RBIની મહત્વની જાહેરાત: રિઝર્વ બેંક 2 હજાર રૂપિયાની નોટ પાછી ખેંચશે, 30 સપ્ટેમ્બર 2023 સુધી બેંકમાંથી બદલાવી શકાશે


  • Published By :
  • Published Date : 2023-05-19 20:20:58

RBIએ બે હજારની નોટને ચલણમાંથી પાછા ખેંચવાની જાહેરાત કરી છે.ભારતીય રિઝર્વ બેંકે દેશની તમામ બેંકોને સલાહ આપી છે કે તે તાત્કાલિક અસરથી 2 હજારની નોટના મૂલ્યની બેંક નોટ ગ્રાહકોને આપવાનું બંધ કરે. જો કે 2 હજારની નોટ કાનુની ચલણ તરીકે યથાવત રહેશે. મળતી જાણકારી મુજબ, ક્લીન નોટ પોલિસી હેઠળ RBIએ આ નિર્ણય લીધો છે. RBIના કહેવા પ્રમાણે આ નોટ 30 સપ્ટેમ્બર સુધી કાનુની રીતે માન્ય રહેશે. બે હજાર રૂપિયાની આ નોટ નવેમ્બર 2016માં લાવવામાં આવી હતી. તમે 23 મેથી બેંકોમાં જઈને આ નોટોને બદલાવી શકો છો. જો કે એક વખતમાં માત્ર 20 હજાર રૂપિયા જ બદલાવી શકાશે. 2 હજારની નોટ બદલવાની આ પ્રક્રિયા 23 મેથી શરૂ થશે અને 30 સપ્ટેમ્બર 2023ના રોજ સમાપ્ત થશે.


RBIએ 2018-19માં પ્રિન્ટિંગ બંધ કર્યું


RBI બે હજાર રૂપિયાની નોટ RBI એક્ટ 1934ની કલમ 24 (1) હેઠળ સરક્યુશનમાં લાવી હતી. જૂની 500 અને 1000 રૂપિયાની નોટો બંધ થયા બાદ બજાર અને અર્થવ્યવસ્થા પર તેની અસર ઘટાડવા માટે તથા ચલણની જરૂરિયાતને પહોંચી વળવા માટે આ બે હજારની નોટો સરક્યુશનમાં લાવવામાં આવી હતી. બજારમાં અન્ય ચલણી નોટો પૂરતા પ્રમાણમાં આવી ગયા બાદ રૂ. 2,000 રજૂ કરવાનો હેતુ સમાપ્ત થઈ ગયો હતો. આથી 2018-19માં RBI દ્વારા રૂ. 2,000ની નોટનું પ્રિન્ટિંગ બંધ કરવામાં આવ્યું હતું.


હાલ કેટલી નોટ ચલણમાં છે?


ચલણમાં રહેલી 2 હજારની આ બૅન્ક નોટોનું કુલ મૂલ્ય 31 માર્ચ, 2018ના રોજ તેની ટોચ પર હતું. તે સમયે રૂ. 6.73 લાખ કરોડની બે હજારની નોટ સરક્યુલેશનમાં હતી. જે 31 માર્ચ, 2023ના રોજ 10.8 ટકા ઘટીને એટલે કે રૂ. 3.62 લાખ કરોડ રહી ગયું હતું. 


 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.