અશોક ગેહલોત સાથે ચાલતા વિવાદ વચ્ચે સચિન પાયલોટ લેશે આ મોટો નિર્ણય? વાંચો સચિન પોયલોટને લઈ શું થઈ રહી છે ચર્ચા? જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-07 12:49:26

રાજસ્થાનમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે ચાલતા વિવાદ અંગે આપણને સૌને ખબર છે. વસુંધરા રાજેના સમય કાળ દરમિયાન થયેલા કથિત ભ્રષ્ટાચાર અંગે તપાસ કરવામાં આવે સચિન પાયલોટની માગ છે. બંને વચ્ચે ચાલતા વિવાદનો અંત લાવવા હાઈકમાન્ડ દ્વારા બંને નેતાઓ સાથે બેઠક કરી હતી અને બંને નેતાઓ એક થઈ વિધાનસભાની ચૂંટણી લડશે તેવી જાહેરાત કોંગ્રેસના નેતાએ કરી હતી. ત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ટૂંક સમયમાં સચિન પાયલોટ ભવિષ્યમાં શું કરશે તેની જાણકારી આપી શકે છે. 


સચિન પાયલોટ પોતાની માગ પર અડગ! 

કોંગ્રેસમાં ચાલતા આંતરિક દખાઓની ચર્ચા અનેક વખત કરવામાં આવે છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે ઘમાસાણ ચાલી રહ્યું છે. ત્યારે બંને નેતાઓ વચ્ચે સમાધાન કરાવવા દિલ્હીમાં બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં મલ્લિકાર્જુન ખડગે તેમજ રાહુલ ગાંધી ઉપસ્થિત હતા.બેઠક બાદ એવી જાહેરાત કરવામાં આવી કે બંને નેતાઓ એક થઈ વિધાનસભાની ચૂંટણી લડશે. મહત્વનું છે કે કથિત ભ્રષ્ટાચાર અંગે તપાસ કરવામાં આવે તેવી માગ સચિન પાયલોટ દ્વારા કરવામાં આવી રહી છે. સરકાર વિરૂદ્ધ ધરણા પણ કર્યા હતા તે સિવાય યાત્રા પણ કરી હતી. પરંતુ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. 


11 તારીખે સચિન પાયલોટ કરશે કોઈ જાહેરાત?

ત્યારે એવી અટકળોએ જોર પકડ્યું છે કે સચિન પાયલોટ નવી પાર્ટીની રચના કરી શકે છે અને એની જાહેરાત 11 જૂનના રોજ કરી શકે છે. 11જૂનના રોજ રાજેશ પાયલોટની પુણ્યતિથિ છે અને તે દિવસે સચિન પાયલોટ ભવિષ્યમાં શું કરશે તે અંગે જાહેરાત કરી શકે છે. હાઈકમાન્ડના નિર્ણયની રાહ સચિન પાયલોટ જોઈ રહ્યા છે. રાજસ્થાનના રાજકારણમાં નવા જૂનીના એંધાણ હાલ દેખાઈ રહ્યા છે ત્યારે જોવું રહ્યું કે 11 જૂનના રોજ સચિન પાયલોટ કોઈ જાહેરાત કરે છે કે નહીં? 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.