ચીન સાથે ભારતના સંબંધો કેમ સારા નથી? વિદેશ મંત્રી એસ જયશંકરે પોતાની સ્ટાઈલમાં જવાબ આપ્યો


  • Published By :
  • Published Date : 2023-02-21 20:30:07

ચીનને લઈને સરકારની નીતિને લઈને વિપક્ષના સવાલ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે "અમે ચીનથી ડરતા નથી. તેમણે કહ્યું કે જો અમને ડર હોત તો અમે સરહદ પર સેના તૈનાત ન કરી હોત." વિપક્ષ ખાસ કરીને કોંગ્રેસના સવાલ પર તેમણે કહ્યું કે કોંગ્રેસે ઈમાનદારીથી જોવું જોઈએ કે 1962માં શું થયું હતું.? લદ્દાખમાં પેંગોંગ નજીકનો વિસ્તાર 1962થી ચીનના ગેરકાયદે કબજા હેઠળ છે. એક સમાચાર એજન્સીને આપેલા ઈન્ટર્વ્યુમાં એસ જયશંકરે ચીન, પાકિસ્તાન, બીબીસીની ડોક્યુમેન્ટરી સંબંધિત તમામ પ્રશ્નોના જવાબ આપ્યા હતા.


રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ  


એસ જયશંકરે કહ્યું કે હું કહેવા માંગુ છું કે ચીને 1962માં અમારી જમીનના એક ટુકડા પર કબજો જમાવ્યો હતો. હવે વિપક્ષ 2023માં મોદી સરકાર પર આરોપ લગાવી રહ્યો છે કે 1962માં ચીને જે જમીન પર કબજો કર્યો હતો તેના પર ચીન પુલ બનાવી રહ્યું છે. એસ જયશંકરે કહ્યું કે હું લાંબા સમયથી ચીનનો રાજદૂત હતો અને સરહદી મુદ્દાઓ પર કામ કરતો હતો. રાહુલ ગાંધીનું નિવેદન જેમાં તેમણે કહ્યું કે એસ જયશંકરને વિદેશ નીતિ વિશે વધારે ખબર નથી. એસ જયશંકરે કહ્યું કે હું એમ નહીં કહું કે મારી પાસે સૌથી વધુ જાણકારી છે પરંતુ એટલું કહીશ કે હું ચીન વિશે ઘણું જાણું છું. જો તેઓ (રાહુલ ગાંધી)ને ચીન વિશે જાણકારી હોય તો હું તેમની પાસેથી પણ શીખવા તૈયાર છું. એસ જયશંકરે કહ્યું કે દરેક કહે છે કે આપણે સરહદ પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું જોઈએ, તો કોંગ્રેસે કેમ ન કર્યું. મેં બોર્ડર પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટેનું બજેટ જોયું, મોદી સરકારમાં બજેટમાં 5 ગણો વધારો થયો છે. 2014 સુધી તે 3-4 હજાર કરોડ હતો અને આજે 14 હજાર કરોડ છે. અમારી સરકાર આ બાબતે ગંભીર છે.


ચીને કરારો તોડ્યા


રશિયા અને યુક્રેન યુદ્ધે આપણા સંબંધો પર અસર કરી નથી. ચીન સિવાય તમામ મોટી શક્તિઓ સાથે આપણા સારા સંબંધો છે. વિદેશ મંત્રીએ કહ્યું કે ચીન સાથે અમારા સંબંધો સારા નથી કારણ કે તેણે ઘણા કરારો તોડ્યા છે. આજે આપણું વૈશ્વિક સ્તર ઘણું ઊંચું છે. આજે આપણે આપણી વિચારસરણી, અભિયાન અને વિદેશ નીતિને લાગુ કરવા માટેની વ્યૂહરચના વિશે પહેલા કરતાં વધુ સ્પષ્ટ છીએ અને તે હોવું જ જોઈએ.


પાકિસ્તાનની સ્થિતી માટે તે જવાબદાર


પાકિસ્તાનની ખરાબ આર્થિક હાલત અંગે વિદેશમંત્રીને પૂછવામાં આવ્યું કે તેનાથી ભારત પર શું અસર થઈ શકે છે? તેમણે જવાબ આપ્યો કે, પાકિસ્તાનનું ભવિષ્ય તેના પોતાના દ્વારા લેવાયેલાં પગલાંઓ નક્કી કરશે. અચાનક કોઈ આવી સ્થિતિમાં પહોંચતું નથી. આ વિશે જાણવું પાકિસ્તાનનું કામ છે. અત્યારે પાકિસ્તાન સાથેના અમારા સંબંધો એવા છે કે તેની સાથે શું થઈ રહ્યું છે તેનાથી અમને કોઈ લેવાદેવા નથી.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.