સૌરાષ્ટ્ર અને તમિલનાડુ વચ્ચે વર્ષો જુનો સંબંધ છે? જાણો શું છે સૌરાષ્ટ્ર તમિલ સરગમ અને ક્યારથી થવાનો છે પ્રારંભ


  • Published By :
  • Published Date : 2023-03-28 18:03:04

ભારતએ વિવિધ સંસ્કૃતિઓનો દેશ છે અને એમાં પણ જ્યારે બે પ્રદેશની સંસ્કૃતિઓ ભેગી થાયને ત્યારે એનો સંગમ અને એની વાતો તો કંઈક અલગ જ હોય છે. આવો જ એક સંગમ ગુજરાતને આંગણે થવા જઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ ગુજરાતની ધરા પર થવા જઈ રહ્યો છે. 


સૌરાષ્ટ્ર તમિલ સંગમનું કરાશે આયોજન 

કહેવાય છે કે વર્ષો પહેલાં ઘણાં ગુજરાતીઓ સૌરાષ્ટ્રમાંથી તમિલનાડુમાં આવીને વસ્યાં હતા, જેઓ આજે પણ સૌરાષ્ટ્રી તમલિ તરીકે ઓળખાય છે. અને તેમની જીવનશૈલીમાં થોડી ઘણી સૌરાષ્ટ્રની રીતભાત પણ આજે જોવા મળે છે. જેને ધ્યાનમાં રાખીને એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત સૌરાષ્ટ્ર તમિલ સંગમ યોજવામાં આવી રહ્યું છે.આ સંગમ આગમી 17 એપ્રિલ થી લઈને 30 એપ્રિલ દરમ્યાન સૌરાષ્ટ્ર ખાતે યોજાવાનો છે. જેમાં તમિલનાડુમાં રહેતા ગુજરાતીઓ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવશે અને આ કાર્યક્રમ સોમનાથ તેમજ કેવડિયા સહિત ગુજરાતના ચાર શહેરોમાં યોજવામાં આવશે. 


કેન્દ્રીય મંત્રીઓએ લોગો અને વેબસાઈટ કરી લોન્ચ 

આ માટે હાલમાં જ કેન્દ્રિય મંત્રી મનુસખ માંડવિયા અને અનુરાગ ઠાકુર સહિત ગુજરાતના મંત્રીઓ પણ તમિલનાડુના પ્રવાસે ગયા હતા અને આ સંગમમાં ભાગ લેવા માટે ત્યાંના ગુજરાતીઓને આમંત્રણ આપ્યું હતું અને આ ઉપરાંત એ કાર્યક્રમનો લોગો અને વેબસાઈટ લોન્ચ કરી હતી.અને વેબસાઈટ લોન્ચ થયા બાદ કુલ 10 હજારથી વધારે લોકોએ આ કાર્યક્રમ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રી મનુસખ માંડવિયાએ કહ્યું હતું કે અન્ના તમે લોકો રસમ લઈને આવજો અમે ગુજરાતમાં થેપલા અને ખાખરા તૈયાર રાખીશું..


વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં કરી આ અંગે વાત 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વન ઈન્ડિયા, બેસ્ટ ઈન્ડિયા વિઝન અંતર્ગત કાશી તમિલ સંગમ બાદ હવે સૌરાષ્ટ્ર તમિલ સંગમ થવા જઈ રહ્યું છે,ત્યારે આ સંગમનું ઉદ્દઘાટન ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે, તેઓ 17 એપ્રિલે સૌરાષ્ટ્રના સોમનાથ મંદિરે આવશે અને આ કાર્યક્રમનો શુભારંભ કરાવશે. આ મુદ્દે હાલ માંજ પ્રધાનમંત્રીએ પોતાની મન કી બાત કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ વિશે વાત કરી હતી. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.