રાજસ્થાનના મુખ્યમંત્રીને લઈ સચિન પાયલટે કરી આ મોટી વાત! સોનિયા ગાંધી નહીં પરંતુ આ છે અશોક ગેહલોતના નેતા!


  • Published By :
  • Published Date : 2023-05-09 13:59:43

રાજસ્થાનનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે ચાલતો આંતરિક વિવાદ પાર્ટી પૂરતા સિમિત નથી રહ્યો પરંતુ તે વિવાદ જનતા સુધી પહોંચી ગયો છે. ત્યારે આજે ફરી એક વખત સચિન પાયલટે અશોક ગેહલોત પર ખુલ્લેઆમ નિશાન સાધ્યું છે. ગેહલોતના આરોપો પર ખુલીને જવાબ આપ્યો છે. પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે કહ્યું કે પહેલી વાર એવું જોઈ રહ્યો છું કે કોઈ પોતાની જ પાર્ટીના સાંસદ અને ધારાસભ્યોની આલોચના કરી રહ્યા છે. ભાજપના નેતાઓની તારીફ કરે અને કોંગ્રેસ નેતાઓનું અપમાન મારા સમજની બહાર છે. તેમણે કહ્યું કે અશોક ગેહલોતના ભાષણને સાંભળીને લાગે કે સોનિયા ગાંધી તેમની નેતા નથી પરંતુ વસુંધરા રાજે તેમના નેતા છે.

સચિન પાયલોટે કર્યા અશોક ગેહલોત પર પ્રહાર!

આ વર્ષના અંત સુધીમાં રાજસ્થાનમાં ચૂંટણી યોજાવાની છે. ત્યારે ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ચાલતો આંતરિક વિખવાદ સામે આવ્યો છે. સચિન પાયલોટે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે  રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધી રાજસ્થાનના પ્રવાસે જવાના છે તે બધા વચ્ચે સચિન પાયલોટે અશોક ગેહલોત પર નિશાન સાધ્યું છે. પાયલટે કહ્યું કે અમે દિલ્હી જઈને પોતાની વાત રજૂ કરી. વસુંધરા રાજેના ભ્રષ્ટાચારને લઈ અનેક વખત ચિઠ્ઠી લખી. અનશન પર પણ બેઠો. પરંતુ હજી સુધી આ મામલે તપાસ કરવામાં આવી નથી. ખબર પડી રહી છે કે શા માટે એક્શન લેવામાં નથી આવ્યા.          


જનસંઘર્ષ યાત્રા કરશે સચિન પાયલોટ! 

વધુમાં તેમણે કહ્યું કે મુખ્યમંત્રીની વાતો સાંભળીને લાગે છે કે તેમની નેતા સોનિયા ગાંધી નથી પરંતુ વસુંધરા રાજે છે. પોતાના નેતાને ખુશ કરવા અનેક લોકો સારી સારી વાતો કરતા હોય છે, ચુગલી કરે છે. આ બધા વચ્ચે સચિન પાયલોટે એક મહત્વની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર વિરૂદ્ધ 11મેના રોજ અજમેરથી જયપુર સુધીની યાત્રા કરશે. જનસંઘર્ષ યાત્રા કરવાના છે. 125 કિલોમીટર લાંબી પદયાત્રા હશે અને આમાં પાંચ દિવસ લાગશે. આ યાત્રા બાદ બીજો નિર્ણય લેવામાં આવશે.   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.