સૌરાષ્ટ્ર અને તમિલનાડુ વચ્ચે વર્ષો જુનો સંબંધ છે? જાણો શું છે સૌરાષ્ટ્ર તમિલ સરગમ અને ક્યારથી થવાનો છે પ્રારંભ


  • Published By :
  • Published Date : 2023-03-28 18:03:04

ભારતએ વિવિધ સંસ્કૃતિઓનો દેશ છે અને એમાં પણ જ્યારે બે પ્રદેશની સંસ્કૃતિઓ ભેગી થાયને ત્યારે એનો સંગમ અને એની વાતો તો કંઈક અલગ જ હોય છે. આવો જ એક સંગમ ગુજરાતને આંગણે થવા જઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ ગુજરાતની ધરા પર થવા જઈ રહ્યો છે. 


સૌરાષ્ટ્ર તમિલ સંગમનું કરાશે આયોજન 

કહેવાય છે કે વર્ષો પહેલાં ઘણાં ગુજરાતીઓ સૌરાષ્ટ્રમાંથી તમિલનાડુમાં આવીને વસ્યાં હતા, જેઓ આજે પણ સૌરાષ્ટ્રી તમલિ તરીકે ઓળખાય છે. અને તેમની જીવનશૈલીમાં થોડી ઘણી સૌરાષ્ટ્રની રીતભાત પણ આજે જોવા મળે છે. જેને ધ્યાનમાં રાખીને એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત સૌરાષ્ટ્ર તમિલ સંગમ યોજવામાં આવી રહ્યું છે.આ સંગમ આગમી 17 એપ્રિલ થી લઈને 30 એપ્રિલ દરમ્યાન સૌરાષ્ટ્ર ખાતે યોજાવાનો છે. જેમાં તમિલનાડુમાં રહેતા ગુજરાતીઓ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવશે અને આ કાર્યક્રમ સોમનાથ તેમજ કેવડિયા સહિત ગુજરાતના ચાર શહેરોમાં યોજવામાં આવશે. 


કેન્દ્રીય મંત્રીઓએ લોગો અને વેબસાઈટ કરી લોન્ચ 

આ માટે હાલમાં જ કેન્દ્રિય મંત્રી મનુસખ માંડવિયા અને અનુરાગ ઠાકુર સહિત ગુજરાતના મંત્રીઓ પણ તમિલનાડુના પ્રવાસે ગયા હતા અને આ સંગમમાં ભાગ લેવા માટે ત્યાંના ગુજરાતીઓને આમંત્રણ આપ્યું હતું અને આ ઉપરાંત એ કાર્યક્રમનો લોગો અને વેબસાઈટ લોન્ચ કરી હતી.અને વેબસાઈટ લોન્ચ થયા બાદ કુલ 10 હજારથી વધારે લોકોએ આ કાર્યક્રમ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રી મનુસખ માંડવિયાએ કહ્યું હતું કે અન્ના તમે લોકો રસમ લઈને આવજો અમે ગુજરાતમાં થેપલા અને ખાખરા તૈયાર રાખીશું..


વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં કરી આ અંગે વાત 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વન ઈન્ડિયા, બેસ્ટ ઈન્ડિયા વિઝન અંતર્ગત કાશી તમિલ સંગમ બાદ હવે સૌરાષ્ટ્ર તમિલ સંગમ થવા જઈ રહ્યું છે,ત્યારે આ સંગમનું ઉદ્દઘાટન ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે, તેઓ 17 એપ્રિલે સૌરાષ્ટ્રના સોમનાથ મંદિરે આવશે અને આ કાર્યક્રમનો શુભારંભ કરાવશે. આ મુદ્દે હાલ માંજ પ્રધાનમંત્રીએ પોતાની મન કી બાત કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ વિશે વાત કરી હતી. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.