Russia Plane Crash: રશિયન મિલિટરી વિમાન ક્રેશ! 65 યુક્રેનિયન કેદીઓ સહિત 74 લોકોના મોત


  • Published By :
  • Published Date : 2024-01-24 22:48:26

રશિયાનું એક મિલિટરી વિમાન ક્રેશ (Russian military plane crashes) થયું છે. આ દુર્ઘટના પશ્ચિમ બેલ્ગોરોડમાં થઈ હતી. આ વિમાનમાં 65 યુક્રેનિયન કેદીઓ સહિત કુલ 74 લોકો સવાર હતા. તે તમામના મોત થયા છે. રશિયન સમય અનુસાર સવારે 11 વાગ્યે આ અકસ્માત થયો હતો.


ક્રેશ થયા બાદ પ્લેનમાં લાગી હતી આગ 

આ રશિયન પ્લેન ઈલ્યુશિન ઇલ-76 (Ilyushin Il-76) હતું, તેની લંબાઈ 164 ફૂટ હતી. ક્રેશ થયા બાદ પ્લેનમાં આગ લાગી હતી. વિમાનમાં 65 યુક્રેનિયન કેદીઓ ઉપરાંત 6 ક્રૂ મેમ્બર અને 3 એસ્કોર્ટ્સ પણ હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિમાનમાં 65 યુક્રેનિયન સૈનિકો સવાર હતા જેમને પહેલાથી જ કેદી બનાવી લેવામાં આવ્યા હતા. રશિયન સૈનિકોની મુક્તિના બદલામાં તેઓને મુક્ત કરવામાં આવનાર હતા. તેમની આપ-લે યુક્રેનની સરહદ પર થવાની હતી. CNNના રિપોર્ટ મુજબ, બેલ્ગોરોડના ગવર્નરે પ્લેન દુર્ઘટના પર નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું છે કે વિમાનમાં સવાર તમામ લોકોના મોત થયા છે.જો કે હજુ સુધી રશિયન સેના તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.


કેદીઓની અદલાબદલી થવાની હતી


ઉલ્લેખનિય છે કે જાન્યુઆરીની શરૂઆતમાં બંને દેશો વચ્ચે સૌથી મોટી કેદીઓની અદલાબદલી થઈ હતી. આ અદલાબદલી UAEના અધિકારીઓની મધ્યસ્થી બાદ થઈ હતી. આ સમયગાળા દરમિયાન રશિયાએ 230 યુક્રેનિયન નાગરિકોને મુક્ત કર્યા હતા, બદલામાં યુક્રેને 248 રશિયન કેદીઓને મુક્ત કર્યા હતા. બંને દેશો વચ્ચે કેદીઓની આ 48મી અદલાબદલી હતી. માર્યા ગયેલા સૈનિકોને પણ કેદીઓની અદલાબદલી હેઠળ યુક્રેન મોકલવાના હતા.



જમાવટની ઈલેક્શન યાત્રા ગુજરાતના અનેક લોકસભા વિસ્તારોમાં ફરી રહી છે અને મતદાતાના મિજાજને જાણવાનો પ્રયત્ન કરી રહી છે. જમાવટ પોરબંદર પહોંચી હતી જ્યાં હાજર લોકોએ ચૂંટણીનું ગણિત સમજાવી દીધું...

રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા નિવેદન આપ્યું હતું જેને લઈ રાજકારણ ગરમાયું હતું. ક્ષત્રિય સમાજના લોકોમાં આક્રોશ જોવા મળ્યો. ત્યારે જામનગરના જામસાહેબે રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે..

હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે... અનેક યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. ત્યારે મોરબીથી વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

ગુજરાતમાં આજે પીએમ મોદી આવ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદી પ્રચાર કરવાના છે.. જે બેઠકો પર વિખવાદ ચાલી રહ્યો છે તે બેઠકો પર પીએમ મોદી સભાને સંબોધવાના છે...