નવ વર્ષ પછી રૂપિયાની સૌથી મજબૂત શરૂઆત, જાણો ભારતીય ચલણના 'અચ્છે દિન'નું કારણ


  • Published By :
  • Published Date : 2022-11-11 11:44:30

શુક્રવારે ભારતીય રૂપિયામાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. રૂપિયાએ પાછલા સત્રોમાં થયેલા નુકસાનને વસૂલ્યું છે. એવું માનવામાં આવે છે કે યુએસમાં મોંઘવારીને લઇ આંકડાઓ નીચા હોવાને કારણે ડોલરમાં ઘટાડો થયો છે અને તેનાથી રૂપિયો મજબૂત થયો છે. શુક્રવારે સવારના સત્રમાં ભારતીય રૂપિયો 80.75 રૂપિયા પ્રતિ ડૉલર પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.


2013 પછી રૂપિયો સૌથી મજબૂતી સાથે ખુલ્યો છે

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે રૂપિયો 80.6888ના સ્તરે ખૂલ્યો હતો, જ્યારે પાછલા સત્રમાં તે 81.8112 પોઈન્ટ પર બંધ થયો હતો. શુક્રવારે ડોલર સામે રૂપિયો 10 પૈસાની મજબૂતી સાથે ખુલ્યો હતો. રૂપિયામાં છેલ્લા નવ વર્ષમાં આ સૌથી મોટી ઓપનિંગ છે. સપ્ટેમ્બર 2013 થી, શુક્રવાર (11 નવેમ્બર)ના રોજ રૂપિયો સૌથી વધુ ઉછાળા સાથે ખુલ્યો છે અને સાત સપ્તાહની ટોચે ટ્રેડ થઈ રહ્યો છે.

In early trade, rupee falls 34 paise to 73.82 against dollar - Lagatar  English

ડૉલર ઇન્ડેક્સ સામે રૂપિયાનું નજીકનું સપોર્ટ લેવલ રૂપિયા 80.50 છે.

શરૂઆતના સત્રમાં, રૂપિયો રૂ. 80.6788 થી રૂ. 80.7525ની રેન્જમાં ટ્રેડ થયો હતો અને સતત રૂ. 81 પ્રતિ ડોલરની નીચે રહ્યો હતો. બજારના જાણકારોના મતે યુએસ ડૉલર 81.91 સુધી વધ્યા બાદ રૂપિયો વધવાનો રસ્તો સાફ કરી દીધો છે. ડૉલર ઇન્ડેક્સ સામે રૂપિયાનું નજીકનું સપોર્ટ લેવલ 80.50 છે જ્યારે મનોવૈજ્ઞાનિક સ્તર 80 છે. એવું માનવામાં આવે છે કે શુક્રવારે, રૂપિયો આખો દિવસ 80.25 થી 81 ના સ્તરની વચ્ચે વેપાર ચાલુ રાખશે.


અમેરિકામાં મોંઘવારીમાં ઘટાડાને કારણે વૈશ્વિક બજારમાં મજબૂતી જોવા મળી હતી

અમેરિકામાં ઓક્ટોબર મહિનાના મોંઘવારીના આંકડા બજારના અંદાજ કરતા ઓછા રહ્યા છે, જેના કારણે વૈશ્વિક શેરબજારમાં સારી મજબૂતી જોવા મળી રહી છે. ડૉલર ઇન્ડેક્સ પર ભારે દબાણ છે અને તે 108ના સ્તરની નીચે આવી ગયો છે. આનું પરિણામ એ આવ્યું છે કે આજે રૂપિયો ડોલર સામે 110 પૈસાના ઉછાળા સાથે ખુલ્યો છે.



આપણા દ્વારા કરવામાં આવેલા નાના કામોનું મહત્વ બીજાના જીવનમાં શું ફરક લાવી શકે છે તે આપણે જાણીએ છીએ.કોઈના આંસુને લૂછતા માત્ર થોડી મિનીટો જ લાગે છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ક્ષણને સમર્પિત રચના...

ભગવાન નારાયણે અનેક અવતારો લીધા છે ત્યારે આજે વાત કરવી છે ભગવાનના નૃસિંહ અવતારની. કારણ કે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિને નૃસિંહ જયંતી તરીકે મનાવવમાાં આવે છે.. નૃસિંહ ભગવાનનું અડધું શરીર નરનું હતું અને અડધું શરીર સિંહનું હતું.

ભાવનગરમાં કોંગ્રેસના નેતાઓનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં નેતાઓ, શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ હાજર હતા. જેનીબેન ઠુમ્મર દ્વારા પરષોત્તમ રૂપાલાને લઈ નિવેદન આપ્યું છે... તે સિવાય શક્તિસિંહ ગોહિલે જેનીબેન ઠુમ્મર અને ગેનીબેન ઠાકોરના વખાણ કર્યા હતા.

રેન્દ્રનગરના જોરાવરનગરમાં અંધશ્રદ્ધાએ એક 3 માસની બાળકીનો જીવ લીધો જોરાવરનગર ખાતે રહેતા પરિવારની ભગવતી નામની 3 માસની બાળકી બીમાર રહતી એને શરદી તાવ આવતો પરિવારજનો તેને ભૂવા પાસે લઈ ગયા જ્યાં ભૂવાએ અગરબત્તીથી બાળકીથી જામ આપ્યા. તબિયત બગડી અને બાળકીનું નિપજ્યું મોત.