અમેરિકાના પ્રતિબંધોની ઐસીતૈસી, ભારતે રશિયા પાસેથી રેકોર્ડ બ્રેક ક્રૂડ ઓઈલ ખરીદ્યું, જાણો આંકડો


  • Published By :
  • Published Date : 2023-01-15 16:26:30

રશિયા પર અમેરિકા અને યુરોપના દેશોએ આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. જો કે તેમ છતાં ભારતે jરશિયન ક્રુડ ખરીદવાનું ચાલુ રાખ્યું છે.  ભારતે ડિસેમ્બર 2022થી રશિયાથી ક્રુડની આયાત વધાને 10 લાખ બેરલ પ્રતિ દિવસની કરી દીધી છે. વોર્ટિક્સાએ જાહેર કરેલા રિપોર્ટ પરથી આ જાણકારી બહાર આવી છે. આ રીતે ભારત સતત ત્રણ મહિનાથી રશિયાનો સૌથી મોટો ક્રૂડ આયાતકાર દેશ રહ્યો છે. રશિયાએ ડિસેમ્બર મહિનામાં ભારતને દરરોજ 11.9 લાખ બેરલ ક્રૂડ ઓઈલની આયાત કરી છે. જે એક સમયે માત્ર 0.2 ટકા જેટલી જ હતી. 


છેલ્લો રેકોર્ડ જૂન 2022માં બન્યો હતો


આ પહેલા નવેમ્બરમાં રશિયાથી ભારતમાં આયાત 9,09,403 બેરલ પ્રતિ દિવસ હતી, ઓક્ટોબર 2022માં તે  9,35,556 બેરલ પ્રતિ દિનસ હતી. રશિયાથી સૌથી વધુ ક્રૂડ ઓઈલની આયાતનો છેલ્લો રેકોર્ડ જૂન 2022માં બન્યો હતો. તે સમયે ભારતે રશિયા પાસેથી દરરોજ 9,42,694 બેરલ ક્રૂડ ઓઈલ ખરીદ્યું હતું. 


ક્રૂડની આયાત 25 ટકા વધી


રશિયા ઓક્ટોબર 2022માં પહેલી વખત પરંપરાગત વિક્રેતાઓને પાછળ રાખીને  ભારતનો અગ્રણી ક્રૂડ ઓઈલનો આયાતકાર  દેશ બન્યો હતો. ભારતમાં રશિયન ક્રૂડની આયાત 25 ટકા વધી ગઈ છે. સંયુક્ત આરબ અમિરાત ડિસેમ્બર 2022માં 3,23,811 બેરલ પ્રતિ દિવસ સાથે ભારતનો ચોથો સૌથી મોટો આયાતકાર દેશ રહ્યો છે.


ભારતને મળી રહ્યું છે ઘણુ સસ્તુ ક્રૂડ


યુરોપિયન યુનિયન અને રશિયા વચ્ચે સમુદ્રના માર્ગે ક્રૂડ ઓઈલના ભાવ નિર્ધારણની સંમતી બન્યા બાદ રશિયા ભારતનું સોથી મોટું તેલ આયાતકાર બન્યું છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ રશિયાના ક્રૂડ ઓઈલ માટે 60 ડોલર પ્રતિ બેરલની સહેમતી બની છે. હાલ ભારતને રશિયા પાસે સૌથી સસ્તું તેલ મળી રહ્યું છે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.