રૂપર્ટ મર્ડોક 92 વર્ષે પાંચમી વખત ઘોડે ચડશે, 66 વર્ષીય લેસ્લી સ્મિથ સાથે કરશે લગ્ન


  • Published By :
  • Published Date : 2023-03-21 15:46:09

ઓસ્ટ્રેલિયન-અમેરિકન મીડિયા ટાયકૂન રૂપર્ટ મર્ડોક  92 વર્ષે પાંચમી વખત ઘોડે ચડવા જઈ રહ્યા છે. અબજોપતિ ઉદ્યોગપતિએ 66 વર્ષીય પૂર્વ પોલીસ વુમન લેસ્લી સ્મિથ સાથે તેની સગાઈની ઘોષણા કરી છે. રૂપર્ટ મર્ડોક અને લેસ્લી સ્મિથ ગત સપ્ટેમ્બરમાં કેલિફોર્નિયામાં તેમના પ્લાન્ટેશન ખાતે એક કાર્યક્રમમાં મળ્યા હતા. મર્ડોકે કહ્યું કે તેમણે 'સેન્ટ પેટ્રિક ડે' પર સ્મિથને 'પ્રપોઝ' કર્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે તે ગયા વર્ષે ચોથી પત્ની જેરી હોલથી અલગ થઈ ગયા હતા, તેઓ ઉનાળામાં લગ્ન કરશે. 


મર્ડોક અને લેસ્લી સહજીવન માટે આતુર


મર્ડોક અને લેસ્લી સ્મિથે તેમના એક અખબાર 'ન્યૂયોર્ક પોસ્ટ'ને આપેલા ઈન્ટર્વ્યુમાં કહ્યું કે, 'હું હવે પ્રેમથી ડરતો હતો, પરંતુ મને ખબર છે કે, તે મારો છેલ્લો પ્રેમ હશે. એ વધુ સારું રહેશે. હું ખુબ જ ખુશ છું.' જ્યારે સ્મિથે કહ્યું કે 'આ અમારા બંને માટે ભગવાનની ભેટ છે. અમે ગયા સપ્ટેમ્બરમાં મળ્યા હતા, હું 14 વર્ષથી વિધવા છું. રુપર્ટની જેમ મારા પતિ પણ બિઝનેસમેન હતા. તેથી જ હું રુપર્ટની ભાષા બોલું છું. અમે સમાન માન્યતાઓ ધરાવીએ છીએ તેથી એકબીજા સાતે શેર કરીએ છીએ". અગાઉના ત્રણ લગ્નોથી છ બાળકો ધરાવતા મર્ડોકે કહ્યું કે, 'અમે બંને અમારા જીવનનો બીજો ભાગ સાથે વિતાવવા માટે ઉત્સુક છીએ.'  સ્મિથના સ્વર્ગસ્થ પતિ ચેસ્ટર સ્મિથ દેશના ગાયક અને રેડિયો અને ટીવી એક્ઝિક્યુટિવ હતા. 


કોણ છે રૂપર્ટ મર્ડોક?


રૂપર્ટ મર્ડોક ન્યૂઝ કોર્પોરેશનના એક્ઝિક્યૂટિવ ચેરમેન છે, ઓસ્ટ્રેલિયામાં જન્મેલા મર્ડોક હવે અમેરિકન નાગરિક છે. રૂપર્ટ મર્ડોકના બિઝનેસ સામ્રાજ્યમાં અમેરિકામાં ફોક્સ ન્યૂઝ અને બ્રિટનમાં ટેબ્લોઇડ ધ સનનો સમાવેશ થાય છે. મીડિયા રીપોર્ટ મુજબ, ઓસ્ટ્રેલિયન-અમેરિકન ઉદ્યોગપતિ અને મીડિયા મુઘલ રૂપર્ટ મર્ડોકે પોતાનાથી 25 વર્ષ નાની મોડેલ જેરી હોલ સાથે ગયા 7 વર્ષના લગ્નજીવન બાદ ગયા વર્ષે જૂનમાં છૂટાછેડા લીધા હતા. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.