Russia Plane Crash: રશિયન મિલિટરી વિમાન ક્રેશ! 65 યુક્રેનિયન કેદીઓ સહિત 74 લોકોના મોત


  • Published By :
  • Published Date : 2024-01-24 22:48:26

રશિયાનું એક મિલિટરી વિમાન ક્રેશ (Russian military plane crashes) થયું છે. આ દુર્ઘટના પશ્ચિમ બેલ્ગોરોડમાં થઈ હતી. આ વિમાનમાં 65 યુક્રેનિયન કેદીઓ સહિત કુલ 74 લોકો સવાર હતા. તે તમામના મોત થયા છે. રશિયન સમય અનુસાર સવારે 11 વાગ્યે આ અકસ્માત થયો હતો.


ક્રેશ થયા બાદ પ્લેનમાં લાગી હતી આગ 

આ રશિયન પ્લેન ઈલ્યુશિન ઇલ-76 (Ilyushin Il-76) હતું, તેની લંબાઈ 164 ફૂટ હતી. ક્રેશ થયા બાદ પ્લેનમાં આગ લાગી હતી. વિમાનમાં 65 યુક્રેનિયન કેદીઓ ઉપરાંત 6 ક્રૂ મેમ્બર અને 3 એસ્કોર્ટ્સ પણ હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિમાનમાં 65 યુક્રેનિયન સૈનિકો સવાર હતા જેમને પહેલાથી જ કેદી બનાવી લેવામાં આવ્યા હતા. રશિયન સૈનિકોની મુક્તિના બદલામાં તેઓને મુક્ત કરવામાં આવનાર હતા. તેમની આપ-લે યુક્રેનની સરહદ પર થવાની હતી. CNNના રિપોર્ટ મુજબ, બેલ્ગોરોડના ગવર્નરે પ્લેન દુર્ઘટના પર નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું છે કે વિમાનમાં સવાર તમામ લોકોના મોત થયા છે.જો કે હજુ સુધી રશિયન સેના તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.


કેદીઓની અદલાબદલી થવાની હતી


ઉલ્લેખનિય છે કે જાન્યુઆરીની શરૂઆતમાં બંને દેશો વચ્ચે સૌથી મોટી કેદીઓની અદલાબદલી થઈ હતી. આ અદલાબદલી UAEના અધિકારીઓની મધ્યસ્થી બાદ થઈ હતી. આ સમયગાળા દરમિયાન રશિયાએ 230 યુક્રેનિયન નાગરિકોને મુક્ત કર્યા હતા, બદલામાં યુક્રેને 248 રશિયન કેદીઓને મુક્ત કર્યા હતા. બંને દેશો વચ્ચે કેદીઓની આ 48મી અદલાબદલી હતી. માર્યા ગયેલા સૈનિકોને પણ કેદીઓની અદલાબદલી હેઠળ યુક્રેન મોકલવાના હતા.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .