ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષાની પદ્ધતિમાં કર્યો આમુલ ફેરફાર, જાણો GSSSBના નિર્ણયની શું થશે અસર


  • Published By :
  • Published Date : 2023-11-29 15:25:21

રાજ્યમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા ગુજરાત સરકારની ત્રીજા વર્ગની વિવિધ ખાલી પડેલી જગ્યાઓમાં માટે પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે. ગુજરાતના હજારો યુવાનો આ પરીક્ષા આપી સરકારી નોકરી મેળવવા તલપાપડ હોય છે. જો કે હવે આ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા તેની પરીક્ષા પધ્ધતીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)એ આ અંગે મોટો નિર્ણય લેતા સંપુર્ણ પરીક્ષા પેપરલેસ બનાવવાની પહેલ કરી છે. હવે ઉમેદવારોએ પરીક્ષા લેખિતના બદલે કોમ્પ્યુટર દ્વાર આપવી પડશે.


15 હજાર ઉમેદવારો પરીક્ષા આપી શકે તેવી સુવિધા


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)ના ઉમેદવારોએ હવે કોમ્પ્યુટર પર જ ઉમેદવારને પરીક્ષા આપવાની રહેશે.ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા માટેની એજન્સી પણ  નક્કી કરી છે. TCS TCS (Tata Consultancy Services) કંપનીને પરીક્ષા માટેની જવાબદારી સોપવામાં આવશે. એક સાથે 15 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. ઓનલાઈન પદ્ધતિથી સૌથી પહેલા બીટગાર્ડની પરીક્ષા લેવામાં આવેશે. બીટગાર્ડની પરીક્ષા એક સપ્તાહથી વધુ સમય સુધી ચાલશે. સાડા ચાર લાખ ઉમેદવારો બીટગાર્ડની પરીક્ષા ઓનલાઈન આપશે. આ સાથે જો એક પરીક્ષામાં ઉમેદવારોની સંખ્યા વધુ હશે તો તેમની પરીક્ષા એક જ દિવસમાં પૂર્ણ નહીં થાય. એટલે કે લાખો ઉમેદવારોએ ફોર્મ ભર્યા હશે તો પરીક્ષા એક કરતા વધુ દિવસ પણ યોજાઈ શકે છે. આ સિવાય પ્રાથમિક માહિતીમાં દિવસના ત્રણ પેપર કાઢવામાં આવશે તેવી વિગતો પણ મળી રહી છે. ટેક્નોલોજીની સાથે ચાલવા અને કાગળનો ઉપયોગ ઘટાડવા માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ થવાથી પરીક્ષાની પ્રક્રિયા વધુ સરળ પણ બની શકે છે. જોકે, આ નવી પદ્ધતિથી પરીક્ષાના આયોજનનો મંડળ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે તેને લગતી વધુ માહિતી આગામી ટૂંક સમયમાં આપવામાં આવી શકે છે.


શું પેપરકાંડથી છુટકારો મળશે?


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા લેવાતી પરીક્ષાઓમાં છેલ્લાં કેટલાં સમયથી છબરડા, તેમજ પેપર ફૂટવાની એક પછી એક ઘટનાઓ કે પછી એમ કહો કે છાશવારે થતાં પેપરકાંડને રોકવા સરકારે હવે કડક પગલાં લીધો છે.  અંતે આ મામલે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરિક્ષા પદ્ધતિમાં મોટો ફેકફાર કરવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનિય છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થતી ભરતીઓ, ખાતાકીય પરીક્ષાઓ અને રાજ્યના વિવિધ ખાતાઓમાં થતી ભરતી અંગેની પરીક્ષાઓનું આયોજન ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા કરવામાં આવતું હોય છે, આ પરીક્ષાઓ લાખોની સંખ્યામાં ઉમેદવારો દ્વારા આપવામાં આવતી હોય છે ત્યારે હવે મંડળ દ્વારા જે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે તેનું આયોજન કઈ રીતે થાય છે તે પરીક્ષા લેવાશે ત્યારે જ જાણવા મળશે.



૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.