રશિયાના પ્રમુખ પુટીનના વિરોધી વ્લાદિમીર કારા-મુર્ઝાને 25 વર્ષનો કારાવાસ, રાજદ્રોહના ગુના હેઠળ કોર્ટે સંભળાવી સજા


  • Published By :
  • Published Date : 2023-04-17 18:37:09

મોસ્કોની એક અદાલતે સોમવારે રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુટીનના ઘોર વિરોધી 41 વર્ષીય વ્લાદિમીર કારા-મુર્ઝા, જુનિયરને રાજદ્રોહના ગુના હેઠળ 25 વર્ષની જેલની સજા ફટકારી છે. કોર્ટે તેમને યુક્રેનમાં લડી રહેલા રશિયન સૈન્યની ટીકા કરવાના આરોપમાં દોષિત ઠેરવ્યા છે. વ્લાદિમીર કારા-મુર્ઝા, જુનિયર સામે થયેલી આ કાર્યવાહીની અમેરિકા સહિતના દેશોએ પણ ટીકા કરી છે.


કારા-મુર્ઝા પર આરોપ શું છે?


કારા-મુર્ઝાએ 15 માર્ચે એરિઝોના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં એક ભાષણ આપ્યું હતું. જેમાં તેમણે યુક્રેનમાં રશિયાની લશ્કરી કાર્યવાહીની નિંદા કરી હતી.રશિયાની તપાસ એજન્સીઓએ જ્યારે તે કસ્ટડીમાં હતો ત્યારે જ તેમની વિરૂધ્ધ રાજદ્રોહના આરોપો નોંધ્યા હતા.


કારા-મુર્ઝાએ આરોપોને નકાર્યા


વ્લાદિમીર કારા-મુર્ઝા છેલ્લા કેટલાક વર્ષોથી રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુટીન પર સતત આરોપ લગાવતા રહ્યા છે.  તેમની ગણના પુટીનના આકરા ટિકાકારોમાં થાય છે.આજ કારણે એક વર્ષ પહેલા તેમની ધરપકડ થઈ હતી અને ત્યારથી તે જેલના સળિયા પાછળ છે. તેમણે તેમની સામેના આરોપોને રાજકીય ગણાવીને નકારી કાઢ્યા છે અને તેમની સામેની કાનુની કાર્યવાહીને સોવિયેત સરમુખત્યાર જોસેફ સ્ટાલિનના શાસન દરમિયાન થતાં શો ટ્રાયલ સાથે સરખાવી છે.


કોણ છે કારા-મુર્ઝા?


41 વર્ષીય વ્લાદિમીર કારા-મુર્ઝા, જુનિયર, એક પૂર્વ રશિયન-બ્રિટિશ પત્રકાર અને અગ્રણી વિપક્ષી રાજકારણી છે. કારા-મુર્ઝા વિપક્ષી નેતા બોરિસ નેમત્સોવની નજીકના પત્રકાર છે, જેમની 2015માં ક્રેમલિન નજીક હત્યા કરવામાં આવી હતી. તેમણે દાવો કર્યો હતો કે તેમને 2015 અને 2017માં એમ બે વખત રહસ્યમય ઝેર આપવામાં આવ્યું હતું, જો કે તે બચી ગયા હતા. આ કૃત્ય માટે તેમણે રશિયન ગુપ્ત સેવાને દોષી ઠેરવી હતી. તેમની આ પ્રકારના ષડયંત્રો થઈ રહ્યા હોવા છતાં પણ તેમણે રશિયામાં રહેવાનું ચાલુ રાખ્યું હતું. રશિયન સત્તાવાળાઓએ તાજેતરમાં યુક્રેનમાં રશિયન સૈન્ય કાર્યવાહીની ટીકા કરનારા ટીકાકારો પર કડક કાર્યવાહી શરૂ કરી છે.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.