રશિયા બ્રિટન પર વિફર્યું, "બ્રિટન 16 કરોડ ભારતીયોનું હત્યારૂ, ભારતને લૂંટીને બન્યું અમીર"


  • Published By :
  • Published Date : 2023-01-17 16:09:22

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુધ્ધ જેમ-જેમ લંબાઈ રહ્યું છે તેમ રશિયા પશ્ચિમના દેશો સામે આકરૂ વલણ અપનાવી રહ્યું છે. ભારત રશિયાનું સમર્થક હોવાથી આજે રશિયાના વિદેશ મંત્રાલયે બ્રિટન પર નિશાન સાધીને જોરદાર આરોપ લગાવ્યા છે. રશિયાએ બ્રિટનને 16 કરોડ ભારતીયોનું હત્યારૂ ગણાવ્યું છે. બ્રિટને ભારતને ગુલામ બનાવ્યા બાદ 1880થી 1920 સુધી 10 કરોડથી વધુ ભારતીયોને જબરદસ્ત પિડા ભોગવવી પડી હતી.


ભારતીયોની સંપત્તીની લૂંટ ચલાવી


રિપબ્લિકન વર્લ્ડની રિપોર્ટ મુજબ વિદેશ મંત્રાલયે બ્રિટનની સામે આરોપ લગાવવા માટે જાણીતા ઈકોનોમિક એન્થ્રોપોલોજિસ્ટ જેસન હિકેલ અને ડાયલન સુલિવનના સંસોધનોને ટાંક્યા છે. રશિયાએ બ્રિટન પર ભારતને લૂંટવાનો આરોપ લગાવવાની સાથે-સાથે તત્કાલિન બ્રિટિશ પીએમ વિંસ્ટન ચર્ચિંલની ભારત વિરોધી નિતીઓની પણ ઝાટકણી કાઢી હતી. બ્રિટને 1880થી 1920 દરમિયાન ભારતને લૂંટીને અબજો ડોલરની સંપત્તીની લૂંટ ચલાવી હતી.


બ્રિટનના કારણે લાખો લોકો મર્યા 


રશિયાના વિદેશ મંત્રાલયે બ્રિટન પર આરોપ લગાવતા કહ્યું કે ભારતમાં 1880ના દાયકામાં મૃત્યુ દર પ્રતિ એક હજારે 37.2 જેટલી હતી જે 1910માં વધીને 44.2 થઈ હતી. તે જ પ્રકારે ભારતમાં 1880ના દાયકામાં સરેરાશ આયુષ્ય દર પણ 26.7 વર્ષથી ઘટીને 21.9 વર્ષ જેટલી થઈ ગઈ છે.


લાખો લોકોના ભૂખમરાથી મોત


રશિયાએ કહ્યું કે બીજા વિશ્વ યુધ્ધ વખતે 1943માં તત્કાલિન પીએમ વિંસ્ટન ચર્ચિલના નિર્ણયના કારણે માત્ર બંગાળમાં જ લાખો લોકોના મોત નિપજ્યા હતા. ચર્ચિલે તમામ અનાજ બ્રિટન મોકલવાનો નિર્ણય કરતા લાખો બંગાળીઓના ભૂખમરાથી મૃત્યુ થ યા હતા. ચર્ચિલ ભારતીયોને નફરત કરતા હતા અને તેમણે ભારતના લોકો વિશે કહ્યું હતું કે મને ભારતીયોથી નફરત છે, તે પશુઓ જેવા છે, અને તેમનો ધર્મ પણ પાશવિક છે.  



વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આઝાદીના પર્વ લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , "આ યોજનાનો કુલ ખર્ચો ૧ લાખ કરોડ છે સાથે જ આવનારા બે વર્ષમાં ૩.૫ કરોડથી વધારે નોકરીઓનું સર્જન થશે." તો હવે લોકસભાના વિરોધપક્ષના નેતા નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આ યોજનાને લઇને કહ્યું છે કે , "આ ૧ લાખ કરોડનો નવો જુમલો આપવામાં આવ્યો. મોદીજી પાસે નવા કોઈ જ નવા આઈડિયા નથી. "

આજના દિવસે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે, આ પ્રોજેક્ટ થવાનો જ નથી ઉપરાંત કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરી રહી છે. તો હવે આજે વીડિયોમાં સૌપ્રથમ આપણે સમજીશું કે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ શું છે? એ પણ સમજીશું કોંગ્રેસ કેમ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે.

આણંદ અમુલ નિયામક મંડળની ચૂંટણી જાહેર થઇ ચુકી છે. આ ચૂંટણીઓ ૧૦મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ માટે આણંદ અમુલ ડેરીએ આખરી મતદાર યાદી પણ પ્રસ્સિદ્ધ કરી નાખી છે. હવે ચૂંટણીનો ધમધમાટ તેજ થવા સાથે ઉમેદવારની દાવેદારી કરવા ઇચ્છતા નેતાઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આણંદ નિયામક મંડળની ૧૩ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં મહિલાઓ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે.

ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી , હવે ફરી એકવાર બેઉ દેશ ભારત અને પાકિસ્તાન આરબ સાગરમાં યુદ્ધ અભ્યાસ કરવા જઈ રહ્યા છે . ભારત અને પાકિસ્તાનની નૌકા સેનાઓ બે દિવસો ૧૧ અને ૧૨ ઓગસ્ટ માટે , આરબ સાગરમાં યુદ્ધ અબ્યાસ હાથ ધરશે. બને દેશના ફાયરિંગ ઝોન વચ્ચે ૬૦ નોટિકલ માઈલનું અંતર રહેશે. તો હવે બીજી તરફ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકાની મુલાકાતે છે . જ્યાંથી તેમણે ભારત માટે પરમાણુ બોમ્બની ધમકી ઉચ્ચારી છે.