RTIમાં થયો મોટો ખુલાસો, રાજ્યસભાના સાંસદો પર બે વર્ષમાં 200 કરોડ ખર્ચાયા


  • Published By :
  • Published Date : 2023-05-22 20:10:47

દેશની તિજોરીનો મોટો હિસ્સો દેશના સાંસદો પર ખર્ચવામાં આવી રહ્યો છે. તાજેતરના RTI રિપોર્ટમાં આ વાત સામે આવી છે. RTI અનુસાર, છેલ્લા બે વર્ષમાં રાજ્યસભાના સાંસદોના પગાર, ભથ્થા અને સુવિધાઓ પર લગભગ 200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આટલું જ નહીં લગભગ 63 કરોડ રૂપિયા આ સાંસદોની યાત્રા પાછળ જ ખર્ચવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે રાજ્યસભા સચિવાલયે આ માહિતી મધ્યપ્રદેશના રહેવાસી દ્વારા માહિતી અધિકાર (RTI) કાયદા હેઠળ દાખલ કરવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આપી છે.


2021-22માં 97 કરોડ ખર્ચાયા


RTI પ્રશ્નના તેના જવાબમાં, રાજ્યસભા સચિવાલયે તે પણ માહિતી આપી છે કે કોરોનાવાયરસ મહામારી પછી વર્ષ 2021-22માં રાજ્યસભાના સભ્યો પર સરકારી ખજાનામાંથી રૂ. 97 કરોડથી વધુ ખર્ચ કરવામાં આવ્યા હતા. આ રકમમાં ડોમેસ્ટિક ટ્રાવેલ પર રૂ. 28.5 કરોડ અને ઇન્ટરનેશનલ ટ્રાવેલ પર રૂ. 1.28 કરોડનો સમાવેશ થાય છે. જેમાં 57.6 કરોડ રૂપિયાનો પગાર, 17 લાખ રૂપિયાના મેડિકલ બિલ અને 7.5 કરોડ રૂપિયાના ઓફિસ ખર્ચનો સમાવેશ થાય છે. સાંસદોની IT સેવાઓ પર પણ 1.2 કરોડ રૂપિયા ખર્ચાયા છે.


વર્ષ 2021-23માં 100 કરોડ ખર્ચાયા


મધ્ય પ્રદેશના રહેવાસી ચંદ્રશેખર ગૌરને માહિતી આપી કે વર્ષ 2021-23માં રાજ્ય સભા સંસદો પર કુલ 100 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. આ ખર્ચમાં ડોમેસ્ટિક અને વિદેશી પ્રવાસ પાછળ ખર્ચાયેલા 33 કરોડ રૂપિયાનો પણ સમાવેશ થાય છે.  


વર્ષ 2022-23માં કેટલો ખર્ચ થયો?


રાજ્યસભા સચિવાલયે વધુમાં માહિતી આપી છે કે 2022-23 દરમિયાન સાંસદોના પગાર પર 58.5 કરોડ રૂપિયા, ઘરેલું મુસાફરી પર 30.9 કરોડ રૂપિયા અને વિદેશ પ્રવાસ પર 2.6 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. ઉપરાંત, અન્ય ખર્ચમાં મેડિકલ પર રૂ. 65 લાખ, ઓફિસ ખર્ચ માટે રૂ. 7 કરોડ અને આઇટી સેવાઓ પર રૂ. 1.5 કરોડનો સમાવેશ થાય છે.


આ વર્ષે રાજ્યસભામાં કામકાજ ઘટ્યું 


2021ના રેકોર્ડ મુજબ, રાજ્યસભામાં શિયાળુ સત્રમાં 43 ટકા, ચોમાસુ સત્રમાં 29 ટકા અને બજેટ સત્રમાં 90 ટકા કામકાજ થયું હતું. જ્યારે 2022માં શિયાળુ સત્ર દરમિયાન 94 ટકા, ચોમાસુ સત્ર દરમિયાન 42 ટકા અને બજેટ સત્ર દરમિયાન 90 ટકા કામ થયું હતું. જ્યારે આ વર્ષે અત્યાર સુધીના બજેટ સત્ર દરમિયાન રાજ્યસભાની ઉત્પાદકતા 24 ટકાની નીચી સપાટીએ પહોંચી છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.