સલમાન ખાનને મળી જાનથી મારી નાખવાની ધમકી! ધમકી આપનારે કહ્યું 30 તારીખે મારી નાખીશ


  • Published By :
  • Published Date : 2023-04-11 13:34:14

સલમાન ખાનને અનેક વખત જાનથી મારી નાખવાની ધમકી મળી છે. અનેક વખત તેમને ધમકીભર્યા કોલ આવ્યા છે. ત્યારે ફરી એક વખત સલમાન ખાનને મારવાની ધમકી આપવામાં આવી છે. સોમવારે મુંબઈ પોલીસને ધમકી ભર્યો ફોન આવ્યો હતો. ફોનમાં ધમકી આપનાર વ્યક્તિએ કહ્યું કે 30 તારીખે સલમાનને મારીશ.આ મામલે પોલીસે કહ્યું કે આરોપીનું નામ રોકીભાઈ છે. ત્યારે મળતી માહિતી અનુસાર પોલીસે આ મામલે 16 વર્ષના છોકરાને હિરાસતમાં લીધો છે.

  


પોલીસ કંટ્રોલ રૂમમાં ધમકી આપનારે કર્યો ફોન

છેલ્લા ઘણા સમયથી ભાઈજાનને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. ધમકી મળવાનો સિલસિલો ખતમ નથી થયો. ફરી એક વખત ફોન પર જાનથી મારવાની ધમકી મળી હતી. ધમકી આપનારે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો અને કઈ તારીખે સલમાન ખાનને મારશે તે કહ્યું હતું. ધમકી આપનારે કહ્યું કે સલમાન ખાનને 30 તારીખે મારીશ. મહત્વનું છે કે થોડા સમય પહેલા જ સલમાન ખાને બુલેટપ્રૂફ ગાડી ખરીદી હતી. 


આ અગાઉ પણ મળી છે જાનથી મારી નાખવાની ધમકી 

ઉલ્લેખનિય છે કે આ અગાઉ પણ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. પોલીસ દ્વારા આ મામલે જોધપુરના રહેવાસીની ધરપકડ કરી હતી. ધાકડરામની ધરપકડ કરી હતી. તેણે સલમાન ખાનની ઓફિશિયલ વેબસાઈટ પર ત્રણ મેઈલ કર્યા હતા. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.