JNU બાદ હૈદરાબાદ યુનિવર્સિટીમાં થયું પ્રતિબંધિત ફિલ્મનું સ્ક્રીનિંગ, ABVPના કાર્યકર્તાઓએ નોંધાવ્યો વિરોધ


  • Published By :
  • Published Date : 2023-01-27 10:20:31

કેન્દ્ર સરકારે બીબીસી દ્વારા બનાવામાં આવેલી ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ લગાવી દીધો છે. પરંતુ અનેક જગ્યાઓ પર આ ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. થોડા સમય પહેલા જેએનયુમાં આ ફિલ્મને લઈને હોબાળો થયો હતો. ત્યારે હૈદરાબાદ યુનિવર્સિટીમાં ગુરૂવાર રાત્રે સ્ટૂડેંન્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના વિરોધમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની છાત્ર શાખા એબીવીપીએ યુનિવર્સીટી કેમ્પસમાં ધ કાશ્મીર ફાઈલ્સ ચલાવી દીધી. તે ઉપરાંત ગણતંત્ર દિવસે કેરળ કોંગ્રેસે આ ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ કર્યું હતું.

  

यह तस्वीर SFI ने सोशल मीडिया पर शेयर की है, जिसमें सैकड़ों स्टूडेंट्स बीबीसी की डॉक्यूमेंट्री देखते नजर आ रहे हैं।

હૈદરાબાદ યુનિવર્સિટીમાં થયું બીબીસીની ફિલ્મનું સ્ક્રીનિંગ

ગુજરાતના ગોધરા કાંડ પર આધારીત બીબીસીની ડોક્યુમેન્ટરી ફિલ્મ ઈન્ડિયા: ધ મોદી ક્વેશ્ચનને લઈ વિવાદ છેડાઈ ગયો છે. કેન્દ્ર સરકાર દ્વારા આના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. પરંતુ અનેક સ્થળો પર આ ડોક્યુમેન્ટરીનું સ્કીનિંગ થઈ રહ્યું છે. મુખ્યત્વે યુનિવર્સિટી કેમ્પસમાં ફિલ્મનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. થોડા સમય પહેલા જેએનયુમાં આ ફિલ્મ વિદ્યાર્થીઓ જોઈ રહ્યા હતા તો હવે આવો જ કિસ્સો હૈદરાબાદ યુનિવર્સિટીમાં બન્યો છે જ્યાં ડોક્યૂમેન્ટરીનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. 

तस्वीर गुरुवार शाम की है। जिसमें ABVP कार्यकर्ता हैदराबाद यूनिवर्सिटी के गेट पर प्रशासन के खिलाफ प्रदर्शन करते दिख रहे हैं।

The Kashmir Files To Re-release In Theatres On January 19 To Mark The  Observance Of The Kashmiri Hindu Genocide Day | The Kashmir Files: 'ધ  કાશ્મીર ફાઇલ્સ' સિનેમાઘરોમાં આજે ફરીથી થઇ રિલીઝ,


એબીવીપીના કાર્યકર્તાઓએ કેમ્પસમાં બતાવ્યું ધ કાશ્મીર ફિલ્મ 

એસએફઆઈએ સ્ક્રીનિંગને લઈને અમુક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. કેપ્શનમાં લખ્યું હતું કે એબીવીપીના કાર્યકર્તાઓએ હંગામો કરવાની કોશિશ કરી પરંતુ અમે તેમને સફળ ન થવા દીધી. તો બીજી તરફ એબીવીપીના કાર્યકર્તાઓએ યુનિવર્સિટી કેમ્પસમાં ધ કાશ્મીર ફાઈલ્સ બતાવવાનો પ્રત્યન કર્યો. એબીવીપીના કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો કે પ્રશાસને ડોક્યુમેન્ટરી બતાવવાની અનુમતિ આપી છે. ઉપરાંત તેમણે પ્રશાસન પર આરોપ લગાવ્યો કે તેમણે ઘ કાશ્મીર ફાઈલ્સ બતાવાની ના પાડી.     



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.