સલમાન ખાન, અનુપમ ખેર, અને અમૃતા ફડણવીસને Y+ સુરક્ષા, મોતની ધમકીઓ મળી હતી


  • Published By :
  • Published Date : 2022-11-01 20:45:41


બોલીવુડ ઍક્ટર સલમાન ખાનની સિક્યૉરિટી મહારાષ્ટ્ર સરકારે અપગ્રેડ કરીને વાય-પ્લસ કરી છે. તે ઉપરાંત રાજ્ય સરકારે અનુપમ ખેર, ઉદ્યોગપતિ અજય પિરામલ, આનંદ પિરામલ તથા નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતા ફડણવીસને પણ સમાન સુરક્ષા-કવચ આપ્યું છે. આ તમામ જાણીતી હસ્તીઓની સુરક્ષા માટે હવેથી બે સશસ્ત્ર કૉન્સ્ટેબલ તેનાત રહેશે. પ્રસિદ્ધ હસ્તીઓ પર તોળાતા સંભવિત જોખમના આધારે રાજ્યનું ગુપ્તચર ખાતું સિક્યૉરિટી કવરને વર્ગીકૃત કરે છે. મહારાષ્ટ્ર સરકારે અભિનેતા અક્ષયકુમારને પણ એક્સ કૅટેગરી-કવર પૂરું પાડ્યું છે, આથી હવે તે જ્યારે ઘરની બહાર નીકળે ત્યારે એક સશસ્ત્ર કૉન્સ્ટેબલ તેની સાથે રહેશે. 


સલમાન ખાનને મળી હતી લૉરેન્સ ગેંગની મોતની ધમકી


પંજાબ, દિલ્હી અને મહારાષ્ટ્ર પોલીસને સિક્રેટ માહિતી મળી હતી કે ગૅન્ગસ્ટર્સ લૉરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રારે મુંબઈમાં સલમાન ખાન પર જીવલેણ હુમલાનું કાવતરું ઘડ્યું હતું. પંજાબી સિંગર સિધુ મુસેવાલાની હત્યા પાછળ જેનો હાથ હોવાનું મનાય છે એ લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગે સલમાન ખાને અવારનવાર ધમકી આપી છે. 


અનુપમ ખેર, અક્ષય કુમાર, અજય, અમૃતા પર તોળાઈ રહ્યો છે ખતરો


અનુપમ ખેરને તેમની ફિલ્મ ‘કશ્મીર ફાઇલ્સ’ના રિલીઝ બાદ  મળેલી ધમકીઓને પગલે તેની સુરક્ષા કડક કરી દેવાઈ છે, જ્યારે અક્ષય કુમારના કેનેડિયન નાગરિકત્વને પગલે સોશ્યલ મીડિયા પર તેને નિશાન બનાવવામાં આવતાં તેને સુરક્ષા પૂરી પડાઈ છે. અંબાણી પરિવાર સાથેના સબંધોને પગલે તથા તાજેતરમાં મળેલી ધમકીને પગલે ઉદ્યોગપતિ અજય પિરામલને સુરક્ષા આપવામાં આવી છે. અમૃતા ફડણવીસને તાજેતરમાં સોશ્યલ મીડિયા પર ધમકીઓ મળી હોવાથી તેમને સુરક્ષા અપાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસને તાજેતરમાં સોશ્યલ મીડિયા પર ધમકીઓ મળી હોવાથી તેમને સુરક્ષા અપાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.


શિંદે ગ્રુપના 41 ધારાસભ્યોને પણ Y+ સુરક્ષા


મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના સમર્થક તમામ 41 ધારાસભ્યો અને 10 સાંસદોને નવી સરકારની રચનાના ત્રણ મહિના પછી  Y+ સુરક્ષા ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. ગુપ્તચર વિભાગ પાસેથી મળેલી માહિતીના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.