મજબૂરીમાં ગૌમાંસ ખાધું હોય તેઓ ઘર વાપસી કરી શકે છે: RSSના નેતા હોસબાલે


  • Published By :
  • Published Date : 2023-02-02 19:50:55

રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ (RSS)ના સહ-સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેએ ગુરુવારે એક મહત્વનું નિવેદન કર્યું છે. રાજસ્થનાના જયપુરમાં બિરલા ઓડિટોરિયમમાં આયોજીત દીનદયાલ સ્મૃતિ લેક્ચરમાં તેમણે કહ્યું હતું, 'ભારતમાં રહેનારા તમામ લોકો હિંદુ છે, કારણ કે તેમના પૂર્વજો હિંદુ હતા. તેમની પૂજાની પદ્ધતિ અલગ હોઈ શકે છે, પરંતુ તે તમામ લોકોનાં DNA એક જ છે.'


સંઘ વસુધૈવ કુટુંબકમની ભાવનામાં માને છે


દત્તાત્રેય હોસબાલે વધુમાં કહ્યું, કે 'ભારતમાં 600થી વધુ જનજાતિઓ કહેતી હતી કે અમે અલગ છીએ, અમે હિંદુ નથી. ભારતવિરોધી શક્તિઓએ તેમને ઉશ્કેરવાનું કામ કર્યું હતું. આ અંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કર્મઠ નેતા માધવરાવ ગોલવલકર 'ગુરૂજી'એ કહ્યું હતું કે તે તમામ લોકો હિંદુ છે. તેમના માટે દરવાજા બંધ નથી, કારણ કે અમે વસુધૈવ કુટુંબકમની ભાવના પર કામ કરીએ છીએ. જો કોઈએ ભય કે મજબૂરીમાં ગૌમાંસ ખાધું હોય અને કોઈ કારણસર તેઓ ધર્મપરિવર્તિત થયા હોય, તો તેમના માટે દરવાજો બંધ કરી શકાય નહીં. આજે પણ તેઓ ઘર વાપસી કરી શકે શકે છે.


ભારતને પિતૃભૂમિ માનનાર તમામ હિંદુ


દીનદયાલ સ્મૃતિ વ્યાખ્યાનમાળામાં હોસબાલેએ ભારપૂર્વક કહ્યું, કે 'ભારત હિંદુ રાષ્ટ્ર છે, કારણ કે આ દેશને બનાવનાર હિંદુ લોકો છે. કેટલાક લોકો કહે છે કે વેદ પુરાણમાં હિંદુ નથી, પરંતુ વેદ પુરાણમાં એવું ક્યાંય પણ નથી કે તેમને સ્વીકારવામાં નહીં આવે. તેમણે આગળ જણાવ્યું, સત્ય અને ઉપયોગી વાતનો સ્વીકાર કરવો જોઈએ. ડો. હેડગેવાર તે વ્યાખ્યામાં ન પડ્યા કે હિંદુ કોણ છે. ભારતની ધરતીને પિતૃભૂમિ માનનાર હિંદુ છે, જેમના પૂર્વજો હિંદુ છે, તે લોકો હિંદુ છે. જે પોતાને હિંદુ માને છે, તે હિંદુ છે, જેમને આપણે હિંદુ કહીએ છીએ, તે હિંદુ છે.'



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.