રશિયા બ્રિટન પર વિફર્યું, "બ્રિટન 16 કરોડ ભારતીયોનું હત્યારૂ, ભારતને લૂંટીને બન્યું અમીર"


  • Published By :
  • Published Date : 2023-01-17 16:09:22

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુધ્ધ જેમ-જેમ લંબાઈ રહ્યું છે તેમ રશિયા પશ્ચિમના દેશો સામે આકરૂ વલણ અપનાવી રહ્યું છે. ભારત રશિયાનું સમર્થક હોવાથી આજે રશિયાના વિદેશ મંત્રાલયે બ્રિટન પર નિશાન સાધીને જોરદાર આરોપ લગાવ્યા છે. રશિયાએ બ્રિટનને 16 કરોડ ભારતીયોનું હત્યારૂ ગણાવ્યું છે. બ્રિટને ભારતને ગુલામ બનાવ્યા બાદ 1880થી 1920 સુધી 10 કરોડથી વધુ ભારતીયોને જબરદસ્ત પિડા ભોગવવી પડી હતી.


ભારતીયોની સંપત્તીની લૂંટ ચલાવી


રિપબ્લિકન વર્લ્ડની રિપોર્ટ મુજબ વિદેશ મંત્રાલયે બ્રિટનની સામે આરોપ લગાવવા માટે જાણીતા ઈકોનોમિક એન્થ્રોપોલોજિસ્ટ જેસન હિકેલ અને ડાયલન સુલિવનના સંસોધનોને ટાંક્યા છે. રશિયાએ બ્રિટન પર ભારતને લૂંટવાનો આરોપ લગાવવાની સાથે-સાથે તત્કાલિન બ્રિટિશ પીએમ વિંસ્ટન ચર્ચિંલની ભારત વિરોધી નિતીઓની પણ ઝાટકણી કાઢી હતી. બ્રિટને 1880થી 1920 દરમિયાન ભારતને લૂંટીને અબજો ડોલરની સંપત્તીની લૂંટ ચલાવી હતી.


બ્રિટનના કારણે લાખો લોકો મર્યા 


રશિયાના વિદેશ મંત્રાલયે બ્રિટન પર આરોપ લગાવતા કહ્યું કે ભારતમાં 1880ના દાયકામાં મૃત્યુ દર પ્રતિ એક હજારે 37.2 જેટલી હતી જે 1910માં વધીને 44.2 થઈ હતી. તે જ પ્રકારે ભારતમાં 1880ના દાયકામાં સરેરાશ આયુષ્ય દર પણ 26.7 વર્ષથી ઘટીને 21.9 વર્ષ જેટલી થઈ ગઈ છે.


લાખો લોકોના ભૂખમરાથી મોત


રશિયાએ કહ્યું કે બીજા વિશ્વ યુધ્ધ વખતે 1943માં તત્કાલિન પીએમ વિંસ્ટન ચર્ચિલના નિર્ણયના કારણે માત્ર બંગાળમાં જ લાખો લોકોના મોત નિપજ્યા હતા. ચર્ચિલે તમામ અનાજ બ્રિટન મોકલવાનો નિર્ણય કરતા લાખો બંગાળીઓના ભૂખમરાથી મૃત્યુ થ યા હતા. ચર્ચિલ ભારતીયોને નફરત કરતા હતા અને તેમણે ભારતના લોકો વિશે કહ્યું હતું કે મને ભારતીયોથી નફરત છે, તે પશુઓ જેવા છે, અને તેમનો ધર્મ પણ પાશવિક છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.