રશિયાની સ્કૂલમાં ગોળીબારઃ 7 બાળકો સહિત 13 લોકોના મોત, હુમલાખોરે પોતાને પણ મારી ગોળી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 17:21:53

રશિયાના ઇઝેવસ્કમાં એક સ્કૂલમાં ગોળીબાર થયો છે. બંદૂકધારી શાળામાં ઘૂસી ગયો અને ગોળીબાર કર્યો. આ ઘટનામાં 13 લોકોના મોત થયા છે. ઘટના બાદ તે વ્યક્તિએ પોતાને પણ ગોળી મારી દીધી હતી.

પોલીસ ફોર્સ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી 

Image

રશિયામાં એક સ્કૂલમાં જોરદાર ગોળીબાર થયો છે. આ ફાયરિંગમાં ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં 7 બાળકો પણ સામેલ છે. રશિયાના ગૃહમંત્રીએ એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી છે.


આ ઘટના ઇઝેવસ્ક વિસ્તારની એક શાળામાં બની હતી. મળતી માહિતી મુજબ, એક અજાણ્યો બંદૂકધારી સ્કૂલમાં ઘૂસ્યો અને અચાનક ગોળીબાર કર્યો. બંદૂકધારીએ સુરક્ષા ગાર્ડની પણ હત્યા કરી હતી. ગોળીબારની ઘટનાને અંજામ આપ્યા બાદ બંદૂકધારીએ પોતાની જાતને ગોળી મારીને હત્યા કરી હતી. 


મૃતકોમાં 7 બાળકો, 2 શિક્ષકોનો સમાવેશ થાય છે

રશિયાની તપાસ સમિતિએ જણાવ્યું હતું કે હુમલાખોરે આત્મહત્યા કરતા પહેલા 13 લોકોની હત્યા કરી હતી. મૃતકોમાં પાંચ 7, બે શિક્ષકો અને બે સુરક્ષા ગાર્ડનો પણ સમાવેશ થાય છે.

Image


પોલીસ ઘટનાની તપાસમાં લાગી ગઈ છે

ફાયરિંગની ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ગુનો કરવા પાછળનું કારણ જાણી શકાયું નથી. તેમજ હુમલાખોરની ઓળખ પણ થઈ શકી નથી.


શાળામાં ગોળીબાર કિસ્સાઓ સામે આવ્યા હતા

છેલ્લા કેટલાક વર્ષોમાં, રશિયાની શાળાઓમાં ગોળીબારના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. ગયા વર્ષે મે મહિનામાં કાઝાનની એક શાળામાં એક કિશોરે સાત બાળકો સહિત નવ લોકોની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. આ વર્ષે એપ્રિલમાં કિન્ડરગાર્ટનમાં ઘૂસીને બંદૂકધારી દ્વારા બે બાળકો અને એક શિક્ષકની હત્યા કરવામાં આવી હતી. ઘટના બાદ આરોપીએ આત્મહત્યા કરી લીધી હતી.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .