જૈન સમાજના વિરોધ બાદ સંમેદ શિખરજીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનો નિર્ણય સરકારે પાછો ખેંચ્યો


  • Published By :
  • Published Date : 2023-01-05 20:33:35

ઝારખંડમાં આવેલા અને દેશ અને દુનિયાના જૈન સમુદાયના આસ્થાના પ્રતિક શ્રી સંમેદ શિખરજી પર્વત વિસ્તારને આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ જાહેર કરવાના નિર્ણયન સામે જૈન સમાજનો  વ્યાપક વિરોધ થતા કેન્દ્ર સરકારે તેનો પાછો ખેંચ્યો છે. ઝારખંડ સરકારના અનુરોધ પર વર્ષ 2019માં કેન્દ્ર સરકારે સમેદ શિખરજીને ઈકો-ટૂરિઝમ ડેસ્ટિનેશન તરીકે જાહેર કરવાની જાહેરાત કરી હતી, અને નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જો કે પવિત્ર સંમેદ શિખરને બચાવવા માટે જૈન સમાજે દેશ અને વિદેશમાં જોરદાર વિરોધ પ્રદર્શનો કરતા સરકાર અંતે ઝુકી ગઈ ગઈ છે. ઝારખંડમાં શ્રી સમ્મેદ શિખરજી હવે પર્યટન સ્થળ નહીં પણ તીર્થ સ્થળ જ રહેશે. 


જૈનોના વિરોધ સામે સરકાર અંતે ઝુકી


જૈન સમાજના અગ્રણીઓએ તેમની લાગણી અને માગણી પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહ ખાતાના પ્રધાન અમિત શાહ સમક્ષ રજુ કરી હતી. જૈન અગ્રણીઓએ આજે ભૂપેન્દ્ર યાદવ સાથે મુલાકાત કરી હતી, અને તેમને રજુઆત કરી હતી. લાંબી ચર્ચા-વિચારણા બાદ જૈન સમાજની તમામ માંગણીઓ માની લેવામાં આવી હતી અને આ રીતે તમામ સમસ્યાઓનું સમાધાન થઈ ગયું છે. હવે સરકારના નિર્દેશને આધારે સંમેદ શિખર તીર્થ સ્થળ જ રહેશે અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું છે કે પર્યટન, ઈકો-ટૂરિઝમ પ્રવૃત્તિઓ પર તાત્કાલિક પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તેમણે એમ પણ જણાવ્યું કે પારસનાથ વિસ્તારમાં દારૂના વેચાણ, મોટેથી ગાવા અને માંસના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવી રહ્યો છે. આ નિર્ણય બાદ જૈન સમાજે ખુશી વ્યક્ત કરી સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.


શા માટે વિરોધ?


જૈન સમુદાયનો વિરોધ એટલા માટે હતો કે સમેદ શિખરજીને ઈકો-ટૂરિઝમ ડેસ્ટિનેશન જાહેર કરાશે તો તેની તીર્થ ક્ષેત્ર તરીકેની પવિત્રતા જળવાશે નહીં અને તેમાં કોઈ નિર્માણ કાર્ય નહીં થઈ શકે. પર્યટકોને આકર્ષવા માટે ત્યાં હોટેલ, ટ્રેકિંગ દારૂ અને નોનવેજ ફૂડ પર પિરસવામાં આવશે. આ બધા કારણોથી જૈન સમાજમાં આક્રોશ જોવા મળ્યો છે.


કેન્દ્ર સરકારે નોટિફિકેશન પાછું ખેંચ્યું


કેન્દ્ર સરકારે આજે ત્રણ વર્ષ પહેલાં આપવામાં આવેલા પોતાના આદેશને પાછો ખેંચી લીધો છે. એટલું જ નહીં પણ આ માટે એક કમિટીનું ગઠન કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. આ સમિતિમાં જૈન સમુદાયના બે સદસ્ય અને એક સ્થાનિક જનજાતિ સમુદાયના સદસ્યનો સમાવેશ કરવામાં આવશે.


સંમેદ શિખરજી વિવાદ શું છે?


ઝારખંડ સરકારના ભલામણથી વર્ષ 2019માં કેન્દ્ર સરકારે સમેદ શિખરજીને ઈકો-ટૂરિઝમ ડેસ્ટિનેશન તરીકે જાહેર કરવાની જાહેરાત કરી હતી.  રાજ્ય સરકારે આ અંગે એક નોટિફિકેશન ફેબ્રુઆરી 2022માં બહાર પાડ્યું અને સંમેદ શિખરજીને પર્યટન સ્થળ જાહેર કરવામાં આવ્યું. આ દરમિયાન પર્યટન સ્થળની આસપાસ  હોટેલ, ટ્રેકિંગ અને નોનવેજ ફૂડ, દારૂ અને માંસની દુકાનો ખોલવાની મંજૂરી પણ આપવામાં આવી હતી, ત્યારબાદ સમગ્ર વિવાદ શરૂ થયો હતો અને જૈન સમુદાયે આંદોલન શરૂ કર્યું હતું. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.