દિલ્હી સ્થિત નહેરૂ મ્યુઝિયમનું બદલાયું નામ, નામકરણ થતાં સંજય રાઉતે આપી પ્રતિક્રિયા, સાંભળો આ મામલે શું કહ્યું


  • Published By :
  • Published Date : 2023-06-17 14:15:32

કેન્દ્ર સરકાર દ્વારા નવી દિલ્હી સ્થિત નહેરૂ મેમોરિયલ મ્યુઝીયમ અને લાઈબ્રેરીનું નામ બદલી દેવામાં આવ્યું છે. નામકરણ કરાતા હવેથી નહેરૂ મ્યુઝિયમ, વડાપ્રધાન મ્યુઝિયમ અને લાઈબ્રેરીથી ઓળખાશે. નામ બદલવામાં આવતા કોંગ્રેસ દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો. અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી હતી જેમાં મલ્લિકાર્જુન ખડગે, જયરામ રમેશ સહિતના નેતાઓનો સમાવેશ થાય છે. ત્યારે આ મામલે ઉદ્ધવ ઠાકરેવાળી શિવસેનાના નેતા સંજય રાઉતે પ્રતિક્રિયા આપી છે. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે આ લોકો ઈતિહાસને ભૂંસી નાખવા માગે છે.

 


મ્યુઝિમનું નામ બદલાતા સંજય રાઉતે કર્યા ભાજપ પર પ્રહાર! 

અનેક જગ્યાઓના નામ ભાજપની સરકાર દ્વારા બદલવામાં આવ્યા છે. ત્યારે ગુરૂવારે મળેલી બેઠકમાં નહેરૂ મેમોરિયલ મ્યુઝીયમ અને લાઈબ્રેરીનું નામ બદલી વડાપ્રધાન મ્યુઝિયમ અને લાઈબ્રેરી કરવામાં આવ્યું છે. કોંગ્રેસના અનેક નેતાઓએ આ મામલે પ્રતિક્રિયા આપી હતી ત્યારે શિવસેનાના નેતા સંજય રાઉતે પ્રતિક્રિયા આપી છે. સંજય રાઉતે કહ્યું કે હું સંમત છું કે અન્ય વડાપ્રધાનોને મ્યુઝિયમમાં સ્થાન મળવું જોઈએ. નામ બદલવાની જરૂર નથી. 


કોંગ્રેસના નેતાઓએ આપી હતી પ્રતિક્રિયા!

દેશના પ્રથમ વડાપ્રધાને આ જગ્યા પર અંતિમ શ્વાસ લીધા હતા તેવી માહિતી સામે આવી હતી. ત્યારે આ જગ્યાનું નામ બદલી નખાતા કોંગ્રેસના નેતાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વિરોધ દર્શાવ્યો છે. સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું કે જેમનો કોઈ ઈતિહાસ જ નથી, તે બીજાના ઈતિહાસને ભૂંસવા ચાલ્યા છે. તે સિવાય કોંગ્રેસના નેતા જયરામ રમેશે પણ ભાજપ પર નિશાન સાધ્યું છે. ટ્વીટ કરતા તેમણે લખ્યું કે, સંકુચિતતા અને બદલો લેવાનું બીજું નામ મોદી છે. 59 વર્ષથી વધુ સમયથી, નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરી વૈશ્વિક બૌદ્ધિક એક ઐતિહાસિક સ્થળે પુસ્તકો અને રેકોર્ડ્સનો ખજાનો રહ્યો છે. હવેથી તે વડાપ્રધાન મ્યુઝિયમ અને સોસાયટી કહેવાશે. પીએમ મોદી ભારતીય રાષ્ટ્ર-રાજ્યના શિલ્પકારનું નામ અને વારસાને વિકૃત કરવા, બદનામ કરવા અને નષ્ટ કરવા માટે શું- શું નહીં કરે. પોતાની અસલામતીના બોજ હેઠળ દબાયેલો એક નાના કદનો વ્યક્તિ સ્વયં-ઘોષિત વિશ્વ ગુરુ બનીને ફરી રહ્યા છે.    



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.