સારા અલી ખાને બાબા બર્ફાનીના કર્યા દર્શન, અમરનાથ યાત્રાનો વીડિયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-07-23 18:18:33

બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન અવારનવાર મંદિરો, મસ્જિદો, દરગાહ અને ગુરુદ્વારાની મુલાકાત લેતી હોય છે. અભિનેત્રીએ તાજેતરમાં જ ઉજ્જૈનના મહાકાલેશ્વર ધામ મંદિરમાં ભગવાન શિવના દર્શન કર્યા હતા. જો કે શ્રાવણ આ પવિત્ર મહિનામાં ફરી એકવાર, અભિનેત્રી બાબા ભોલેનાથના દર્શન કરવા માટે અમરનાથની યાત્રાએ નીકળી હતી. અભિનેત્રીએ તેનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં અભિનેત્રી હર હર મહાદેવનો જયઘોષ કરતી જોવા મળી રહી છે.


વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ


અભિનેત્રી સારા અલી ખાને જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ ધામની મુલાકાત લીધી હતી જ્યાં સારાએ બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા. સારા અલી ખાન સી-ગ્રીન કલરનો ટ્રેક સૂટ પહેરીને અને માથા પર ક્રીમ કલરની શોલ ઓઢીને બાબા અમરનાથની યાત્રા કરતી જોવા મળી હતી. અભિનેત્રીની અમરનાથ ધામ યાત્રાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.  અભિનેત્રી ભગવાન ભોલેનાથની ભક્તિમાં લીન જોવા મળી રહી છે. ત્યારે અભિનેત્રીનો અમરનાથ યાત્રાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, અભિનેત્રી હાથમાં લાઠી લઈને અમરનાથ યાત્રા કરી રહી છે. સારા ગળામાં નાની શાલ અને લાલ ચુંદડી પહેરેલી જોવા મળી રહી છે. સારાએ રસ્તામાં લોકો સાથે મળીને હર હર મહાદેવનો જયકાર કર્યો હતો.


સારાના વીડિયોની લોકોએ કરી પ્રશંસા


એક્ટ્રેસના આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો પર એક યુઝરે લખ્યું - કદાચ સમય આવી ગયો છે કે આપણે સારા પાસેથી શીખીએ અને એકબીજાના ધર્મસ્થળોની મુલાકાત લઈએ, કદાચ આપણે અન્ય ધર્મો વિશે કંઈક શીખીશું. સારા આ માટે પ્રશંસાને પાત્ર છે. જ્યારે, અન્યોએ લખ્યું – આ આપણા સનાતન ધર્મની સુંદરતા છે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .