યુક્રેનના સ્વતંત્રતા દિવસે જ રશિયાનો હુમલો, ટ્રેનના 4 ડબ્બા સળગ્યા; 22 લોકોનાં મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-25 17:42:49

યુક્રેન પર રશિયાના હુમલાને 6 મહિના પુરા થઈ ચુક્યા છે, 24 ઓગસ્ટે જ યુક્રેન પોતાનો આઝાદી દિન મનાવે છે, પણ યુધ્ધના કારણે યુક્રેનની સરકારે કોઈ મોટી ઉજવણીનું આયોજન કર્યું ન હતું. જો કે સાંજના સમયે આશંકા સાચી સાબિત થઈ ગઈ, રશિયાની સેનાએ પુર્વી યુક્રેનના એક રેલ્વે સ્ટેશન પર રોકેટ હુમલો કરતા 22 લોકોના મોત થયા અને 50થી વધુ લોકો ઘાયલ થયા.


યુક્રેનના 31માં સ્વતંત્રતા દિવસ પર રશિયાએ ચાલુ ટ્રેન પર જ રોકેટથી હુમલો કર્યો હતો. યુક્રેનમાં રશિયાના કબજાવાળા ડોનેત્સ્કથી 145 કિમી દૂર ચેપલના એક નાના શહેરમાં આ હુમલો કરાયો હતો. હુમલા બાદ 4 ડબ્બામાં આગ લાગી ગઈ, જેમાં 22 લોકોનાં મોત થયાં છે અને 50થી વધારે લોકો ઘાયલ થયા છે.


યુધ્ધથી પાયમાલ યુક્રેન


છ મહિનાથી ચાલી રહેલા યુધ્ધમાં યુક્રેનના નવ  હજારથી પણ વધુ સૈનિકો જ્યારે રશિયાના 15 હજાર સૈનિકોના મોત થયા છે, યુક્રેનના અનેક શહેરો ખંડેર થઈ ચુક્યા છે, બીજી તરફ મોટી સંખ્યામાં રશિયાની સેનાના વાહનો અને હથિયાર નષ્ટ થઈ ચુક્યા છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી