પુતિન પર ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ, રશિયાનો યુક્રેન પર હત્યાનો આરોપ, બદલાની આપી ધમકી


  • Published By :
  • Published Date : 2023-05-03 19:44:41

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુટીનની હત્યાનું ષડયંત્ર રચવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. રશિયાએ આ દાવો કરતા કહ્યું કે યુક્રેને ક્રેમલિન પર ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે. રશિયાએ આને આતંકવાદી કૃત્ય ગણાવ્યું છે, અને જવાબ આપવાના તેના અધિકાર હેઠળ વળતી કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. 


રશિયાએ શું કહ્યું?


રશિયાએ એક નિવેદનમાં કહ્યું કે બે માનવરહિત વ્હીકલ (ડ્રોન) રશિયા તરફ મોકલવામાં આવ્યા હતા. તેમનું નિશાન રાષ્ટ્રપતિ પુતિનનું નિવાસસ્થાન હતું. જો કે આ ડ્રોનને તોડી પાડવામાં આવ્યા છે. અમે આને આયોજિત આતંકવાદી કૃત્ય ગણીએ છીએ. તે રશિયન ફેડરેશનના પ્રમુખનો જીવ લેવાનો પ્રયાસ હતો. આ હુમલામાં પુતિનને કોઈ નુકસાન થયું નથી.


વળતી કાર્યવાહીની આપી ધમકી


રશિયાએ કહ્યું કે રાષ્ટ્રપતિ પુતિને તેમના કામનું શેડ્યૂલમાં કોઈ ફેરફાર કર્યો નથી. તે હંમેશની જેમ ચાલુ જ રહેશે. અમે બદલો લેવાના અધિકાર હેઠળ કાર્યવાહી કરીશું. વર્તમાન પરિસ્થિતિને જોતા આ જ સાચું છે. આ મામલે યુક્રેન તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.


મોસ્કો સુધી કઈ રીતે પહોંચ્યું ડ્રોન?


રશિયા માટે સૌથી મોટી ચિંતાજનક બાબત એ છે કે મોસ્કોથી યુક્રેનની સરહદથી લગભગ 600 કિમી દુર છે. મોસ્કો સુધી પહોંચતા ડ્રોનને માત્ર થોડી મિનિટનો જ સમય લાગ્યો છે. યુક્રેનને આ ડ્રોન કેનેડાએ પુરા પાડ્યા છે, તેમાં 17 કિલોગ્રામ M112 વિસ્ફોટક લગાવવામાં આગ્યા હતા. આ સ્થિતીમાં મોસ્કોની અંદર સુધી ડ્રોનની ઘુસણખોરીને મુશ્કેલ માની શકાય નહીં.  યુક્રેનના ડ્રોન હુમલાથી ક્રેમલિનને કેટલું નુકસાન થયું છે તે અંગે સ્પષ્ટ જાણકારી મળી શકી નથી.


શું છે સમગ્ર મામલો?


પુતિનની હત્યાના કાવતરાના ભાગરૂપે, રશિયન રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન ક્રેમલિન પર ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. યુક્રેન પર આનો આરોપ છે. પુતિનને કોઈ નુકસાન થયું નથી તે રાહતની વાત છે. તે સંપૂર્ણપણે સુરક્ષિત છે. ગત રાત્રે હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ક્રેમલિનનું કહેવું છે કે 9 મેના રોજ વિજય દિવસની પરેડ પહેલા હુમલાનું આયોજન કરવામાં આવ્યું છે. હુમલા છતાં, 9 મેના રોજ યોજાનારી વિજય દિવસ પરેડ નિર્ધારિત સમયે યોજાશે.



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.