Rudraprayag Accident : મુસાફરોને લઈ જઈ રહેલી ટેમ્પો ટ્રાવેલર નદીમાં ખાબકી, દુર્ઘટનામાં અનેક લોકોએ ગુમાવ્યો પોતાનો જીવ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-06-15 16:20:21

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે.. બદ્રીનાથ હાઈવે પર યાત્રિઓને લઈ જઈ રહેલા ટેંપો ટ્રાવેલર્સ નદીમાં ખાબકી ગઈ છે અને આ મોટી દુર્ઘટનામાં અંદાજીત 9થી 12 લોકોના મૃત્યુ થયા છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે, લોકોને શોધવામાં આવી રહ્યા છે. ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે.  આ ઘટનામાં મોતનો આંકડો વધી પણ શકે છે..

લોકોને શોધવાની થઈ રહી છે કામગીરી

ગાડી પરથી કાબુ ગુમાવવાને કારણે અનેક અકસ્માતો સર્જાતા હોય છે.. અકસ્માત થવાને કારણે અનેક લોકોના મોત પણ થતાં હોય છે. ત્યારે ગંભીર અકસ્માત ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં સર્જાયો છે. અલકનંદા નદીમાં ટેમ્પો ટ્રાવેલર્સ પડી ગઈ છે જેમાં 9થી 12 જેટલા લોકોના મોત થયા છે તેવી માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ વાહન દિલ્હીના યાત્રીકોને લઈને જઈ રહી હતી. આ વાહનમાં 23 જેટલા લોકો મુસાફરી કરી રહ્યા હતા તેવી માહિતી સામે આવી છે. લોકોને શોધવાની કામગીરી ચાલી રહી છે.. ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે.

અમિત શાહ, પુષ્કર ધામીએ શોક વ્યક્ત કર્યો

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો બચાવ માટે આવી ગયા હતાં. પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે, સ્થાનિક પ્રશાસનની ટીમ પણ ત્યાં પહોંચી છે. આ ઘટનાને પગલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી દ્વારા પણ દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યું છે. એવી માહિતી પણ સામે આવી છે કે આ મામલે તપાસના આદેશ આપી દેવાયા છે. તે સિવાય આ ઘટનાને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પણ શોક વ્યક્ત કરવમાં આવ્યો છે.  



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .