રશિયાને પછાડી સાઉદી અરેબિયા બન્યો ભારતનો બીજો સૌથી મોટો ક્રૂડ નિકાસકાર દેશ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 18:18:42

ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટા ક્રૂડ આયાતકાર અને ખરીદદાર દેશ છે. ઈરાક બાદ ભારત સૌથી વધુ ક્રુડ સાઉદી અરેબિયા પાસેથી ખરીદતું હતું પણ રશિયાએ ક્રૂડ ખરીદીમાં મોટું ડિસ્કાઉન્ટ આપતા ભારતે  રશિયા પાસેથી ક્રુડની ખરીદી વધારી હતી. જો કે ત્રણ મહિના બાદ સાઉદીએ ફરીથી રશિયાને પછા઼ડીને તેનું સ્થાન મેળવી લીધું છે.


ભારતે પ્રતિ દિન 863,950 બેરલ ક્રૂડ સાઉદી પાસેથી ખરીદ્યુ છે. રશિયાએ ડિસ્કાઉન્ટ ઘટાડતા અને ભારતને આઈલની નિકાસ ઘટાડતા સાઉદી અરેબિયાએ તેનો બીજો ક્રમ પ્રાપ્ત કરી લીધો છે. ભારતને ઓગસ્ટ મહિનામાં ક્રુડની નિકાસ કરનારા દેશોમાં આફ્રિકાના દેશોનો ફાળો 4.2 ટકા જ્યારે લેટીન અમેરિકાના દેશોનું યોગદાન 7.7 ટકાથી ઘટીને 5.3 ટકા રહી ગયું છે.


ભારતમાં ચોમાસામાં ડિઝલની માગ ઘટી છે. ભારતે સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત પાસેથી ક્રૂડની ખરીદી વધારતા તેનો ફાળો 59 ટકા જેટલો થયો છે. ઓગસ્ટમાં ભારતને ક્રૂડની નિકાસ કરનારા દેશોમાં યુએઈનું ચોથું સ્થાન હતું. જ્યારે કુવૈતને પછાડીને કઝાકિસ્તાન પાંચમો સૌથી મોટો ઓઈલ સપ્લાયર દેશ બન્યો હતો.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.