અશોક ગેહલોત સાથે ચાલતા વિવાદ વચ્ચે સચિન પાયલોટ લેશે આ મોટો નિર્ણય? વાંચો સચિન પોયલોટને લઈ શું થઈ રહી છે ચર્ચા? જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-07 12:49:26

રાજસ્થાનમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે ચાલતા વિવાદ અંગે આપણને સૌને ખબર છે. વસુંધરા રાજેના સમય કાળ દરમિયાન થયેલા કથિત ભ્રષ્ટાચાર અંગે તપાસ કરવામાં આવે સચિન પાયલોટની માગ છે. બંને વચ્ચે ચાલતા વિવાદનો અંત લાવવા હાઈકમાન્ડ દ્વારા બંને નેતાઓ સાથે બેઠક કરી હતી અને બંને નેતાઓ એક થઈ વિધાનસભાની ચૂંટણી લડશે તેવી જાહેરાત કોંગ્રેસના નેતાએ કરી હતી. ત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ટૂંક સમયમાં સચિન પાયલોટ ભવિષ્યમાં શું કરશે તેની જાણકારી આપી શકે છે. 


સચિન પાયલોટ પોતાની માગ પર અડગ! 

કોંગ્રેસમાં ચાલતા આંતરિક દખાઓની ચર્ચા અનેક વખત કરવામાં આવે છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે ઘમાસાણ ચાલી રહ્યું છે. ત્યારે બંને નેતાઓ વચ્ચે સમાધાન કરાવવા દિલ્હીમાં બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં મલ્લિકાર્જુન ખડગે તેમજ રાહુલ ગાંધી ઉપસ્થિત હતા.બેઠક બાદ એવી જાહેરાત કરવામાં આવી કે બંને નેતાઓ એક થઈ વિધાનસભાની ચૂંટણી લડશે. મહત્વનું છે કે કથિત ભ્રષ્ટાચાર અંગે તપાસ કરવામાં આવે તેવી માગ સચિન પાયલોટ દ્વારા કરવામાં આવી રહી છે. સરકાર વિરૂદ્ધ ધરણા પણ કર્યા હતા તે સિવાય યાત્રા પણ કરી હતી. પરંતુ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. 


11 તારીખે સચિન પાયલોટ કરશે કોઈ જાહેરાત?

ત્યારે એવી અટકળોએ જોર પકડ્યું છે કે સચિન પાયલોટ નવી પાર્ટીની રચના કરી શકે છે અને એની જાહેરાત 11 જૂનના રોજ કરી શકે છે. 11જૂનના રોજ રાજેશ પાયલોટની પુણ્યતિથિ છે અને તે દિવસે સચિન પાયલોટ ભવિષ્યમાં શું કરશે તે અંગે જાહેરાત કરી શકે છે. હાઈકમાન્ડના નિર્ણયની રાહ સચિન પાયલોટ જોઈ રહ્યા છે. રાજસ્થાનના રાજકારણમાં નવા જૂનીના એંધાણ હાલ દેખાઈ રહ્યા છે ત્યારે જોવું રહ્યું કે 11 જૂનના રોજ સચિન પાયલોટ કોઈ જાહેરાત કરે છે કે નહીં? 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.