જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળને મળી મોટી સફળતા, 3 આતંકવાદીઓનો કરાયો ખાતમો


  • Published By :
  • Published Date : 2022-12-20 16:09:20

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ થઈ છે. શોપિયાં વિસ્તારમાં સુરક્ષાબળોએ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. મળતી માહિતી મુજબ શોપિયાંના મુંઝ માર્ગ વિસ્તારમાં આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં 3 આતંકવાદીઓના મોત થયા છે. અથડામણ થતાં સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી દેવામાં આવી છે.


અથડામણમાં 3 આતંકવાદીના મોત

આતંકવાદીઓ અને સુરક્ષાબળોની વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં અનેક વખત અથડામણ થતી હોય છે. અથડામણમાં કોઈ વખત આતંકવાદી માર્યો જાય છે, કોઈ વખત સ્થાનિકના મૃત્યુ થાય છે તો ક્યારેક દેશની રક્ષા કરતા જવાનો શહિદ થાય છે. ત્યારે આજે ફરી એક વખત જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં આતંકી અને સુરક્ષાબળ વચ્ચે અથડામણ થઈ હતી. મળતી માહિતી અનુસાર 3  આતંકવાદીઓ આ ઘટનામાં માર્યા ગયા છે. મરેલા આંતકવાદીઓમાંથી બેની ઓળખ થઈ ગઈ છે. મૃત્યુ પામેલામાંથી એક આતંકવાદી કાશ્મીરી પંડિતની હત્યામાં સામેલ હતો. 


સમગ્ર વિસ્તારની વધારાઈ સુરક્ષા

મળતી માહિતી અનુસાર સુરક્ષાબળોને આતંકી છૂપાયેલા હોવાની જાણકારી મળી હતી. જેને લઈ સુરક્ષાબળોએ શોપિયાના મુંઝ માર્ગ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ ઓપરેશનમાં 3 આતંકીઓને ઠાર કર્યા. થોડા દિવસો પહેલા પણ આતંકવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ થઈ હતી. આ ઘટનાને કારણે શોપિયામાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.   



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.