રાજસ્થાનના મુખ્યમંત્રીને લઈ સચિન પાયલટે કરી આ મોટી વાત! સોનિયા ગાંધી નહીં પરંતુ આ છે અશોક ગેહલોતના નેતા!


  • Published By :
  • Published Date : 2023-05-09 13:59:43

રાજસ્થાનનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે ચાલતો આંતરિક વિવાદ પાર્ટી પૂરતા સિમિત નથી રહ્યો પરંતુ તે વિવાદ જનતા સુધી પહોંચી ગયો છે. ત્યારે આજે ફરી એક વખત સચિન પાયલટે અશોક ગેહલોત પર ખુલ્લેઆમ નિશાન સાધ્યું છે. ગેહલોતના આરોપો પર ખુલીને જવાબ આપ્યો છે. પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે કહ્યું કે પહેલી વાર એવું જોઈ રહ્યો છું કે કોઈ પોતાની જ પાર્ટીના સાંસદ અને ધારાસભ્યોની આલોચના કરી રહ્યા છે. ભાજપના નેતાઓની તારીફ કરે અને કોંગ્રેસ નેતાઓનું અપમાન મારા સમજની બહાર છે. તેમણે કહ્યું કે અશોક ગેહલોતના ભાષણને સાંભળીને લાગે કે સોનિયા ગાંધી તેમની નેતા નથી પરંતુ વસુંધરા રાજે તેમના નેતા છે.

સચિન પાયલોટે કર્યા અશોક ગેહલોત પર પ્રહાર!

આ વર્ષના અંત સુધીમાં રાજસ્થાનમાં ચૂંટણી યોજાવાની છે. ત્યારે ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ચાલતો આંતરિક વિખવાદ સામે આવ્યો છે. સચિન પાયલોટે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે  રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધી રાજસ્થાનના પ્રવાસે જવાના છે તે બધા વચ્ચે સચિન પાયલોટે અશોક ગેહલોત પર નિશાન સાધ્યું છે. પાયલટે કહ્યું કે અમે દિલ્હી જઈને પોતાની વાત રજૂ કરી. વસુંધરા રાજેના ભ્રષ્ટાચારને લઈ અનેક વખત ચિઠ્ઠી લખી. અનશન પર પણ બેઠો. પરંતુ હજી સુધી આ મામલે તપાસ કરવામાં આવી નથી. ખબર પડી રહી છે કે શા માટે એક્શન લેવામાં નથી આવ્યા.          


જનસંઘર્ષ યાત્રા કરશે સચિન પાયલોટ! 

વધુમાં તેમણે કહ્યું કે મુખ્યમંત્રીની વાતો સાંભળીને લાગે છે કે તેમની નેતા સોનિયા ગાંધી નથી પરંતુ વસુંધરા રાજે છે. પોતાના નેતાને ખુશ કરવા અનેક લોકો સારી સારી વાતો કરતા હોય છે, ચુગલી કરે છે. આ બધા વચ્ચે સચિન પાયલોટે એક મહત્વની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર વિરૂદ્ધ 11મેના રોજ અજમેરથી જયપુર સુધીની યાત્રા કરશે. જનસંઘર્ષ યાત્રા કરવાના છે. 125 કિલોમીટર લાંબી પદયાત્રા હશે અને આમાં પાંચ દિવસ લાગશે. આ યાત્રા બાદ બીજો નિર્ણય લેવામાં આવશે.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.