જાતિવાદને લઈને RSS વડા મોહન ભાગવતે આપ્યું નિવેદન, કહ્યું કોઈપણ સંજોગોમાં ન છોડશો ધર્મ


  • Published By :
  • Published Date : 2023-02-06 13:22:22

જાતિવાદને લઈને RSS એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે એક નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું કે મારા માટે તો દરેક લોકો સમાન છે. તેમાં કોઈ જાતિ કે વર્ણ નથી. પણ પંડિતોઓ શ્રેણી બનાવી છે જે ખોટી છે. આપણા સમાજનું અલગ-અલગ વિભાજન કરી અન્યોએ લાભ ઉઠાવ્યો છે. જેને લઈ આપણા દેશ પર હુમલા થયા છે. બહારથી આવેલા લોકોએ લાભ ઉઠાવ્યો છે. 


સત્ય જ ઈશ્વર  છે - મોહન ભાગવત 

સંત શિરોમણી રોહિદાસ જયંતિના ઉપક્રમે એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન તેમણે જાતિવાદને લઈ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે દેશમાં વિવેદ, ચેતના તમામ એક જ છે. તેમાં કોઈ પ્રકારનું અંતર નથી. બસ મત અલગ અલગ છે. પ્રશ્ન પૂછતા તેમણે કહ્યું કે શું હિંદુ સમાજ દેશમાં નાશ પામવાનો ભય દેખાય છે? આ વાત તમને કોઈ બ્રાહ્મણ નહીં કરે. આ તમારે જાતે જ સમજવાનું રહેશે. આપણી આજીવિકાનો અર્થ સમાજ પ્રત્યે જવાબદારી પણ હોય છે. દરેક કામ સમાજ માટે હોય છે તો કોઈ ઉંચા કે કોઈ નીચો કે અલગ કેવી રીતે થયા? સત્ય જ ઈશ્વર છે. નામ, યોગ્યતા અને સન્માન ગમે તે હોય બધા એક સમાન છે અને તેમાં કોઈ ભેદ નથી. 

 

અનેક નેતાઓએ આપી પ્રતિક્રિયા 

વધુમાં તેમણે કહ્યું કે સંત રોહિદાસ, તુલસીદાસ, કબીર, સૂરદાસ વગેરે ઉંચા હતા. એટલે જ તો તેઓ સંત શિરોમણી કહેવાય છે. સંત રોહિદાસ શાસ્ત્રાર્થમાં બ્રાહ્મણો સામે જીતી ન શક્યા. પણ તેમણે લોકોના મનમાં વસી ગયા હતા અને આ વિશ્વાસ જ ભગવાન છે. મોહન ભાગવતના આ નિવેદન પર અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી છે.  

 

સંજય રાઉતની પ્રતિક્રિયા આવી સામે  

વિપક્ષે આ મુદ્દા પર મોહન ભાગવત પર નિશાન સાધ્યું છે. શિવસેના  સાંસદ સંજય રાઉતે કહ્યું કે તેમના દ્વારા કહેવામાં આવેલી વાતો સમાજમાં એકતા રાખવા માટે અત્યંત જરૂરી છે પરંતુ સવાલ એ છે કે સમાજને તોડી કોણ રહ્યું છે. તમે લોકો જ કરી રહ્યા છો. સૌથી પહેલા આ વસ્તુ સત્તામાં બેઠેલા લોકોને સમજાવો. તે સિવાય રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે પણ આ વાત પર પ્રતિક્રિયા આપી છે.    




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.