રાજસ્થાનના મુખ્યમંત્રીને લઈ સચિન પાયલટે કરી આ મોટી વાત! સોનિયા ગાંધી નહીં પરંતુ આ છે અશોક ગેહલોતના નેતા!


  • Published By :
  • Published Date : 2023-05-09 13:59:43

રાજસ્થાનનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે ચાલતો આંતરિક વિવાદ પાર્ટી પૂરતા સિમિત નથી રહ્યો પરંતુ તે વિવાદ જનતા સુધી પહોંચી ગયો છે. ત્યારે આજે ફરી એક વખત સચિન પાયલટે અશોક ગેહલોત પર ખુલ્લેઆમ નિશાન સાધ્યું છે. ગેહલોતના આરોપો પર ખુલીને જવાબ આપ્યો છે. પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે કહ્યું કે પહેલી વાર એવું જોઈ રહ્યો છું કે કોઈ પોતાની જ પાર્ટીના સાંસદ અને ધારાસભ્યોની આલોચના કરી રહ્યા છે. ભાજપના નેતાઓની તારીફ કરે અને કોંગ્રેસ નેતાઓનું અપમાન મારા સમજની બહાર છે. તેમણે કહ્યું કે અશોક ગેહલોતના ભાષણને સાંભળીને લાગે કે સોનિયા ગાંધી તેમની નેતા નથી પરંતુ વસુંધરા રાજે તેમના નેતા છે.

સચિન પાયલોટે કર્યા અશોક ગેહલોત પર પ્રહાર!

આ વર્ષના અંત સુધીમાં રાજસ્થાનમાં ચૂંટણી યોજાવાની છે. ત્યારે ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ચાલતો આંતરિક વિખવાદ સામે આવ્યો છે. સચિન પાયલોટે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે  રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધી રાજસ્થાનના પ્રવાસે જવાના છે તે બધા વચ્ચે સચિન પાયલોટે અશોક ગેહલોત પર નિશાન સાધ્યું છે. પાયલટે કહ્યું કે અમે દિલ્હી જઈને પોતાની વાત રજૂ કરી. વસુંધરા રાજેના ભ્રષ્ટાચારને લઈ અનેક વખત ચિઠ્ઠી લખી. અનશન પર પણ બેઠો. પરંતુ હજી સુધી આ મામલે તપાસ કરવામાં આવી નથી. ખબર પડી રહી છે કે શા માટે એક્શન લેવામાં નથી આવ્યા.          


જનસંઘર્ષ યાત્રા કરશે સચિન પાયલોટ! 

વધુમાં તેમણે કહ્યું કે મુખ્યમંત્રીની વાતો સાંભળીને લાગે છે કે તેમની નેતા સોનિયા ગાંધી નથી પરંતુ વસુંધરા રાજે છે. પોતાના નેતાને ખુશ કરવા અનેક લોકો સારી સારી વાતો કરતા હોય છે, ચુગલી કરે છે. આ બધા વચ્ચે સચિન પાયલોટે એક મહત્વની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર વિરૂદ્ધ 11મેના રોજ અજમેરથી જયપુર સુધીની યાત્રા કરશે. જનસંઘર્ષ યાત્રા કરવાના છે. 125 કિલોમીટર લાંબી પદયાત્રા હશે અને આમાં પાંચ દિવસ લાગશે. આ યાત્રા બાદ બીજો નિર્ણય લેવામાં આવશે.   



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.