JNU બાદ હૈદરાબાદ યુનિવર્સિટીમાં થયું પ્રતિબંધિત ફિલ્મનું સ્ક્રીનિંગ, ABVPના કાર્યકર્તાઓએ નોંધાવ્યો વિરોધ


  • Published By :
  • Published Date : 2023-01-27 10:20:31

કેન્દ્ર સરકારે બીબીસી દ્વારા બનાવામાં આવેલી ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ લગાવી દીધો છે. પરંતુ અનેક જગ્યાઓ પર આ ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. થોડા સમય પહેલા જેએનયુમાં આ ફિલ્મને લઈને હોબાળો થયો હતો. ત્યારે હૈદરાબાદ યુનિવર્સિટીમાં ગુરૂવાર રાત્રે સ્ટૂડેંન્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના વિરોધમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની છાત્ર શાખા એબીવીપીએ યુનિવર્સીટી કેમ્પસમાં ધ કાશ્મીર ફાઈલ્સ ચલાવી દીધી. તે ઉપરાંત ગણતંત્ર દિવસે કેરળ કોંગ્રેસે આ ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ કર્યું હતું.

  

यह तस्वीर SFI ने सोशल मीडिया पर शेयर की है, जिसमें सैकड़ों स्टूडेंट्स बीबीसी की डॉक्यूमेंट्री देखते नजर आ रहे हैं।

હૈદરાબાદ યુનિવર્સિટીમાં થયું બીબીસીની ફિલ્મનું સ્ક્રીનિંગ

ગુજરાતના ગોધરા કાંડ પર આધારીત બીબીસીની ડોક્યુમેન્ટરી ફિલ્મ ઈન્ડિયા: ધ મોદી ક્વેશ્ચનને લઈ વિવાદ છેડાઈ ગયો છે. કેન્દ્ર સરકાર દ્વારા આના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. પરંતુ અનેક સ્થળો પર આ ડોક્યુમેન્ટરીનું સ્કીનિંગ થઈ રહ્યું છે. મુખ્યત્વે યુનિવર્સિટી કેમ્પસમાં ફિલ્મનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. થોડા સમય પહેલા જેએનયુમાં આ ફિલ્મ વિદ્યાર્થીઓ જોઈ રહ્યા હતા તો હવે આવો જ કિસ્સો હૈદરાબાદ યુનિવર્સિટીમાં બન્યો છે જ્યાં ડોક્યૂમેન્ટરીનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. 

तस्वीर गुरुवार शाम की है। जिसमें ABVP कार्यकर्ता हैदराबाद यूनिवर्सिटी के गेट पर प्रशासन के खिलाफ प्रदर्शन करते दिख रहे हैं।

The Kashmir Files To Re-release In Theatres On January 19 To Mark The  Observance Of The Kashmiri Hindu Genocide Day | The Kashmir Files: 'ધ  કાશ્મીર ફાઇલ્સ' સિનેમાઘરોમાં આજે ફરીથી થઇ રિલીઝ,


એબીવીપીના કાર્યકર્તાઓએ કેમ્પસમાં બતાવ્યું ધ કાશ્મીર ફિલ્મ 

એસએફઆઈએ સ્ક્રીનિંગને લઈને અમુક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. કેપ્શનમાં લખ્યું હતું કે એબીવીપીના કાર્યકર્તાઓએ હંગામો કરવાની કોશિશ કરી પરંતુ અમે તેમને સફળ ન થવા દીધી. તો બીજી તરફ એબીવીપીના કાર્યકર્તાઓએ યુનિવર્સિટી કેમ્પસમાં ધ કાશ્મીર ફાઈલ્સ બતાવવાનો પ્રત્યન કર્યો. એબીવીપીના કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો કે પ્રશાસને ડોક્યુમેન્ટરી બતાવવાની અનુમતિ આપી છે. ઉપરાંત તેમણે પ્રશાસન પર આરોપ લગાવ્યો કે તેમણે ઘ કાશ્મીર ફાઈલ્સ બતાવાની ના પાડી.     



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.