સારા અલી ખાને બાબા બર્ફાનીના કર્યા દર્શન, અમરનાથ યાત્રાનો વીડિયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-07-23 18:18:33

બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન અવારનવાર મંદિરો, મસ્જિદો, દરગાહ અને ગુરુદ્વારાની મુલાકાત લેતી હોય છે. અભિનેત્રીએ તાજેતરમાં જ ઉજ્જૈનના મહાકાલેશ્વર ધામ મંદિરમાં ભગવાન શિવના દર્શન કર્યા હતા. જો કે શ્રાવણ આ પવિત્ર મહિનામાં ફરી એકવાર, અભિનેત્રી બાબા ભોલેનાથના દર્શન કરવા માટે અમરનાથની યાત્રાએ નીકળી હતી. અભિનેત્રીએ તેનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં અભિનેત્રી હર હર મહાદેવનો જયઘોષ કરતી જોવા મળી રહી છે.


વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ


અભિનેત્રી સારા અલી ખાને જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ ધામની મુલાકાત લીધી હતી જ્યાં સારાએ બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા. સારા અલી ખાન સી-ગ્રીન કલરનો ટ્રેક સૂટ પહેરીને અને માથા પર ક્રીમ કલરની શોલ ઓઢીને બાબા અમરનાથની યાત્રા કરતી જોવા મળી હતી. અભિનેત્રીની અમરનાથ ધામ યાત્રાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.  અભિનેત્રી ભગવાન ભોલેનાથની ભક્તિમાં લીન જોવા મળી રહી છે. ત્યારે અભિનેત્રીનો અમરનાથ યાત્રાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, અભિનેત્રી હાથમાં લાઠી લઈને અમરનાથ યાત્રા કરી રહી છે. સારા ગળામાં નાની શાલ અને લાલ ચુંદડી પહેરેલી જોવા મળી રહી છે. સારાએ રસ્તામાં લોકો સાથે મળીને હર હર મહાદેવનો જયકાર કર્યો હતો.


સારાના વીડિયોની લોકોએ કરી પ્રશંસા


એક્ટ્રેસના આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો પર એક યુઝરે લખ્યું - કદાચ સમય આવી ગયો છે કે આપણે સારા પાસેથી શીખીએ અને એકબીજાના ધર્મસ્થળોની મુલાકાત લઈએ, કદાચ આપણે અન્ય ધર્મો વિશે કંઈક શીખીશું. સારા આ માટે પ્રશંસાને પાત્ર છે. જ્યારે, અન્યોએ લખ્યું – આ આપણા સનાતન ધર્મની સુંદરતા છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.