ચીન સાથે ભારતના સંબંધો કેમ સારા નથી? વિદેશ મંત્રી એસ જયશંકરે પોતાની સ્ટાઈલમાં જવાબ આપ્યો


  • Published By :
  • Published Date : 2023-02-21 20:30:07

ચીનને લઈને સરકારની નીતિને લઈને વિપક્ષના સવાલ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે "અમે ચીનથી ડરતા નથી. તેમણે કહ્યું કે જો અમને ડર હોત તો અમે સરહદ પર સેના તૈનાત ન કરી હોત." વિપક્ષ ખાસ કરીને કોંગ્રેસના સવાલ પર તેમણે કહ્યું કે કોંગ્રેસે ઈમાનદારીથી જોવું જોઈએ કે 1962માં શું થયું હતું.? લદ્દાખમાં પેંગોંગ નજીકનો વિસ્તાર 1962થી ચીનના ગેરકાયદે કબજા હેઠળ છે. એક સમાચાર એજન્સીને આપેલા ઈન્ટર્વ્યુમાં એસ જયશંકરે ચીન, પાકિસ્તાન, બીબીસીની ડોક્યુમેન્ટરી સંબંધિત તમામ પ્રશ્નોના જવાબ આપ્યા હતા.


રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ  


એસ જયશંકરે કહ્યું કે હું કહેવા માંગુ છું કે ચીને 1962માં અમારી જમીનના એક ટુકડા પર કબજો જમાવ્યો હતો. હવે વિપક્ષ 2023માં મોદી સરકાર પર આરોપ લગાવી રહ્યો છે કે 1962માં ચીને જે જમીન પર કબજો કર્યો હતો તેના પર ચીન પુલ બનાવી રહ્યું છે. એસ જયશંકરે કહ્યું કે હું લાંબા સમયથી ચીનનો રાજદૂત હતો અને સરહદી મુદ્દાઓ પર કામ કરતો હતો. રાહુલ ગાંધીનું નિવેદન જેમાં તેમણે કહ્યું કે એસ જયશંકરને વિદેશ નીતિ વિશે વધારે ખબર નથી. એસ જયશંકરે કહ્યું કે હું એમ નહીં કહું કે મારી પાસે સૌથી વધુ જાણકારી છે પરંતુ એટલું કહીશ કે હું ચીન વિશે ઘણું જાણું છું. જો તેઓ (રાહુલ ગાંધી)ને ચીન વિશે જાણકારી હોય તો હું તેમની પાસેથી પણ શીખવા તૈયાર છું. એસ જયશંકરે કહ્યું કે દરેક કહે છે કે આપણે સરહદ પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું જોઈએ, તો કોંગ્રેસે કેમ ન કર્યું. મેં બોર્ડર પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટેનું બજેટ જોયું, મોદી સરકારમાં બજેટમાં 5 ગણો વધારો થયો છે. 2014 સુધી તે 3-4 હજાર કરોડ હતો અને આજે 14 હજાર કરોડ છે. અમારી સરકાર આ બાબતે ગંભીર છે.


ચીને કરારો તોડ્યા


રશિયા અને યુક્રેન યુદ્ધે આપણા સંબંધો પર અસર કરી નથી. ચીન સિવાય તમામ મોટી શક્તિઓ સાથે આપણા સારા સંબંધો છે. વિદેશ મંત્રીએ કહ્યું કે ચીન સાથે અમારા સંબંધો સારા નથી કારણ કે તેણે ઘણા કરારો તોડ્યા છે. આજે આપણું વૈશ્વિક સ્તર ઘણું ઊંચું છે. આજે આપણે આપણી વિચારસરણી, અભિયાન અને વિદેશ નીતિને લાગુ કરવા માટેની વ્યૂહરચના વિશે પહેલા કરતાં વધુ સ્પષ્ટ છીએ અને તે હોવું જ જોઈએ.


પાકિસ્તાનની સ્થિતી માટે તે જવાબદાર


પાકિસ્તાનની ખરાબ આર્થિક હાલત અંગે વિદેશમંત્રીને પૂછવામાં આવ્યું કે તેનાથી ભારત પર શું અસર થઈ શકે છે? તેમણે જવાબ આપ્યો કે, પાકિસ્તાનનું ભવિષ્ય તેના પોતાના દ્વારા લેવાયેલાં પગલાંઓ નક્કી કરશે. અચાનક કોઈ આવી સ્થિતિમાં પહોંચતું નથી. આ વિશે જાણવું પાકિસ્તાનનું કામ છે. અત્યારે પાકિસ્તાન સાથેના અમારા સંબંધો એવા છે કે તેની સાથે શું થઈ રહ્યું છે તેનાથી અમને કોઈ લેવાદેવા નથી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.