હિંડનબર્ગ-અદાણી વિવાદ: ખૂબ જ જટિલ કેસ... સેબીએ સુપ્રીમ પાસે તપાસ માટે માંગ્યો વધુ સમય


  • Published By :
  • Published Date : 2023-04-29 19:46:58

માર્કેટ રેગ્યુલેટર SEBIએ અદાણી ગ્રુપ સામેના આરોપોની તપાસ પૂર્ણ કરવા માટે સુપ્રીમ કોર્ટ પાસે વધુ છ મહિનાનો સમય માંગ્યો છે. અમેરિકા સ્થિત શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચે 24 જાન્યુઆરીએ અદાણી ગ્રૂપ પર એક રિપોર્ટ બહાર પાડ્યો હતો. જેમાં અદાણી ગ્રૂપ પર શેરની કિંમતમાં ચેડાં કરવાના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. 


મામલો સુપ્રીમમાં પહોંચ્યો


અદાણી ગ્રુપે આ આરોપોને નકારી કાઢ્યા હતા પરંતુ આ મામલે ભારે હોબાળો થયો હતો. બાદમાં આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો, સર્વોચ્ચ અદાલતે સેબીને બે મહિનાની અંદર સ્ટેટસ રિપોર્ટ જમા કરાવવા કહ્યું હતું. તેની સમયમર્યાદા 2 મેના રોજ પૂરી થાય છે. સેબીએ આ તપાસ પૂર્ણ કરવા માટે સુપ્રીમ કોર્ટ પાસે ઓછામાં ઓછા છ મહિનાનો વધુ સમય માંગ્યો છે. શનિવારે માર્કેટ રેગ્યુલેટરે આ અંગે કોર્ટને વિનંતી કરી હતી.


SEBIએ માંગ્યો વધુ સમય


SEBIએ કોર્ટને કહ્યું કે આવા શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનની તપાસ કરવામાં ઓછામાં ઓછા 15 મહિનાનો સમય લાગે છે, પરંતુ તે છ મહિનામાં તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે. હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં ઉલ્લેખિત 12 શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન પ્રથમ નજરમાં જ ખૂબ જટિલ લાગે છે. તેની ઉંડાણપૂર્વક તપાસ કરવાની જરૂર છે. તેથી સેબીએ સુપ્રીમ કોર્ટને તપાસ માટે ઓછામાં ઓછો છ મહિનાનો વધુ સમય આપવા વિનંતી કરી છે. 


સુપ્રીમે બનાવી છ સભ્યોની પેનલ


સુપ્રીમ કોર્ટે માર્ચમાં છ સભ્યોની પેનલની પણ રચના કરી હતી. દેશના ઈન્વેસ્ટર પ્રોટેક્સન ફ્રેમવર્કની તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે. હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટના કારણે અદાણી ગ્રુપના શેરમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. સુપ્રીમ કોર્ટે આ સંદર્ભમાં એક PILની સુનાવણી દરમિયાન આ સમિતિની રચના કરી હતી.



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.