હિંડનબર્ગ-અદાણી વિવાદ: ખૂબ જ જટિલ કેસ... સેબીએ સુપ્રીમ પાસે તપાસ માટે માંગ્યો વધુ સમય


  • Published By :
  • Published Date : 2023-04-29 19:46:58

માર્કેટ રેગ્યુલેટર SEBIએ અદાણી ગ્રુપ સામેના આરોપોની તપાસ પૂર્ણ કરવા માટે સુપ્રીમ કોર્ટ પાસે વધુ છ મહિનાનો સમય માંગ્યો છે. અમેરિકા સ્થિત શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચે 24 જાન્યુઆરીએ અદાણી ગ્રૂપ પર એક રિપોર્ટ બહાર પાડ્યો હતો. જેમાં અદાણી ગ્રૂપ પર શેરની કિંમતમાં ચેડાં કરવાના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. 


મામલો સુપ્રીમમાં પહોંચ્યો


અદાણી ગ્રુપે આ આરોપોને નકારી કાઢ્યા હતા પરંતુ આ મામલે ભારે હોબાળો થયો હતો. બાદમાં આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો, સર્વોચ્ચ અદાલતે સેબીને બે મહિનાની અંદર સ્ટેટસ રિપોર્ટ જમા કરાવવા કહ્યું હતું. તેની સમયમર્યાદા 2 મેના રોજ પૂરી થાય છે. સેબીએ આ તપાસ પૂર્ણ કરવા માટે સુપ્રીમ કોર્ટ પાસે ઓછામાં ઓછા છ મહિનાનો વધુ સમય માંગ્યો છે. શનિવારે માર્કેટ રેગ્યુલેટરે આ અંગે કોર્ટને વિનંતી કરી હતી.


SEBIએ માંગ્યો વધુ સમય


SEBIએ કોર્ટને કહ્યું કે આવા શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનની તપાસ કરવામાં ઓછામાં ઓછા 15 મહિનાનો સમય લાગે છે, પરંતુ તે છ મહિનામાં તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે. હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં ઉલ્લેખિત 12 શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન પ્રથમ નજરમાં જ ખૂબ જટિલ લાગે છે. તેની ઉંડાણપૂર્વક તપાસ કરવાની જરૂર છે. તેથી સેબીએ સુપ્રીમ કોર્ટને તપાસ માટે ઓછામાં ઓછો છ મહિનાનો વધુ સમય આપવા વિનંતી કરી છે. 


સુપ્રીમે બનાવી છ સભ્યોની પેનલ


સુપ્રીમ કોર્ટે માર્ચમાં છ સભ્યોની પેનલની પણ રચના કરી હતી. દેશના ઈન્વેસ્ટર પ્રોટેક્સન ફ્રેમવર્કની તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે. હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટના કારણે અદાણી ગ્રુપના શેરમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. સુપ્રીમ કોર્ટે આ સંદર્ભમાં એક PILની સુનાવણી દરમિયાન આ સમિતિની રચના કરી હતી.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.