રૂપર્ટ મર્ડોક 92 વર્ષે પાંચમી વખત ઘોડે ચડશે, 66 વર્ષીય લેસ્લી સ્મિથ સાથે કરશે લગ્ન


  • Published By :
  • Published Date : 2023-03-21 15:46:09

ઓસ્ટ્રેલિયન-અમેરિકન મીડિયા ટાયકૂન રૂપર્ટ મર્ડોક  92 વર્ષે પાંચમી વખત ઘોડે ચડવા જઈ રહ્યા છે. અબજોપતિ ઉદ્યોગપતિએ 66 વર્ષીય પૂર્વ પોલીસ વુમન લેસ્લી સ્મિથ સાથે તેની સગાઈની ઘોષણા કરી છે. રૂપર્ટ મર્ડોક અને લેસ્લી સ્મિથ ગત સપ્ટેમ્બરમાં કેલિફોર્નિયામાં તેમના પ્લાન્ટેશન ખાતે એક કાર્યક્રમમાં મળ્યા હતા. મર્ડોકે કહ્યું કે તેમણે 'સેન્ટ પેટ્રિક ડે' પર સ્મિથને 'પ્રપોઝ' કર્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે તે ગયા વર્ષે ચોથી પત્ની જેરી હોલથી અલગ થઈ ગયા હતા, તેઓ ઉનાળામાં લગ્ન કરશે. 


મર્ડોક અને લેસ્લી સહજીવન માટે આતુર


મર્ડોક અને લેસ્લી સ્મિથે તેમના એક અખબાર 'ન્યૂયોર્ક પોસ્ટ'ને આપેલા ઈન્ટર્વ્યુમાં કહ્યું કે, 'હું હવે પ્રેમથી ડરતો હતો, પરંતુ મને ખબર છે કે, તે મારો છેલ્લો પ્રેમ હશે. એ વધુ સારું રહેશે. હું ખુબ જ ખુશ છું.' જ્યારે સ્મિથે કહ્યું કે 'આ અમારા બંને માટે ભગવાનની ભેટ છે. અમે ગયા સપ્ટેમ્બરમાં મળ્યા હતા, હું 14 વર્ષથી વિધવા છું. રુપર્ટની જેમ મારા પતિ પણ બિઝનેસમેન હતા. તેથી જ હું રુપર્ટની ભાષા બોલું છું. અમે સમાન માન્યતાઓ ધરાવીએ છીએ તેથી એકબીજા સાતે શેર કરીએ છીએ". અગાઉના ત્રણ લગ્નોથી છ બાળકો ધરાવતા મર્ડોકે કહ્યું કે, 'અમે બંને અમારા જીવનનો બીજો ભાગ સાથે વિતાવવા માટે ઉત્સુક છીએ.'  સ્મિથના સ્વર્ગસ્થ પતિ ચેસ્ટર સ્મિથ દેશના ગાયક અને રેડિયો અને ટીવી એક્ઝિક્યુટિવ હતા. 


કોણ છે રૂપર્ટ મર્ડોક?


રૂપર્ટ મર્ડોક ન્યૂઝ કોર્પોરેશનના એક્ઝિક્યૂટિવ ચેરમેન છે, ઓસ્ટ્રેલિયામાં જન્મેલા મર્ડોક હવે અમેરિકન નાગરિક છે. રૂપર્ટ મર્ડોકના બિઝનેસ સામ્રાજ્યમાં અમેરિકામાં ફોક્સ ન્યૂઝ અને બ્રિટનમાં ટેબ્લોઇડ ધ સનનો સમાવેશ થાય છે. મીડિયા રીપોર્ટ મુજબ, ઓસ્ટ્રેલિયન-અમેરિકન ઉદ્યોગપતિ અને મીડિયા મુઘલ રૂપર્ટ મર્ડોકે પોતાનાથી 25 વર્ષ નાની મોડેલ જેરી હોલ સાથે ગયા 7 વર્ષના લગ્નજીવન બાદ ગયા વર્ષે જૂનમાં છૂટાછેડા લીધા હતા. 



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?