'જરા હટકે જરા બચકે' ફિલ્મની સફળતા માટે મહાકાલના શરણે સારા અલી ખાન! ભસ્મ આરતીનો લીધો લાભ


  • Published By :
  • Published Date : 2023-05-31 11:33:40

અનેક બોલિવુડ સેલિબ્રિટી ભગવાનના દર્શને જતા હોય છે. થોડા સમય પહેલા અક્ષય કુમાર કેદારનાથના શરણે ગયા હતા ત્યારે આજે બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાન વહેલી સવારે મહાકાલ મંદિરના દર્શને ગયા હતા. અભિનેત્રીએ ભસ્મ આરતીનો લાભ પણ લીધો હતો અને પૂજા અર્ચન પણ કરી હતી. સોશિયલ મીડિયા પર તેમનો વીડિયો તેમજ તસવીરો વાયરલ થઈ રહ્યા છે. પૂજા કર્યા બાદ અડધો કલાક સુધી ધ્યાનમાં પણ બેઠા હતા.

    

2 જૂનના રોજ ફિલ્મ થવાની છે રિલીઝ!

સારા અલી ખાન પોતાની આગામી ફિલ્મ જરા હટકે જરા બચકેને લઈ ચર્ચામાં રહેતી હોય છે. પહેલી વખત વિક્કી કૌશલ સાથે સ્ક્રીન શેર કરવાના છે. થોડા દિવસ પહેલા સારા અલી ખાન વિકી કૌશલ સાથે લખનઉ પહોંચ્યા હતા જ્યાં હનુમાનજીના દર્શન કર્યા હતા. ત્યારે આજે ફરી એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે મહાકાલ મંદિરના દર્શને પહોંચી હતી. ભસ્મ આરતીનો લાભ લીધો હતો ઉપરાંત પૂજા પાઠ તેમજ ધ્યાન પણ કર્યું હતું. જે વીડિયો સામે આવ્યો છે તેમાં માથા પર તિલક કરેલા નજરે પડે છે. 2 જૂનના રોજ સારા અલી ખાન અને વિક્કી કૌશલની ફિલ્મ જરા હટકે, જરા બચકે ફિલ્મ રિલીઝ થવાની છે.   


અનેક વખત મહાકાલના દર્શને કરવા પહોંચી છે અભિનેત્રી!  

ફિલ્મની શૂટિંગ દરમિયાન બે વખત મહાકાલના દર્શને ગયા હતા. જાન્યુઆરી 2022માં માતા અમૃતાસિંહ સાથે મહાકાલ મંદિરના દર્શને પહોંચ્યા હતા. તે વખતે ફિલ્મ લુકાછુપી-2નું શૂટિંગ ચાલી રહ્યું હતું. તે પહેલા ડિસેમ્બર 2021માં મહાકાલના દર્શને ગયા હતા જ્યારે તેમની ફિલ્મ અતરંગી આવવાની હતી. તે વખતે સારા અલી ખાન ઘણી ટ્રોલ થઈ હતી. 


ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી