રશિયાને પછાડી સાઉદી અરેબિયા બન્યો ભારતનો બીજો સૌથી મોટો ક્રૂડ નિકાસકાર દેશ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 18:18:42

ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટા ક્રૂડ આયાતકાર અને ખરીદદાર દેશ છે. ઈરાક બાદ ભારત સૌથી વધુ ક્રુડ સાઉદી અરેબિયા પાસેથી ખરીદતું હતું પણ રશિયાએ ક્રૂડ ખરીદીમાં મોટું ડિસ્કાઉન્ટ આપતા ભારતે  રશિયા પાસેથી ક્રુડની ખરીદી વધારી હતી. જો કે ત્રણ મહિના બાદ સાઉદીએ ફરીથી રશિયાને પછા઼ડીને તેનું સ્થાન મેળવી લીધું છે.


ભારતે પ્રતિ દિન 863,950 બેરલ ક્રૂડ સાઉદી પાસેથી ખરીદ્યુ છે. રશિયાએ ડિસ્કાઉન્ટ ઘટાડતા અને ભારતને આઈલની નિકાસ ઘટાડતા સાઉદી અરેબિયાએ તેનો બીજો ક્રમ પ્રાપ્ત કરી લીધો છે. ભારતને ઓગસ્ટ મહિનામાં ક્રુડની નિકાસ કરનારા દેશોમાં આફ્રિકાના દેશોનો ફાળો 4.2 ટકા જ્યારે લેટીન અમેરિકાના દેશોનું યોગદાન 7.7 ટકાથી ઘટીને 5.3 ટકા રહી ગયું છે.


ભારતમાં ચોમાસામાં ડિઝલની માગ ઘટી છે. ભારતે સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત પાસેથી ક્રૂડની ખરીદી વધારતા તેનો ફાળો 59 ટકા જેટલો થયો છે. ઓગસ્ટમાં ભારતને ક્રૂડની નિકાસ કરનારા દેશોમાં યુએઈનું ચોથું સ્થાન હતું. જ્યારે કુવૈતને પછાડીને કઝાકિસ્તાન પાંચમો સૌથી મોટો ઓઈલ સપ્લાયર દેશ બન્યો હતો.



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.