યુક્રેનના સ્વતંત્રતા દિવસે જ રશિયાનો હુમલો, ટ્રેનના 4 ડબ્બા સળગ્યા; 22 લોકોનાં મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-25 17:42:49

યુક્રેન પર રશિયાના હુમલાને 6 મહિના પુરા થઈ ચુક્યા છે, 24 ઓગસ્ટે જ યુક્રેન પોતાનો આઝાદી દિન મનાવે છે, પણ યુધ્ધના કારણે યુક્રેનની સરકારે કોઈ મોટી ઉજવણીનું આયોજન કર્યું ન હતું. જો કે સાંજના સમયે આશંકા સાચી સાબિત થઈ ગઈ, રશિયાની સેનાએ પુર્વી યુક્રેનના એક રેલ્વે સ્ટેશન પર રોકેટ હુમલો કરતા 22 લોકોના મોત થયા અને 50થી વધુ લોકો ઘાયલ થયા.


યુક્રેનના 31માં સ્વતંત્રતા દિવસ પર રશિયાએ ચાલુ ટ્રેન પર જ રોકેટથી હુમલો કર્યો હતો. યુક્રેનમાં રશિયાના કબજાવાળા ડોનેત્સ્કથી 145 કિમી દૂર ચેપલના એક નાના શહેરમાં આ હુમલો કરાયો હતો. હુમલા બાદ 4 ડબ્બામાં આગ લાગી ગઈ, જેમાં 22 લોકોનાં મોત થયાં છે અને 50થી વધારે લોકો ઘાયલ થયા છે.


યુધ્ધથી પાયમાલ યુક્રેન


છ મહિનાથી ચાલી રહેલા યુધ્ધમાં યુક્રેનના નવ  હજારથી પણ વધુ સૈનિકો જ્યારે રશિયાના 15 હજાર સૈનિકોના મોત થયા છે, યુક્રેનના અનેક શહેરો ખંડેર થઈ ચુક્યા છે, બીજી તરફ મોટી સંખ્યામાં રશિયાની સેનાના વાહનો અને હથિયાર નષ્ટ થઈ ચુક્યા છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.