સલમાન ખાન, અનુપમ ખેર, અને અમૃતા ફડણવીસને Y+ સુરક્ષા, મોતની ધમકીઓ મળી હતી


  • Published By :
  • Published Date : 2022-11-01 20:45:41


બોલીવુડ ઍક્ટર સલમાન ખાનની સિક્યૉરિટી મહારાષ્ટ્ર સરકારે અપગ્રેડ કરીને વાય-પ્લસ કરી છે. તે ઉપરાંત રાજ્ય સરકારે અનુપમ ખેર, ઉદ્યોગપતિ અજય પિરામલ, આનંદ પિરામલ તથા નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતા ફડણવીસને પણ સમાન સુરક્ષા-કવચ આપ્યું છે. આ તમામ જાણીતી હસ્તીઓની સુરક્ષા માટે હવેથી બે સશસ્ત્ર કૉન્સ્ટેબલ તેનાત રહેશે. પ્રસિદ્ધ હસ્તીઓ પર તોળાતા સંભવિત જોખમના આધારે રાજ્યનું ગુપ્તચર ખાતું સિક્યૉરિટી કવરને વર્ગીકૃત કરે છે. મહારાષ્ટ્ર સરકારે અભિનેતા અક્ષયકુમારને પણ એક્સ કૅટેગરી-કવર પૂરું પાડ્યું છે, આથી હવે તે જ્યારે ઘરની બહાર નીકળે ત્યારે એક સશસ્ત્ર કૉન્સ્ટેબલ તેની સાથે રહેશે. 


સલમાન ખાનને મળી હતી લૉરેન્સ ગેંગની મોતની ધમકી


પંજાબ, દિલ્હી અને મહારાષ્ટ્ર પોલીસને સિક્રેટ માહિતી મળી હતી કે ગૅન્ગસ્ટર્સ લૉરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રારે મુંબઈમાં સલમાન ખાન પર જીવલેણ હુમલાનું કાવતરું ઘડ્યું હતું. પંજાબી સિંગર સિધુ મુસેવાલાની હત્યા પાછળ જેનો હાથ હોવાનું મનાય છે એ લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગે સલમાન ખાને અવારનવાર ધમકી આપી છે. 


અનુપમ ખેર, અક્ષય કુમાર, અજય, અમૃતા પર તોળાઈ રહ્યો છે ખતરો


અનુપમ ખેરને તેમની ફિલ્મ ‘કશ્મીર ફાઇલ્સ’ના રિલીઝ બાદ  મળેલી ધમકીઓને પગલે તેની સુરક્ષા કડક કરી દેવાઈ છે, જ્યારે અક્ષય કુમારના કેનેડિયન નાગરિકત્વને પગલે સોશ્યલ મીડિયા પર તેને નિશાન બનાવવામાં આવતાં તેને સુરક્ષા પૂરી પડાઈ છે. અંબાણી પરિવાર સાથેના સબંધોને પગલે તથા તાજેતરમાં મળેલી ધમકીને પગલે ઉદ્યોગપતિ અજય પિરામલને સુરક્ષા આપવામાં આવી છે. અમૃતા ફડણવીસને તાજેતરમાં સોશ્યલ મીડિયા પર ધમકીઓ મળી હોવાથી તેમને સુરક્ષા અપાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસને તાજેતરમાં સોશ્યલ મીડિયા પર ધમકીઓ મળી હોવાથી તેમને સુરક્ષા અપાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.


શિંદે ગ્રુપના 41 ધારાસભ્યોને પણ Y+ સુરક્ષા


મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના સમર્થક તમામ 41 ધારાસભ્યો અને 10 સાંસદોને નવી સરકારની રચનાના ત્રણ મહિના પછી  Y+ સુરક્ષા ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. ગુપ્તચર વિભાગ પાસેથી મળેલી માહિતીના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 



જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.