સલમાન ખાનને મળી જાનથી મારી નાખવાની ધમકી! ધમકી આપનારે કહ્યું 30 તારીખે મારી નાખીશ


  • Published By :
  • Published Date : 2023-04-11 13:34:14

સલમાન ખાનને અનેક વખત જાનથી મારી નાખવાની ધમકી મળી છે. અનેક વખત તેમને ધમકીભર્યા કોલ આવ્યા છે. ત્યારે ફરી એક વખત સલમાન ખાનને મારવાની ધમકી આપવામાં આવી છે. સોમવારે મુંબઈ પોલીસને ધમકી ભર્યો ફોન આવ્યો હતો. ફોનમાં ધમકી આપનાર વ્યક્તિએ કહ્યું કે 30 તારીખે સલમાનને મારીશ.આ મામલે પોલીસે કહ્યું કે આરોપીનું નામ રોકીભાઈ છે. ત્યારે મળતી માહિતી અનુસાર પોલીસે આ મામલે 16 વર્ષના છોકરાને હિરાસતમાં લીધો છે.

  


પોલીસ કંટ્રોલ રૂમમાં ધમકી આપનારે કર્યો ફોન

છેલ્લા ઘણા સમયથી ભાઈજાનને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. ધમકી મળવાનો સિલસિલો ખતમ નથી થયો. ફરી એક વખત ફોન પર જાનથી મારવાની ધમકી મળી હતી. ધમકી આપનારે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો અને કઈ તારીખે સલમાન ખાનને મારશે તે કહ્યું હતું. ધમકી આપનારે કહ્યું કે સલમાન ખાનને 30 તારીખે મારીશ. મહત્વનું છે કે થોડા સમય પહેલા જ સલમાન ખાને બુલેટપ્રૂફ ગાડી ખરીદી હતી. 


આ અગાઉ પણ મળી છે જાનથી મારી નાખવાની ધમકી 

ઉલ્લેખનિય છે કે આ અગાઉ પણ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. પોલીસ દ્વારા આ મામલે જોધપુરના રહેવાસીની ધરપકડ કરી હતી. ધાકડરામની ધરપકડ કરી હતી. તેણે સલમાન ખાનની ઓફિશિયલ વેબસાઈટ પર ત્રણ મેઈલ કર્યા હતા. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી