સલમાન ખાનને મળી જાનથી મારી નાખવાની ધમકી! ધમકી આપનારે કહ્યું 30 તારીખે મારી નાખીશ


  • Published By :
  • Published Date : 2023-04-11 13:34:14

સલમાન ખાનને અનેક વખત જાનથી મારી નાખવાની ધમકી મળી છે. અનેક વખત તેમને ધમકીભર્યા કોલ આવ્યા છે. ત્યારે ફરી એક વખત સલમાન ખાનને મારવાની ધમકી આપવામાં આવી છે. સોમવારે મુંબઈ પોલીસને ધમકી ભર્યો ફોન આવ્યો હતો. ફોનમાં ધમકી આપનાર વ્યક્તિએ કહ્યું કે 30 તારીખે સલમાનને મારીશ.આ મામલે પોલીસે કહ્યું કે આરોપીનું નામ રોકીભાઈ છે. ત્યારે મળતી માહિતી અનુસાર પોલીસે આ મામલે 16 વર્ષના છોકરાને હિરાસતમાં લીધો છે.

  


પોલીસ કંટ્રોલ રૂમમાં ધમકી આપનારે કર્યો ફોન

છેલ્લા ઘણા સમયથી ભાઈજાનને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. ધમકી મળવાનો સિલસિલો ખતમ નથી થયો. ફરી એક વખત ફોન પર જાનથી મારવાની ધમકી મળી હતી. ધમકી આપનારે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો અને કઈ તારીખે સલમાન ખાનને મારશે તે કહ્યું હતું. ધમકી આપનારે કહ્યું કે સલમાન ખાનને 30 તારીખે મારીશ. મહત્વનું છે કે થોડા સમય પહેલા જ સલમાન ખાને બુલેટપ્રૂફ ગાડી ખરીદી હતી. 


આ અગાઉ પણ મળી છે જાનથી મારી નાખવાની ધમકી 

ઉલ્લેખનિય છે કે આ અગાઉ પણ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. પોલીસ દ્વારા આ મામલે જોધપુરના રહેવાસીની ધરપકડ કરી હતી. ધાકડરામની ધરપકડ કરી હતી. તેણે સલમાન ખાનની ઓફિશિયલ વેબસાઈટ પર ત્રણ મેઈલ કર્યા હતા. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .