હિંડનબર્ગ-અદાણી વિવાદ: ખૂબ જ જટિલ કેસ... સેબીએ સુપ્રીમ પાસે તપાસ માટે માંગ્યો વધુ સમય


  • Published By :
  • Published Date : 2023-04-29 19:46:58

માર્કેટ રેગ્યુલેટર SEBIએ અદાણી ગ્રુપ સામેના આરોપોની તપાસ પૂર્ણ કરવા માટે સુપ્રીમ કોર્ટ પાસે વધુ છ મહિનાનો સમય માંગ્યો છે. અમેરિકા સ્થિત શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચે 24 જાન્યુઆરીએ અદાણી ગ્રૂપ પર એક રિપોર્ટ બહાર પાડ્યો હતો. જેમાં અદાણી ગ્રૂપ પર શેરની કિંમતમાં ચેડાં કરવાના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. 


મામલો સુપ્રીમમાં પહોંચ્યો


અદાણી ગ્રુપે આ આરોપોને નકારી કાઢ્યા હતા પરંતુ આ મામલે ભારે હોબાળો થયો હતો. બાદમાં આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો, સર્વોચ્ચ અદાલતે સેબીને બે મહિનાની અંદર સ્ટેટસ રિપોર્ટ જમા કરાવવા કહ્યું હતું. તેની સમયમર્યાદા 2 મેના રોજ પૂરી થાય છે. સેબીએ આ તપાસ પૂર્ણ કરવા માટે સુપ્રીમ કોર્ટ પાસે ઓછામાં ઓછા છ મહિનાનો વધુ સમય માંગ્યો છે. શનિવારે માર્કેટ રેગ્યુલેટરે આ અંગે કોર્ટને વિનંતી કરી હતી.


SEBIએ માંગ્યો વધુ સમય


SEBIએ કોર્ટને કહ્યું કે આવા શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનની તપાસ કરવામાં ઓછામાં ઓછા 15 મહિનાનો સમય લાગે છે, પરંતુ તે છ મહિનામાં તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે. હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં ઉલ્લેખિત 12 શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન પ્રથમ નજરમાં જ ખૂબ જટિલ લાગે છે. તેની ઉંડાણપૂર્વક તપાસ કરવાની જરૂર છે. તેથી સેબીએ સુપ્રીમ કોર્ટને તપાસ માટે ઓછામાં ઓછો છ મહિનાનો વધુ સમય આપવા વિનંતી કરી છે. 


સુપ્રીમે બનાવી છ સભ્યોની પેનલ


સુપ્રીમ કોર્ટે માર્ચમાં છ સભ્યોની પેનલની પણ રચના કરી હતી. દેશના ઈન્વેસ્ટર પ્રોટેક્સન ફ્રેમવર્કની તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે. હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટના કારણે અદાણી ગ્રુપના શેરમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. સુપ્રીમ કોર્ટે આ સંદર્ભમાં એક PILની સુનાવણી દરમિયાન આ સમિતિની રચના કરી હતી.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.