અમેરિકાના પ્રતિબંધોની ઐસીતૈસી, ભારતે રશિયા પાસેથી રેકોર્ડ બ્રેક ક્રૂડ ઓઈલ ખરીદ્યું, જાણો આંકડો


  • Published By :
  • Published Date : 2023-01-15 16:26:30

રશિયા પર અમેરિકા અને યુરોપના દેશોએ આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. જો કે તેમ છતાં ભારતે jરશિયન ક્રુડ ખરીદવાનું ચાલુ રાખ્યું છે.  ભારતે ડિસેમ્બર 2022થી રશિયાથી ક્રુડની આયાત વધાને 10 લાખ બેરલ પ્રતિ દિવસની કરી દીધી છે. વોર્ટિક્સાએ જાહેર કરેલા રિપોર્ટ પરથી આ જાણકારી બહાર આવી છે. આ રીતે ભારત સતત ત્રણ મહિનાથી રશિયાનો સૌથી મોટો ક્રૂડ આયાતકાર દેશ રહ્યો છે. રશિયાએ ડિસેમ્બર મહિનામાં ભારતને દરરોજ 11.9 લાખ બેરલ ક્રૂડ ઓઈલની આયાત કરી છે. જે એક સમયે માત્ર 0.2 ટકા જેટલી જ હતી. 


છેલ્લો રેકોર્ડ જૂન 2022માં બન્યો હતો


આ પહેલા નવેમ્બરમાં રશિયાથી ભારતમાં આયાત 9,09,403 બેરલ પ્રતિ દિવસ હતી, ઓક્ટોબર 2022માં તે  9,35,556 બેરલ પ્રતિ દિનસ હતી. રશિયાથી સૌથી વધુ ક્રૂડ ઓઈલની આયાતનો છેલ્લો રેકોર્ડ જૂન 2022માં બન્યો હતો. તે સમયે ભારતે રશિયા પાસેથી દરરોજ 9,42,694 બેરલ ક્રૂડ ઓઈલ ખરીદ્યું હતું. 


ક્રૂડની આયાત 25 ટકા વધી


રશિયા ઓક્ટોબર 2022માં પહેલી વખત પરંપરાગત વિક્રેતાઓને પાછળ રાખીને  ભારતનો અગ્રણી ક્રૂડ ઓઈલનો આયાતકાર  દેશ બન્યો હતો. ભારતમાં રશિયન ક્રૂડની આયાત 25 ટકા વધી ગઈ છે. સંયુક્ત આરબ અમિરાત ડિસેમ્બર 2022માં 3,23,811 બેરલ પ્રતિ દિવસ સાથે ભારતનો ચોથો સૌથી મોટો આયાતકાર દેશ રહ્યો છે.


ભારતને મળી રહ્યું છે ઘણુ સસ્તુ ક્રૂડ


યુરોપિયન યુનિયન અને રશિયા વચ્ચે સમુદ્રના માર્ગે ક્રૂડ ઓઈલના ભાવ નિર્ધારણની સંમતી બન્યા બાદ રશિયા ભારતનું સોથી મોટું તેલ આયાતકાર બન્યું છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ રશિયાના ક્રૂડ ઓઈલ માટે 60 ડોલર પ્રતિ બેરલની સહેમતી બની છે. હાલ ભારતને રશિયા પાસે સૌથી સસ્તું તેલ મળી રહ્યું છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.