Russia Plane Crash: રશિયન મિલિટરી વિમાન ક્રેશ! 65 યુક્રેનિયન કેદીઓ સહિત 74 લોકોના મોત


  • Published By :
  • Published Date : 2024-01-24 22:48:26

રશિયાનું એક મિલિટરી વિમાન ક્રેશ (Russian military plane crashes) થયું છે. આ દુર્ઘટના પશ્ચિમ બેલ્ગોરોડમાં થઈ હતી. આ વિમાનમાં 65 યુક્રેનિયન કેદીઓ સહિત કુલ 74 લોકો સવાર હતા. તે તમામના મોત થયા છે. રશિયન સમય અનુસાર સવારે 11 વાગ્યે આ અકસ્માત થયો હતો.


ક્રેશ થયા બાદ પ્લેનમાં લાગી હતી આગ 

આ રશિયન પ્લેન ઈલ્યુશિન ઇલ-76 (Ilyushin Il-76) હતું, તેની લંબાઈ 164 ફૂટ હતી. ક્રેશ થયા બાદ પ્લેનમાં આગ લાગી હતી. વિમાનમાં 65 યુક્રેનિયન કેદીઓ ઉપરાંત 6 ક્રૂ મેમ્બર અને 3 એસ્કોર્ટ્સ પણ હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિમાનમાં 65 યુક્રેનિયન સૈનિકો સવાર હતા જેમને પહેલાથી જ કેદી બનાવી લેવામાં આવ્યા હતા. રશિયન સૈનિકોની મુક્તિના બદલામાં તેઓને મુક્ત કરવામાં આવનાર હતા. તેમની આપ-લે યુક્રેનની સરહદ પર થવાની હતી. CNNના રિપોર્ટ મુજબ, બેલ્ગોરોડના ગવર્નરે પ્લેન દુર્ઘટના પર નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું છે કે વિમાનમાં સવાર તમામ લોકોના મોત થયા છે.જો કે હજુ સુધી રશિયન સેના તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.


કેદીઓની અદલાબદલી થવાની હતી


ઉલ્લેખનિય છે કે જાન્યુઆરીની શરૂઆતમાં બંને દેશો વચ્ચે સૌથી મોટી કેદીઓની અદલાબદલી થઈ હતી. આ અદલાબદલી UAEના અધિકારીઓની મધ્યસ્થી બાદ થઈ હતી. આ સમયગાળા દરમિયાન રશિયાએ 230 યુક્રેનિયન નાગરિકોને મુક્ત કર્યા હતા, બદલામાં યુક્રેને 248 રશિયન કેદીઓને મુક્ત કર્યા હતા. બંને દેશો વચ્ચે કેદીઓની આ 48મી અદલાબદલી હતી. માર્યા ગયેલા સૈનિકોને પણ કેદીઓની અદલાબદલી હેઠળ યુક્રેન મોકલવાના હતા.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.