RTIમાં થયો મોટો ખુલાસો, રાજ્યસભાના સાંસદો પર બે વર્ષમાં 200 કરોડ ખર્ચાયા


  • Published By :
  • Published Date : 2023-05-22 20:10:47

દેશની તિજોરીનો મોટો હિસ્સો દેશના સાંસદો પર ખર્ચવામાં આવી રહ્યો છે. તાજેતરના RTI રિપોર્ટમાં આ વાત સામે આવી છે. RTI અનુસાર, છેલ્લા બે વર્ષમાં રાજ્યસભાના સાંસદોના પગાર, ભથ્થા અને સુવિધાઓ પર લગભગ 200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આટલું જ નહીં લગભગ 63 કરોડ રૂપિયા આ સાંસદોની યાત્રા પાછળ જ ખર્ચવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે રાજ્યસભા સચિવાલયે આ માહિતી મધ્યપ્રદેશના રહેવાસી દ્વારા માહિતી અધિકાર (RTI) કાયદા હેઠળ દાખલ કરવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આપી છે.


2021-22માં 97 કરોડ ખર્ચાયા


RTI પ્રશ્નના તેના જવાબમાં, રાજ્યસભા સચિવાલયે તે પણ માહિતી આપી છે કે કોરોનાવાયરસ મહામારી પછી વર્ષ 2021-22માં રાજ્યસભાના સભ્યો પર સરકારી ખજાનામાંથી રૂ. 97 કરોડથી વધુ ખર્ચ કરવામાં આવ્યા હતા. આ રકમમાં ડોમેસ્ટિક ટ્રાવેલ પર રૂ. 28.5 કરોડ અને ઇન્ટરનેશનલ ટ્રાવેલ પર રૂ. 1.28 કરોડનો સમાવેશ થાય છે. જેમાં 57.6 કરોડ રૂપિયાનો પગાર, 17 લાખ રૂપિયાના મેડિકલ બિલ અને 7.5 કરોડ રૂપિયાના ઓફિસ ખર્ચનો સમાવેશ થાય છે. સાંસદોની IT સેવાઓ પર પણ 1.2 કરોડ રૂપિયા ખર્ચાયા છે.


વર્ષ 2021-23માં 100 કરોડ ખર્ચાયા


મધ્ય પ્રદેશના રહેવાસી ચંદ્રશેખર ગૌરને માહિતી આપી કે વર્ષ 2021-23માં રાજ્ય સભા સંસદો પર કુલ 100 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. આ ખર્ચમાં ડોમેસ્ટિક અને વિદેશી પ્રવાસ પાછળ ખર્ચાયેલા 33 કરોડ રૂપિયાનો પણ સમાવેશ થાય છે.  


વર્ષ 2022-23માં કેટલો ખર્ચ થયો?


રાજ્યસભા સચિવાલયે વધુમાં માહિતી આપી છે કે 2022-23 દરમિયાન સાંસદોના પગાર પર 58.5 કરોડ રૂપિયા, ઘરેલું મુસાફરી પર 30.9 કરોડ રૂપિયા અને વિદેશ પ્રવાસ પર 2.6 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. ઉપરાંત, અન્ય ખર્ચમાં મેડિકલ પર રૂ. 65 લાખ, ઓફિસ ખર્ચ માટે રૂ. 7 કરોડ અને આઇટી સેવાઓ પર રૂ. 1.5 કરોડનો સમાવેશ થાય છે.


આ વર્ષે રાજ્યસભામાં કામકાજ ઘટ્યું 


2021ના રેકોર્ડ મુજબ, રાજ્યસભામાં શિયાળુ સત્રમાં 43 ટકા, ચોમાસુ સત્રમાં 29 ટકા અને બજેટ સત્રમાં 90 ટકા કામકાજ થયું હતું. જ્યારે 2022માં શિયાળુ સત્ર દરમિયાન 94 ટકા, ચોમાસુ સત્ર દરમિયાન 42 ટકા અને બજેટ સત્ર દરમિયાન 90 ટકા કામ થયું હતું. જ્યારે આ વર્ષે અત્યાર સુધીના બજેટ સત્ર દરમિયાન રાજ્યસભાની ઉત્પાદકતા 24 ટકાની નીચી સપાટીએ પહોંચી છે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.