જાતિવાદને લઈને RSS વડા મોહન ભાગવતે આપ્યું નિવેદન, કહ્યું કોઈપણ સંજોગોમાં ન છોડશો ધર્મ


  • Published By :
  • Published Date : 2023-02-06 13:22:22

જાતિવાદને લઈને RSS એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે એક નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું કે મારા માટે તો દરેક લોકો સમાન છે. તેમાં કોઈ જાતિ કે વર્ણ નથી. પણ પંડિતોઓ શ્રેણી બનાવી છે જે ખોટી છે. આપણા સમાજનું અલગ-અલગ વિભાજન કરી અન્યોએ લાભ ઉઠાવ્યો છે. જેને લઈ આપણા દેશ પર હુમલા થયા છે. બહારથી આવેલા લોકોએ લાભ ઉઠાવ્યો છે. 


સત્ય જ ઈશ્વર  છે - મોહન ભાગવત 

સંત શિરોમણી રોહિદાસ જયંતિના ઉપક્રમે એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન તેમણે જાતિવાદને લઈ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે દેશમાં વિવેદ, ચેતના તમામ એક જ છે. તેમાં કોઈ પ્રકારનું અંતર નથી. બસ મત અલગ અલગ છે. પ્રશ્ન પૂછતા તેમણે કહ્યું કે શું હિંદુ સમાજ દેશમાં નાશ પામવાનો ભય દેખાય છે? આ વાત તમને કોઈ બ્રાહ્મણ નહીં કરે. આ તમારે જાતે જ સમજવાનું રહેશે. આપણી આજીવિકાનો અર્થ સમાજ પ્રત્યે જવાબદારી પણ હોય છે. દરેક કામ સમાજ માટે હોય છે તો કોઈ ઉંચા કે કોઈ નીચો કે અલગ કેવી રીતે થયા? સત્ય જ ઈશ્વર છે. નામ, યોગ્યતા અને સન્માન ગમે તે હોય બધા એક સમાન છે અને તેમાં કોઈ ભેદ નથી. 

 

અનેક નેતાઓએ આપી પ્રતિક્રિયા 

વધુમાં તેમણે કહ્યું કે સંત રોહિદાસ, તુલસીદાસ, કબીર, સૂરદાસ વગેરે ઉંચા હતા. એટલે જ તો તેઓ સંત શિરોમણી કહેવાય છે. સંત રોહિદાસ શાસ્ત્રાર્થમાં બ્રાહ્મણો સામે જીતી ન શક્યા. પણ તેમણે લોકોના મનમાં વસી ગયા હતા અને આ વિશ્વાસ જ ભગવાન છે. મોહન ભાગવતના આ નિવેદન પર અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી છે.  

 

સંજય રાઉતની પ્રતિક્રિયા આવી સામે  

વિપક્ષે આ મુદ્દા પર મોહન ભાગવત પર નિશાન સાધ્યું છે. શિવસેના  સાંસદ સંજય રાઉતે કહ્યું કે તેમના દ્વારા કહેવામાં આવેલી વાતો સમાજમાં એકતા રાખવા માટે અત્યંત જરૂરી છે પરંતુ સવાલ એ છે કે સમાજને તોડી કોણ રહ્યું છે. તમે લોકો જ કરી રહ્યા છો. સૌથી પહેલા આ વસ્તુ સત્તામાં બેઠેલા લોકોને સમજાવો. તે સિવાય રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે પણ આ વાત પર પ્રતિક્રિયા આપી છે.    




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.