સારા અલી ખાને સિક્યોરિટી ગાર્ડને અયોગ્ય રીતે કર્યો સ્પર્શ ? નિર્દોષ પુરૂષોની સુરક્ષાની ઉઠી માંગ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 11:33:09

બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન ચર્ચામાં છે, પરંતુ આ વખતે ચર્ચામાં રહેવાનું 'કારણ' તેના માટે ખરાબ છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ લોકો ગુસ્સે છે. સારા પર નશાની હાલતમાં સિક્યોરિટી ગાર્ડને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો આરોપ છે. આ સાથે નિર્દોષ પુરુષોની સુરક્ષાની માંગ પણ ઉઠી રહી છે.


આ વીડિયોમાં સારા અલી ખાન એક મિત્ર સાથે જોવા મળી રહી છે, જેણે તેનો હાથ પકડ્યો છે. તે મુંબઈમાં એક રેસ્ટોરન્ટમાં પ્રવેશતી જોવા મળે છે. તેને જોઈને સિક્યુરિટી ગાર્ડ દિવાલ સાથે ચોંટીને ઉભો રહે છે, જેથી તેને બહાર નીકળવામાં કોઈ તકલીફ ન પડે. પરંતુ  સારા તે સિક્યોરિટી ગાર્ડની નજીકથી પસાર થાય છે અને તેને અયોગ્ય રીતે સ્પર્શ કરે છે.

 

વીડિયો જોયા બાદ સવાલો ઉઠી રહ્યા છે

 Image


આ વીડિયો જોયા પછી કેટલાક લોકો ગુસ્સે થઈ ગયા. તેઓ સારાની આ હરકત  પર સવાલ ઉઠાવી રહ્યા છે. જેઓ નિર્દોષ છે તેમની સુરક્ષા અંગે તેઓ સવાલ ઉઠાવી રહ્યા છે. તે કહે છે કે જો સિક્યોરિટી ગાર્ડે આવું જ કર્યું હોત તો અત્યાર સુધીમાં હંગામો મચી ગયો હોત અને કદાચ તેની નોકરી જતી રહી હોત. પરંતુ જો તેની સાથે આ જ ખોટું કામ થતું હોય તો તેને પણ ન્યાય મેળવવાનો અધિકાર છે.


સોશિયલ મીડિયા પર લોકોએ સારા અલી ખાન વિષે શું કહ્યું?


સારા અલી ખાન કરણ જોહરના શો કોફી વિથ કરણ 7 માં સ્ક્રીન પર જોવા મળી હતી. તે તેની મિત્ર અને અભિનેત્રી જાહ્નવી કપૂર સાથે શોમાં આવી હતી. બંનેએ પોતાના અંગત જીવન વિશે ઘણા ખુલાસા કર્યા છે. સારાએ એક્સ બોયફ્રેન્ડનો ઉલ્લેખ કર્યો હતો. એ પણ કહ્યું કે તે  વિજય દેવરાકોંડાને ખૂબ પસંદ કરે છે.

Janhvi Kapoor and Sara Ali Khan might go down as the most boring guests in  the history of Koffee with Karan. Here's why | Entertainment News,The  Indian Express

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સારા અલી ખાન છેલ્લે ધનુષ અને અક્ષય કુમાર સાથે 'અતરંગી રે'માં જોવા મળી હતી. તેણીએ થોડા દિવસો પહેલા વિકી કૌશલ સાથે લક્ષ્મણ ઉતેકરની ફિલ્મ માટે શૂટિંગ કર્યું હતું, જેનું નામ હજુ નક્કી કરવાનું બાકી છે. આ સિવાય તે વિક્રાંત મેસી સાથે 'ગેસલાઈટ'નું શૂટિંગ પણ કરી રહી હતી. Atrangi Re review: Sara, Dhanush are soul of the film, Akshay adds Midas  touch | Bollywood - Hindustan Times

આ ક્રિકેટર સાથે જોડાયેલું નામ

Sara Ali Khan spotted with Shubman Gill, cricket and Bollywood fans react |  Bollywood - Hindustan Times

સારા અલી ખાન અંગત જીવનને લઈને પણ ઘણી ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા તેનું નામ ભારતીય ક્રિકેટર શુભમન ગિલ સાથે જોડાયું હતું. બંનેએ સાથે ડિનર કર્યાના કેટલાક ફોટો વાયરલ થયા હતા.



રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.