'જરા હટકે જરા બચકે' ફિલ્મની સફળતા માટે મહાકાલના શરણે સારા અલી ખાન! ભસ્મ આરતીનો લીધો લાભ


  • Published By :
  • Published Date : 2023-05-31 11:33:40

અનેક બોલિવુડ સેલિબ્રિટી ભગવાનના દર્શને જતા હોય છે. થોડા સમય પહેલા અક્ષય કુમાર કેદારનાથના શરણે ગયા હતા ત્યારે આજે બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાન વહેલી સવારે મહાકાલ મંદિરના દર્શને ગયા હતા. અભિનેત્રીએ ભસ્મ આરતીનો લાભ પણ લીધો હતો અને પૂજા અર્ચન પણ કરી હતી. સોશિયલ મીડિયા પર તેમનો વીડિયો તેમજ તસવીરો વાયરલ થઈ રહ્યા છે. પૂજા કર્યા બાદ અડધો કલાક સુધી ધ્યાનમાં પણ બેઠા હતા.

    

2 જૂનના રોજ ફિલ્મ થવાની છે રિલીઝ!

સારા અલી ખાન પોતાની આગામી ફિલ્મ જરા હટકે જરા બચકેને લઈ ચર્ચામાં રહેતી હોય છે. પહેલી વખત વિક્કી કૌશલ સાથે સ્ક્રીન શેર કરવાના છે. થોડા દિવસ પહેલા સારા અલી ખાન વિકી કૌશલ સાથે લખનઉ પહોંચ્યા હતા જ્યાં હનુમાનજીના દર્શન કર્યા હતા. ત્યારે આજે ફરી એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે મહાકાલ મંદિરના દર્શને પહોંચી હતી. ભસ્મ આરતીનો લાભ લીધો હતો ઉપરાંત પૂજા પાઠ તેમજ ધ્યાન પણ કર્યું હતું. જે વીડિયો સામે આવ્યો છે તેમાં માથા પર તિલક કરેલા નજરે પડે છે. 2 જૂનના રોજ સારા અલી ખાન અને વિક્કી કૌશલની ફિલ્મ જરા હટકે, જરા બચકે ફિલ્મ રિલીઝ થવાની છે.   


અનેક વખત મહાકાલના દર્શને કરવા પહોંચી છે અભિનેત્રી!  

ફિલ્મની શૂટિંગ દરમિયાન બે વખત મહાકાલના દર્શને ગયા હતા. જાન્યુઆરી 2022માં માતા અમૃતાસિંહ સાથે મહાકાલ મંદિરના દર્શને પહોંચ્યા હતા. તે વખતે ફિલ્મ લુકાછુપી-2નું શૂટિંગ ચાલી રહ્યું હતું. તે પહેલા ડિસેમ્બર 2021માં મહાકાલના દર્શને ગયા હતા જ્યારે તેમની ફિલ્મ અતરંગી આવવાની હતી. તે વખતે સારા અલી ખાન ઘણી ટ્રોલ થઈ હતી. 


જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.