RTIમાં થયો મોટો ખુલાસો, રાજ્યસભાના સાંસદો પર બે વર્ષમાં 200 કરોડ ખર્ચાયા


  • Published By :
  • Published Date : 2023-05-22 20:10:47

દેશની તિજોરીનો મોટો હિસ્સો દેશના સાંસદો પર ખર્ચવામાં આવી રહ્યો છે. તાજેતરના RTI રિપોર્ટમાં આ વાત સામે આવી છે. RTI અનુસાર, છેલ્લા બે વર્ષમાં રાજ્યસભાના સાંસદોના પગાર, ભથ્થા અને સુવિધાઓ પર લગભગ 200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આટલું જ નહીં લગભગ 63 કરોડ રૂપિયા આ સાંસદોની યાત્રા પાછળ જ ખર્ચવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે રાજ્યસભા સચિવાલયે આ માહિતી મધ્યપ્રદેશના રહેવાસી દ્વારા માહિતી અધિકાર (RTI) કાયદા હેઠળ દાખલ કરવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આપી છે.


2021-22માં 97 કરોડ ખર્ચાયા


RTI પ્રશ્નના તેના જવાબમાં, રાજ્યસભા સચિવાલયે તે પણ માહિતી આપી છે કે કોરોનાવાયરસ મહામારી પછી વર્ષ 2021-22માં રાજ્યસભાના સભ્યો પર સરકારી ખજાનામાંથી રૂ. 97 કરોડથી વધુ ખર્ચ કરવામાં આવ્યા હતા. આ રકમમાં ડોમેસ્ટિક ટ્રાવેલ પર રૂ. 28.5 કરોડ અને ઇન્ટરનેશનલ ટ્રાવેલ પર રૂ. 1.28 કરોડનો સમાવેશ થાય છે. જેમાં 57.6 કરોડ રૂપિયાનો પગાર, 17 લાખ રૂપિયાના મેડિકલ બિલ અને 7.5 કરોડ રૂપિયાના ઓફિસ ખર્ચનો સમાવેશ થાય છે. સાંસદોની IT સેવાઓ પર પણ 1.2 કરોડ રૂપિયા ખર્ચાયા છે.


વર્ષ 2021-23માં 100 કરોડ ખર્ચાયા


મધ્ય પ્રદેશના રહેવાસી ચંદ્રશેખર ગૌરને માહિતી આપી કે વર્ષ 2021-23માં રાજ્ય સભા સંસદો પર કુલ 100 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. આ ખર્ચમાં ડોમેસ્ટિક અને વિદેશી પ્રવાસ પાછળ ખર્ચાયેલા 33 કરોડ રૂપિયાનો પણ સમાવેશ થાય છે.  


વર્ષ 2022-23માં કેટલો ખર્ચ થયો?


રાજ્યસભા સચિવાલયે વધુમાં માહિતી આપી છે કે 2022-23 દરમિયાન સાંસદોના પગાર પર 58.5 કરોડ રૂપિયા, ઘરેલું મુસાફરી પર 30.9 કરોડ રૂપિયા અને વિદેશ પ્રવાસ પર 2.6 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. ઉપરાંત, અન્ય ખર્ચમાં મેડિકલ પર રૂ. 65 લાખ, ઓફિસ ખર્ચ માટે રૂ. 7 કરોડ અને આઇટી સેવાઓ પર રૂ. 1.5 કરોડનો સમાવેશ થાય છે.


આ વર્ષે રાજ્યસભામાં કામકાજ ઘટ્યું 


2021ના રેકોર્ડ મુજબ, રાજ્યસભામાં શિયાળુ સત્રમાં 43 ટકા, ચોમાસુ સત્રમાં 29 ટકા અને બજેટ સત્રમાં 90 ટકા કામકાજ થયું હતું. જ્યારે 2022માં શિયાળુ સત્ર દરમિયાન 94 ટકા, ચોમાસુ સત્ર દરમિયાન 42 ટકા અને બજેટ સત્ર દરમિયાન 90 ટકા કામ થયું હતું. જ્યારે આ વર્ષે અત્યાર સુધીના બજેટ સત્ર દરમિયાન રાજ્યસભાની ઉત્પાદકતા 24 ટકાની નીચી સપાટીએ પહોંચી છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.