રશિયા બ્રિટન પર વિફર્યું, "બ્રિટન 16 કરોડ ભારતીયોનું હત્યારૂ, ભારતને લૂંટીને બન્યું અમીર"


  • Published By :
  • Published Date : 2023-01-17 16:09:22

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુધ્ધ જેમ-જેમ લંબાઈ રહ્યું છે તેમ રશિયા પશ્ચિમના દેશો સામે આકરૂ વલણ અપનાવી રહ્યું છે. ભારત રશિયાનું સમર્થક હોવાથી આજે રશિયાના વિદેશ મંત્રાલયે બ્રિટન પર નિશાન સાધીને જોરદાર આરોપ લગાવ્યા છે. રશિયાએ બ્રિટનને 16 કરોડ ભારતીયોનું હત્યારૂ ગણાવ્યું છે. બ્રિટને ભારતને ગુલામ બનાવ્યા બાદ 1880થી 1920 સુધી 10 કરોડથી વધુ ભારતીયોને જબરદસ્ત પિડા ભોગવવી પડી હતી.


ભારતીયોની સંપત્તીની લૂંટ ચલાવી


રિપબ્લિકન વર્લ્ડની રિપોર્ટ મુજબ વિદેશ મંત્રાલયે બ્રિટનની સામે આરોપ લગાવવા માટે જાણીતા ઈકોનોમિક એન્થ્રોપોલોજિસ્ટ જેસન હિકેલ અને ડાયલન સુલિવનના સંસોધનોને ટાંક્યા છે. રશિયાએ બ્રિટન પર ભારતને લૂંટવાનો આરોપ લગાવવાની સાથે-સાથે તત્કાલિન બ્રિટિશ પીએમ વિંસ્ટન ચર્ચિંલની ભારત વિરોધી નિતીઓની પણ ઝાટકણી કાઢી હતી. બ્રિટને 1880થી 1920 દરમિયાન ભારતને લૂંટીને અબજો ડોલરની સંપત્તીની લૂંટ ચલાવી હતી.


બ્રિટનના કારણે લાખો લોકો મર્યા 


રશિયાના વિદેશ મંત્રાલયે બ્રિટન પર આરોપ લગાવતા કહ્યું કે ભારતમાં 1880ના દાયકામાં મૃત્યુ દર પ્રતિ એક હજારે 37.2 જેટલી હતી જે 1910માં વધીને 44.2 થઈ હતી. તે જ પ્રકારે ભારતમાં 1880ના દાયકામાં સરેરાશ આયુષ્ય દર પણ 26.7 વર્ષથી ઘટીને 21.9 વર્ષ જેટલી થઈ ગઈ છે.


લાખો લોકોના ભૂખમરાથી મોત


રશિયાએ કહ્યું કે બીજા વિશ્વ યુધ્ધ વખતે 1943માં તત્કાલિન પીએમ વિંસ્ટન ચર્ચિલના નિર્ણયના કારણે માત્ર બંગાળમાં જ લાખો લોકોના મોત નિપજ્યા હતા. ચર્ચિલે તમામ અનાજ બ્રિટન મોકલવાનો નિર્ણય કરતા લાખો બંગાળીઓના ભૂખમરાથી મૃત્યુ થ યા હતા. ચર્ચિલ ભારતીયોને નફરત કરતા હતા અને તેમણે ભારતના લોકો વિશે કહ્યું હતું કે મને ભારતીયોથી નફરત છે, તે પશુઓ જેવા છે, અને તેમનો ધર્મ પણ પાશવિક છે.  



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.