જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળને મળી મોટી સફળતા, 3 આતંકવાદીઓનો કરાયો ખાતમો


  • Published By :
  • Published Date : 2022-12-20 16:09:20

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ થઈ છે. શોપિયાં વિસ્તારમાં સુરક્ષાબળોએ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. મળતી માહિતી મુજબ શોપિયાંના મુંઝ માર્ગ વિસ્તારમાં આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં 3 આતંકવાદીઓના મોત થયા છે. અથડામણ થતાં સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી દેવામાં આવી છે.


અથડામણમાં 3 આતંકવાદીના મોત

આતંકવાદીઓ અને સુરક્ષાબળોની વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં અનેક વખત અથડામણ થતી હોય છે. અથડામણમાં કોઈ વખત આતંકવાદી માર્યો જાય છે, કોઈ વખત સ્થાનિકના મૃત્યુ થાય છે તો ક્યારેક દેશની રક્ષા કરતા જવાનો શહિદ થાય છે. ત્યારે આજે ફરી એક વખત જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં આતંકી અને સુરક્ષાબળ વચ્ચે અથડામણ થઈ હતી. મળતી માહિતી અનુસાર 3  આતંકવાદીઓ આ ઘટનામાં માર્યા ગયા છે. મરેલા આંતકવાદીઓમાંથી બેની ઓળખ થઈ ગઈ છે. મૃત્યુ પામેલામાંથી એક આતંકવાદી કાશ્મીરી પંડિતની હત્યામાં સામેલ હતો. 


સમગ્ર વિસ્તારની વધારાઈ સુરક્ષા

મળતી માહિતી અનુસાર સુરક્ષાબળોને આતંકી છૂપાયેલા હોવાની જાણકારી મળી હતી. જેને લઈ સુરક્ષાબળોએ શોપિયાના મુંઝ માર્ગ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ ઓપરેશનમાં 3 આતંકીઓને ઠાર કર્યા. થોડા દિવસો પહેલા પણ આતંકવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ થઈ હતી. આ ઘટનાને કારણે શોપિયામાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે