Rudraprayag Accident : મુસાફરોને લઈ જઈ રહેલી ટેમ્પો ટ્રાવેલર નદીમાં ખાબકી, દુર્ઘટનામાં અનેક લોકોએ ગુમાવ્યો પોતાનો જીવ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-06-15 16:20:21

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે.. બદ્રીનાથ હાઈવે પર યાત્રિઓને લઈ જઈ રહેલા ટેંપો ટ્રાવેલર્સ નદીમાં ખાબકી ગઈ છે અને આ મોટી દુર્ઘટનામાં અંદાજીત 9થી 12 લોકોના મૃત્યુ થયા છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે, લોકોને શોધવામાં આવી રહ્યા છે. ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે.  આ ઘટનામાં મોતનો આંકડો વધી પણ શકે છે..

લોકોને શોધવાની થઈ રહી છે કામગીરી

ગાડી પરથી કાબુ ગુમાવવાને કારણે અનેક અકસ્માતો સર્જાતા હોય છે.. અકસ્માત થવાને કારણે અનેક લોકોના મોત પણ થતાં હોય છે. ત્યારે ગંભીર અકસ્માત ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં સર્જાયો છે. અલકનંદા નદીમાં ટેમ્પો ટ્રાવેલર્સ પડી ગઈ છે જેમાં 9થી 12 જેટલા લોકોના મોત થયા છે તેવી માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ વાહન દિલ્હીના યાત્રીકોને લઈને જઈ રહી હતી. આ વાહનમાં 23 જેટલા લોકો મુસાફરી કરી રહ્યા હતા તેવી માહિતી સામે આવી છે. લોકોને શોધવાની કામગીરી ચાલી રહી છે.. ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે.

અમિત શાહ, પુષ્કર ધામીએ શોક વ્યક્ત કર્યો

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો બચાવ માટે આવી ગયા હતાં. પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે, સ્થાનિક પ્રશાસનની ટીમ પણ ત્યાં પહોંચી છે. આ ઘટનાને પગલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી દ્વારા પણ દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યું છે. એવી માહિતી પણ સામે આવી છે કે આ મામલે તપાસના આદેશ આપી દેવાયા છે. તે સિવાય આ ઘટનાને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પણ શોક વ્યક્ત કરવમાં આવ્યો છે.  



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.