અમેરિકાના પ્રતિબંધોની ઐસીતૈસી, ભારતે રશિયા પાસેથી રેકોર્ડ બ્રેક ક્રૂડ ઓઈલ ખરીદ્યું, જાણો આંકડો


  • Published By :
  • Published Date : 2023-01-15 16:26:30

રશિયા પર અમેરિકા અને યુરોપના દેશોએ આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. જો કે તેમ છતાં ભારતે jરશિયન ક્રુડ ખરીદવાનું ચાલુ રાખ્યું છે.  ભારતે ડિસેમ્બર 2022થી રશિયાથી ક્રુડની આયાત વધાને 10 લાખ બેરલ પ્રતિ દિવસની કરી દીધી છે. વોર્ટિક્સાએ જાહેર કરેલા રિપોર્ટ પરથી આ જાણકારી બહાર આવી છે. આ રીતે ભારત સતત ત્રણ મહિનાથી રશિયાનો સૌથી મોટો ક્રૂડ આયાતકાર દેશ રહ્યો છે. રશિયાએ ડિસેમ્બર મહિનામાં ભારતને દરરોજ 11.9 લાખ બેરલ ક્રૂડ ઓઈલની આયાત કરી છે. જે એક સમયે માત્ર 0.2 ટકા જેટલી જ હતી. 


છેલ્લો રેકોર્ડ જૂન 2022માં બન્યો હતો


આ પહેલા નવેમ્બરમાં રશિયાથી ભારતમાં આયાત 9,09,403 બેરલ પ્રતિ દિવસ હતી, ઓક્ટોબર 2022માં તે  9,35,556 બેરલ પ્રતિ દિનસ હતી. રશિયાથી સૌથી વધુ ક્રૂડ ઓઈલની આયાતનો છેલ્લો રેકોર્ડ જૂન 2022માં બન્યો હતો. તે સમયે ભારતે રશિયા પાસેથી દરરોજ 9,42,694 બેરલ ક્રૂડ ઓઈલ ખરીદ્યું હતું. 


ક્રૂડની આયાત 25 ટકા વધી


રશિયા ઓક્ટોબર 2022માં પહેલી વખત પરંપરાગત વિક્રેતાઓને પાછળ રાખીને  ભારતનો અગ્રણી ક્રૂડ ઓઈલનો આયાતકાર  દેશ બન્યો હતો. ભારતમાં રશિયન ક્રૂડની આયાત 25 ટકા વધી ગઈ છે. સંયુક્ત આરબ અમિરાત ડિસેમ્બર 2022માં 3,23,811 બેરલ પ્રતિ દિવસ સાથે ભારતનો ચોથો સૌથી મોટો આયાતકાર દેશ રહ્યો છે.


ભારતને મળી રહ્યું છે ઘણુ સસ્તુ ક્રૂડ


યુરોપિયન યુનિયન અને રશિયા વચ્ચે સમુદ્રના માર્ગે ક્રૂડ ઓઈલના ભાવ નિર્ધારણની સંમતી બન્યા બાદ રશિયા ભારતનું સોથી મોટું તેલ આયાતકાર બન્યું છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ રશિયાના ક્રૂડ ઓઈલ માટે 60 ડોલર પ્રતિ બેરલની સહેમતી બની છે. હાલ ભારતને રશિયા પાસે સૌથી સસ્તું તેલ મળી રહ્યું છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .