રશિયા બ્રિટન પર વિફર્યું, "બ્રિટન 16 કરોડ ભારતીયોનું હત્યારૂ, ભારતને લૂંટીને બન્યું અમીર"


  • Published By :
  • Published Date : 2023-01-17 16:09:22

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુધ્ધ જેમ-જેમ લંબાઈ રહ્યું છે તેમ રશિયા પશ્ચિમના દેશો સામે આકરૂ વલણ અપનાવી રહ્યું છે. ભારત રશિયાનું સમર્થક હોવાથી આજે રશિયાના વિદેશ મંત્રાલયે બ્રિટન પર નિશાન સાધીને જોરદાર આરોપ લગાવ્યા છે. રશિયાએ બ્રિટનને 16 કરોડ ભારતીયોનું હત્યારૂ ગણાવ્યું છે. બ્રિટને ભારતને ગુલામ બનાવ્યા બાદ 1880થી 1920 સુધી 10 કરોડથી વધુ ભારતીયોને જબરદસ્ત પિડા ભોગવવી પડી હતી.


ભારતીયોની સંપત્તીની લૂંટ ચલાવી


રિપબ્લિકન વર્લ્ડની રિપોર્ટ મુજબ વિદેશ મંત્રાલયે બ્રિટનની સામે આરોપ લગાવવા માટે જાણીતા ઈકોનોમિક એન્થ્રોપોલોજિસ્ટ જેસન હિકેલ અને ડાયલન સુલિવનના સંસોધનોને ટાંક્યા છે. રશિયાએ બ્રિટન પર ભારતને લૂંટવાનો આરોપ લગાવવાની સાથે-સાથે તત્કાલિન બ્રિટિશ પીએમ વિંસ્ટન ચર્ચિંલની ભારત વિરોધી નિતીઓની પણ ઝાટકણી કાઢી હતી. બ્રિટને 1880થી 1920 દરમિયાન ભારતને લૂંટીને અબજો ડોલરની સંપત્તીની લૂંટ ચલાવી હતી.


બ્રિટનના કારણે લાખો લોકો મર્યા 


રશિયાના વિદેશ મંત્રાલયે બ્રિટન પર આરોપ લગાવતા કહ્યું કે ભારતમાં 1880ના દાયકામાં મૃત્યુ દર પ્રતિ એક હજારે 37.2 જેટલી હતી જે 1910માં વધીને 44.2 થઈ હતી. તે જ પ્રકારે ભારતમાં 1880ના દાયકામાં સરેરાશ આયુષ્ય દર પણ 26.7 વર્ષથી ઘટીને 21.9 વર્ષ જેટલી થઈ ગઈ છે.


લાખો લોકોના ભૂખમરાથી મોત


રશિયાએ કહ્યું કે બીજા વિશ્વ યુધ્ધ વખતે 1943માં તત્કાલિન પીએમ વિંસ્ટન ચર્ચિલના નિર્ણયના કારણે માત્ર બંગાળમાં જ લાખો લોકોના મોત નિપજ્યા હતા. ચર્ચિલે તમામ અનાજ બ્રિટન મોકલવાનો નિર્ણય કરતા લાખો બંગાળીઓના ભૂખમરાથી મૃત્યુ થ યા હતા. ચર્ચિલ ભારતીયોને નફરત કરતા હતા અને તેમણે ભારતના લોકો વિશે કહ્યું હતું કે મને ભારતીયોથી નફરત છે, તે પશુઓ જેવા છે, અને તેમનો ધર્મ પણ પાશવિક છે.  



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .