RTIમાં થયો મોટો ખુલાસો, રાજ્યસભાના સાંસદો પર બે વર્ષમાં 200 કરોડ ખર્ચાયા


  • Published By :
  • Published Date : 2023-05-22 20:10:47

દેશની તિજોરીનો મોટો હિસ્સો દેશના સાંસદો પર ખર્ચવામાં આવી રહ્યો છે. તાજેતરના RTI રિપોર્ટમાં આ વાત સામે આવી છે. RTI અનુસાર, છેલ્લા બે વર્ષમાં રાજ્યસભાના સાંસદોના પગાર, ભથ્થા અને સુવિધાઓ પર લગભગ 200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આટલું જ નહીં લગભગ 63 કરોડ રૂપિયા આ સાંસદોની યાત્રા પાછળ જ ખર્ચવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે રાજ્યસભા સચિવાલયે આ માહિતી મધ્યપ્રદેશના રહેવાસી દ્વારા માહિતી અધિકાર (RTI) કાયદા હેઠળ દાખલ કરવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આપી છે.


2021-22માં 97 કરોડ ખર્ચાયા


RTI પ્રશ્નના તેના જવાબમાં, રાજ્યસભા સચિવાલયે તે પણ માહિતી આપી છે કે કોરોનાવાયરસ મહામારી પછી વર્ષ 2021-22માં રાજ્યસભાના સભ્યો પર સરકારી ખજાનામાંથી રૂ. 97 કરોડથી વધુ ખર્ચ કરવામાં આવ્યા હતા. આ રકમમાં ડોમેસ્ટિક ટ્રાવેલ પર રૂ. 28.5 કરોડ અને ઇન્ટરનેશનલ ટ્રાવેલ પર રૂ. 1.28 કરોડનો સમાવેશ થાય છે. જેમાં 57.6 કરોડ રૂપિયાનો પગાર, 17 લાખ રૂપિયાના મેડિકલ બિલ અને 7.5 કરોડ રૂપિયાના ઓફિસ ખર્ચનો સમાવેશ થાય છે. સાંસદોની IT સેવાઓ પર પણ 1.2 કરોડ રૂપિયા ખર્ચાયા છે.


વર્ષ 2021-23માં 100 કરોડ ખર્ચાયા


મધ્ય પ્રદેશના રહેવાસી ચંદ્રશેખર ગૌરને માહિતી આપી કે વર્ષ 2021-23માં રાજ્ય સભા સંસદો પર કુલ 100 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. આ ખર્ચમાં ડોમેસ્ટિક અને વિદેશી પ્રવાસ પાછળ ખર્ચાયેલા 33 કરોડ રૂપિયાનો પણ સમાવેશ થાય છે.  


વર્ષ 2022-23માં કેટલો ખર્ચ થયો?


રાજ્યસભા સચિવાલયે વધુમાં માહિતી આપી છે કે 2022-23 દરમિયાન સાંસદોના પગાર પર 58.5 કરોડ રૂપિયા, ઘરેલું મુસાફરી પર 30.9 કરોડ રૂપિયા અને વિદેશ પ્રવાસ પર 2.6 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. ઉપરાંત, અન્ય ખર્ચમાં મેડિકલ પર રૂ. 65 લાખ, ઓફિસ ખર્ચ માટે રૂ. 7 કરોડ અને આઇટી સેવાઓ પર રૂ. 1.5 કરોડનો સમાવેશ થાય છે.


આ વર્ષે રાજ્યસભામાં કામકાજ ઘટ્યું 


2021ના રેકોર્ડ મુજબ, રાજ્યસભામાં શિયાળુ સત્રમાં 43 ટકા, ચોમાસુ સત્રમાં 29 ટકા અને બજેટ સત્રમાં 90 ટકા કામકાજ થયું હતું. જ્યારે 2022માં શિયાળુ સત્ર દરમિયાન 94 ટકા, ચોમાસુ સત્ર દરમિયાન 42 ટકા અને બજેટ સત્ર દરમિયાન 90 ટકા કામ થયું હતું. જ્યારે આ વર્ષે અત્યાર સુધીના બજેટ સત્ર દરમિયાન રાજ્યસભાની ઉત્પાદકતા 24 ટકાની નીચી સપાટીએ પહોંચી છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.