SBI સાથે 350 કરોડની ઠગાઈ, ભાજપના નેતાઓ સાથે કનેક્શન ધરાવતો મહાઠગ સંજય શેરપુરિયા કોણ છે જેની યુપી STFએ કરી ધરપકડ?


  • Published By :
  • Published Date : 2023-04-29 15:01:47

યુપી STFએ લખનઉથી સંજય પ્રકાશ રાય ઉર્ફે સંજય શેરપુરિયા નામના શખ્સની ધરપકડ કરી છે. સંજય શેરપુરિયા પર ઠગાઈનો આરોપ છે, તેણે ભાજપના ટોચના નેતાઓ સાથે સાંઠગાઠ રચીને મોટી ઠગાઈ આચરી છે. આ મહાઠગે બિજેપીના અનેક નેતાઓ સાથે સંબંધો દર્શાવવા માટે ફોટો પડાવ્યો હતો. તેણે SBI સાથે પણ છેંતરપિડી આચરી છે. તેના પર આરોપ છે કે તેણે કંડલા એનર્જી એન્ડ કેમિકલના નામે SBIને રૂ.350 કરોડનો ચુનો લગાવ્યો છે. આ મહાઠગે સંજય ફોર યુથ નામની સંસ્થા ખોલીને કરોડો રૂપિયા ઉઘરાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે ઠગ ઉત્તરપ્રદેશના ગાજીપુરનો વતની છે.


ભાજપના નેતાઓ સાથે સંબંધો


સંજય પ્રકાશ રાય (શેરપુરીયા)ની ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (UP STF)ની ટીમ દ્વારા પોતાને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના નેતાઓની નજીક બતાવીને લોકો સાથે પૈસાની છેતરપિંડી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. બીજેપી ચીફ જેપી નડ્ડા, આરએસએસ ચીફ મોહન ભાગવત, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને અગ્રણી ન્યૂઝ એન્કરો સાથે સંજય પ્રકાશ રાયની કેટલીક તસવીરો તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર વ્યાપકપણે શેર કરેલી છે. હાલ તેની જે ધરપકડ કરવામાં આવી છે અને જે પણ તસવીરો મીડિયા, સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહી છે તે બધા જ છે. 


કોણ છે સંજય શેરપુરીયા?


મહાઠગ સંજય પ્રકાશ રાયે તેનું પ્રાથમિક શિક્ષણ આસામમાં લીધું હતું. ત્યારબાદ આર્થિક તંગીને કારણે મેટ્રિક પછી ભણવાનું છોડી દીધું હતું. ત્યારબાદ રોજગારની શોધમાં તે આસામ ગયો, ત્યાંથી મુંબઈ અને પછી ગુજરાતના ગાંધીધામ પહોંચ્યો હતો. સંજયના કહેવા પ્રમાણે ત્યા તેને ચોકીદારની નોકરી કરી અને બાદમાં વેઇટરની નોકરી કરતો હતો, ટ્રક ડ્રાઈવરની નોકરી કરી, ગોડાઉનમાં પણ નોકરી કરી હતી. ત્યારબાદ 1997 માં પ્રધાનમંત્રી રોજગાર યોજના હેઠળ 1,00,000 લાખ રૂપિયાની રોજગાર લોન મેળવી અને ફૂટપાથ પર એક લાખ રૂપિયા લઈને પેટ્રોકેમિકલ્સનો ધંધો શરૂ કર્યો હતો. ત્યાર બાદ તેણે રિટેલ, ટ્રેડિંગ, ઇમ્પોર્ટ અને મેન્યુફેક્સચરની શરૂઆત કરી હતી.


કઈ રીતે ભાંડો ફુટ્યો? 


સંજય શેરપુરીયાના આ કાંડની જાણકારી કેન્દ્રિય એજન્સીઓને એક ગુપ્ત પત્રથી મળી હતી. પત્રમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે સંજય શેરપુરીયાએ દિલ્હીની પ્રખ્યાત રાઈડિંગ ક્લબ પર કબજો કરીને રેસકોર્સમાં જ પોતાનું આલીશાન ઘર બનાવી દીધું છે. જ્યાં રહીને તે લોકો સાથે ઠગાઈ આચરતો હતો. પત્રના આધારે યુપી એસટીએફએ સંજય શેરપુરિયા અને તેના સાથી કાશિફની ધરપકડ કરી હતી. તપાસમાં  જાણવા મળ્યું છે કે સંજય શેરપુરીયા દિલ્હી, ગાઝીપુર, અમદાવાદ અને વડોદરામાં અનેક કંપનીઓ અને એનજીઓ સાથે જોડાયેલો હતો. જેમાની કેટલીક કંપનીઓ તો ફેક હતી. ધરપકડ બાદ સંજય શેરપુરીયાની શરૂઆતના મોબાઈલથી ટ્રાન્ઝેક્શનથી સંબંધિત અનેક વોટ્સએપ ચેટ મળી છે. આ અંગે યુપી STFનું લખનઉ અને નોઈડા યુનિટ તપાસ ચલાવી રહ્યું છે. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.