 ટકા ઘટીને એટલે કે રૂ. 3.62 લાખ કરોડ રહી ગયું હતું. 


 



રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.