દિલ્હી સ્થિત નહેરૂ મ્યુઝિયમનું બદલાયું નામ, નામકરણ થતાં સંજય રાઉતે આપી પ્રતિક્રિયા, સાંભળો આ મામલે શું કહ્યું


  • Published By :
  • Published Date : 2023-06-17 14:15:32

કેન્દ્ર સરકાર દ્વારા નવી દિલ્હી સ્થિત નહેરૂ મેમોરિયલ મ્યુઝીયમ અને લાઈબ્રેરીનું નામ બદલી દેવામાં આવ્યું છે. નામકરણ કરાતા હવેથી નહેરૂ મ્યુઝિયમ, વડાપ્રધાન મ્યુઝિયમ અને લાઈબ્રેરીથી ઓળખાશે. નામ બદલવામાં આવતા કોંગ્રેસ દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો. અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી હતી જેમાં મલ્લિકાર્જુન ખડગે, જયરામ રમેશ સહિતના નેતાઓનો સમાવેશ થાય છે. ત્યારે આ મામલે ઉદ્ધવ ઠાકરેવાળી શિવસેનાના નેતા સંજય રાઉતે પ્રતિક્રિયા આપી છે. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે આ લોકો ઈતિહાસને ભૂંસી નાખવા માગે છે.

 


મ્યુઝિમનું નામ બદલાતા સંજય રાઉતે કર્યા ભાજપ પર પ્રહાર! 

અનેક જગ્યાઓના નામ ભાજપની સરકાર દ્વારા બદલવામાં આવ્યા છે. ત્યારે ગુરૂવારે મળેલી બેઠકમાં નહેરૂ મેમોરિયલ મ્યુઝીયમ અને લાઈબ્રેરીનું નામ બદલી વડાપ્રધાન મ્યુઝિયમ અને લાઈબ્રેરી કરવામાં આવ્યું છે. કોંગ્રેસના અનેક નેતાઓએ આ મામલે પ્રતિક્રિયા આપી હતી ત્યારે શિવસેનાના નેતા સંજય રાઉતે પ્રતિક્રિયા આપી છે. સંજય રાઉતે કહ્યું કે હું સંમત છું કે અન્ય વડાપ્રધાનોને મ્યુઝિયમમાં સ્થાન મળવું જોઈએ. નામ બદલવાની જરૂર નથી. 


કોંગ્રેસના નેતાઓએ આપી હતી પ્રતિક્રિયા!

દેશના પ્રથમ વડાપ્રધાને આ જગ્યા પર અંતિમ શ્વાસ લીધા હતા તેવી માહિતી સામે આવી હતી. ત્યારે આ જગ્યાનું નામ બદલી નખાતા કોંગ્રેસના નેતાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વિરોધ દર્શાવ્યો છે. સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું કે જેમનો કોઈ ઈતિહાસ જ નથી, તે બીજાના ઈતિહાસને ભૂંસવા ચાલ્યા છે. તે સિવાય કોંગ્રેસના નેતા જયરામ રમેશે પણ ભાજપ પર નિશાન સાધ્યું છે. ટ્વીટ કરતા તેમણે લખ્યું કે, સંકુચિતતા અને બદલો લેવાનું બીજું નામ મોદી છે. 59 વર્ષથી વધુ સમયથી, નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરી વૈશ્વિક બૌદ્ધિક એક ઐતિહાસિક સ્થળે પુસ્તકો અને રેકોર્ડ્સનો ખજાનો રહ્યો છે. હવેથી તે વડાપ્રધાન મ્યુઝિયમ અને સોસાયટી કહેવાશે. પીએમ મોદી ભારતીય રાષ્ટ્ર-રાજ્યના શિલ્પકારનું નામ અને વારસાને વિકૃત કરવા, બદનામ કરવા અને નષ્ટ કરવા માટે શું- શું નહીં કરે. પોતાની અસલામતીના બોજ હેઠળ દબાયેલો એક નાના કદનો વ્યક્તિ સ્વયં-ઘોષિત વિશ્વ ગુરુ બનીને ફરી રહ્યા છે.    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.