પુતિન પર ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ, રશિયાનો યુક્રેન પર હત્યાનો આરોપ, બદલાની આપી ધમકી


  • Published By :
  • Published Date : 2023-05-03 19:44:41

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુટીનની હત્યાનું ષડયંત્ર રચવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. રશિયાએ આ દાવો કરતા કહ્યું કે યુક્રેને ક્રેમલિન પર ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે. રશિયાએ આને આતંકવાદી કૃત્ય ગણાવ્યું છે, અને જવાબ આપવાના તેના અધિકાર હેઠળ વળતી કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. 


રશિયાએ શું કહ્યું?


રશિયાએ એક નિવેદનમાં કહ્યું કે બે માનવરહિત વ્હીકલ (ડ્રોન) રશિયા તરફ મોકલવામાં આવ્યા હતા. તેમનું નિશાન રાષ્ટ્રપતિ પુતિનનું નિવાસસ્થાન હતું. જો કે આ ડ્રોનને તોડી પાડવામાં આવ્યા છે. અમે આને આયોજિત આતંકવાદી કૃત્ય ગણીએ છીએ. તે રશિયન ફેડરેશનના પ્રમુખનો જીવ લેવાનો પ્રયાસ હતો. આ હુમલામાં પુતિનને કોઈ નુકસાન થયું નથી.


વળતી કાર્યવાહીની આપી ધમકી


રશિયાએ કહ્યું કે રાષ્ટ્રપતિ પુતિને તેમના કામનું શેડ્યૂલમાં કોઈ ફેરફાર કર્યો નથી. તે હંમેશની જેમ ચાલુ જ રહેશે. અમે બદલો લેવાના અધિકાર હેઠળ કાર્યવાહી કરીશું. વર્તમાન પરિસ્થિતિને જોતા આ જ સાચું છે. આ મામલે યુક્રેન તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.


મોસ્કો સુધી કઈ રીતે પહોંચ્યું ડ્રોન?


રશિયા માટે સૌથી મોટી ચિંતાજનક બાબત એ છે કે મોસ્કોથી યુક્રેનની સરહદથી લગભગ 600 કિમી દુર છે. મોસ્કો સુધી પહોંચતા ડ્રોનને માત્ર થોડી મિનિટનો જ સમય લાગ્યો છે. યુક્રેનને આ ડ્રોન કેનેડાએ પુરા પાડ્યા છે, તેમાં 17 કિલોગ્રામ M112 વિસ્ફોટક લગાવવામાં આગ્યા હતા. આ સ્થિતીમાં મોસ્કોની અંદર સુધી ડ્રોનની ઘુસણખોરીને મુશ્કેલ માની શકાય નહીં.  યુક્રેનના ડ્રોન હુમલાથી ક્રેમલિનને કેટલું નુકસાન થયું છે તે અંગે સ્પષ્ટ જાણકારી મળી શકી નથી.


શું છે સમગ્ર મામલો?


પુતિનની હત્યાના કાવતરાના ભાગરૂપે, રશિયન રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન ક્રેમલિન પર ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. યુક્રેન પર આનો આરોપ છે. પુતિનને કોઈ નુકસાન થયું નથી તે રાહતની વાત છે. તે સંપૂર્ણપણે સુરક્ષિત છે. ગત રાત્રે હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ક્રેમલિનનું કહેવું છે કે 9 મેના રોજ વિજય દિવસની પરેડ પહેલા હુમલાનું આયોજન કરવામાં આવ્યું છે. હુમલા છતાં, 9 મેના રોજ યોજાનારી વિજય દિવસ પરેડ નિર્ધારિત સમયે યોજાશે.



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?