રશિયાને પછાડી સાઉદી અરેબિયા બન્યો ભારતનો બીજો સૌથી મોટો ક્રૂડ નિકાસકાર દેશ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 18:18:42

ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટા ક્રૂડ આયાતકાર અને ખરીદદાર દેશ છે. ઈરાક બાદ ભારત સૌથી વધુ ક્રુડ સાઉદી અરેબિયા પાસેથી ખરીદતું હતું પણ રશિયાએ ક્રૂડ ખરીદીમાં મોટું ડિસ્કાઉન્ટ આપતા ભારતે  રશિયા પાસેથી ક્રુડની ખરીદી વધારી હતી. જો કે ત્રણ મહિના બાદ સાઉદીએ ફરીથી રશિયાને પછા઼ડીને તેનું સ્થાન મેળવી લીધું છે.


ભારતે પ્રતિ દિન 863,950 બેરલ ક્રૂડ સાઉદી પાસેથી ખરીદ્યુ છે. રશિયાએ ડિસ્કાઉન્ટ ઘટાડતા અને ભારતને આઈલની નિકાસ ઘટાડતા સાઉદી અરેબિયાએ તેનો બીજો ક્રમ પ્રાપ્ત કરી લીધો છે. ભારતને ઓગસ્ટ મહિનામાં ક્રુડની નિકાસ કરનારા દેશોમાં આફ્રિકાના દેશોનો ફાળો 4.2 ટકા જ્યારે લેટીન અમેરિકાના દેશોનું યોગદાન 7.7 ટકાથી ઘટીને 5.3 ટકા રહી ગયું છે.


ભારતમાં ચોમાસામાં ડિઝલની માગ ઘટી છે. ભારતે સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત પાસેથી ક્રૂડની ખરીદી વધારતા તેનો ફાળો 59 ટકા જેટલો થયો છે. ઓગસ્ટમાં ભારતને ક્રૂડની નિકાસ કરનારા દેશોમાં યુએઈનું ચોથું સ્થાન હતું. જ્યારે કુવૈતને પછાડીને કઝાકિસ્તાન પાંચમો સૌથી મોટો ઓઈલ સપ્લાયર દેશ બન્યો હતો.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.