JNU બાદ હૈદરાબાદ યુનિવર્સિટીમાં થયું પ્રતિબંધિત ફિલ્મનું સ્ક્રીનિંગ, ABVPના કાર્યકર્તાઓએ નોંધાવ્યો વિરોધ


  • Published By :
  • Published Date : 2023-01-27 10:20:31

કેન્દ્ર સરકારે બીબીસી દ્વારા બનાવામાં આવેલી ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ લગાવી દીધો છે. પરંતુ અનેક જગ્યાઓ પર આ ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. થોડા સમય પહેલા જેએનયુમાં આ ફિલ્મને લઈને હોબાળો થયો હતો. ત્યારે હૈદરાબાદ યુનિવર્સિટીમાં ગુરૂવાર રાત્રે સ્ટૂડેંન્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના વિરોધમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની છાત્ર શાખા એબીવીપીએ યુનિવર્સીટી કેમ્પસમાં ધ કાશ્મીર ફાઈલ્સ ચલાવી દીધી. તે ઉપરાંત ગણતંત્ર દિવસે કેરળ કોંગ્રેસે આ ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ કર્યું હતું.

  

यह तस्वीर SFI ने सोशल मीडिया पर शेयर की है, जिसमें सैकड़ों स्टूडेंट्स बीबीसी की डॉक्यूमेंट्री देखते नजर आ रहे हैं।

હૈદરાબાદ યુનિવર્સિટીમાં થયું બીબીસીની ફિલ્મનું સ્ક્રીનિંગ

ગુજરાતના ગોધરા કાંડ પર આધારીત બીબીસીની ડોક્યુમેન્ટરી ફિલ્મ ઈન્ડિયા: ધ મોદી ક્વેશ્ચનને લઈ વિવાદ છેડાઈ ગયો છે. કેન્દ્ર સરકાર દ્વારા આના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. પરંતુ અનેક સ્થળો પર આ ડોક્યુમેન્ટરીનું સ્કીનિંગ થઈ રહ્યું છે. મુખ્યત્વે યુનિવર્સિટી કેમ્પસમાં ફિલ્મનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. થોડા સમય પહેલા જેએનયુમાં આ ફિલ્મ વિદ્યાર્થીઓ જોઈ રહ્યા હતા તો હવે આવો જ કિસ્સો હૈદરાબાદ યુનિવર્સિટીમાં બન્યો છે જ્યાં ડોક્યૂમેન્ટરીનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. 

तस्वीर गुरुवार शाम की है। जिसमें ABVP कार्यकर्ता हैदराबाद यूनिवर्सिटी के गेट पर प्रशासन के खिलाफ प्रदर्शन करते दिख रहे हैं।

The Kashmir Files To Re-release In Theatres On January 19 To Mark The  Observance Of The Kashmiri Hindu Genocide Day | The Kashmir Files: 'ધ  કાશ્મીર ફાઇલ્સ' સિનેમાઘરોમાં આજે ફરીથી થઇ રિલીઝ,


એબીવીપીના કાર્યકર્તાઓએ કેમ્પસમાં બતાવ્યું ધ કાશ્મીર ફિલ્મ 

એસએફઆઈએ સ્ક્રીનિંગને લઈને અમુક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. કેપ્શનમાં લખ્યું હતું કે એબીવીપીના કાર્યકર્તાઓએ હંગામો કરવાની કોશિશ કરી પરંતુ અમે તેમને સફળ ન થવા દીધી. તો બીજી તરફ એબીવીપીના કાર્યકર્તાઓએ યુનિવર્સિટી કેમ્પસમાં ધ કાશ્મીર ફાઈલ્સ બતાવવાનો પ્રત્યન કર્યો. એબીવીપીના કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો કે પ્રશાસને ડોક્યુમેન્ટરી બતાવવાની અનુમતિ આપી છે. ઉપરાંત તેમણે પ્રશાસન પર આરોપ લગાવ્યો કે તેમણે ઘ કાશ્મીર ફાઈલ્સ બતાવાની ના પાડી.     



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.