રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ ચરમસીમા પર, જેલેંન્સકીએ ત્રીજા વિશ્વ યુધ્ધની આપી ચેતવણી


  • Published By :
  • Published Date : 2023-02-21 13:41:35

અમેરિકાના પ્રમુખ જો બિડેને અચાનક જ યુક્રેનની મુલાકાત લેતા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુટીન ધુઆફુઆ થયા છે. રશિયા હવે શું નવી રણીનિતી ઘડે છે,તેના પર દુનિયાની નજર છ. છેલ્લા એક વર્ષથી યુક્રેન અને રશિયા વચ્ચે યુધ્ધ ચાલી રહ્યું છે અને આ યુધ્ધ હજું કેટલું લાંબું ચાલશે તેના અંગે કોઈ સ્પષ્ટ રીતે કહીં શકતુ નથી. અમેરિકા અને યુરોપના દેશો સતત  યુક્રેનને આર્થિક અને સૈન્ય મદદ કરી રહ્યા છે. પરંતું તેમ છતા પણ આ યુધ્ધનો નજીકના ભવિષ્યમાં કોઈ અંત દેખાતો નથી. ગઈ કાલે જો બિડેને યુક્રેનની ગુપ્ત મુલાકાત લઈ યુક્રેનને નવી 50 કરોડ ડોલરની સહાયની જાહેરાત કરી હતી. બિડેને આર્થિક ઉપરાંત યુક્રેનને તોપો માટે દારૂગોળો અને હોવિત્ઝર તોપો સહિતના સૈન્ય ઉપકરણોની પણ મદદ કરી છે. તે જ રીતે ફ્રાન્સ, બ્રિટન અને જર્મની સહિતના નાટો દેશો પણ યુક્રેનને અવારનવાર સૈન્ય મદદ કરી રહ્યા છે.  


યુક્રેનના પ્રમુખે આપી ચેતવણી


યુક્રેનના પ્રમુખ જેલેન્સકીએ ચેતવણી આપતા કહ્યું કે રશિયાએ તેની પરમાણું સેનાને સંપુર્ણપણે એલર્ટ પર રાખી છે. રશિયા આ રીતે યુરોપ અને અમેરિકાને બ્લેકમેલ કરી રહ્યું છે અને એટલા માટે જ તે પરમાણું શક્તિનું પ્રદર્શન કરી રહ્યું છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ જેલેંન્સકીએ દુનિયાને ચેતવણી આપતા કહ્યું છે કે જો ચીન પણ રશિયાના સમર્થનમાં આવી જાય છે તો દુનિયામાં ત્રીજુ વિશ્વયુધ્ધ ફાટી નિકળશે. યુક્રેનની ગુપ્તચર એજન્સીએ પણ રશિયા પર આરોપ લગાવ્યો છે કે તેણે વ્યાપક પ્રમાણમાં પરમાણું અભ્યાસ શરૂ કરી દીધો છે. અને તેના સેન્ટ્રલ કમાન્ડ સિસ્ટમ મોનોલિથને એક્ટિવ કરી દીધી છે. રશિયા પરમાણુ હથિયારોથી સુસજ્જ સબમરીન, મિસાઈલ, અને ફાઈટર જેટ તૈનાત કર્યા છે. રશિયાના પરમાણું બોમ્બર અને ટોચના કમાન્ડરોને પણ તામબોબ એર બેઝ પર તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ સ્થળ યુક્રેનથી માત્ર 300 માઈલના અંતર પર આવેલું છે. તેમણે પુટીન પર આરોપ લગાવ્યો કે પુટીન આ બધુ એટલા માટે કરી રહ્યા છે જેથી પશ્ચિમના દેશો યુક્રેનનું સમર્થન કરવાનું બંધ કરે. 


પુટીન આજે રશિયાની સંસદને સંબોધશે


અમેરિકાના પ્રમુખ યુક્રેનની મુલાકાતે પહોંચ્યા તેને લઈ રશિયામાં ભારે આક્રોશનો માહોલ છે. રશિયાના પ્રમુખ પુટીન આજે રશિયાની સંસદના બંને ગૃહોને સંબોધશે. હવે પુટીન તેમના સંબોધનમાં શું કહે છે તેના પર દુનિયાભરની નજર છે. પુટીન તેમના ભાષણમાં સાંસદો અને લોકોને યુધ્ધની સ્થિતી અંગે વધુ માહિતી આપે તેવું માનવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત તે બિડેનનાં યુક્રેન પ્રવાસ અંગે પણ કોઈ ઉલ્લેખ કરશે જે તેવી પણ સંભાવના છે. 


યુધ્ધથી રશિયાને જબરદસ્ત આર્થિક ફટકો


સુપર પાવર રશિયા પણ એક વર્ષથી ચાલી રહેલા આ યુધ્ધથી હાંફી ગયું છે. રશિયા પર અનેક પ્રકારના આર્થિક પ્રતિબંઘો લગાવવામાં આવ્યા છે. રશિયાના ક્રુડનો કોઈ દેશ ખરીદદાર નથી માત્ર ચીન અને ભારત જ રશિયાના ક્રુડના બે સૌથી મોટા ખરીદકર્તા છે. આ કારણે રશિયામાં જીવનરક્ષક દવાઓથી લઈને અન્ય મહત્વની ચીજોની જબરદસ્ત અછત જોવા મળી રહી છે. રશિયાના લોકો પણ આ પ્રતિબંધો અને આર્થિક બેહાલીની સ્થિતીથી તંગ આવી ગયા છે. યુક્રેનને તો જાણે અમેરિકા સહિતના પશ્ચિમના દેશોની આર્થિક સહાય મળી રહી છે પણ રશિયાએ હાલ એકલા હાથે ઝઝુમી રહ્યું છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.