JNU બાદ હૈદરાબાદ યુનિવર્સિટીમાં થયું પ્રતિબંધિત ફિલ્મનું સ્ક્રીનિંગ, ABVPના કાર્યકર્તાઓએ નોંધાવ્યો વિરોધ


  • Published By :
  • Published Date : 2023-01-27 10:20:31

કેન્દ્ર સરકારે બીબીસી દ્વારા બનાવામાં આવેલી ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ લગાવી દીધો છે. પરંતુ અનેક જગ્યાઓ પર આ ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. થોડા સમય પહેલા જેએનયુમાં આ ફિલ્મને લઈને હોબાળો થયો હતો. ત્યારે હૈદરાબાદ યુનિવર્સિટીમાં ગુરૂવાર રાત્રે સ્ટૂડેંન્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના વિરોધમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની છાત્ર શાખા એબીવીપીએ યુનિવર્સીટી કેમ્પસમાં ધ કાશ્મીર ફાઈલ્સ ચલાવી દીધી. તે ઉપરાંત ગણતંત્ર દિવસે કેરળ કોંગ્રેસે આ ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ કર્યું હતું.

  

यह तस्वीर SFI ने सोशल मीडिया पर शेयर की है, जिसमें सैकड़ों स्टूडेंट्स बीबीसी की डॉक्यूमेंट्री देखते नजर आ रहे हैं।

હૈદરાબાદ યુનિવર્સિટીમાં થયું બીબીસીની ફિલ્મનું સ્ક્રીનિંગ

ગુજરાતના ગોધરા કાંડ પર આધારીત બીબીસીની ડોક્યુમેન્ટરી ફિલ્મ ઈન્ડિયા: ધ મોદી ક્વેશ્ચનને લઈ વિવાદ છેડાઈ ગયો છે. કેન્દ્ર સરકાર દ્વારા આના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. પરંતુ અનેક સ્થળો પર આ ડોક્યુમેન્ટરીનું સ્કીનિંગ થઈ રહ્યું છે. મુખ્યત્વે યુનિવર્સિટી કેમ્પસમાં ફિલ્મનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. થોડા સમય પહેલા જેએનયુમાં આ ફિલ્મ વિદ્યાર્થીઓ જોઈ રહ્યા હતા તો હવે આવો જ કિસ્સો હૈદરાબાદ યુનિવર્સિટીમાં બન્યો છે જ્યાં ડોક્યૂમેન્ટરીનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. 

तस्वीर गुरुवार शाम की है। जिसमें ABVP कार्यकर्ता हैदराबाद यूनिवर्सिटी के गेट पर प्रशासन के खिलाफ प्रदर्शन करते दिख रहे हैं।

The Kashmir Files To Re-release In Theatres On January 19 To Mark The  Observance Of The Kashmiri Hindu Genocide Day | The Kashmir Files: 'ધ  કાશ્મીર ફાઇલ્સ' સિનેમાઘરોમાં આજે ફરીથી થઇ રિલીઝ,


એબીવીપીના કાર્યકર્તાઓએ કેમ્પસમાં બતાવ્યું ધ કાશ્મીર ફિલ્મ 

એસએફઆઈએ સ્ક્રીનિંગને લઈને અમુક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. કેપ્શનમાં લખ્યું હતું કે એબીવીપીના કાર્યકર્તાઓએ હંગામો કરવાની કોશિશ કરી પરંતુ અમે તેમને સફળ ન થવા દીધી. તો બીજી તરફ એબીવીપીના કાર્યકર્તાઓએ યુનિવર્સિટી કેમ્પસમાં ધ કાશ્મીર ફાઈલ્સ બતાવવાનો પ્રત્યન કર્યો. એબીવીપીના કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો કે પ્રશાસને ડોક્યુમેન્ટરી બતાવવાની અનુમતિ આપી છે. ઉપરાંત તેમણે પ્રશાસન પર આરોપ લગાવ્યો કે તેમણે ઘ કાશ્મીર ફાઈલ્સ બતાવાની ના પાડી.     



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.