રશિયાની સ્કૂલમાં ગોળીબારઃ 7 બાળકો સહિત 13 લોકોના મોત, હુમલાખોરે પોતાને પણ મારી ગોળી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 17:21:53

રશિયાના ઇઝેવસ્કમાં એક સ્કૂલમાં ગોળીબાર થયો છે. બંદૂકધારી શાળામાં ઘૂસી ગયો અને ગોળીબાર કર્યો. આ ઘટનામાં 13 લોકોના મોત થયા છે. ઘટના બાદ તે વ્યક્તિએ પોતાને પણ ગોળી મારી દીધી હતી.

પોલીસ ફોર્સ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી 

Image

રશિયામાં એક સ્કૂલમાં જોરદાર ગોળીબાર થયો છે. આ ફાયરિંગમાં ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં 7 બાળકો પણ સામેલ છે. રશિયાના ગૃહમંત્રીએ એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી છે.


આ ઘટના ઇઝેવસ્ક વિસ્તારની એક શાળામાં બની હતી. મળતી માહિતી મુજબ, એક અજાણ્યો બંદૂકધારી સ્કૂલમાં ઘૂસ્યો અને અચાનક ગોળીબાર કર્યો. બંદૂકધારીએ સુરક્ષા ગાર્ડની પણ હત્યા કરી હતી. ગોળીબારની ઘટનાને અંજામ આપ્યા બાદ બંદૂકધારીએ પોતાની જાતને ગોળી મારીને હત્યા કરી હતી. 


મૃતકોમાં 7 બાળકો, 2 શિક્ષકોનો સમાવેશ થાય છે

રશિયાની તપાસ સમિતિએ જણાવ્યું હતું કે હુમલાખોરે આત્મહત્યા કરતા પહેલા 13 લોકોની હત્યા કરી હતી. મૃતકોમાં પાંચ 7, બે શિક્ષકો અને બે સુરક્ષા ગાર્ડનો પણ સમાવેશ થાય છે.

Image


પોલીસ ઘટનાની તપાસમાં લાગી ગઈ છે

ફાયરિંગની ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ગુનો કરવા પાછળનું કારણ જાણી શકાયું નથી. તેમજ હુમલાખોરની ઓળખ પણ થઈ શકી નથી.


શાળામાં ગોળીબાર કિસ્સાઓ સામે આવ્યા હતા

છેલ્લા કેટલાક વર્ષોમાં, રશિયાની શાળાઓમાં ગોળીબારના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. ગયા વર્ષે મે મહિનામાં કાઝાનની એક શાળામાં એક કિશોરે સાત બાળકો સહિત નવ લોકોની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. આ વર્ષે એપ્રિલમાં કિન્ડરગાર્ટનમાં ઘૂસીને બંદૂકધારી દ્વારા બે બાળકો અને એક શિક્ષકની હત્યા કરવામાં આવી હતી. ઘટના બાદ આરોપીએ આત્મહત્યા કરી લીધી હતી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.