SBI સાથે 350 કરોડની ઠગાઈ, ભાજપના નેતાઓ સાથે કનેક્શન ધરાવતો મહાઠગ સંજય શેરપુરિયા કોણ છે જેની યુપી STFએ કરી ધરપકડ?


  • Published By :
  • Published Date : 2023-04-29 15:01:47

યુપી STFએ લખનઉથી સંજય પ્રકાશ રાય ઉર્ફે સંજય શેરપુરિયા નામના શખ્સની ધરપકડ કરી છે. સંજય શેરપુરિયા પર ઠગાઈનો આરોપ છે, તેણે ભાજપના ટોચના નેતાઓ સાથે સાંઠગાઠ રચીને મોટી ઠગાઈ આચરી છે. આ મહાઠગે બિજેપીના અનેક નેતાઓ સાથે સંબંધો દર્શાવવા માટે ફોટો પડાવ્યો હતો. તેણે SBI સાથે પણ છેંતરપિડી આચરી છે. તેના પર આરોપ છે કે તેણે કંડલા એનર્જી એન્ડ કેમિકલના નામે SBIને રૂ.350 કરોડનો ચુનો લગાવ્યો છે. આ મહાઠગે સંજય ફોર યુથ નામની સંસ્થા ખોલીને કરોડો રૂપિયા ઉઘરાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે ઠગ ઉત્તરપ્રદેશના ગાજીપુરનો વતની છે.


ભાજપના નેતાઓ સાથે સંબંધો


સંજય પ્રકાશ રાય (શેરપુરીયા)ની ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (UP STF)ની ટીમ દ્વારા પોતાને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના નેતાઓની નજીક બતાવીને લોકો સાથે પૈસાની છેતરપિંડી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. બીજેપી ચીફ જેપી નડ્ડા, આરએસએસ ચીફ મોહન ભાગવત, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને અગ્રણી ન્યૂઝ એન્કરો સાથે સંજય પ્રકાશ રાયની કેટલીક તસવીરો તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર વ્યાપકપણે શેર કરેલી છે. હાલ તેની જે ધરપકડ કરવામાં આવી છે અને જે પણ તસવીરો મીડિયા, સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહી છે તે બધા જ છે. 


કોણ છે સંજય શેરપુરીયા?


મહાઠગ સંજય પ્રકાશ રાયે તેનું પ્રાથમિક શિક્ષણ આસામમાં લીધું હતું. ત્યારબાદ આર્થિક તંગીને કારણે મેટ્રિક પછી ભણવાનું છોડી દીધું હતું. ત્યારબાદ રોજગારની શોધમાં તે આસામ ગયો, ત્યાંથી મુંબઈ અને પછી ગુજરાતના ગાંધીધામ પહોંચ્યો હતો. સંજયના કહેવા પ્રમાણે ત્યા તેને ચોકીદારની નોકરી કરી અને બાદમાં વેઇટરની નોકરી કરતો હતો, ટ્રક ડ્રાઈવરની નોકરી કરી, ગોડાઉનમાં પણ નોકરી કરી હતી. ત્યારબાદ 1997 માં પ્રધાનમંત્રી રોજગાર યોજના હેઠળ 1,00,000 લાખ રૂપિયાની રોજગાર લોન મેળવી અને ફૂટપાથ પર એક લાખ રૂપિયા લઈને પેટ્રોકેમિકલ્સનો ધંધો શરૂ કર્યો હતો. ત્યાર બાદ તેણે રિટેલ, ટ્રેડિંગ, ઇમ્પોર્ટ અને મેન્યુફેક્સચરની શરૂઆત કરી હતી.


કઈ રીતે ભાંડો ફુટ્યો? 


સંજય શેરપુરીયાના આ કાંડની જાણકારી કેન્દ્રિય એજન્સીઓને એક ગુપ્ત પત્રથી મળી હતી. પત્રમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે સંજય શેરપુરીયાએ દિલ્હીની પ્રખ્યાત રાઈડિંગ ક્લબ પર કબજો કરીને રેસકોર્સમાં જ પોતાનું આલીશાન ઘર બનાવી દીધું છે. જ્યાં રહીને તે લોકો સાથે ઠગાઈ આચરતો હતો. પત્રના આધારે યુપી એસટીએફએ સંજય શેરપુરિયા અને તેના સાથી કાશિફની ધરપકડ કરી હતી. તપાસમાં  જાણવા મળ્યું છે કે સંજય શેરપુરીયા દિલ્હી, ગાઝીપુર, અમદાવાદ અને વડોદરામાં અનેક કંપનીઓ અને એનજીઓ સાથે જોડાયેલો હતો. જેમાની કેટલીક કંપનીઓ તો ફેક હતી. ધરપકડ બાદ સંજય શેરપુરીયાની શરૂઆતના મોબાઈલથી ટ્રાન્ઝેક્શનથી સંબંધિત અનેક વોટ્સએપ ચેટ મળી છે. આ અંગે યુપી STFનું લખનઉ અને નોઈડા યુનિટ તપાસ ચલાવી રહ્યું છે. 



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.