જાતિવાદને લઈને RSS વડા મોહન ભાગવતે આપ્યું નિવેદન, કહ્યું કોઈપણ સંજોગોમાં ન છોડશો ધર્મ


  • Published By :
  • Published Date : 2023-02-06 13:22:22

જાતિવાદને લઈને RSS એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે એક નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું કે મારા માટે તો દરેક લોકો સમાન છે. તેમાં કોઈ જાતિ કે વર્ણ નથી. પણ પંડિતોઓ શ્રેણી બનાવી છે જે ખોટી છે. આપણા સમાજનું અલગ-અલગ વિભાજન કરી અન્યોએ લાભ ઉઠાવ્યો છે. જેને લઈ આપણા દેશ પર હુમલા થયા છે. બહારથી આવેલા લોકોએ લાભ ઉઠાવ્યો છે. 


સત્ય જ ઈશ્વર  છે - મોહન ભાગવત 

સંત શિરોમણી રોહિદાસ જયંતિના ઉપક્રમે એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન તેમણે જાતિવાદને લઈ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે દેશમાં વિવેદ, ચેતના તમામ એક જ છે. તેમાં કોઈ પ્રકારનું અંતર નથી. બસ મત અલગ અલગ છે. પ્રશ્ન પૂછતા તેમણે કહ્યું કે શું હિંદુ સમાજ દેશમાં નાશ પામવાનો ભય દેખાય છે? આ વાત તમને કોઈ બ્રાહ્મણ નહીં કરે. આ તમારે જાતે જ સમજવાનું રહેશે. આપણી આજીવિકાનો અર્થ સમાજ પ્રત્યે જવાબદારી પણ હોય છે. દરેક કામ સમાજ માટે હોય છે તો કોઈ ઉંચા કે કોઈ નીચો કે અલગ કેવી રીતે થયા? સત્ય જ ઈશ્વર છે. નામ, યોગ્યતા અને સન્માન ગમે તે હોય બધા એક સમાન છે અને તેમાં કોઈ ભેદ નથી. 

 

અનેક નેતાઓએ આપી પ્રતિક્રિયા 

વધુમાં તેમણે કહ્યું કે સંત રોહિદાસ, તુલસીદાસ, કબીર, સૂરદાસ વગેરે ઉંચા હતા. એટલે જ તો તેઓ સંત શિરોમણી કહેવાય છે. સંત રોહિદાસ શાસ્ત્રાર્થમાં બ્રાહ્મણો સામે જીતી ન શક્યા. પણ તેમણે લોકોના મનમાં વસી ગયા હતા અને આ વિશ્વાસ જ ભગવાન છે. મોહન ભાગવતના આ નિવેદન પર અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી છે.  

 

સંજય રાઉતની પ્રતિક્રિયા આવી સામે  

વિપક્ષે આ મુદ્દા પર મોહન ભાગવત પર નિશાન સાધ્યું છે. શિવસેના  સાંસદ સંજય રાઉતે કહ્યું કે તેમના દ્વારા કહેવામાં આવેલી વાતો સમાજમાં એકતા રાખવા માટે અત્યંત જરૂરી છે પરંતુ સવાલ એ છે કે સમાજને તોડી કોણ રહ્યું છે. તમે લોકો જ કરી રહ્યા છો. સૌથી પહેલા આ વસ્તુ સત્તામાં બેઠેલા લોકોને સમજાવો. તે સિવાય રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે પણ આ વાત પર પ્રતિક્રિયા આપી છે.    




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.