નવ વર્ષ પછી રૂપિયાની સૌથી મજબૂત શરૂઆત, જાણો ભારતીય ચલણના 'અચ્છે દિન'નું કારણ


  • Published By :
  • Published Date : 2022-11-11 11:44:30

શુક્રવારે ભારતીય રૂપિયામાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. રૂપિયાએ પાછલા સત્રોમાં થયેલા નુકસાનને વસૂલ્યું છે. એવું માનવામાં આવે છે કે યુએસમાં મોંઘવારીને લઇ આંકડાઓ નીચા હોવાને કારણે ડોલરમાં ઘટાડો થયો છે અને તેનાથી રૂપિયો મજબૂત થયો છે. શુક્રવારે સવારના સત્રમાં ભારતીય રૂપિયો 80.75 રૂપિયા પ્રતિ ડૉલર પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.


2013 પછી રૂપિયો સૌથી મજબૂતી સાથે ખુલ્યો છે

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે રૂપિયો 80.6888ના સ્તરે ખૂલ્યો હતો, જ્યારે પાછલા સત્રમાં તે 81.8112 પોઈન્ટ પર બંધ થયો હતો. શુક્રવારે ડોલર સામે રૂપિયો 10 પૈસાની મજબૂતી સાથે ખુલ્યો હતો. રૂપિયામાં છેલ્લા નવ વર્ષમાં આ સૌથી મોટી ઓપનિંગ છે. સપ્ટેમ્બર 2013 થી, શુક્રવાર (11 નવેમ્બર)ના રોજ રૂપિયો સૌથી વધુ ઉછાળા સાથે ખુલ્યો છે અને સાત સપ્તાહની ટોચે ટ્રેડ થઈ રહ્યો છે.

In early trade, rupee falls 34 paise to 73.82 against dollar - Lagatar  English

ડૉલર ઇન્ડેક્સ સામે રૂપિયાનું નજીકનું સપોર્ટ લેવલ રૂપિયા 80.50 છે.

શરૂઆતના સત્રમાં, રૂપિયો રૂ. 80.6788 થી રૂ. 80.7525ની રેન્જમાં ટ્રેડ થયો હતો અને સતત રૂ. 81 પ્રતિ ડોલરની નીચે રહ્યો હતો. બજારના જાણકારોના મતે યુએસ ડૉલર 81.91 સુધી વધ્યા બાદ રૂપિયો વધવાનો રસ્તો સાફ કરી દીધો છે. ડૉલર ઇન્ડેક્સ સામે રૂપિયાનું નજીકનું સપોર્ટ લેવલ 80.50 છે જ્યારે મનોવૈજ્ઞાનિક સ્તર 80 છે. એવું માનવામાં આવે છે કે શુક્રવારે, રૂપિયો આખો દિવસ 80.25 થી 81 ના સ્તરની વચ્ચે વેપાર ચાલુ રાખશે.


અમેરિકામાં મોંઘવારીમાં ઘટાડાને કારણે વૈશ્વિક બજારમાં મજબૂતી જોવા મળી હતી

અમેરિકામાં ઓક્ટોબર મહિનાના મોંઘવારીના આંકડા બજારના અંદાજ કરતા ઓછા રહ્યા છે, જેના કારણે વૈશ્વિક શેરબજારમાં સારી મજબૂતી જોવા મળી રહી છે. ડૉલર ઇન્ડેક્સ પર ભારે દબાણ છે અને તે 108ના સ્તરની નીચે આવી ગયો છે. આનું પરિણામ એ આવ્યું છે કે આજે રૂપિયો ડોલર સામે 110 પૈસાના ઉછાળા સાથે ખુલ્યો છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .