Rudraprayag Accident : મુસાફરોને લઈ જઈ રહેલી ટેમ્પો ટ્રાવેલર નદીમાં ખાબકી, દુર્ઘટનામાં અનેક લોકોએ ગુમાવ્યો પોતાનો જીવ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-06-15 16:20:21

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે.. બદ્રીનાથ હાઈવે પર યાત્રિઓને લઈ જઈ રહેલા ટેંપો ટ્રાવેલર્સ નદીમાં ખાબકી ગઈ છે અને આ મોટી દુર્ઘટનામાં અંદાજીત 9થી 12 લોકોના મૃત્યુ થયા છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે, લોકોને શોધવામાં આવી રહ્યા છે. ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે.  આ ઘટનામાં મોતનો આંકડો વધી પણ શકે છે..

લોકોને શોધવાની થઈ રહી છે કામગીરી

ગાડી પરથી કાબુ ગુમાવવાને કારણે અનેક અકસ્માતો સર્જાતા હોય છે.. અકસ્માત થવાને કારણે અનેક લોકોના મોત પણ થતાં હોય છે. ત્યારે ગંભીર અકસ્માત ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં સર્જાયો છે. અલકનંદા નદીમાં ટેમ્પો ટ્રાવેલર્સ પડી ગઈ છે જેમાં 9થી 12 જેટલા લોકોના મોત થયા છે તેવી માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ વાહન દિલ્હીના યાત્રીકોને લઈને જઈ રહી હતી. આ વાહનમાં 23 જેટલા લોકો મુસાફરી કરી રહ્યા હતા તેવી માહિતી સામે આવી છે. લોકોને શોધવાની કામગીરી ચાલી રહી છે.. ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે.

અમિત શાહ, પુષ્કર ધામીએ શોક વ્યક્ત કર્યો

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો બચાવ માટે આવી ગયા હતાં. પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે, સ્થાનિક પ્રશાસનની ટીમ પણ ત્યાં પહોંચી છે. આ ઘટનાને પગલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી દ્વારા પણ દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યું છે. એવી માહિતી પણ સામે આવી છે કે આ મામલે તપાસના આદેશ આપી દેવાયા છે. તે સિવાય આ ઘટનાને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પણ શોક વ્યક્ત કરવમાં આવ્યો છે.  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.