'જરા હટકે જરા બચકે' ફિલ્મની સફળતા માટે મહાકાલના શરણે સારા અલી ખાન! ભસ્મ આરતીનો લીધો લાભ


  • Published By :
  • Published Date : 2023-05-31 11:33:40

અનેક બોલિવુડ સેલિબ્રિટી ભગવાનના દર્શને જતા હોય છે. થોડા સમય પહેલા અક્ષય કુમાર કેદારનાથના શરણે ગયા હતા ત્યારે આજે બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાન વહેલી સવારે મહાકાલ મંદિરના દર્શને ગયા હતા. અભિનેત્રીએ ભસ્મ આરતીનો લાભ પણ લીધો હતો અને પૂજા અર્ચન પણ કરી હતી. સોશિયલ મીડિયા પર તેમનો વીડિયો તેમજ તસવીરો વાયરલ થઈ રહ્યા છે. પૂજા કર્યા બાદ અડધો કલાક સુધી ધ્યાનમાં પણ બેઠા હતા.

    

2 જૂનના રોજ ફિલ્મ થવાની છે રિલીઝ!

સારા અલી ખાન પોતાની આગામી ફિલ્મ જરા હટકે જરા બચકેને લઈ ચર્ચામાં રહેતી હોય છે. પહેલી વખત વિક્કી કૌશલ સાથે સ્ક્રીન શેર કરવાના છે. થોડા દિવસ પહેલા સારા અલી ખાન વિકી કૌશલ સાથે લખનઉ પહોંચ્યા હતા જ્યાં હનુમાનજીના દર્શન કર્યા હતા. ત્યારે આજે ફરી એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે મહાકાલ મંદિરના દર્શને પહોંચી હતી. ભસ્મ આરતીનો લાભ લીધો હતો ઉપરાંત પૂજા પાઠ તેમજ ધ્યાન પણ કર્યું હતું. જે વીડિયો સામે આવ્યો છે તેમાં માથા પર તિલક કરેલા નજરે પડે છે. 2 જૂનના રોજ સારા અલી ખાન અને વિક્કી કૌશલની ફિલ્મ જરા હટકે, જરા બચકે ફિલ્મ રિલીઝ થવાની છે.   


અનેક વખત મહાકાલના દર્શને કરવા પહોંચી છે અભિનેત્રી!  

ફિલ્મની શૂટિંગ દરમિયાન બે વખત મહાકાલના દર્શને ગયા હતા. જાન્યુઆરી 2022માં માતા અમૃતાસિંહ સાથે મહાકાલ મંદિરના દર્શને પહોંચ્યા હતા. તે વખતે ફિલ્મ લુકાછુપી-2નું શૂટિંગ ચાલી રહ્યું હતું. તે પહેલા ડિસેમ્બર 2021માં મહાકાલના દર્શને ગયા હતા જ્યારે તેમની ફિલ્મ અતરંગી આવવાની હતી. તે વખતે સારા અલી ખાન ઘણી ટ્રોલ થઈ હતી. 


થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .