સલમાન ખાન, અનુપમ ખેર, અને અમૃતા ફડણવીસને Y+ સુરક્ષા, મોતની ધમકીઓ મળી હતી


  • Published By :
  • Published Date : 2022-11-01 20:45:41


બોલીવુડ ઍક્ટર સલમાન ખાનની સિક્યૉરિટી મહારાષ્ટ્ર સરકારે અપગ્રેડ કરીને વાય-પ્લસ કરી છે. તે ઉપરાંત રાજ્ય સરકારે અનુપમ ખેર, ઉદ્યોગપતિ અજય પિરામલ, આનંદ પિરામલ તથા નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતા ફડણવીસને પણ સમાન સુરક્ષા-કવચ આપ્યું છે. આ તમામ જાણીતી હસ્તીઓની સુરક્ષા માટે હવેથી બે સશસ્ત્ર કૉન્સ્ટેબલ તેનાત રહેશે. પ્રસિદ્ધ હસ્તીઓ પર તોળાતા સંભવિત જોખમના આધારે રાજ્યનું ગુપ્તચર ખાતું સિક્યૉરિટી કવરને વર્ગીકૃત કરે છે. મહારાષ્ટ્ર સરકારે અભિનેતા અક્ષયકુમારને પણ એક્સ કૅટેગરી-કવર પૂરું પાડ્યું છે, આથી હવે તે જ્યારે ઘરની બહાર નીકળે ત્યારે એક સશસ્ત્ર કૉન્સ્ટેબલ તેની સાથે રહેશે. 


સલમાન ખાનને મળી હતી લૉરેન્સ ગેંગની મોતની ધમકી


પંજાબ, દિલ્હી અને મહારાષ્ટ્ર પોલીસને સિક્રેટ માહિતી મળી હતી કે ગૅન્ગસ્ટર્સ લૉરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રારે મુંબઈમાં સલમાન ખાન પર જીવલેણ હુમલાનું કાવતરું ઘડ્યું હતું. પંજાબી સિંગર સિધુ મુસેવાલાની હત્યા પાછળ જેનો હાથ હોવાનું મનાય છે એ લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગે સલમાન ખાને અવારનવાર ધમકી આપી છે. 


અનુપમ ખેર, અક્ષય કુમાર, અજય, અમૃતા પર તોળાઈ રહ્યો છે ખતરો


અનુપમ ખેરને તેમની ફિલ્મ ‘કશ્મીર ફાઇલ્સ’ના રિલીઝ બાદ  મળેલી ધમકીઓને પગલે તેની સુરક્ષા કડક કરી દેવાઈ છે, જ્યારે અક્ષય કુમારના કેનેડિયન નાગરિકત્વને પગલે સોશ્યલ મીડિયા પર તેને નિશાન બનાવવામાં આવતાં તેને સુરક્ષા પૂરી પડાઈ છે. અંબાણી પરિવાર સાથેના સબંધોને પગલે તથા તાજેતરમાં મળેલી ધમકીને પગલે ઉદ્યોગપતિ અજય પિરામલને સુરક્ષા આપવામાં આવી છે. અમૃતા ફડણવીસને તાજેતરમાં સોશ્યલ મીડિયા પર ધમકીઓ મળી હોવાથી તેમને સુરક્ષા અપાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસને તાજેતરમાં સોશ્યલ મીડિયા પર ધમકીઓ મળી હોવાથી તેમને સુરક્ષા અપાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.


શિંદે ગ્રુપના 41 ધારાસભ્યોને પણ Y+ સુરક્ષા


મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના સમર્થક તમામ 41 ધારાસભ્યો અને 10 સાંસદોને નવી સરકારની રચનાના ત્રણ મહિના પછી  Y+ સુરક્ષા ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. ગુપ્તચર વિભાગ પાસેથી મળેલી માહિતીના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."