પુતિન પર ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ, રશિયાનો યુક્રેન પર હત્યાનો આરોપ, બદલાની આપી ધમકી


  • Published By :
  • Published Date : 2023-05-03 19:44:41

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુટીનની હત્યાનું ષડયંત્ર રચવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. રશિયાએ આ દાવો કરતા કહ્યું કે યુક્રેને ક્રેમલિન પર ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે. રશિયાએ આને આતંકવાદી કૃત્ય ગણાવ્યું છે, અને જવાબ આપવાના તેના અધિકાર હેઠળ વળતી કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. 


રશિયાએ શું કહ્યું?


રશિયાએ એક નિવેદનમાં કહ્યું કે બે માનવરહિત વ્હીકલ (ડ્રોન) રશિયા તરફ મોકલવામાં આવ્યા હતા. તેમનું નિશાન રાષ્ટ્રપતિ પુતિનનું નિવાસસ્થાન હતું. જો કે આ ડ્રોનને તોડી પાડવામાં આવ્યા છે. અમે આને આયોજિત આતંકવાદી કૃત્ય ગણીએ છીએ. તે રશિયન ફેડરેશનના પ્રમુખનો જીવ લેવાનો પ્રયાસ હતો. આ હુમલામાં પુતિનને કોઈ નુકસાન થયું નથી.


વળતી કાર્યવાહીની આપી ધમકી


રશિયાએ કહ્યું કે રાષ્ટ્રપતિ પુતિને તેમના કામનું શેડ્યૂલમાં કોઈ ફેરફાર કર્યો નથી. તે હંમેશની જેમ ચાલુ જ રહેશે. અમે બદલો લેવાના અધિકાર હેઠળ કાર્યવાહી કરીશું. વર્તમાન પરિસ્થિતિને જોતા આ જ સાચું છે. આ મામલે યુક્રેન તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.


મોસ્કો સુધી કઈ રીતે પહોંચ્યું ડ્રોન?


રશિયા માટે સૌથી મોટી ચિંતાજનક બાબત એ છે કે મોસ્કોથી યુક્રેનની સરહદથી લગભગ 600 કિમી દુર છે. મોસ્કો સુધી પહોંચતા ડ્રોનને માત્ર થોડી મિનિટનો જ સમય લાગ્યો છે. યુક્રેનને આ ડ્રોન કેનેડાએ પુરા પાડ્યા છે, તેમાં 17 કિલોગ્રામ M112 વિસ્ફોટક લગાવવામાં આગ્યા હતા. આ સ્થિતીમાં મોસ્કોની અંદર સુધી ડ્રોનની ઘુસણખોરીને મુશ્કેલ માની શકાય નહીં.  યુક્રેનના ડ્રોન હુમલાથી ક્રેમલિનને કેટલું નુકસાન થયું છે તે અંગે સ્પષ્ટ જાણકારી મળી શકી નથી.


શું છે સમગ્ર મામલો?


પુતિનની હત્યાના કાવતરાના ભાગરૂપે, રશિયન રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન ક્રેમલિન પર ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. યુક્રેન પર આનો આરોપ છે. પુતિનને કોઈ નુકસાન થયું નથી તે રાહતની વાત છે. તે સંપૂર્ણપણે સુરક્ષિત છે. ગત રાત્રે હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ક્રેમલિનનું કહેવું છે કે 9 મેના રોજ વિજય દિવસની પરેડ પહેલા હુમલાનું આયોજન કરવામાં આવ્યું છે. હુમલા છતાં, 9 મેના રોજ યોજાનારી વિજય દિવસ પરેડ નિર્ધારિત સમયે યોજાશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.