અશોક ગેહલોત સાથે ચાલતા વિવાદ વચ્ચે સચિન પાયલોટ લેશે આ મોટો નિર્ણય? વાંચો સચિન પોયલોટને લઈ શું થઈ રહી છે ચર્ચા? જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-07 12:49:26

રાજસ્થાનમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે ચાલતા વિવાદ અંગે આપણને સૌને ખબર છે. વસુંધરા રાજેના સમય કાળ દરમિયાન થયેલા કથિત ભ્રષ્ટાચાર અંગે તપાસ કરવામાં આવે સચિન પાયલોટની માગ છે. બંને વચ્ચે ચાલતા વિવાદનો અંત લાવવા હાઈકમાન્ડ દ્વારા બંને નેતાઓ સાથે બેઠક કરી હતી અને બંને નેતાઓ એક થઈ વિધાનસભાની ચૂંટણી લડશે તેવી જાહેરાત કોંગ્રેસના નેતાએ કરી હતી. ત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ટૂંક સમયમાં સચિન પાયલોટ ભવિષ્યમાં શું કરશે તેની જાણકારી આપી શકે છે. 


સચિન પાયલોટ પોતાની માગ પર અડગ! 

કોંગ્રેસમાં ચાલતા આંતરિક દખાઓની ચર્ચા અનેક વખત કરવામાં આવે છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે ઘમાસાણ ચાલી રહ્યું છે. ત્યારે બંને નેતાઓ વચ્ચે સમાધાન કરાવવા દિલ્હીમાં બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં મલ્લિકાર્જુન ખડગે તેમજ રાહુલ ગાંધી ઉપસ્થિત હતા.બેઠક બાદ એવી જાહેરાત કરવામાં આવી કે બંને નેતાઓ એક થઈ વિધાનસભાની ચૂંટણી લડશે. મહત્વનું છે કે કથિત ભ્રષ્ટાચાર અંગે તપાસ કરવામાં આવે તેવી માગ સચિન પાયલોટ દ્વારા કરવામાં આવી રહી છે. સરકાર વિરૂદ્ધ ધરણા પણ કર્યા હતા તે સિવાય યાત્રા પણ કરી હતી. પરંતુ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. 


11 તારીખે સચિન પાયલોટ કરશે કોઈ જાહેરાત?

ત્યારે એવી અટકળોએ જોર પકડ્યું છે કે સચિન પાયલોટ નવી પાર્ટીની રચના કરી શકે છે અને એની જાહેરાત 11 જૂનના રોજ કરી શકે છે. 11જૂનના રોજ રાજેશ પાયલોટની પુણ્યતિથિ છે અને તે દિવસે સચિન પાયલોટ ભવિષ્યમાં શું કરશે તે અંગે જાહેરાત કરી શકે છે. હાઈકમાન્ડના નિર્ણયની રાહ સચિન પાયલોટ જોઈ રહ્યા છે. રાજસ્થાનના રાજકારણમાં નવા જૂનીના એંધાણ હાલ દેખાઈ રહ્યા છે ત્યારે જોવું રહ્યું કે 11 જૂનના રોજ સચિન પાયલોટ કોઈ જાહેરાત કરે છે કે નહીં? 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.