દિલ્હી સ્થિત નહેરૂ મ્યુઝિયમનું બદલાયું નામ, નામકરણ થતાં સંજય રાઉતે આપી પ્રતિક્રિયા, સાંભળો આ મામલે શું કહ્યું


  • Published By :
  • Published Date : 2023-06-17 14:15:32

કેન્દ્ર સરકાર દ્વારા નવી દિલ્હી સ્થિત નહેરૂ મેમોરિયલ મ્યુઝીયમ અને લાઈબ્રેરીનું નામ બદલી દેવામાં આવ્યું છે. નામકરણ કરાતા હવેથી નહેરૂ મ્યુઝિયમ, વડાપ્રધાન મ્યુઝિયમ અને લાઈબ્રેરીથી ઓળખાશે. નામ બદલવામાં આવતા કોંગ્રેસ દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો. અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી હતી જેમાં મલ્લિકાર્જુન ખડગે, જયરામ રમેશ સહિતના નેતાઓનો સમાવેશ થાય છે. ત્યારે આ મામલે ઉદ્ધવ ઠાકરેવાળી શિવસેનાના નેતા સંજય રાઉતે પ્રતિક્રિયા આપી છે. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે આ લોકો ઈતિહાસને ભૂંસી નાખવા માગે છે.

 


મ્યુઝિમનું નામ બદલાતા સંજય રાઉતે કર્યા ભાજપ પર પ્રહાર! 

અનેક જગ્યાઓના નામ ભાજપની સરકાર દ્વારા બદલવામાં આવ્યા છે. ત્યારે ગુરૂવારે મળેલી બેઠકમાં નહેરૂ મેમોરિયલ મ્યુઝીયમ અને લાઈબ્રેરીનું નામ બદલી વડાપ્રધાન મ્યુઝિયમ અને લાઈબ્રેરી કરવામાં આવ્યું છે. કોંગ્રેસના અનેક નેતાઓએ આ મામલે પ્રતિક્રિયા આપી હતી ત્યારે શિવસેનાના નેતા સંજય રાઉતે પ્રતિક્રિયા આપી છે. સંજય રાઉતે કહ્યું કે હું સંમત છું કે અન્ય વડાપ્રધાનોને મ્યુઝિયમમાં સ્થાન મળવું જોઈએ. નામ બદલવાની જરૂર નથી. 


કોંગ્રેસના નેતાઓએ આપી હતી પ્રતિક્રિયા!

દેશના પ્રથમ વડાપ્રધાને આ જગ્યા પર અંતિમ શ્વાસ લીધા હતા તેવી માહિતી સામે આવી હતી. ત્યારે આ જગ્યાનું નામ બદલી નખાતા કોંગ્રેસના નેતાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વિરોધ દર્શાવ્યો છે. સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું કે જેમનો કોઈ ઈતિહાસ જ નથી, તે બીજાના ઈતિહાસને ભૂંસવા ચાલ્યા છે. તે સિવાય કોંગ્રેસના નેતા જયરામ રમેશે પણ ભાજપ પર નિશાન સાધ્યું છે. ટ્વીટ કરતા તેમણે લખ્યું કે, સંકુચિતતા અને બદલો લેવાનું બીજું નામ મોદી છે. 59 વર્ષથી વધુ સમયથી, નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરી વૈશ્વિક બૌદ્ધિક એક ઐતિહાસિક સ્થળે પુસ્તકો અને રેકોર્ડ્સનો ખજાનો રહ્યો છે. હવેથી તે વડાપ્રધાન મ્યુઝિયમ અને સોસાયટી કહેવાશે. પીએમ મોદી ભારતીય રાષ્ટ્ર-રાજ્યના શિલ્પકારનું નામ અને વારસાને વિકૃત કરવા, બદનામ કરવા અને નષ્ટ કરવા માટે શું- શું નહીં કરે. પોતાની અસલામતીના બોજ હેઠળ દબાયેલો એક નાના કદનો વ્યક્તિ સ્વયં-ઘોષિત વિશ્વ ગુરુ બનીને ફરી રહ્યા છે.    



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.