રૂપર્ટ મર્ડોક 92 વર્ષે પાંચમી વખત ઘોડે ચડશે, 66 વર્ષીય લેસ્લી સ્મિથ સાથે કરશે લગ્ન


  • Published By :
  • Published Date : 2023-03-21 15:46:09

ઓસ્ટ્રેલિયન-અમેરિકન મીડિયા ટાયકૂન રૂપર્ટ મર્ડોક  92 વર્ષે પાંચમી વખત ઘોડે ચડવા જઈ રહ્યા છે. અબજોપતિ ઉદ્યોગપતિએ 66 વર્ષીય પૂર્વ પોલીસ વુમન લેસ્લી સ્મિથ સાથે તેની સગાઈની ઘોષણા કરી છે. રૂપર્ટ મર્ડોક અને લેસ્લી સ્મિથ ગત સપ્ટેમ્બરમાં કેલિફોર્નિયામાં તેમના પ્લાન્ટેશન ખાતે એક કાર્યક્રમમાં મળ્યા હતા. મર્ડોકે કહ્યું કે તેમણે 'સેન્ટ પેટ્રિક ડે' પર સ્મિથને 'પ્રપોઝ' કર્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે તે ગયા વર્ષે ચોથી પત્ની જેરી હોલથી અલગ થઈ ગયા હતા, તેઓ ઉનાળામાં લગ્ન કરશે. 


મર્ડોક અને લેસ્લી સહજીવન માટે આતુર


મર્ડોક અને લેસ્લી સ્મિથે તેમના એક અખબાર 'ન્યૂયોર્ક પોસ્ટ'ને આપેલા ઈન્ટર્વ્યુમાં કહ્યું કે, 'હું હવે પ્રેમથી ડરતો હતો, પરંતુ મને ખબર છે કે, તે મારો છેલ્લો પ્રેમ હશે. એ વધુ સારું રહેશે. હું ખુબ જ ખુશ છું.' જ્યારે સ્મિથે કહ્યું કે 'આ અમારા બંને માટે ભગવાનની ભેટ છે. અમે ગયા સપ્ટેમ્બરમાં મળ્યા હતા, હું 14 વર્ષથી વિધવા છું. રુપર્ટની જેમ મારા પતિ પણ બિઝનેસમેન હતા. તેથી જ હું રુપર્ટની ભાષા બોલું છું. અમે સમાન માન્યતાઓ ધરાવીએ છીએ તેથી એકબીજા સાતે શેર કરીએ છીએ". અગાઉના ત્રણ લગ્નોથી છ બાળકો ધરાવતા મર્ડોકે કહ્યું કે, 'અમે બંને અમારા જીવનનો બીજો ભાગ સાથે વિતાવવા માટે ઉત્સુક છીએ.'  સ્મિથના સ્વર્ગસ્થ પતિ ચેસ્ટર સ્મિથ દેશના ગાયક અને રેડિયો અને ટીવી એક્ઝિક્યુટિવ હતા. 


કોણ છે રૂપર્ટ મર્ડોક?


રૂપર્ટ મર્ડોક ન્યૂઝ કોર્પોરેશનના એક્ઝિક્યૂટિવ ચેરમેન છે, ઓસ્ટ્રેલિયામાં જન્મેલા મર્ડોક હવે અમેરિકન નાગરિક છે. રૂપર્ટ મર્ડોકના બિઝનેસ સામ્રાજ્યમાં અમેરિકામાં ફોક્સ ન્યૂઝ અને બ્રિટનમાં ટેબ્લોઇડ ધ સનનો સમાવેશ થાય છે. મીડિયા રીપોર્ટ મુજબ, ઓસ્ટ્રેલિયન-અમેરિકન ઉદ્યોગપતિ અને મીડિયા મુઘલ રૂપર્ટ મર્ડોકે પોતાનાથી 25 વર્ષ નાની મોડેલ જેરી હોલ સાથે ગયા 7 વર્ષના લગ્નજીવન બાદ ગયા વર્ષે જૂનમાં છૂટાછેડા લીધા હતા. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .