રૂપર્ટ મર્ડોક 92 વર્ષે પાંચમી વખત ઘોડે ચડશે, 66 વર્ષીય લેસ્લી સ્મિથ સાથે કરશે લગ્ન


  • Published By :
  • Published Date : 2023-03-21 15:46:09

ઓસ્ટ્રેલિયન-અમેરિકન મીડિયા ટાયકૂન રૂપર્ટ મર્ડોક  92 વર્ષે પાંચમી વખત ઘોડે ચડવા જઈ રહ્યા છે. અબજોપતિ ઉદ્યોગપતિએ 66 વર્ષીય પૂર્વ પોલીસ વુમન લેસ્લી સ્મિથ સાથે તેની સગાઈની ઘોષણા કરી છે. રૂપર્ટ મર્ડોક અને લેસ્લી સ્મિથ ગત સપ્ટેમ્બરમાં કેલિફોર્નિયામાં તેમના પ્લાન્ટેશન ખાતે એક કાર્યક્રમમાં મળ્યા હતા. મર્ડોકે કહ્યું કે તેમણે 'સેન્ટ પેટ્રિક ડે' પર સ્મિથને 'પ્રપોઝ' કર્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે તે ગયા વર્ષે ચોથી પત્ની જેરી હોલથી અલગ થઈ ગયા હતા, તેઓ ઉનાળામાં લગ્ન કરશે. 


મર્ડોક અને લેસ્લી સહજીવન માટે આતુર


મર્ડોક અને લેસ્લી સ્મિથે તેમના એક અખબાર 'ન્યૂયોર્ક પોસ્ટ'ને આપેલા ઈન્ટર્વ્યુમાં કહ્યું કે, 'હું હવે પ્રેમથી ડરતો હતો, પરંતુ મને ખબર છે કે, તે મારો છેલ્લો પ્રેમ હશે. એ વધુ સારું રહેશે. હું ખુબ જ ખુશ છું.' જ્યારે સ્મિથે કહ્યું કે 'આ અમારા બંને માટે ભગવાનની ભેટ છે. અમે ગયા સપ્ટેમ્બરમાં મળ્યા હતા, હું 14 વર્ષથી વિધવા છું. રુપર્ટની જેમ મારા પતિ પણ બિઝનેસમેન હતા. તેથી જ હું રુપર્ટની ભાષા બોલું છું. અમે સમાન માન્યતાઓ ધરાવીએ છીએ તેથી એકબીજા સાતે શેર કરીએ છીએ". અગાઉના ત્રણ લગ્નોથી છ બાળકો ધરાવતા મર્ડોકે કહ્યું કે, 'અમે બંને અમારા જીવનનો બીજો ભાગ સાથે વિતાવવા માટે ઉત્સુક છીએ.'  સ્મિથના સ્વર્ગસ્થ પતિ ચેસ્ટર સ્મિથ દેશના ગાયક અને રેડિયો અને ટીવી એક્ઝિક્યુટિવ હતા. 


કોણ છે રૂપર્ટ મર્ડોક?


રૂપર્ટ મર્ડોક ન્યૂઝ કોર્પોરેશનના એક્ઝિક્યૂટિવ ચેરમેન છે, ઓસ્ટ્રેલિયામાં જન્મેલા મર્ડોક હવે અમેરિકન નાગરિક છે. રૂપર્ટ મર્ડોકના બિઝનેસ સામ્રાજ્યમાં અમેરિકામાં ફોક્સ ન્યૂઝ અને બ્રિટનમાં ટેબ્લોઇડ ધ સનનો સમાવેશ થાય છે. મીડિયા રીપોર્ટ મુજબ, ઓસ્ટ્રેલિયન-અમેરિકન ઉદ્યોગપતિ અને મીડિયા મુઘલ રૂપર્ટ મર્ડોકે પોતાનાથી 25 વર્ષ નાની મોડેલ જેરી હોલ સાથે ગયા 7 વર્ષના લગ્નજીવન બાદ ગયા વર્ષે જૂનમાં છૂટાછેડા લીધા હતા. 



અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.

વેનેઝુએલામાં માત્ર 39 સેકન્ડમાં 7.2 અને 7.5ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા. ઓછામાં ઓછા 32નાં મોત, 700થી વધુ ઘાયલ અને કરાકાસમાં ભારે તબાહી. વાંચો સંપૂર્ણ માહિતી.

પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.