સલમાન ખાનને મળી જાનથી મારી નાખવાની ધમકી! ધમકી આપનારે કહ્યું 30 તારીખે મારી નાખીશ


  • Published By :
  • Published Date : 2023-04-11 13:34:14

સલમાન ખાનને અનેક વખત જાનથી મારી નાખવાની ધમકી મળી છે. અનેક વખત તેમને ધમકીભર્યા કોલ આવ્યા છે. ત્યારે ફરી એક વખત સલમાન ખાનને મારવાની ધમકી આપવામાં આવી છે. સોમવારે મુંબઈ પોલીસને ધમકી ભર્યો ફોન આવ્યો હતો. ફોનમાં ધમકી આપનાર વ્યક્તિએ કહ્યું કે 30 તારીખે સલમાનને મારીશ.આ મામલે પોલીસે કહ્યું કે આરોપીનું નામ રોકીભાઈ છે. ત્યારે મળતી માહિતી અનુસાર પોલીસે આ મામલે 16 વર્ષના છોકરાને હિરાસતમાં લીધો છે.

  


પોલીસ કંટ્રોલ રૂમમાં ધમકી આપનારે કર્યો ફોન

છેલ્લા ઘણા સમયથી ભાઈજાનને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. ધમકી મળવાનો સિલસિલો ખતમ નથી થયો. ફરી એક વખત ફોન પર જાનથી મારવાની ધમકી મળી હતી. ધમકી આપનારે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો અને કઈ તારીખે સલમાન ખાનને મારશે તે કહ્યું હતું. ધમકી આપનારે કહ્યું કે સલમાન ખાનને 30 તારીખે મારીશ. મહત્વનું છે કે થોડા સમય પહેલા જ સલમાન ખાને બુલેટપ્રૂફ ગાડી ખરીદી હતી. 


આ અગાઉ પણ મળી છે જાનથી મારી નાખવાની ધમકી 

ઉલ્લેખનિય છે કે આ અગાઉ પણ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. પોલીસ દ્વારા આ મામલે જોધપુરના રહેવાસીની ધરપકડ કરી હતી. ધાકડરામની ધરપકડ કરી હતી. તેણે સલમાન ખાનની ઓફિશિયલ વેબસાઈટ પર ત્રણ મેઈલ કર્યા હતા. 



જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.