રશિયાની સ્કૂલમાં ગોળીબારઃ 7 બાળકો સહિત 13 લોકોના મોત, હુમલાખોરે પોતાને પણ મારી ગોળી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 17:21:53

રશિયાના ઇઝેવસ્કમાં એક સ્કૂલમાં ગોળીબાર થયો છે. બંદૂકધારી શાળામાં ઘૂસી ગયો અને ગોળીબાર કર્યો. આ ઘટનામાં 13 લોકોના મોત થયા છે. ઘટના બાદ તે વ્યક્તિએ પોતાને પણ ગોળી મારી દીધી હતી.

પોલીસ ફોર્સ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી 

Image

રશિયામાં એક સ્કૂલમાં જોરદાર ગોળીબાર થયો છે. આ ફાયરિંગમાં ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં 7 બાળકો પણ સામેલ છે. રશિયાના ગૃહમંત્રીએ એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી છે.


આ ઘટના ઇઝેવસ્ક વિસ્તારની એક શાળામાં બની હતી. મળતી માહિતી મુજબ, એક અજાણ્યો બંદૂકધારી સ્કૂલમાં ઘૂસ્યો અને અચાનક ગોળીબાર કર્યો. બંદૂકધારીએ સુરક્ષા ગાર્ડની પણ હત્યા કરી હતી. ગોળીબારની ઘટનાને અંજામ આપ્યા બાદ બંદૂકધારીએ પોતાની જાતને ગોળી મારીને હત્યા કરી હતી. 


મૃતકોમાં 7 બાળકો, 2 શિક્ષકોનો સમાવેશ થાય છે

રશિયાની તપાસ સમિતિએ જણાવ્યું હતું કે હુમલાખોરે આત્મહત્યા કરતા પહેલા 13 લોકોની હત્યા કરી હતી. મૃતકોમાં પાંચ 7, બે શિક્ષકો અને બે સુરક્ષા ગાર્ડનો પણ સમાવેશ થાય છે.

Image


પોલીસ ઘટનાની તપાસમાં લાગી ગઈ છે

ફાયરિંગની ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ગુનો કરવા પાછળનું કારણ જાણી શકાયું નથી. તેમજ હુમલાખોરની ઓળખ પણ થઈ શકી નથી.


શાળામાં ગોળીબાર કિસ્સાઓ સામે આવ્યા હતા

છેલ્લા કેટલાક વર્ષોમાં, રશિયાની શાળાઓમાં ગોળીબારના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. ગયા વર્ષે મે મહિનામાં કાઝાનની એક શાળામાં એક કિશોરે સાત બાળકો સહિત નવ લોકોની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. આ વર્ષે એપ્રિલમાં કિન્ડરગાર્ટનમાં ઘૂસીને બંદૂકધારી દ્વારા બે બાળકો અને એક શિક્ષકની હત્યા કરવામાં આવી હતી. ઘટના બાદ આરોપીએ આત્મહત્યા કરી લીધી હતી.



નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે

રાજુલા તાલુકાના ધારાનો નેસ ગામમાં રહેતો ધાખડા પરિવાર. રવિરાજભાઈએ આર્મીમાં ફરજ બજાવવાનું સપનું જોયું, વર્ષોથી કાશ્મીરમાં ફરજ બજાવતા હતા. કેન્સર થતા તેમની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. નશ્વર દેહ જ્યારે વતન આવ્યો ત્યારે અંતિમ વિદાય આપવા મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા.

પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. તેમની ટિકીટ રદ્દ થાય તેવી માગ સમાજ દ્વારા કરવામાં આવી.. આ બધા વચ્ચે થોડા દિવસ પહેલા સંકલન સમિતી દ્વારા આંદોલનને મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ તો હવે પદ્મિની બા વાળાએ પરષોત્તમ રૂપાલાને માફી આપી દીધી છે.