મજબૂરીમાં ગૌમાંસ ખાધું હોય તેઓ ઘર વાપસી કરી શકે છે: RSSના નેતા હોસબાલે


  • Published By :
  • Published Date : 2023-02-02 19:50:55

રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ (RSS)ના સહ-સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેએ ગુરુવારે એક મહત્વનું નિવેદન કર્યું છે. રાજસ્થનાના જયપુરમાં બિરલા ઓડિટોરિયમમાં આયોજીત દીનદયાલ સ્મૃતિ લેક્ચરમાં તેમણે કહ્યું હતું, 'ભારતમાં રહેનારા તમામ લોકો હિંદુ છે, કારણ કે તેમના પૂર્વજો હિંદુ હતા. તેમની પૂજાની પદ્ધતિ અલગ હોઈ શકે છે, પરંતુ તે તમામ લોકોનાં DNA એક જ છે.'


સંઘ વસુધૈવ કુટુંબકમની ભાવનામાં માને છે


દત્તાત્રેય હોસબાલે વધુમાં કહ્યું, કે 'ભારતમાં 600થી વધુ જનજાતિઓ કહેતી હતી કે અમે અલગ છીએ, અમે હિંદુ નથી. ભારતવિરોધી શક્તિઓએ તેમને ઉશ્કેરવાનું કામ કર્યું હતું. આ અંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કર્મઠ નેતા માધવરાવ ગોલવલકર 'ગુરૂજી'એ કહ્યું હતું કે તે તમામ લોકો હિંદુ છે. તેમના માટે દરવાજા બંધ નથી, કારણ કે અમે વસુધૈવ કુટુંબકમની ભાવના પર કામ કરીએ છીએ. જો કોઈએ ભય કે મજબૂરીમાં ગૌમાંસ ખાધું હોય અને કોઈ કારણસર તેઓ ધર્મપરિવર્તિત થયા હોય, તો તેમના માટે દરવાજો બંધ કરી શકાય નહીં. આજે પણ તેઓ ઘર વાપસી કરી શકે શકે છે.


ભારતને પિતૃભૂમિ માનનાર તમામ હિંદુ


દીનદયાલ સ્મૃતિ વ્યાખ્યાનમાળામાં હોસબાલેએ ભારપૂર્વક કહ્યું, કે 'ભારત હિંદુ રાષ્ટ્ર છે, કારણ કે આ દેશને બનાવનાર હિંદુ લોકો છે. કેટલાક લોકો કહે છે કે વેદ પુરાણમાં હિંદુ નથી, પરંતુ વેદ પુરાણમાં એવું ક્યાંય પણ નથી કે તેમને સ્વીકારવામાં નહીં આવે. તેમણે આગળ જણાવ્યું, સત્ય અને ઉપયોગી વાતનો સ્વીકાર કરવો જોઈએ. ડો. હેડગેવાર તે વ્યાખ્યામાં ન પડ્યા કે હિંદુ કોણ છે. ભારતની ધરતીને પિતૃભૂમિ માનનાર હિંદુ છે, જેમના પૂર્વજો હિંદુ છે, તે લોકો હિંદુ છે. જે પોતાને હિંદુ માને છે, તે હિંદુ છે, જેમને આપણે હિંદુ કહીએ છીએ, તે હિંદુ છે.'



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.